________________
જિનાલયના એક ગોખલામાં તથા ભીલડીયાજી તીર્થની દેરીમાં શ્રી અવંતિ પાર્શ્વનાથજીની પ્રતિમા છે.
આચાર્ય ભગવંતો તથા મહાપુરુષોએ પ્રાચીન તીર્થ શ્રી અવંતિનાથ પાર્શ્વનાથની યશોગાથા પોતાના ગ્રંથોમાં કરી છે.
શ્રી પાર્શ-રતવના
‘કલ્યાણ મંદિર સ્તોત્રા’ સે, યહ બિમ્બ સમ્મુખ આયા ! અવન્તી સુકુમાર સ્મૃતિ, નિર્માણ બન જગ છા ગયા //. જાગૃત હૈ માણિભદ્ર જહાં, ઉજજૈન સંઘ સુખ પા ગયા ઐસૈ શ્રી અવન્તી પાર્શ્વ” કો મૈં, ભાવસે કરૂં વંદના //
તારા કારણે કલ્યાણ મંદિર સ્તોત્ર મળ્યું છે શાસનને, અવંતિ સુકુમાલની સ્મૃતિમાં તું મળ્યો છે શાસનને, શિવલિંગ નીચેથી પ્રગટ્યા વાસ કર્યો છે ઉજજૈનમાં, “અવંતિ' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
જે અવંતિ સુકુમારની શુભયાદમાં નિર્મિત થતાં, કલ્યાણ મંદિર સ્તવ થકી ફરીવાર જે પ્રભુ પ્રગટતા, જયાં માણિભદ્રવીર પણ પ્રભુ પાર્શ્વ પાસે જાગતા, શ્રી અવંતિ' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૮