Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 34 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજના મનમાં વહેમનું વમળ એવી રીતે ગુંચળું વળી ગયું કે એ શંકાની તપાસ કે ચેકસાઈ કરવા જેટલું ધૈર્ય પણ તે ધરી શક્યો નહિ. વહેમના જાળામાં ઝકળ વકળ થતાં જ રાજાએ એકદમ કલાનિપુણ કલાવતીનો ફેંસલે કરી નાંખવાનો વિચાર કર્યો. “હા ધિ! આ દુષ્ટી નારીને વિશ્વાસ કરી એના મિથ્યા મેહમાં હું ફસાયો, એના પ્રિયતમને જો હું અત્યારે જેઉં તે હમણાંજ એને ઉભે ને ઉભે ચીરી નાખું અથવા તો આ અધમ નારીને તો સ્વગમાં મોકલી દઉ, આ પાપિણી તો મારી શંખ જેવી શુદ્ધ અને ઉજ્વળ શંખપુરીને લજવશે. હવે એક દિવસ પણ એ મારા મહેલમાં રહી શકશે નહિ, એના કર્મને એને અવશ્ય શિક્ષા થવી જ જોઈએ આકુળવ્યાકુળ થયેલા રાજાને અત્યારે કેણ સારી સલાહ આપે ? રાજ તેજ, સત્તા, એશ્વર્ય અને યૌવનના મદથી છકી ગયેલું મન શાંત કરવાને કે ધીરજ, ખમવાને શક્તિમાન નહોતું, અત્યારે તો તડ અને ફડ સિવાય કઈ રસ્તો જ નહોતો. સાહસિક કાર્ય ર્યા પછી પાછળથી એનાં માઠાં ફલ ભલે ભેગવવાં પડે પણ અત્યારે તો બસ એમજ. . હૃદયમાં કંઇક નિશ્ચય કરી શંખરાજ ગુપચુપ પાછા ફર્યો પિતાના એકાંત શયનગૃહમાં આવી આરામ ઝુલા ઊપર પડયો, મનને શાંત પાડવા અનેક પ્રયત્ન કર્યા પણ કઈ રીતે.એ ઉદ્ધત મન શાંતિ પામ્યું નહિ. મનને ભૂલવિવા. અનેક દીપમાળાના રંગ બેરંગી પ્રકાશ. તરફ નજર ફેરવી તેમાં મનને પરેવ્યું પણ મનમાં જે વ્યાકુળતા હલમલી રહી હતી. તેમાં જ તે ઉછાળા માર્યા કરતું હતું પલંગ ઉપર પેઢી નિકાધિન થવાનો વિચાર કર્યો, પલંગમાં શંખરાજ. આમતેમ આળાટવા લાગે, છતાં નિદ્રાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust