________________
આત્મામાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. અન્યના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણો ગ્રહણ કરવાની અને પોતામાં રહેલાં દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને બુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત બને છે.
જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દઢતા વધુ અર્થાત્ કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે.
મનનું બળ મંત્રથી વિકસે છે. “મન” એટલે વિચારવું અને “ત્ર એટલે રક્ષણ કરવું. મનસ્ત્રમંત્ર આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને-વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્વિક ભાવ સ્વરૂપ બનાવવા.
મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર “નમસ્કાર મહામંત્ર છે. કેમ કે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગૃત કરનારો તેમજ સત્ય સ્વરૂપમાં લાવનારો મનને તે મય, બનાવનારો મંત્ર છે, માટે જ તેને “પરમ ઈષ્ટ મંત્ર' યા તો “સ્વરૂપમંત્ર કહ્યો છે.
નમસ્કારરૂપી વજ અંતાકરરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે.
નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે. કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું ફળ પુણ્યોદય (સુખ-અનુકૂળતા) ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિશ્વાસાત્મક બુધ્ધિ (શ્રદ્ધા) તે સદ્ગદ્ધિ છે, જે શાંતિદાયક છે અને એ નમસ્કારથી વિકસે છે. એટલું જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે, જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે, બુદ્ધિનો વિકાસ અને હૃદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org