________________
૩૪
પ્રબુદ્ધ
એવામાં ત્યાંથી એક કોળી પસાર થતો હતો. એણે બાપુને ભીંજાતે કપર્ડ વરસાદમાં થરથરતા દીઠા. એ બોલ્યો, 'અરે બાપુ ! આપ આમ ? ! પધારો, મારી સાથે પધારો. અમારો વાસ નજીકમાં જ છે. એને પાવન કરો, બાપુ!'
વરસાદ મુશળધાર વરસતો હતો. ઠંડો પવન સુસવાટા મારો હતો. કાયા થરથરતી હતી, એમાં વળી કાળી રાત વધતી જતી હતી. બાપુએ વાસને પાવન કરવાની વાત કબૂલ રાખી. રામજી મંદિરમાં બાપુને બેસાડ્યા. બાપુની ભારે આગતા-સ્વાગતા કરી.
કોળી-વાસની અનુભવી ઘરડી ડોસીને મનમાં વિચાર આવ્યો કે ગામનો ધણી સેંકડો વરસમાં પહેલી વાર વાસમાં આવ્યો છે. એના
કપડાં પલળીને નીતરે છે. આમ ને આમ ભીને કપડે જાય એ તો ઠીક નહીં.
એક કોળીને ડોસીમાએ બોલાવ્યો. ઠાકોરને માટે પોતાના હાથે વણેલું પાણકોરું કાઢ્યું. તાબડતોબ દરજીને બોલાવ્યો. રાતોરાત બાપુને બે જોડ કપડાં સિવડાવી દીધાં. સવાર પડી. વરસાદ રહી ગયો એટલે કોળીવાસમાંથી બાપુએ વિદાય લીધી. સાથે ભોમિયો લીધો અને ચુડા તરફ રવાના થયા. આ વાતને વર્ષ વીતી ગયું.
એક દિવસ આ કાળીવાસમાં રાજનો માણસ આવ્યો. એણે બધાને ભેગા કર્યાં, ‘ચાલો, લાવો ડુંગલીવરો."
કોળીવાસમાં તો સૌ આશ્ચર્ય પામ્યા. એમના આગેવાને રાજના માાસને નમ્ર અવાજે પૂછ્યું, 'ભાઈ, વેરા તો ઘણા સાંભળ્યા, પણ ક્યારેક ડગલીવેશનું નામ સાંભળ્યું નથી. આ તે વળી કર્યો વેચે ?'
'તમે ગયે વરસે બાપુને જોડ કપડાં સિવડાવી દીધાં હતાં ?” ‘અરે, પણ એ તો બાપુ વરસાદથી ભીંજાયા હતા, એમનાં કપડાં પલળેલાં હતાં એટલે બાપુની ખાતર બરદાસ્ત કરવા સિવડાવી આપ્યાં હતાં.'
આમ કહીને ગુણવંતરાય આચાર્ય વાતનું સમાપન કરતાં કહે કે ‘સૌરાષ્ટ્રનું એકમ થયું ત્યાં સુધી એટલે કે રાજપલટો થયો ત્યાં સુધી ભડકવાનો કોળી ચુડા રાજ્યને આ ડગલીવેરો ભરતો હતો.'
‘એ કંઈ ન ચાલે. એક વાર તમે રાજને આપ્યું એટલે હવે વરસોવરસ હતા, માંડીને વાર્તા કહેતા હોય તેમ. આજુબાજુના શ્રોતાઓ એ આપવાનું. લાર્વા, ડગલી વેશે.‘ વાર્તારસમાં ડૂબી ગયા હતા. એ પછી જયભિખ્ખુની વાત પૂરી થતાં ધીરુભાઈની એમને ઓળખ આપવામાં આવી. દસ જ મિનિટમાં ધીરુભાઈને લાગ્યું કે જયભિખ્ખુ રંગીલા લેખક છે. સંસારમાં માત્ર ઊંડા ઊતરતા જ નહીં, પણ એના રસકસ જાણતલ શોખીન જાય છે. ધીરે ધીરે એમને જયભિખ્ખુની રસિકતાનો પરિચય થયો.
આ ડાયરામાં કવિ દુલા ભગતની સવારી આવે એટલે શારદા મુદ્રણાલયની ઑફિસ ઊભરાઈ જાય કાગબાપુ સાથે લોકગાયક રતિકુમાર વ્યાસ અચૂક હોય જ, બીજા એક-બે ગાયકો બાપુની સાથે હોય અને પછી પ્રેસના બધા કારીગરો બાપુની લોકગીતની સરવાણી
સાંભળવા એકઠા થઈ જાય.
