________________
બનાવતા હતા. સવારે ગ્રાહકો આવતાં હતા.
હરિભાઈ દસ વાગ્યા પછી આવતાં હતા. કલાકેક દુકાનની બહાર ખુરશી રાખીને બેસતાં પછી ઘેર ચાલ્યા જતા.
એક દિવસ હરિભાઈના મોટા દીકરાને તાવ ચઢ્યો. તરત જ ડોક્ટર પાસે જઈને દવા લીધી પરંતુ તાવ ઉતર્યો નહિ. આમને આમ આઠ દિવસ ચાલ્યા ગયા. ચોટીલાનો ડોક્ટર કોઈ જાતનો નિર્ણય ન કરી શક્યો કે તાવ શેના કારણે આવે છે.
આઠ દિવસના તાવમાં હરિભાઈ નો મોટો દીકરો શામજી સાવ નંખાઈ ગયો હતો. શામજીની પત્ની રમા અત્યંત ધર્મિષ્ઠ હતી તેને શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેણી રોજ શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુના જાપ પણ કરતી હતી. રમાએ મનોમન સંકલ્પ કર્યો કે મારા પતિ આઠ દિવસમાં સંપૂર્ણ સાજા થઈ જશે તો એમને લઈને શંખેશ્વર આવી જઈશ.
રમાએ આ વાત ઘરમાં કોઈને કરી નહોતી. રમા તેના પતિની અનન્ય શ્રધ્ધા સાથે સેવા કરતી હતી.
આ બાજુ ચોટીલાના ડોક્ટરે કહ્યું : હરિબાપા; તમે તમારા દીકરાને રાજકોટ લઈ જાઓ....તાવ ઉતરતો નથી. તો શું કારણ છે તે જાણવા માટે રીપોર્ટ કઢાવવા પડશે.
આમ કહીને ડોક્ટરે રાજકોટના એક જાણીતા ડોક્ટર પર ચિઠ્ઠી લખી દીધી. હિરબાપા ઘેર આવ્યા અને રમાને વાત કરી.
ત્યારે રમાએ કહ્યું : ‘બાપુજી, એમને ચાર દિવસમાં સારૂં થઈ જશે. રાજકોટ જઈશું તો ત્યાંના ડોક્ટરો આપણને ખર્ચના ખાડામાં ઉતારશે. આપ બે દિવસ રાહ જુઓ. આજે તેમણે દવા લીધી નથી એટલે સારૂં છે. બપોર પછી તો તાવ આવ્યો જ નથી...'
‘ભલે...તું કહે છે તો બે દિવસ પછી જઈએ...'હરિબાપા બોલ્યા.
રમાએ ચોટીલાના ડોક્ટરની હાઈડોઝવાળી દવા આપવી બંધ કરી દીધી
શ્રી સારી પાર્શ્વનાથ
૯૪