Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમ્મ વિશેષાંક
“મારા પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ જતી વાત, મારા પિતાની હેય તેય શું, એમાં .હા” ન ભણું તે ન જ ભાણું” આ આદશને વળગી રહેવા મયણુએ, એમ કહી શકાય છે કે, સર્વસ્વનો ત્યાગ કરી બતાવ્યો. “તે...
“હજી પણ વિચાર કરી લે. ધારું તેને સુખી અને ધારું તેને દુઃખી કરી શકું R છું એ મારી વાતને સ્વીકાર કરે છેય તે હજી બાજી હાથમાં છે. અને જે હજી પણ તારે તારા કર્મની જ દુહાઈઓ આપવી હોય તે- તે જોઈ લે, તારા કર્મો આણેલ છે આ પતિ સામે તૈયાર ખડે છે.”
અત્યત ક્રોથી થરથર ધ્રુજતા પિતા રાજવી પ્રત પાળે આ કહ્યું અને મયણાએ સ્વસ્થનજરે ઊંચું જોયું. પળને પણ વિલંબ કર્યા વિના મયણે ઊભી થઈ ગઈ. “રૂમઝુમ રૂમઝમ નિનાદ કરતાં શાન્ત અને સ્વસ્થ પગલાં પાડતી મયણા, પ્રસન્નચહેરે હસતી. આંખે પેલા કેઢિયા પાસે પહોંચી ગઈ. કેઢિયા પતિની સાથે વિદાય લઈ રહેલી મયણાસુંદરી રત્નજડિત પાલખીને બદલે ખચ્ચર પર બેઠી છે.
કુર્યાતુસદા મડગલ' ના મંગલધ્વનિને બદલે ત્યારે વહાલસેયી જનેતાનું છે છે રુદન પડઘાઈ રહ્યું છે. નથી સોળ શણગારની સજાવટ કે નથી સખીઓની મજાકમરતી. જે નથી ઢાલશરણાઈની સૂરાવલિઓ કે નથી મંડપમંચના ઠાઠમાઠ, નગરજનોના આશીર્વાદને આ
સ્થાને “આ મખે છે, ઘમંડી છે. જિદ્દી છે. મિથ્યાવાદી છે. અવિનયી છે. મૃતદન છે. જે આવાં આવાં કે'ક નિન્દાવાક્યની ઝડી વરસે છે. અને સૌથી મહત્વની વાત; રાજકુમારી 8 તરીકે તે જેને પરણી રહી છે, જેની સાથે તેણે આખી જિંદગી જીવવાની છે તે કઈ છે સૌન્દર્યવાન રાજકુમાર નથી, અજા પુરુષ છે અને તે પણ કેઢિયે છે, સાતસે 8 કઢીયાની વચ્ચે જીવન ગુજારતે. ગામેગામ ભટકતે. રાજવિહોણે રાણે, ઉંબરાણે.
આ આખાય પ્રસંગ શ્રી પાળચરિત્રનું આરંભબિન્દુ છે. અને એમાં મુખ્ય પાત્ર છે. મયણાસુંદરી, મયણાસુંદરીની પ્રભુ આજ્ઞાપ્રીતિ. આ પ્રસંગ પછી પગલે પગલે મયણાની છે આજ્ઞાપ્રીતિ સતત ચમકતી રહે છે. પિતૃગૃહની વિદાય લઈને પતિ સાથે પિતાના આવા- 8 સમાં હસતી હસતી આવેલી મયણ પહેલી રાતે જ દુઃખી દુઃખી થઈ જાય છે. કેમ? હું
હજુ કશું એવું નથી થઈ ગયું, મયણા. પિતાએ કે ધાવેશમાં અને તે વાવના વેશમાં ! જિદદથી આ અણછાજતું પગલું એકવાર ભલે ભરી લીધું. પણ હવે બાજી સુધારી લે. છે કેઈ રૂપસંપન્ન રાજકુમાર પાસે પહોંચી જા અને તારા રૂપનિર્માણને સાર્થક કર. મારા જ સંગથી તે તારું શરીર અ૫સમયમાં જ કેદ્રગ્રસ્ત થઈ જશે. દુ:ખ સિવાય મારી પાસે છે | તને આપી શકાય એવું કશું નથી. કશું જ નથી”
ગળગળા સાદે સચ્ચાઈના રણકા સાથે આવું જયારે ઉંબરાણે કહે છે ત્યારે તે