________________
ગયો...અને તે રમકડાવાળી દુકાન શોધવા લાગ્યો એમાં તે આડોઅવળો થઈ ગયો.
વંદને આંગળી છોડી દીધી છે તેની ખબર રેખાને પાંચ મિનિટ પછી પડી. બધા ગભરાઈ ગયા. શિરીષ તરત જ સ્ટેજ પાસે ગયો અને એનાઉન્સ કરાવ્યું.
પણ વંદન તો મેળામાં એક સ્ટોલની નજીક બેસીને રડતો હતો. આ તરફ શિરીષ, રેખા, દીપક તથા આરતી વગેરે ચિંતામાં પડી ગયા હતા. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે અર્ધી કલાક મેળામાં ચારે તરફ ઘુમીને સ્ટેજ પાસે ભેગા થવું. અને બન્ને ભાઈઓ ખાલી હાથે ભેગા થયા વંદનનો પત્તો ન મળ્યો.
રેખા અને આરતીએ શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનાં જાપ શરૂ કરી દીધા.
લગભગ બે કલાકની જહેમત બાદ તે જ્યાં વંદન બેસીને રડતો હતો તે સ્ટોલવાળો તેને તેડીને સ્ટેજ પર આયોજકના હાથમાં સોંપ્યો. શિરીષ અને દીપકે જોયું. તરત જ તેઓ આયોજકો પાસે આવ્યા અને પોતાનો પુત્ર છે તેમ જણાવ્યું. વંદ તરત જ તેની મમ્મીને વળગી પડ્યો.
| આયોજકે શિરીષ અને દીપકને શિખામણના બે શબ્દો સંભળાવ્યા. સૌનો મેળો માણવાનો મુડ ચાલ્યો ગયો હતો. વંદન માટે મોટી બંદુક તથા દીપકના બાબા માટે મોટર લઈને સૌ ઘેર પાછા ફર્યા. | ઘેર આવીને માતાપિતાને વાત કરી. ત્યારે કિરચંદભાઈ બોલ્યા : “શ્રી મહાદેવા પાર્શ્વનાથ દાદાની કૃપાથી જ મેળામાં ખોવાયેલો વંદન પાછો મળ્યો છે. આપણે આવતીકાલેજ શંખેશ્વર જઈશું અને ત્યાં એક દિવસ રોકાઈને ભક્તિ કરીશું. અત્યારે રજાનો માહોલ છે એટલે દુકાન બંધ રહેશે તો વાંધો નથી.
અને બીજે દિવસે પરિવારના બધા સભ્યો ટેક્સી કરીને શંખેશ્વર પહોંચ્યા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. સર્વ પ્રથમ વંદનને લઈને શ્રી મહાદેવા પાર્શ્વનાથના દર્શન કરાવ્યા. પછી રૂમમાં ગયા. સૌએ નવકારશી કરી. સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તેમાંય શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા ચૈત્યવંદન વગેરે ક્રિયા કરી. ત્યાંથી પરિવારના સભ્યોએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવા ગયા.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ -
૫૯