________________
હું આજથી જ જાપ આરાધના શરૂ કરી દઈશ.” દિનેશ બોલ્યો. આ
અને એ જ દિવસથી દિનેશ ખરા હૃદયથી શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સાત માળા ગણવા લાગ્યો. અને પોતે કોલેજની પરીક્ષા આપી શકે તેવી કામના સેવવા લાગ્યો.
એ બીજે દિવસે રાજેશ આવ્યો અને આનંદના સમાચાર લઈને આવ્યો હતો. તે બોલ્યો : “દિનેશ, ખુશીના સમાચાર છે. આપણી પરીક્ષા આઠ દિવસ પાછી ઠેલાણી છે. હવે તું જરૂર પરીક્ષા આપી શકીશ.” છે. “તને કોણે કહ્યું?' કે “કોલેજના સત્તાવાળાઓએ આજે સવારે આ નિર્ણય લીધો હતો અને નોટીસબોર્ડ પર પરીક્ષાનું નવું ટાઈમટેબલ પણ મૂકી દેવામાં આવ્યું છે. તે જાપ શરૂ કર્યા હતા. ?” .
હા...ગઈકાલે અને આજે સવારે જાપ કર્યા હતા.'
‘તને તેનું ફળ મળી ગયું ને ! તારી કામનાની પૂર્તિ થઈ ગઈને ? રાજેશ બોલ્યો.
‘હા...હવે મારું વર્ષ બગડશે નહિ. આજ સવારથી તાવ પણ નથી...” | ‘વાહ.. સરસ...” રાજેશ બોલ્યો.
અને ચાર દિવસમાં દિનેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. ડોક્ટરે પરીક્ષામાં બેસવાની રજા આપી અને વધુ શ્રમ ન લેવાની પણ સૂચના આપી.
( દિનેશે પરીક્ષા આપી અને તેમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. દિનેશ પરીક્ષા પછી રાજેશને લઈને શંખેશ્વર જઈ આવ્યો અને ત્યાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી અને ત્યાં સંકલ્પ કર્યો કે રોજ મંત્ર જાપ કરીશ.” | બન્ને મિત્રો શંખેશ્વરથી રાજકોટ પાછા ફર્યા.
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાની માનવીની દરેક કામનાઓની પૂર્તિ થાય છે.
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