________________
આગળ જાય જ નહિ. રાવતમલજીએ પ્રભુ પાર્શ્વનાથ અહીં બિરાજમાન થશે કહેતાની સાથે જ મેટાડોર ચાલુ થઈ ત્યાં ખોદકામ કરતાં પ્રાચીન પાર્શ્વ પ્રભુના પગલાં નીકળ્યા અને આજે પણ મંદિરમાં આગળના ભાગે બિરાજમાન છે. જીવંત સર્પ સહિત નીકળતા આ પ્રભુજી સૌના માટે આશ્ચર્ય, આસ્થા, ભક્તિનું અપૂર્વ આલંબન બની રહ્યાં છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા પ.પૂ. આ.શ્રી રાજ્યશસૂરીશ્વરજી મ. ના કરકમલો દ્વારા સંપન્ન થઈ છે. જ્યાં પહેલાં માત્ર ખેતર અને જંગલ હતું ત્યાં આજે જિનભક્તિનું રમ્ય નંદનવન બની ગયું છે. ધર્મશા, ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા આ તીર્થમાં છે. શ્રી માણિભદ્રવીરનો પણ આ તીર્થમાં ખૂબ મહિમા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિયા શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવનિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેકજિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી ઉવસગહરં પાર્શ્વનાથ
૭૯