________________
એપ્રિલ, ૨૦૧૩
સાહિત્ય કલ્યાણકારી છે.
આ સંદર્ભે જોતાં પ્રસ્તુત સ્તવનમાં રચયિતા શ્રી કાંતિવિજયજીએ ભાવકને આ લક્ષ્ય સુધી પહોંચાડવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો છે. સ્તવનમાં રહેલું ભાવ પ્રાધાન્ય આપાને તેના તરફ ખેંચી જાય છે.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
પ્રથમ પંક્તિઓમાં ‘મ્હારા વીર પીઆરા’–'નીરજા રાજેસર રાણા કહીને પ્રભુનું જે ઉચ્ચતમ છે તેનું દર્શન કરાવ્યું છે. જ્યારે આ સ્તવન વાંચીએ, સાંભળીએ કે ગાઈએ ત્યારે આપણી સમક્ષ શ્રી વીર પ્રભુના શાહી દર્શનની અનુભૂતિ થાય છે. અને આ વાત પણ યોગ્ય જ છે. જેઓએ રાગ-દ્વેષ આદિ આંતરશત્રુઓ પર વિજય મેળવ્યો હોય એનું દર્શન તો રાજવી તરીકે શાહી જ હોય ને !
ભાવ નિર્ઝરતાનું વહેણ આપણને ભીંજવી દે છે જ્યારે પ્રભુ સંયમમાર્ગે પ્રયાણ કરવાનું નક્કી કરે છે અને ભાઈ નંદીવર્ધન વિરહની વ્યથા અનુભવે છે. આ સંવેદના દર્શાવતી પંક્તિઓ જોઈએઃ
‘વીરજી ચિંતાતુર નિજ મો ચિત્તમાં, જિમ ચૂનો ભયુરે લો. (૩) વીરજી ભોજન વિ ભાવે, થાવે અતિ આસંગળો રે લો. (૪) અને
વીર છાતીમાં ધાતિ કાતી, જેણે સારની રે લો. મહારા. વીર પીડા વિા વાગે લાગે, મોટી મારની રે લો. મ્હારા... (૬)” આ પ્રમાણે સમગ્ર સ્તવન જોતાં ભાવક તરીકે આપણે વિવિધ ભાવથી જાો છલકાતા હોઈએ એવો અનુભવ થાય છે. ભક્તિરસ, વીરરસ અને કરુણરસથી સભર આ રચના હૃદયસ્પર્શી બની છે. રચનાકારનું ભાવજગત રચવાનું ભાષાકૌશલ અહીં પ્રગટ થાય છે.
ભાષા શૈલી અને કાવ્યતત્ત્વ :
ગદ્ય અને પદ્ય લેખનમાં જે એક મોટો તફાવત જોવા મળે છે એ તેની ભાષા-શૈલી અને કવિતાતત્ત્વ છે. પ્રસ્તુત સ્તવનને આ દૃષ્ટિએ જોતાં પદ્યરચનાની આવી લાક્ષણિકતાઓ પ્રગટ થાય છે. મધ્યકાળમાં કેટલાંક વિશિષ્ટ સાહિત્યિક કૌશલો કૃતિઓમાં પ્રગટ થયેલાં જોવા મળે છે, એમાં સમસ્યાચાતુરી, અલંકારચાતુરી કે પદ્યબંધચાતુરી વગેરે દ્વારા ચમત્કૃતિ પ્રગટ થાય છે. હીરાણંદની ‘વિદ્યાવિલાસ પવાડુ'માં આવી ચમત્કૃતિ જોવા મળે છે,
શ્રી કાંતિવિજયજીની ‘હીરાવેધ બત્રીસી’ સળંગ શ્લેષરચનાની લાક્ષણિક કૃતિ છે. આમ તો કથાવસ્તુ રાવાને મંદોદરીએ આપેલા ઉપદેશની છે. પરંતુ એમાં એક અંતરામાં ગામનાં નામો, બીજી કડીમાં રાશિના નામો, ત્રીજી કડીમાં ફળનાં નામો, એ રીતે બત્રીસે કડીમાં જુદા જુદા નામો મેળવી શકાય છે. જેમ કે
૨૭
પરંતુ અહીં રાજનગર અને નારિ તથા આદરિઆનું એ ગામનાં નામો છે. આ રીતે સાહિત્યિક સમૃદ્ધિ લાવવા માટે રચયિતા પાસે કૌશલ તો જોઈએ જ, પરંતુ ખૂબ જ સમૃદ્ધ શબ્દભંડોળ પણ આવશ્યક છે.
