________________
#જ
. જો કે કારણે
સાધના-કારણ :
અગાઉના લેખમાં સ્વભાવ-કાળ-કર્મ -ઉદ્યમ અને નિયતિ એ પાંચ સમવાયી કારણ વિષે વિગતે વિચાર્યું. એ પાંચ સમવાયી કારણની જેમ મુક્તિ પ્રાપ્તિ માટે ચાર સાધના કારણની આવશ્યકતા છે જે પ્રાપ્ત કરી તે વડે મુક્તિ પ્રાપ્તિનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એ ચાર સાધના કારણો નીચે પ્રમાણે છે:
(૧) અપેક્ષા કારણ (૨) નિમિત્ત કારણ (૩) અસાધારણ કારણ અને (૪) ઉપાદાન કારણ.
(૧) અપેક્ષા કારણ : અપેક્ષા કારણ પૂર્વકૃત કર્મથી પ્રાપ્ત થાય છે. જે જન્મથી લઈ મરણ યા તો નિર્વાણ સુધી આત્મા ની સાથે હોય છે. અપેક્ષાકારણનો વ્યાપાર માફક ક્રય-વિક્રય હોતો નથી. એ પાયો (Foundation) છે. કર્મભૂમિ, (જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય છે તે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે) મુક્તિ પ્રાપ્તિને અનુકૂળ કાળ કે જેને કાળચક્રની ગણતરીમાં ચોથો દુઃખમસુખમનો આરો કહે છે તે કાળ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યયોનિ તથા વજઋષભ નારાચ સંઘયણ તે અપેક્ષા કારણ છે.
સંધયણના જૈન દર્શનમાં છ પ્રકાર વર્ણવેલ છે કે વજઋષભનારાચસંઘયણ, ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારા સંઘયણ, કિલિકા અને સેવાર્ત અથવા છેવટનું સંઘયણ, વજ ઋષભનારાચસંઘયણ, એ શારીરિક બળની પરાકાષ્ઠા છે. શરીરના હાડકાની દઢતા અને બળ, મનના વિકાસ તથા મનોબળ માટે સહાયક છે. જેમ આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે, આપણા નિર્બળ સંઘયણને અંગે ભલભલા કહેવાતા ખેરખા શરીરની નિર્બળતાએ મનથી દીન હીન બની જાય છે. વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિમાં અપેક્ષા એ જેને કહે છે તેને આવશ્યક છે. કર્મભૂમિ, દુઃખમસુખમ નામનો ચોથો આરો અથવા મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદા મોક્ષપ્રાપ્તિ છે, અને તેથી જ તે સર્વેને અપેક્ષા કારણમાં ગણાવેલ છે.
મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ મનુષ્યભવ મળવો એ જૈન દર્શનમાં જણાવેલ દશ દષ્ટાંતે દુર્લભ અર્થાત્ અત્યંત દુર્લભ છે. મહાપુણ્યોદયે કરીને એની જીવને પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org