________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં નેવ્યાસીમી દેવકુલિકામાં શ્રી ભટેવાજી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, ભૂખરા પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તેમજ પરિકરથી પરિવૃત છે.
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભટેવા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક અને ચમત્કારી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપ કરવા. મંત્ર આરાધનાથી ગમે તેવી વિપત્તિઓ, ઉપાધિ તેમજ સંકટો દૂર થાય છે.
સંપર્કઃ શ્રી ભટેવા પાર્શ્વનાથ શ્રી ચાણસ્મા જૈન મહાજન પેઢી, મુ.પો. ચાણસ્મા તા. ચાણસ્મા જી. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૧૦ ફોનઃ (૦૨૭૩૪) ૨૭૩૨૯૬
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૫૩