________________
મહિમા અપરંપાર
રોહનની સ્કૂલ ઘરની બાજુમાં જ હોવાથી તે ચાલીને સ્કૂલે જતો હતો. રોહન ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મોટા ભાગે તેને તેના દાદાજી તેડવામૂકવા જતાં હતા.
એક દિવસ રોહનના દાદા મનહરભાઈને જ્ઞાતિની મીટીંગમાં જવાનું હોવાથી તેમણે મોહનની મમ્મી રેણુકાને કહ્યું હતું કે સાંજે સાડાપાંચ ભૂલ્યા વગર રોહનને લઈ આવજે.
રેણુકાએ કહ્યું: “પિતાજી, હું સાંજે નિશાળે જઈને રોહનને લેતી આવીશ.”
મનહરભાઈ તો મીટીંગમાં ચાલ્યા ગયા. તેમને મનમાં ચિંતાતો રહી કે રેણુકા સ્કૂલે જવાનું ભૂલી જશે તો ઉપાધિ આવશે.
| ખરેખર એવું જ બન્યું. રેણુકાના કાકીજી ઘેર આવી ગયા તેમાં રોહનને લઈ આવવાનું રેણુકા ભૂલી ગઈ. સાડાપાંચના બદલે સવા છ વાગી ગયા હતા. આ તો મનહરભાઈનો ઘેર ફોન આવ્યો અને રોહન વિષે પુચ્છા કરી ત્યારે રેણુકાને યાદ આવ્યું તેતો એકદમ ગભરાઈ ગઈ અને સીધી સ્કૂલે દોડી. સ્કૂલમાં તો કોઈ નહોતું. રેણુકાએ સ્કૂલમાં બધે તપાસ કરી, સ્કૂલના પટાવાળાને પણ પૂછયું પણ ક્યાંય રોહનનો પત્તો ન મળે.
રેણુકા તો ત્યાં બેસીને રડવા લાગી. ત્યાં તો મનહરભાઈ આવી પહોંચ્યા. મનહરભાઈએ મનોમન શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુના જાપ શરૂ કરી દીધા હતા. તેમને શ્રી લોટાણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. જ્યારે કોઈ મુંઝવણ કે વિપદા આવે ત્યારે તેઓ શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં અને વિપદા ઉકેલાઈ જતી. તેઓ વર્ષમાં એક-બે વાર શંખેશ્વર પણ જતાં હતા. અમદાવાદથી શંખેશ્વર બે કલાકમાં પહોંચી શકાતું હતું.
| મનહરભાઈ રેણુકાની પાસે આવ્યા. ત્યાંતો રેણુકાનો પતિ નીરજ આવી પહોંચ્યો. મનહરભાઈએ તપાસ આદરી. તેમણે સંકલ્પ પણ કરી લીધો કે જો રોહન મળી જાય તો તેને શંખેશ્વર લઈ જઈને શ્રી લોહાણા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવીશ. શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૭