________________
ત્યારે એ કુંદનપુર નામે ઓળખાતું હતું. પરંતુ અહીંના રાજાએ અંગ્રેજો સામે માથું ઉંચકતાં અંગ્રેજોએ તેને બેહાલ બનાવી મૂક્યું હતું. પછી સિંધિયા નરેશના કબ્બામાં આવતાં ફરી આબાદ થયું અને કસ્બાતી શહેર બન્યું. તે શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભવ્ય મંદિર પરથી અમીઝરા તરીકે ઓળખાવા લાગ્યું. તેની આસપાસ નો જીલ્લો પણ અમીઝરા જીલ્લા તરીકે ઓળખાય છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર ઘણું ભવ્ય છે. અને તે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ હાથ મોટી શ્વેત પાષાણની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પરથી એકવાર લાગલગાટ ત્રણ દિવસ સુધી અમીઝર્યુ હતું, તેથી તે અમીઝરા પાર્શ્વનાથ તરીકે વિખ્યાત થયેલી છે.
અમદાવાદ પાસે સાણંદમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ નામની મૂર્તિઓ અનેક સ્થળે છે. જેમાં ગિરનાર પહાડ પર ભોંયરામાં આવેલી મૂર્તિ ઘણી ચમત્કારિક છે. '
શ્રી પાર્શ્વ સ્તવના ગંધાર નગરે બિરાજતા હે ગંધહતિ સમા વિભુ, અમૃત ઝરે તુ જ નયણથી ને વયણથી પારસ પ્રભુ, તુ જ દર્શથી સહુ ભવિકના સંતાપ તાપ સમી જતા, ‘અમીઝરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
અમૃત ઝરે તુજ નયનથી પ્રભુ પાર્શ્વનાથ અમીઝરા, આંસુ ઝરે છે ચક્ષુથી હું છું દેવ | અશ્રુઝરા, ગંધારીયા છો ગંધારના મુજ કર્મ ગંધ દૂર કરો, અમીઝરા’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૯