________________
વિશેષ જાણકારી સમુદ્ર કિનારાની નિકટ વસેલું પ્રભાસ પાટણ, તીર્થ તરીકેની ખ્યાતિને પામેલું છે. મુળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના ભવ્ય જિનપ્રાસાદમાં ડાબી બાજુના ગભારામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની કૃષ્ણવર્મી કમનીય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રભુના નામની સાથે તેની પ્રભાવ સંપન્નતાથી એક મનોહર કથા ગૂંથાયેલી છે. એક ભાગ્યશાળી મહાનુભાવનેનિત્ય આ પ્રભુજીની પ્રથમ પૂજાથી પલાંઠી પરથી એક દોકડો(નાણું) પ્રાપ્ત થતો હતો. આ પ્રમાણે ઘણા દિવસ ચાલ્યું. પણ તે પ્રભુ પૂજકથી આ ચમત્કારી ઘટના ગુપ્ત ન રહી શકી. પ્રભાવથી થયેલા આનંદના આવેગમાં એકદા આ વાત તેણે અન્યને કહી સંભળાવી. બીજે દિવસે નિત્યક્રમ અનુસાર તે પ્રભુની પૂજા કરવા પહોંચ્યો ત્યારે પ્રભુની પલાંઠીમાં દોકડો તો હતો પણ તે ચોંટી ગયો હતો. તે દિવસે દોકડો પ્રાપ્ત થઈ શક્યો નહિ. આજ સુધી તે દોકડો પ્રભુની પલાંઠી પર ચોટેલો મોજુદ છે. આ પ્રભુના નામનું પ્રભાવપૂર્ણ આ રહસ્ય ખૂબ હર્ષ ઉપજાવે છે. શ્રધ્ધાળુઓને આ પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે. તેમની અચિંત્ય પ્રભાવના અનુભવો ભાવુકોને થયા કરે છે. (સંકલિત)
શ્રી પાર્શ્વ સ્તવના નૌ ગભારો યુક્ત મંદિર, આપકા અતિ રમ્ય હૈ | દોકડા-દાતા પ્રભુજી, આપ સચમુચ ધન્ય હૈ || પ્રભાસ પાટણમેં બિરાજે, મૂર્તિ અતિ હી ભવ્ય હૈ | ઐસે “શ્રી દોકડીયા પાર્થ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ||.
દોકડાને દે તો નિત તું તેથી પારસ દોકડીયા ગર્ભગૃહ છે નવ-નવ તારે, એકવાર આવો અહીયા, પ્રભાસ પત્તને વસીયા તમેતો પતન મારું નિવા૨જો , ‘દોકડીયા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી દોક્ટીયા પાર્શ્વનાથ
૧૪૨