જીવન
ડિસેમ્બર, ૨૦૧૩ ગુજરાત કૉલેજમાં વિજ્ઞાનના અધ્યાપક હતા અને વિજ્ઞાનવિષયક ગ્રંથોના લેખ હતા. એમની સાથે જયભિખ્ખુને પારિવારિક સંબંધ હતો. એમના પુત્ર ડૉ. સુમંત શાહે આજે પણ પરિવારના સ્વજન સમાન છે. ડૉ. ન. મુ. શાહ કહેતા કે ડાયરાને કારણે એમને ઘો ફાયદો થયો. જયભિખ્ખુ એમના વિજ્ઞાનવિષયક લેખોમાં રસ લેતા, અવારનવાર સૂચનો આપતા અને જરૂર પડ્યે એમના લખાણને મઠારી આપી, સુવાચ્ય બનાવતા. જે સમયે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનવિષયક લખાણો અલ્પ પ્રમાણમાં હતાં, ત્યારે પ્રો. ન. મુ. શાહ નોંધે છે કે આ વિષયને સુગમ્ય બનાવવા માટે જયભિખ્ખુની સૂચનાઓ એમને ઉપયોગી નીવડતી હતી. (જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ, પૃ. ૮૯).
એક વાર આ જ્ઞાનગોષ્ઠિમાં ધૂમકેતુ, મધુસૂદન મોદી, મનુભાઈ જોધાણી, કનુભાઈ દેસાઈ ને ડૉ. ન. મુ. શાહ વગેરે ઉપસ્થિત હતા. ત્યારે જયભિખ્ખુને 'ગુજરાત સમાચાર'માં એક કૉલમ લખવાનું નિમંત્રણ મળ્યું હતું. એ પૂર્વે તેઓ સંદેશમાં ‘ગુલાબ’ અને ‘કંટક’ નામનું કૉલમ લખતા હતા. ગુરુવાર એ જયભિખ્ખુનો અતિ પ્રિય વાર એટલે એમળે ‘ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહને કહ્યું કે મારું કૉલમ ગુરુવારે પ્રગટ થાય તેમ કરજો, પછી ડાયરામાં ચર્ચા ચાલી. કૉલમના નામાભિધાનના ફેબા કોણ બને એની સ્પર્ધા થઈ. સહુએ પોતપોતાની રીતે એ કૉલમનું નામ સૂચવ્યું. એમાંથી પસંદગીના ડઝનેક નામોની જયભિખ્ખુએ યાદી કરી અંતે આ મંડળીએ ‘ગુજરાત સમાચાર’ની એ કૉલમનું નામ ‘ઈંટ અને ઈમારત’ પસંદ કર્યું.
એક વાર શારદા મુદ્રણાલયમાં જ્ઞાનગોષ્ઠિ ચાલતી હતી. આ જ્ઞાનગોષ્ઠિમાં ડૉ. ન. મુ. શાહ પણ આવ્યા હતા. ડૉ. ન. મુ. શાહ એ
જયભિખ્ખુના ડાયરામાં ધીરુભાઈ ઠાક૨, મધુસૂદન પારેખ અને નટુભાઈ રાજપરા જેવા અધ્યાપકો પણ આવતા. ૧૯૪૬ના જુલાઈ કે ઑગસ્ટ માસમાં ધીરુભાઈ ઠાકરને જયભિખ્ખુની પહેલી વાર ઓચિંતી મુલાકાત થઈ. એમનું પુસ્તક છપાતું હતું એ નિમિત્તે ધીરુભાઈ શારદા પ્રેસમાં ગયા હતા અને એમણે જોયું કે ટેબલની મુખ્ય ખુરશી પર બેસીને એક ભાઈ જોશીલી જબાનમાં કોઈની સાથે વાત કરી રહ્યા
સાદો પોષાક અને શ૨માળ કે સંકોચશીલ દેખાતો જયભિખ્ખુનો ચહેરો સમય જતાં એમના નામ જેવાં છેતરામણો લાગ્યો. પ્રવાસમાં રહેવાનું બનતાં જયભિખ્ખુના ખાનપાન, વસ્ત્રાભૂષણ અને રહેણીકરણીમાં બાદશાહી યાડ જોવા મળ્યો. વળી જેમ જેમ પરિ વધતો ગયો તેમ તેમ એમના પ્રેમ અને મમત્વનો અનુભવ થયો. ધીરુભાઈ ઠાકરને લાગ્યું કે એમનું સ્નેહીમંડળ ખૂબ બહોળું છે અને