________________
ધર્મિષ્ઠાને કહ્યું : “આપણે વેપાર દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. વર્ષોથી આપણે ત્યાં જે માણસો કામકરી રહ્યાં છે તેમને છુટ્ટા કરવાનું મન થતું નથી. તેઓ હવે બીજે ક્યાં જાય? | ધર્મિષ્ઠાએ કહ્યું : “મનોજ કહેતો હતો કે તેણે કંઈક નવો જ વેપાર કરવાનું વિચાર્યું છે.'
| ‘નવો ધંધો શરૂ કરીએ એટલે લાખો રૂપિયાની મુડીનું રોકાણ કરવું પડે. અત્યારે એટલી મુડી આપણી પાસે નથી. છેલ્લા પાંચ વર્ષથી આપણી પેઢી માર ખાતી આવી છે.'
તો શું કરશો ?' ‘મને કંઈ સુઝતું નથી કે શું કરવું?' શાંતિભાઈ બોલ્યા. આ
જ્યારે વિચારવાના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ઈષ્ટદેવનું સ્મરણ કરવું જરૂરી બને છે. આપણી બાજુમાં લત્તાબેન રહે છે. તેઓ હમણા શંખેશ્વર જઈ આવ્યા હતા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે. ત્યાં ધર્મશાળા - ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેવું કહેતા હતા. અહીં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની અત્યંત દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં ખરા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો જરૂર રસ્તો મળી જાય છે.'
“ધર્મિષ્ઠા, આપણે બન્ને આવતીકાલેજ શંખેશ્વર જઈએ અને દર્શન-વંદનસેવા પૂજા કરી આવીએ. હમણાંથી આ ધંધાની ચિંતામાં મગજ પણ કામ કરતું નથી. બે દિવસ ત્યાં રહીશું તો મન પણ પ્રસન્ન બની જશે.”
ચાલો...હું તો તૈયાર જ છું. આપણે શેમાં જઈશું?'
‘ટેક્સી કરીને જઈએ...બે દિવસમાં પાછા આવી જઈશું' આવતીકાલે વહેલી સવારે નીકળી જઈએ.”
એમજ થયું.
શાંતિભાઈ અને ધર્મિષ્ઠા બીજે દિવસે વહેલી સવારે જેતપુરથી ટેક્સી ભાડે કરીને વહેલી સવારે શંખેશ્વર જવા નીકળી ગયા.
શાંતિભાઈ અને ધર્મિષ્ઠા બપોરે એક વાગે શંખેશ્વર પહોંચી ગયા. પ્રથમ
શ્રી વહી પાર્શ્વનાથ
૧૨૨