________________
આંસુની ધારા વહેવા લાગી. ભુવનસિંહ ઠાકોરે પ્રેમભાવે શ્રી પાર્શ્વ પ્રભુની અલૌકિક પ્રતિમાજી જૈન શ્રાવકોને સુપરત કરી.
ત્યાર પછી જૈન અગ્રણીઓએ ઉગના ગામમાં ભવ્ય જિનાલયના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું. ભવ્ય જિનાલયનું નિર્માણ પૂર્ણતાના આરે હતું ત્યારે આ કાર્યના સાત સૂત્રધાર જૈન શ્રેષ્ઠીઓને એક રાત્રે એક સરખો સંકેત થયો.
અધિષ્ઠાયક દેવે સાતેય જૈન શ્રેષ્ઠીઓને સ્વપ્નમાં એક સરખો સંકેત આપતાં જણાવ્યું કે નગપુરામાં નિવાસ કરતાં શ્રી રાવતમલજી આદિ એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવાની ભાવના સેવી રહ્યાં છે તે જિનાલયના મૂળનાયક તરીકે આ પરમ પ્રભાવક શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી બિરાજશે, માટે આ પ્રતિમાજી રાવતમલજી પાસે જઈને સોંપી દો...
બીજે દિવસે સાતેય જૈન શ્રેષ્ઠીઓએ વિચાર-વિમર્શ કર્યો અને અધિષ્ઠાયક દેવની આજ્ઞાનુસાર મધ્યપ્રદેશમાં આવેલ દુર્ગ ખાતે જઈને રાવતમલજીને શોધીને તેનો સંપર્ક કર્યો.
એ વખતે મારવાડના પાલી નગરે આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરિશ્વરજી મહારાજા બિરાજમાન હતા. જેમની સલાહ અનુસાર નગપુરા લાવવાનો નિર્ણય થયો.
આચાર્ય ભગવંતે આપેલા શુભ મુહૂર્તે શ્રી પાર્શ્વ પ્રભુના નગપુરા ગામમાં પધરામણાં થયા અને પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી આવતાં નગપુરા તીર્થધામ બન્યું. આચાર્ય ભગવંતના ઉપદેશથી આ તીર્થને અન્ય ૪૦ જિન પ્રતિમાજીઓ ભેટમાં પ્રાપ્ત થઈ.
જ્યારે ઉગનામાં નિર્માણ થયેલા જિનાલય માટે શ્રી પાર્શ્વ પ્રભુની એક નૂતન પ્રતિમાજી ભેટ કરાઈ. એ વખતે શ્રી રાવતમલજીએ ઉગના જૈન સંઘને નૂતન જિનાલય માટે માતબર રકમ ભેટમાં ધરીને સહૃદયથી ભાવના વ્યક્ત કરી. વયોવૃધ્ધ મુનિરાજ શ્રી દર્શન વિ.મ. મૂનિશ્રી મહેન્દ્ર વિ.મ. આદિની શુભ નિશ્રામાં વિક્રમ સંવત ૨૦૪૨ના ફાગણ સુદ-૨ (તા. ૧૨-૩-૧૯૮૬) ના દિવસે દીક્ષાર્થી શ્રાવક ચંદનમલજી હાડાના વરદ હસ્તે નગપુરામાં શ્રી પાર્શ્વનાથજી
શ્રી ઉવસગ્ગહર પાર્શ્વનાથ
৩৩