________________
પ્રબંધ.]
સમતા અધિકાર એક સમતા જ પ્રાણુઓના અનિષ્ટને હરનારી તથા ઈષ્ટને સંપાદન કરનારી છે, તે કહે છે–
अर्गला नरकद्वारे मोक्षमार्गस्य दीपिका । समता गुणरत्नानां संग्रहे रोहणावनिः ॥४४॥
મૂલાઈ-નરકના દ્વારને વિષે અર્ગલા સમાન, મેક્ષમાર્ગમાં દીપિકા સમાન અને ગુણરૂપી રતોને સંગ્રહ કરવામાં રેહણુંચળ પર્વત સમાન એક સમતાજ છે. ૪૪,
ટીકાથે–હે ભવ્ય પ્રાણુઓ! સમતા એ નરકમાં પ્રવેશ કરતા જીને રેકવામાં (નહીં પ્રવેશ કરવા દેવામાં) અર્ગલા આગળીયા સમાન છે, તથા મેક્ષમાર્ગને પ્રકાશ કરવામાં દીપમાળારૂપ છે, તથા ગુણરૂપી રોને સંગ્રહ-સંચય કરવામાં રોહણાચળ પર્વતની પૃથ્વી સમાન છે. ૪૪,
એ સમતા જ અજ્ઞાનને નાશ કરનારી છે, તે કહે છેमोहाच्छादननेत्राणामात्मरूपमपश्यताम् । दिव्याञ्जनशलाकेव समता दोषनाशकृत् ॥ ४५ ॥
મુલાઈ–જેમનાં નેત્ર મોહવડે આચ્છાદિત થયેલાં છે, અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી, તેઓને સમતા એ દિવ્ય અંજનની શલાકા જેવી દોષને-અજ્ઞાનને નાશ કરનારી છે. ૪૫.
ટીકર્થ–મેહરડે-અજ્ઞાનવડે અથવા મેહનીય કર્મના ઉદયવડે જેમનાં નેત્ર આચ્છાદિત થયાં છે–ઢંકાઈ ગયાં છે, અને તેથી આત્માના સ્વરૂપને- સકલ કર્મરહિત સચિત્ આનંદમય આત્માના મૂળરૂપને જેઓ જોઈ શકતા નથી એવા જનને સમતા એ દિવ્ય-પ્રધાન અથવા દેવાદિકે આપેલા એજનની-નેત્રના રોગને હરણ કરનાર મહા ઔષધીની શલાકા-સળીની જેવી દોષને–અજ્ઞાનને અથવા ચક્ષના તિમિર રેગને નાશ કરનારી છે. ૪૫.
સમતાના સુખની અવાગ્યતા કહે છેक्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते । स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥ ४६॥
મૂલાર્થ–જે એક ક્ષણવાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમતાનું સેવન કરાય, તે તેથી એવું સુખ થાય છે કે જે બીજાને કહી શકાય નહીં. ૪૬.
Aho ! Shrutgyanam