________________
Time is
શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા – પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ પ૦ વિઘા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં અઠયાસીમી દેવકુલિકામાં શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રÆ ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્રીં ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રÆ Æ Æ ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે તથા સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપદીપ અખંડ રાખવા. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. જિનાલયમાં બેસીને પણ જાપ કરી શકાય છે. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા.
મંત્ર આરાધનાથી સંકટોનો નાશ થાય છે. સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે. તેમજ માનસિક ચિંતાઓ દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી ભીલડીયા પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી
મુ.પો. ભીલડી, તા. ડીસા, વાયા - પાલનપુર, જી. બનાસકાંઠા. ગુજરાત - ૩૮૫૫૩૦. ફોન : (૦૨૭૪૪) ૨૩૩૧૩૦
૪૩
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