________________
પટાવાળાએ કહ્યું : “રોહનને મેં અહીં બાંકડા પર બેઠેલો જોયો હતો અને કોઈ તેડવા આવ્યું નહોતું એટલે રડતો હતો. હું તેની પાસે જાઉ ત્યાં પ્રિન્સીપાલે મને બોલાવ્યો. હું અંદર જઈને બહાર આવ્યો ત્યાં તો રોહન બાંકડા પર નહોતો.” જ “શું કોઈ ઉપાડી ગયું હશે? મનહરભાઈના મનમાં શંકા પેઠી.
ત્યાં મનહરભાઈને થયું કે રોહનને પેલા વિપુલ સાથે સારું બને છે વિપુલને પણ તેના દાદા તેડવા આવ્યા હશે તો રોહનને પણ લઈ ગયા હશે.
| મનહરભાઈ અને નીરજ વિપુલના ઘેર પહોંચ્યા પણ ત્યાં રોહન નહોતો. હવે શું કરવું? તે પ્રશ્ન મુઝવણ ભર્યો બન્યો. રોહનને શોધવો ક્યાં?
5 મનહરભાઈએ બાગ બગીચા, મંદિર વગેરે સ્થળો પર તપાસ આદરી, મુખ્ય બજારમાં આંટો મારી આવ્યા ત્યારે એક રમકડાંની દુકાનના શોકેશમાં રહેલા રમકડાં રોહન જોતો હતો. મનહરભાઈ અને નીરજ તેની પાસે ગયા. રોહન દાદાને જોઈને વળગી પડ્યો. અને બોલ્યો : “દાદા, તમે આજ મને લેવા કેમ નહોતા આવ્યા...હું તો ઘર ગોતતો ગોતતો અહીં આવી ગયો છું.'
“દીકરા, આપણે ઘેર જઈશું પછી બધી વાત કરીશું.' મનહરભાઈ અને નીરજ રોહનને લઈને ઘેર આવ્યા. રેણુકાની આંખોતો રડી રડીને સુજી ગઈ હતી. રાત્રિના આઠ વાગે રોહનનો પત્તો લાગ્યો હતો.
મનહરભાઈએ કહ્યું: ‘આપણે આવતી કાલેજ રોહનને લઈને શંખેશ્વર શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે લઈ જવો પડશે. તેમની કૃપાથી જ રોહન આપણને મળ્યો છે.'
એમજ થયું.
બીજે દિવસે ઘરના બધા સભ્યો શંખેશ્વર ગયા ત્યાં શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુ સહિત ૧૦૮ પાર્શ્વનાથની સેવાપૂજા કરી. શ્રી શંખેશ્વર દાદાની પૂજા કરીને સાંજે પાછા અમદાવાદ આવી ગયા.
શ્રી લોહાણા પાર્શ્વનાથ
૧૩૮