________________
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સમણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટનો દિનેશ ભણવામાં હોશિયાર હતો. તેણે એસ.એસ.સી. અને ધો. ૧૨ સાયન્સમાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા હતા આથી તેને બાયોટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રવેશ સહેલાઈથી મળી ગયો. આગળ અભ્યાસ કરતાં તે બાયોટેકનોલોજીના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે એક તરફ પરીક્ષા હતી અને બીજી તરફ તેને ટાઈફોઈડ થઈ ગયો. ડોક્ટરોએ સતત આરામ કરવાની સલાહ આપી હતી. દિનેશ ઘરની બહાર પણ નીકળતો નહોતો. તે ઘ૨માં બેસીને છેલ્લા વર્ષનું વાંચતો હતો. તેનો સહઅધ્યાયી રાજેશ રોજ સાંજે તેની પાસે આવતો અને કોલેજમાં શું ચાલ્યું તેની માહિતી આપતો.
દિનેશે રાજેશને કહ્યું : ‘રાજેશ ત્રણ દિવસ પછી કોલેજમાં પરીક્ષા છે. અને હું હજુ પથારીમાં છું. હું પરીક્ષા નહિ આપું તો મારૂં વર્ષ બગડશે...’
‘દિનેશ, પરીક્ષા તો આવતા વર્ષે આપી શકાશે પણ ટાઈફોઈડ ઉથલો મારે તો ઘરના બધા મુશ્કેલીમાં મૂકાઈ જાય...તને હજુ બે દિવસથી તાવમાં કંઈક રાહત છે. એક કામ કરીશ !
‘શું...?'
‘તું શંખેશ્વર ગયો છે ?’
品
‘હા...એક-બે વાર મમ્મી-પપ્પા જોડે ગયો હતો ત્યાં અમે ભક્તિવિહારમાં જ ઉતરતાં હતા.
‘બસ...તો હું એની જ વાત કરવા માગું છું. ભક્તિ વિહા૨ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તું આજથી તે પ્રભુના જાપ પૂરાં કરી દે...જો જે ચમત્કાર સર્જાશે...'
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૫