________________
૬
દ્વારા ભક્તિના સ્વરૂપને સ્પષ્ટ કરેલું છે. પ્રભુ સાથે પશ્વાતાપ કરીને હૈયાને નિર્મળ બનાવવું, એમની પવિત્ર કથાનું શ્રવા કરવું એ બધી જ
ક્રિયાને ભક્તિ કહે છે.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ માર્ગના વિપુલ સાહિત્યનું સર્જન સાધુ કવિઓએ કર્યું છે. જેમાં રાસ, ફાગુ, પ્રબંધ જેવા દીર્ઘકાવ્ય પ્રકારોની સાથે પદ, સ્તવન, ચોવીશી, વીશી, દુહા, સજ્ઝાય, સ્તુતિ, સ્તોત્ર, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, વધાવા વગેરે લઘુકાવ્ય પ્રકારોનો
આવિષ્કાર થયેલો જોવા મળે છે.
ભક્તિમાર્ગની પ્રચક્ષિત રચનાઓમાં સ્તવન પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. સ્તવન એટલે ઊર્મિભર્યું પ્રભુભક્તિનું કાવ્ય. એક એવું કાવ્ય જેમાં પ્રભુના વિરહનો વલોપાત હોય અને છેવટે પ્રભુ પ્રત્યે નિર્ભેળ નર્યા નીતર્યો ભક્તિભાવ હોય.
એપ્રિલ, ૨૦૧૩
આ રીતે પરમાત્માની ભક્તિ માટે કે પરમાત્માના ગુોના વર્ણન કરવા માટે થયેલી રચનાને ‘સ્તવન' કહેવાય છે. પરમાત્માનું દ્રવ્ય, ગુણ પર્યાયથી કરાનું ધ્યાન સર્વ કર્મોનો છેદ કરી અરિહંત રૂપ અપાવનારૂં બને છે. તેથી પરમાત્માની ઉપાસનામાં, જૈન ધર્મની આરાધનામાં સ્તવન વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
સ્તવન વિશે પંડિત ધીરજલાલ ટોકરશી લખે છે - ‘સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર એ બધાં ય ગુજ્ઞકીર્તનના જ પ્રકારો છે. તેમાં સ્તુતિ એક કે બે પદ્ય પ્રમાણ હોય છે, સ્તવન, પાંચ, કે સાત પદ્ય પ્રમાણ હોય છે અને સ્તોત્ર આઠ-દશ પર્ધાથી માંડીને સો કે તેથી પણ વધુ પોનું પણ હોય છે. આમ છતાં સ્તવન અને સ્તોત્ર ઘણીવાર એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. દા. ત. ‘ઉવસગ્ગહરં’ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પાંચ કડીનું સ્તવન છે. છતાં તે સ્તોત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.
ડૉ. કવિન શાહ ‘સ્તવન સાહિત્ય પ્રકાર વિશે કહે છે. સ્તવન'
મધ્યકાલીન સાહિત્યમાં એક બાજુ નરિસંહ, મીરા, દયારામ અને અન્ય કવિઓએ ભક્તિ માર્ગનો ચીલો ચાતર્યો એમાં પ્રભાતિયાં,પી,શબ્દનો સામાન્ય અર્થ સ્તુતિ કરવી કે ગુાગાન ગાવા એવો થાય છે. પણ સ્તવનમાં સ્તુતિ કરતાં પણ વિશેષ રીતે પ્રભુની સ્તુતિ એમના ગુાગાન, એમના ગુર્ણાનું વર્ણન, જીવનનો મહિમા, ચમત્કાર, જીવનના દુઃખ દૂર કરવામાં પરોક્ષ રીતે સહાયક પ્રભુ સ્વરૂપનું વર્ણન વગેરેનો મિતાક્ષરી પરિચય થાય છે.
