________________
વિશેષ જાણકારી
સાબરકાંઠા જીલ્લામાં ટીંટોઈ ગામે આવેલું આ જિનાલય અતિ પ્રાચીન મનાય છે. આ પ્રતિમાજી ૨૫OO વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. લબ્લિનિધાન ગણધર મહારાજા ગુરૂ ગૌત્તમસ્વામીજીએ અષ્ટાપદ પર્વત પર રચેલ “શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન”માં “મુહરિ(પાર્શ્વ) દુહ દુરિઆ ખંડણ” એ વાક્યથી જેમની સ્તુતિ કરી છે, તે શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુજીની ચમત્કારિક અને દૈદિપ્યમાન મૂર્તિ ટીટોઈ નગરના આ ભવ્ય જિનાલયમાં છે. આ પ્રતિમાજી અહીંથી ૮ કિ.મી. દૂર શામળાજી નજીક આવેલ મેશ્વો સરોવરની પાળ પાસે દટાયેલ જિન મંદિર માંથી સ્વપ્ન દ્વારા મળેલ છે. ટીંટોઈ જૈન સંઘે વિ.સં. ૧૮૨૮માં ભગવાનને ગાદીનશિન કરેલ છે.
| શ્રી પાર્શ્વ-તાવના
નાથ ! “જગ ચિન્તામણિ’ મેં, આપકા ગુણ-ગાન હૈ ! ગૌત્તમ ગુરૂકી સ્તવના સે, હો ગયા સમ્માન હૈ || ટીંટોઈ મેં બૈઠે સદા હી, કર રહે કલ્યાણ હૈ | ઐસે “શ્રી મુહરિ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ||
ચિંતામણિના રત્ન જેવા જગતમાં શોભા કરે, ગૌત્તમ ગણધર મુહરિ પ્રભુની ભક્તિથી ભાવના કરે, આંખોને અંજન અને દિલને ઠંડક કરે સદા, મહરિ' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી ગૌત્તમ સ્વામી ભગવંતે પણ “મુહરિ પાસ દુઆ દુરિઅ ખંડન’ આ પંક્તિ દ્વારા જેમની ભક્તિ કરી છે...એ પ્રતિભા...કેવી ભવ્ય હશે?
શ્રી મુહરિ પાર્શ્વનાથ