________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન : ગણધરવાદ વિશેષાંક
**************************************
**********
જયભિખ્ખુ જીવનધારા-૫૨
D પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
* *
[ માનવતાના મૂલ્યોની જિકર કરનાર સાહિત્યસર્જક જયભિખ્ખુએ તંદુરસ્ત જીવનદૃષ્ટિ ઘડી શકાય એવું પ્રેરક સાહિત્ય આપ્યું. એમની અક્ષરયાત્રાની સાથોસાથ એમના જીવનની આનંદયાત્રા પણ ચાલતી હતી. એમના જીવનમાં બનેલા એક હૃદયસ્પર્શી પ્રસંગને જોઈએ આ બાવનમા પ્રકરણમાં.]
ચોધાર આંસુએ રડી પડ્યા!
૬૯
************
*
*
૧૯૪૫ની એક વહેલી સવારે જયભિખ્ખુના અમદાવાદના * માદલપુર વિસ્તારમાં આવેલા ગારની લીપણવાળા ઘરમાં રબારી *કોમનો એક વિવેકી અને નમ્ર છોકરો પ્રવેશ્યો. એનું નામ હતું * તુલસીદાસ. એની આંખોમાં સહજ શરમાળપણું હતું. વાતચીતમાં સૌજન્ય ટપકતું હતું. એ છોકરો પાટણ પાસેના *દેત્રોજ ગામનો વતની હતો અને ત્યાંથી થોડા સમય પહેલાં * અમદાવાદ નોકરી માટે આવ્યો હતો. જયભિખ્ખુ અવારનવાર * જૈન સોસાયટીમાં રહેતા એમના સ્વજન ભગવાનદાસ પંડિતને
તુલસીદાસ પાસે દુનિયાદારીની ઊંડી સૂઝ. નિરીક્ષણ-શક્તિ પણ સારી. આથી જયભિખ્ખુ એમને ક્યાંય પણ મોકલે તો એમને એ વ્યક્તિની પ્રકૃતિનો અને એમના ઘરની સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ' જાણવા મળી જતો! ક્યારેક જયભિખ્ખુ એમની મસ્તીમાં કે એકાએક કોઈ એક બાજુ ઢળી પડવાની પ્રકૃતિને કારણે માણસોને પારખવાની ભૂલ કરતા, ત્યારે તુલસીદાસ એમને સૌમ્ય વાણીથી જે તે વ્યક્તિની સાચી ઓળખ આપતા અને જયભિખ્ખુ પણ એમની વાત કાને ધરતા.
*
* *
ત્યાં જતા હતા. અહીં એમણે આ છોકરાને જોયો. એ છોકરો દેત્રોજથી આવ્યાને બે મહિના થયા તે પછી પોતાની માતા અને
*
જયભિખ્ખુ એક કાગળમાં દિવસભરના કામની ક્રમિક સૂચિ બનાવતા. વહેલી સવારે તુલસીદાસ આવે એટલે એમને આ કાગળ આપે. કોઈને કોઈ પુસ્તક આપવાનું હોય, તો સમજાવે, પત્ર આપે, સાથે જરૂરી સૂચના પણ આપે. તુલસીદાસ એમના વિવેકી વર્તનથી જ્યાં જાય, ત્યાં સહુનો સ્નેહ સંપાદિત કરી લેતા. કોઈ પણ વ્યક્તિને ઘે૨ જાય એટલે તે વ્યક્તિ માનતી કે જયભિખ્ખુના સંદેશવાહક હનુમાન આવ્યા! એ પછી તુલસીદાસ પોતાની મીઠી વાણીમાં થોડી અલકમલકની વાત કરે, પણ વાત કરવાની સાથોસાથ એ ઘરની સમગ્ર પરિસ્થિતિનો તાગ પણ મેળવી લે. આને પરિણામે બનતું એવું કે તુલસીદાસ પાસે દરેક સર્જકની ખાસિયતથી માંડીને, એના ગમા-અણગમા અને આતિથ્યની” * સઘળી વિગતો જાણવા મળતી. *
*નાના ભાઈ જીવણલાલને પણ અમદાવાદ બોલાવી લીધાં હતાં. * એ જયભિખ્ખુને મળવા આવ્યો એ સમયે જયભિખ્ખુ શારદા * મુદ્રણાલયમાં જતા હતા અને ત્યાં પુસ્તકનું કમ્પોઝ અને પ્રિન્ટિંગ * ચાલતું હતું. વળી ત્યાં બપોર પછી લેખકોનો ડાયરો પણ જામતો હતો. જયભિખ્ખુને આ છોકરાનો સુશીલ સ્વભાવ પસંદ પડ્યો * એટલે એને શારદા મુદ્રણાલયમાં નોકરીએ રાખી લીધો. તુલસીદાસે કંઈ ઝાઝો અભ્યાસ કર્યો નહોતો. એ જમાનામાં પ્રેસમાં હાથેથી ટાઈપ કમ્પોઝ થતાં. એ પછી પાના મુજબ એનો જાડી દોરીથી ફ૨મો બંધાતો. એ બાંધેલા ફરમાનું ગૅલી-પ્રૂફ કાઢવાનું હોય. એ ફરમા પર કાગળ મુકાય અને પછી રોલ૨ ફેરવાયો એટલે ગૅલી-પ્રૂફ નીકળે અને એ પ્રૂફ પહેલાં પ્રૂફરીડરો *વાંચે અને છેલ્લે લેખકને વાંચવા આપવાનું હોય.
*
*
*
*
*
એ વહેલી સવારે ઘે૨ આવે એટલે પહેલાં મને નજીકમાં આવેલી માદલપુરની મ્યુનિસિપલ શાળા નં. ૪માં મૂકવા આવતા. આ સિલસિલો એક યા બીજા પ્રકારે એવો ચાલુ રહ્યો કે જ્યારે હું નવગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો, ત્યારે પણ રોજ વહેલી સવારે સ્કૂટર ૫૨ મને કૉલેજ સુધી મૂકી જતા. તુલસીદાસ સમયની બાબતમાં ભારે ચીવટવાળા. એમને જયભિખ્ખુએ કહ્યું હોય કે સવારે પાંચ વાગ્યે ઉઠાડજો એટલે બરાબર પાંચ વાગ્યેન્દ્ર
તુલસીદાસને ગૅલી કાઢવાનું અને પ્રૂફ લાવવા-લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું; પરંતુ ધીરે ધીરે તુલસીદાસ એમની સૌમ્ય પ્રકૃતિથી અને કર્મનિષ્ઠાથી જયભિખ્ખુના પ્રિય બની ગયા. કોઈ *પણ કામ હોય તો જયભિખ્ખુ પહેલાં તુલસીદાસને યાદ કરે *અને તુલસીદાસ તુરત હાજર! એકેય વખત એવું બન્યું નથી કે * જયભિખ્ખુએ સોંપેલા કોઈ કામમાં એમણે આનાકાની કરી હોય.
*
બારણે ટકોરા પડ્યા જ હોય. સવારે સાડા નવે આવવાનો એમનો
*
**************************************