________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સત્તાણુંમી દેવકુલિકામાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મહિમા અપરંપાર
મુંબઈના પરા વિસ્તાર વસઈમાં નેમચંદભાઈનો પરિવાર વર્ષોથી રહેતો હતો. નેમચંદભાઈનો પુત્ર કલ્પેશ એક પ્રાઈવેટ ફાર્મમાં નોકરી કરતો હતો. નમચંદભાઈની ઉંમર ૭૦ વર્ષની હોવા છતાં તેઓ ઘેર બેસીને ત્રણ-ચાર પાર્ટીઓના મા લખતા હતા. નેમચંદભાઈની સ્થિતિ મધ્યમ હતી. મુંબઈના હાડમારી જેવા જીવનમાં આ પરિવાર ગોઠવાઈ ગયો હતો. મુંબઈ માયાવી નગરી છે. એકવાર તેના બંધનમાં કોઈપણ જકડાઈ જાય પછી તે તેમાંથી છૂટી શકતો નથી.
કલ્પેશ વહેલી સવારે સાત ને પાંચની ચર્ચગેટ જતી ગાડી પકડતો અને નંધેરી ઉતરી જતો, સીધો તે ઓફિસમાં સવારે ૮-૩૦ કલાકે આવી પહોંચતો. દેશનો આ રોજનો જવાનો સમય હતો. તે રીતે સાંજે છ વાગે ત્યાંથી નીકળીને તાને ઘેર આવતો.
હંમેશની જેમ કલ્પેશે સવારની સાત ને પાંચની ગાડી પકડી ત્યારે તેને તેનો નો મિત્ર નયન ભેગો થઈ ગયો. ઘણા વર્ષો પછી એકાએક મેળાપ થયો હતો. કલ્પેશ કહે : નયન, આપણે કેટલા વર્ષે મળીએ છીએ ? અત્યાર સુધી તું હ હતો?'
‘ભાઈ, હું ચાર વર્ષ સુરત હતો. પણ ત્યાં ન ફાવ્યું એટલે પાછો અહીં હવી ગયો છું. અહીં ગોઠવાઈ ગયો છું. ગઈકાલે હું અહીં રહેતા મારા મામાને
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૭