________________
૧૫
આગળ વધીને પોતે લઘુતાગર્ભિત ભાવના આ પ્રમાણે, ભાવે છે કે –
न कृतं सुकृतं किश्चित्-सतां संस्मरणोचितं ॥ मनोरथैकसाराणा-मेवमेव गतं वयः ॥ २॥
સ્પષ્ટાર્થ–મેં ઉત્તમ પુરુષને યાદ કરવા લાયક (સુકૃત એટલે પુણ્યના કાર્યો કંઈ ન કર્યો. અને સારા સારા મારથી કરવામાં મારી ઉંમર ચાલી ગઈ. આમાંથી રહસ્ય એ નીકલે છે કે મંત્રી નિરભિમાની હતા. અને તેમણે ઘણાએ ધાર્મિક કાર્યો કર્યા હતા, છતાં દિન પ્રતિદિન અધિક ધાર્મિક કાર્ય કરવાની ચાહના રાખતા હતા. ૨
આવા કારણથી મને મરણને ભય છે નહિ, એમ મંત્રી જણાવે છે –
लब्धाः श्रियः सुखं स्पृष्टं-मुखं दृष्टं तनूरुहाम् ॥ पूजितं शासनं चैव-न मृत्योर्भवमस्ति मे ॥३॥
સ્પષ્ટાર્થ-વ્યવહાર દષ્ટિએ મેં લક્ષ્મી મેળવી, અને સુખ ભેગવ્યું, તથા પુત્રનું મેંઢું જોયું. આત્મિક દ્રષ્ટિએ મહાપ્રભાવશાલી શ્રી જૈનેન્દ્ર શાસનની પણ પરમ ઉલ્લાસથી (હૃદયના ઉમળકાથી) સેવના કરી, તેથી હે પ્રભો ! હવે મને મરવાને ભય છે જ નહિ. ૩
આમાંથી બેધ એ લેવાને કે અધમ ને જ મરવાને ડર હોય છે. કારણ કે તેમણે પોતાની જીંદગીમાં ઘણું પાપના કાર્યો કર્યા છે, તેથી તેમને મરતી વેળાએ આ પશ્ચાત્તાપ થાય છે કે–અરેરે? મેહ અને અજ્ઞાનને વશ થઈને રાચી