________________
હતી. આયુર્વેદિક પધ્ધતિથી સારવાર કરવામાં આવી રહી હતી. રમા તેના પતિનો હાથ પકડીને જાપ કરતી હતી.
બે દિવસ પસાર થઈ ગયા. બે દિવસમાં શામજીને તાવ આવ્યો નહોતો. હવે તેની ભૂખ પણ ઉઘડવા લાગી હતી.
ચાર દિવસમાં શામજી પથારીમાંથી બેઠો થઈ ગયો. રમા શામજીને મગનું ઓસામણ આપવાનું શરૂ કર્યું. અનાજ તો આપવાનું નહતું. રમાએ શામજીને મહાસુદર્શન ચૂર્ણ આપવા લાગી. હવે ઘણું સારૂ થઈ ગયું હતું. ચોટીલાના ડોક્ટરને પણ ભારે નવાઈ લાગી કે તાવ ઉતર્યો કઈ રીતે ?
મહિના પછી શામજી અને ૨મા શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા ત્યાં ધર્મશાળામાં રૂમ બુક કરીને રોકાયા. એ દિવસે જ બન્નેએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા સાથે શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી પૂજા કરી, ૨માએ ચૈત્યવંદન કર્યું. તેનો સંકલ્પ પૂરો થયો હતો.
શામજી અને ૨મા બે દિવસ શંખેશ્વર રોકાઈ ગયા. બન્ને દિવસ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની સેવા પૂજા કરીને શામજી અને ૨મા અત્યંત હર્ષ પામી ઊઠ્યા હતા.
ત્રીજે દિવસે વહેલી સવારે બન્ને તીર્થોમાં દર્શન કરીને બસમાં બેસીને શંખેશ્વરથી ચોટીલા આવી પહોંચ્યા. શામજીને પણ શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટી હતી. ચોટીલા આવ્યા પછી તેણે પણ મંત્રજાપ શરૂ કરી દીધા
હતા.
શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી માનસિક શાંતિની સાથે તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી સારી પાર્શ્વનાથ
૯૫