________________
એક ભાગ્યશાળી રોજ આ પ્રભુની પ્રથમ પૂજા કરે, તેને પ્રભુની પલાંઠી પરથી એક દોકડો (તે સમયનું નાણું) પ્રાપ્ત થતો. કો'કને આ વાત કહી દેતા તે દિવસે દોકડો પલાંઠીમાં ચોંટી ગયો. ત્યારથી આ દોકડીયા પાર્શ્વનાથ એવું સાર્થક નામ પડ્યું. કદાચ આખા વિશ્વમાં એક જ એવું જિનાલય છે કે જેને નવ-નવ ગભારા છે.
હે દોકડા દેનાર દોકડીયા શ્રી પારસનાથજી, મુજ દુઃખડા હરનાર દોકડીયા બનોને નાથજી, પ્રભાસ પાટણ નવ ગભારે બેસણાં ભવતારણા, શ્રી દોકડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો
નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાંજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત
શ્રી દક્કીયા પાર્શ્વનાથ
૧૪૩