________________
સાથ મળતાં તેણે ચારે તરફ જિનશાસનનો વિજયધ્વજ ફરકાવ્યો.
કહેવાય છે કે તેણે ચારે તરફ ૧૭ જેટલા જિનાલયો બંધાવ્યા. શ્રી મક્ષી પાર્શ્વનાથનું જિનાલય તેમાંનું એક છે.
ત્યારથી આ જિનાલય સર્વ ભાવિકો માટે શ્રધ્ધાનું અનેરું કેન્દ્ર બની ગયેલ છે.
વિકમ સંવત ૧૫૧૮ના જેઠ સુદ-૧૫ના રોજ આ તીર્થનો જીર્ણોધ્ધાર કરીને પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. આ તીર્થ અને શ્રી મક્ષી પાર્શ્વનાથ વિષે અનેક જૈનાચાર્યો, મુનિ ભગવંતો, કવિઓએ પોતાની કૃતિઓમાં સ્તવના કરી છે. આ પ્રાચીન તીર્થના દર્શન કરવા જેવા છે.
વિશેષ જાણકારી અહીં જુદા જુદા પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્ભૂત કરેલ માહિતી પ્રસ્તુત છે.
(૧) માલવ પ્રદેશમાં ઉજ્જૈનથી ભોપાલ જતાં મક્ષી નામનું સ્ટેશન આવે છે. તેની નજીકમાં મક્ષી નામનું ગામો. ત્યાં લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલું ભવ્ય દહેરાસર છે.
સંગ્રામ સોની વઢિયારમાંથી માંડવગઢ આવ્યા અને પુષ્કળ દ્રવ્ય તથા ઉજ્જવલ કીર્તિ કમાયા. તેમણે પોતાના એ દ્રવ્યની સાર્થકતા ૧૭ જિનમંદિરો બંધાવીને તથા અનેક ગ્રંથભંડારો સ્થાપીને કરી. આ જિનમંદિરો પૈકી એક મંદિર તેમણે મક્ષીમાં બંધાવ્યું હતું. અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી, તે મગસી(મલી) પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધ થઈ હતી. શ્રી કલ્યાણસાગરે પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટીમાં કહ્યું છે :
અંતરિક કુકડેંસરઈ અવંતી હો શ્રી મગસી પાસ; રામપુરાઈ રળિયામણો, મંડલિગઢ હો રાયરાણા દાસ.
શ્રી મણી પાર્શ્વનાથ
૩૨