પ્રસ્તુત વનમાં આ પ્રકારની વિશિષ્ટતા ભલે નથી, પરંતુ શબ્દલાલિત્ય અને અલંકારોનો ઉપયોગ જરૂર જોવા મળે છે. દા. ત. સર્વ પ્રથમ ધ્યાનાકર્ષક છે
દરેક પંક્તિમાં જોવા મળતા આંતાસઃ ‘વયણે નયણે’, ‘લેશો દેશ્યો', 'ઘાતી કાતી’, ‘જાશે ટાણે', 'આઈ ભાઈ', 'સીધો લીધો’ વગેરે.
આ ઉપરાંત દરેક કડી (અંતરા)ની પંક્તિના અત્યાનુપ્રાસઃ 'રહેકહુ’, ‘ગમું-ભમું’ વગેરે. ક્યાંક રૂપકો પણ પ્રયોજાયાં છે પરંતુ પ્રમાણ ઘણું ઓછું છે. એ જ રીતે વર્ણાનુપ્રાસનો પ્રયોગ ક્યારેક ક્યારેક જોવા મળે છે.
ગુજરાતી સાહિત્યમાં એવા રૂચિકર પ્રયોગો થયા છે. જેમાં શબ્દોને નજાકત આપીને જાણે લાડકા બનાવ્યા હોય એવું લાગે. દા. ત. દાડમની બદલે દાડમડી, ચકલીની બદલે ચરકલડી, વાદળીની બદલે વાદલડી. આ પ્રયોગથી અર્થનું અલગ જગત જન્મે છે. પ્રસ્તુત વનમાં પા આવા પ્રયોગો રચયિતાએ કર્યા છે, જેથી શબ્દ-લાલિત્ય ઊભું થયું છે. દા. ત. મીઠલડે વયો, નિંદરડી નાવે, વગેરે.
આવી બાબતોથી આ સ્તવનની ગેયતા વધારે રસિક બની છે. હા,
અમુક શબ્દો એવા છે જેના અર્થ સંદર્ભમાં પણ બેસતા નથી. છતાં ભાવની સમજ સ્પષ્ટ થાય છે.
આ સ્તવનના ઢાળ વિષે એટલે કે રાગની લાક્ષણિકતા વિષે વિચારીએ તો ફરી આપણને મધ્યયુગમાં છંદમાં થયેલા પ્રોગો વિષે વિચારવું જોઈએ. તે સમયે જે કૃતિઓ માત્રામેળ છંદોમાં રચાઈ, તે કૃતિઓના છંદો ‘દેશીઓ’ તરીકે પ્રયોજાયા છે. ઉપરાંત અન્ય દેશી ઢાળો પણ પ્રયોજાયા છે. ધણી મોટી સંખ્યામાં પંક્તિ (પ્રથમ) કે એક જ શબ્દથી જદેશીનો ઉલ્લેખ થયો છે. દેશીમાં ઘણું જ વૈવિધ્ય છે. પ્રસ્તુત સ્તવનની દેશીનું નામ છેઃ ‘સાલુડાની’-એ દેશી એવો ઉલ્લેખ થયો છે.
સમગ્ર રીતે જોતાં શ્રી કાંતિવિજયજી રચિત આ સ્તવન ભલે શ્રી મહાવીર સ્વામી માટે રચાયેલાં અન્ય સ્તવનો જેમ લોકજીભે ચડેલું લાગતું નથી. છતાં, ભાવની દષ્ટિએ આ સ્તવન સરળતાથી વિરહભાવનાને પ્રગટ કરી શકે છે. સામાન્યતઃ શ્રી મહાવીર સ્વામીના જીવનમાં બનેલા પ્રસંગો (ચંડકૌશિક, ચંદનબાળા વગેરે) સ્તવનમાં કથાતત્ત્વો પૂરા પાડે છે. અહીં એવા પ્રસંગ સીધા જ મૂકાયા નથી.
પરિણામે વિવેદના વધારે વ્યાપક બની છે.
“રાજન ગર સમ એ નારી, કાં આદરી જાણો.
સામાન્ય અર્થમાં આ પંક્તિનો અર્થ છે-હે રાજા ! નારી તો વિષ પી-૧, વલ્લભ એપાર્ટમેન્ટ, રબર ફેક્ટરીની સામે, ભાવનગર-૩૬૪૦૦૧. (ગ૨) સમાન છે, એને તમે કેમ લાવ્યા છો ?
ફોન : ૦૨૭૮૨ ૫૨૩૯૪૯