ગરબીઓ આદિ પ્રભુ સમક્ષ ગાઈ શકાય તેવા, પ્રભુને મનાવવા, રીઝવવા માટેના કાવ્યોની રચના કરી. તો બીજી બાજુ આપણાં જૈન સાધુ કવિઓએ એવી કમાલ કરી કે આકાશના તારાની જેમ ગણ્યા ગણાય નહિ અને વીણ્યા વીણાય નહિ એટલા સ્તવન-પદોની રચના કરી છે. આપણા માટે...આપણી પ્રભુ પ્રત્યેની પ્રીતિને, ભક્તિને વાચા આપવા માટે અહિત નામોમાંથી કેટલાંક મહત્ત્વના નાર્ગો વિચારીએ તો સોળમી સદીના શ્રાવક કવિ ઋષભદાસ, સત્તરમી-અઢારમી સદીના સુવર્ણકાળમાં સ્તવન સ્વરૂપને સમૃદ્ધ કરનાર અવધૂ કવિ આનંદધનજી, ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી, દ્રવ્યાનુયોગી કવિ શ્રીમદ્ દેવચંદ્રજ, મહોપાધ્યાય ઉદયરત્ન અને ઓગણીસમી-વીસમી સદીના કવિઓમાં પૂ. આ. આત્મારામજી, પૂ. આ. વલ્લભવિજયજી, યોગનિ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર, આ, લબ્ધિસૂરિજી તથા અન્ય ગુરુ ભગવંતોએ ભક્તિના સાગરમાં આપણને તરતા મુક્યા છે. સ્તવન સ્વરૂપ
‘સ્તવન' શબ્દની વ્યુત્પત્તિનો વિચાર કરીએ તો ‘સ્તુ” ધાતુ પરથી નામ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ વિશેષ અર્થસૂચક છે. સામાન્ય રીતે સ્તુતિ કરવી કે ગુણગાન ગાવા એવો અર્થ આ ધાતુનો થાય છે. જૈન સ્તવન કાવ્ય પ્રકારમાં આને સામાન્ય સ્તુતિ કરતાં પણ વિશેષ એટલે કે પ્રભુની સ્તુતિ કરવી, પ્રભુના ગુણગાન ગાવા અને પ્રભુના અલૌકિક ગુણ સૌંદર્યનું વર્ણન કરવું તથા પ્રભુના ગહન સ્વરૂપને પ્રગટ કરવું એવો અર્થ થાય છે.
બીજો એક અર્થ એવો થાય છે. વન મરાવ' એટલે કે સમ્યક રીતે સ્તવના કરવી તેને સંસ્તવ કહેવાય છે. ભક્તિના ક્ષેત્રમાં સંવનો પરિચિત અર્થ ભૌતિક પુરુષની સાથે નહીં પણ ફક્ત તીર્થંકરના અસાધારણ ગુણોની પ્રશંસા કરવી એવો થાય છે. ‘આવશ્યક સૂત્ર'માં પણ ચોવીસ તીર્થંકરોની પ્રશંસા કરવી અને ‘સ્તવ’ કહ્યું છે.
સ્તવન સાહિત્ય પ્રકાર તરીકે અત્યંત સમૃદ્ધ અને વિશેષ પ્રેરણારૂપ છે. જૈન સાહિત્યમાં અને વનમાં સ્તવનનો મહિમા અપરંપાર છે. રાગ-રાગિણીથી ભરપૂર અને વાજીંત્રોની સંગતથી સંગીતકારોના કંઠે ગવાતા સાંભળવાનો લ્હાવો કલા રસિકો માટે મહત્ત્વની બાબત છે. સ્તવનનું સ્વરૂપ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન ભોગવે છે. ધર્મની દૃષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે તેનાથી ભક્તિરસનો અનન્ય લ્હાવો પ્રાપ્ત થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે અનુસંધાન થાય છે. વળી કર્મનિર્જરા અને ધર્મધ્યાનની વિશિષ્ટતાનો પરિચય થાય છે. ‘ભાવના જીવનાશિની' એવું કહેવાય છે. એમાં સાવન એ ભાવધર્મનું દ્યોતક છે. એના આલંબનથી મનના પરિણામો સુધરે છે. શુભ ભાવમાં સ્થિર થવાય છે અને જેનાથી આત્મશક્તિનો અદ્ભુત ચમત્કાર, માસિક શાંતિ અને સર્વોત્તમ સંતોષનો અનુભવ થાય છે. સ્તવન ગાઈ જુઓ ને નિજાનંદમાં મસ્ત બનો ત્યારે સત્ય સમજાય,
આમ સ્તવન કાવ્ય પ્રકાર તત્ત્વદર્શન, ભાવ, રસ, અલંકાર, છંદ, પ્રભુ ગુણ દર્શન તથા તીર્થ મહિમા, તીર્થયાત્રા એવા વૈવિધ્યપૂર્ણ અંગોના સમન્વયથી સાયુજ્ય સાધીને જૈન મુનિઓના હસ્તે અદ્ભુત રચનાઓ થયેલી છે.
‘સ્તવન' વિશે વિજ્ઞાન ડૉ. રમણભાઈ શાહ જણાવે છે-“ સ્તવન એ સ્તુતિ પ્રકારની કૃતિ છે. જૈન કવિઓએ બહુધા પોતાના તીર્થંકરની સ્મૃતિ ગ્રંથ રચનામાં કરી છે. તીર્થંકરના ગુર્ગાની પ્રશંસા કરતા કરતા કેટલીકવાર તેઓ પોતાના આત્માના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થે છે. અને એમ કરતાં કરતાં કેટલીકવાર કવિ પોતાના મનના ભાવો વ્યક્ત