________________
સ્વરૂપ મંત્ર
૧૩૧
આમ છતાંય સમિતિ દેવ દેવીનું મહાત્મ્ય છે જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે.
‘મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ, સમ્મ-ીિ-દેવા દિ તું સમાäિ ચ બોહિંચ.’
આ ગાથા એમ સૂચવે છે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુ અને શ્રૃતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમક્તિ દૃષ્ટિએ દેવદેવીઓ સહાયક છે. એ સમક્તિ દૃષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે, કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવાં તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસન પ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે.
જેમ આપણી લઘુતા નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ, તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે, નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દૃષ્ટ અને અદૃષ્ટરૂપે સહાયતા કરે છે. દેવોના જીવનમાં તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે. કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શક્તા નથી તેથી જ તે
‘સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂર્વના સાર...’ દેવો સમરે, દાનવ સમરે, સમરે રાજા રંક...
એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ પણ સમક્તિદૃષ્ટિ દેવોનું મહાત્મ્ય વર્ણવ્યું છે કે ‘સમક્તિ દૃષ્ટિ સુર તણી આશાતના કરશે જેહ લાલ રે, બોધિ દુર્લભતે થશે થાણાંગે ભખ્ખું એહ લાલ રે...'
નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપનામ છે, એ સ્વરૂપમાનનું સ્મરણે નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે, તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ આ રીતે બતાડી છે.
નકો મંત્ર, નવિ યંત્ર નવિ તંત્ર મોટો
જિસ્ટો નામ તાહરો સમામૃત લોટો
પ્રભુ નામ મુજ તુજ અક્ષય નિધાન,
Jain Education International
ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન
For Private & Personal Use Only
...
www.jainelibrary.org