________________
સં. ૨૦૧૮ના ફાગણ માસમાં શ્રી મહાવીર સ્વામીના જિનાલયનો જીર્ણોધ્ધાર થતાં જિનમંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ થયો.
ગંધારના આ પાર્શ્વનાથને શ્રી ગંધારિયા પાર્શ્વનાથ તરીકે પણ લોકો સંબોધે
શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ અનેક જૈનાચાર્યોએ પોતાની રચનાઓમાં કરી છે.
વિરોષ જાણકારી
શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ખંભાત, દુઆ (બનાસકાંઠા), સાણંદ, આસપુર, જુગર, સાંગલી (મહારાષ્ટ્ર), ગારિયાધાર, ઉના, મુંદ્રા(કચ્છ) સહિત અન્ય સ્થળો પર છે. તેમ ખેડામાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. આ વાત્રક તટ પાસે વસેલા રૂપાલ નામના ગામમાંથી મનોરમ્ય પ્રતિમાજી પ્રગટ થઈ. આ પ્રતિમાજીમાંથી અમૃત ઝરી રહ્યું હતું. આ પ્રભાવ કે ચમત્કાર જોવાં દર્શનાર્થીઓના ટોળેટોળાં ત્યાં ઉમટી પડ્યા હતા. અનેક ગામના જૈનસંઘો પણ આવી પહોંચ્યા.
આ ચમત્કારી, મનોરમ્ય અને પ્રભાવ દર્શાવનારી પ્રતિમાજીને પોતાના ગામ લઈ જવા વિવિધ જૈન સંઘોએ આગ્રહ સેવ્યો અને એમાંથી સંઘર્ષ થયો. ત્યાં લેઈ ડાહ્યા માણસે સમાધાનનો રસ્તો સૂચવ્યો. તે અનુસાર જેટલા સંઘો ઉપસ્થિત હતા તેના નામની ચિઠ્ઠીઓ બનાવવામાં આવી. અને નાના બાળક પાસે એક ચિઠ્ઠી ખેંચાવી તો તેમાં ખેડા જૈન સંઘનું નામ નીકળ્યું. આમાઆ દિવ્યતા ધરાવતી પ્રતિમાજી લઈ જવા માટે ખેડા જૈનસંઘ યશભાગી બન્યું...
એ વખતે ખેડામાં એક ભવ્ય જિનાલયતૈયાર હતું. તે જિનાલયમાં પ્રતિમાજી બિરાજમાન કરવા સંઘ શોધ કરી રહ્યું હતું. ત્યાં આ સુંદર અવસર પ્રાપ્ત થતાં ખેડા જૈન સંઘમાં અનેરો ઉલ્હાસ અને ઉમંગ છવાઈ ગયો. આચાર્ય ભગવંત શ્રી પુણ્યરત્નસૂરિજી મહારાજના પુનિતા હસ્તવિક્રમ સંવત ૧૮૭૧માં આ પ્રતિમાજીની
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૭