________________
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતમાં જિનાલયોની નગરી પાટણમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ખેતરવસીના પાડામાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. એ સિવાય અન્ય જિનાલયો છે. પાટણમાં ધર્મશાળા અને ભોજન શાળાની વ્યવસ્થા સુંદર છે. શ્રી મહાદેવા પાર્શ્વનાથની પ્રતિમાજી સાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીની એક દેરીમાં છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીની એક દેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
આ પરમ દર્શનીય અને પ્રભાવક શ્રી મહાદેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્વેત પાષાણની, ફણારહિત, પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૯ ઇંચની છે. પાટણ નગરમાં ખેતરવસીના પાડામાં મહાદેવની શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ધાબાબંધ જિનાલય આવેલું છે.
આ પ્રતિમાજી કે જિનાલયની પ્રાચીનતા વિશેની જાણકારી ઉપલબ્ધ થતી નથી. આ પ્રતિમાજીને “મહાદેવા’નું વિશેષણ કેમ છે તેનું રહસ્ય હજુ અણ ઉકેલ છે. આ જિનાલયની વર્ષગાંઠ દર વર્ષે વૈશાખ સુદ - ૧૦ના દિવસે ઉજવાય છે. આચાર્યો, મુનિ-ભગવંતો તથા કવિઓએ પોતાની રચનામાં આ પાર્થપ્રભુનો નિર્દેશ કર્યો છે. આ તીર્થ પ્રાચીન છે. ૪૦૦ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.
વિશેષ જાણકારી પાટણ નગરની ખેતરવસીમાં મહાદેવા શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય ધાબાબંધ જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી કે જિનાલયની પ્રાચીનતા અંગે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. “મહાદેવ' નામની ભીતરમાં પડેલું રહસ્ય પણ પકડી શકાયું નથી. ભક્તના દૈવને ચમકાવીને ભાગ્યવાન બનાવી યાવત ‘ભગવાન” પદ સુધી પહોંચાડનારા આ દેવ “મહાદેવ”
શ્રી મહાદેવા પાનાથ
૫૪