________________
શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટા પોસીના ગામે શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથને શ્રી મોટા પોસીના પાર્શ્વનાથ કે શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ પણ કહે છે.
ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશનથી ૪૦ કિલોમીટરના અંતરે મોટા પોસીના તીર્થ આવેલું છે. અહીં પાંચ જિનાલયો વિદ્યમાન છે. જિનાલયો પ્રાચીન અને ભવ્ય છે. મોટા પોસીનાથી પાંચ માઈલના અંતરે એક મનોરમ્ય ડુંગર છે. તે ઓળંગીને રોહીડા (રાજસ્થાન) માં જઈ શકાય છે.
શ્રી મોટા પોસીના અર્થાત શ્રી વિષ્નાપહારજી તીર્થમાં દર વર્ષે જેઠ વદ૧૧ના દિવસે ધજા ચઢાવવામાં આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. ( શ્રી મોટા પોસીના તીર્થ ચાર નયનરમ્ય અને દર્શનીય જિનાલયોથી અલંકૃત છે. આ જિનાલયમાં શ્વેત પાષાણના, પદ્માસનસ્થ, ફણારહિત શ્રી મોટા પોસીના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૩૧ ઈંચની છે.
આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજ જૈન શાસનના પ્રભાવક આચાર્ય થયા તેઓ એક વાર વિચરણ કરતાં મોટા પોસીના ગામે પધાર્યા.
આ ગામમાં ગોપાલ નામનો ધર્મવત્સલ અને શ્રીમંત શ્રેષ્ઠી રહેતો હતો. તે આચાર્ય ભગવંતની વાણી સાંભળીને વધારે ધર્માભિમુખ બન્યો અને મનોહર જિનાલય બંધાવવાની ભાવના થઈ. ભાવનાને સાકાર કરવા તેણે બે મંડપ સાથેનું ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું.
આ જિનાલયમાં તેની પત્ની અહિવ દેવી તથા પુત્રીએ વિક્રમ સંવત ૧૪૭૭મ આચાર્ય ભગવંત શ્રી સોમ સુંદરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી. , મારી
શ્રી વિષ્નાપહારજી પાર્શ્વનાથ