________________
ના અંતરે છે. ભોજનશાળા તથા ધર્મશાળાની વ્યવસ્થા છે.
(૨) ભદ્રાવતી શહેરમાં આવેલું તીર્થ અતિ પ્રાચીન મનાય છે. આ તીર્થનો ભારતના પુરાતત્વ ખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે. પ્રતિમાનો અડધો ભાગ જમીનમાં દટાયેલો હતો. અંધશ્રધ્ધાથી ગામડાના લોકો તેને કેસરિયા બાબા કહી સિંદુર વગેરે ચઢાવતા ત્યારબાદ આજુબાજુના ગામના જૈનો દ્વારા સરકારને વિનંતી કરાતા ઈ.સ. ૧૯૧૨ માં આ તીર્થસ્થાન સંઘને સુપરત કર્યું. અહીંયા જમીનમાંથી નીકળેલી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ દર્શનીય છે. ઉપરાંત ખંડેરમાંથી મળી આવતાં બીજા અવશેષો પણ કલાત્મક છે. મંદિરના ઉપરના ભાગમાં ચતુર્મુખી પ્રતિમા છે. આ એક જ મૂર્તિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને શ્રી આદિનાથ પ્રભુના બિંબ છે. એ આ મૂર્તિની વિશિષ્ટતા છે.
|
શ્રી પાર્શ્વ-સ્તવના
વિદન હરતે ભક્તગણ કે, આધિ વ્યાધિ નિવારતે || જો સ્મરણ કરતે હૈ સદા, યે કર્મ ઉનકે કાટતે . ભદ્રાવતી કે નાથ યે, ભવસે હમે હૈં તારતે | ઐસે “શ્રી કેસરિયા પાર્થ' કો મૈં, ભાવસે કરૂં વંદના //
શ્યામ છતાં કેસરિયા નામે, જે સદાય શોભતા, સાગર સમ ગંભીર છતાંયે નિર્મળ હાસ્યને વેરતાં, પુષ્પસમ પ્રભુ સ્વપ્ન દેવ' ના નામથી ખ્યાતિ પામતાં, ‘કેસરિયા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
ખૂબજ અલભ્ય એવા...અર્ધ પદ્માસનસ્થ મુદ્રામાં બિરાજમાન પ્રભુ ખૂબજ મનોહાર છે. ગામનુ પ્રાચીન નામ ભદ્રાવતી છે. સ્વપ્ર આપીને પ્રતિમાજી પ્રગટ્યા હોવાથી તે સ્વપ્નદેવ તરીકે પણ પ્રચલિત છે.
જે સ્વપ્ન આપી પ્રગટતા ને સંકટો સહુ છેદતા,
શ્રી ક્સરિયા પાર્શ્વનાથ
૮૫