Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005223/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ 2 --- श्री श्राङगुण विवरण. भाषांतर, भकाशक, श्री जैन आत्मानंद सभा, भावनगर Page #3 -------------------------------------------------------------------------- ________________ सद्गुरु स्तुति. सज्झानामृतवर्षणे गतमदो भव्यांगिनां भारते, रक्तःशुदविचारचारु चरितः सम्यक्सदासंवृतः द्रव्यक्षेत्र स्वभावकालनीतिषु आज्ञां सदा निर्वहन , श्राद्धानांगुणसंनिधिवितरणे आनंदसूरि स्तुमः “ આ ભરતક્ષેત્રમાં ભવ્ય જનોને નિર્મળ પણે સત્યજ્ઞાનરૂપ અમૃત જેમણે સિંચ્યું છે, જેઓ હંમેશાં નિમળ અંત:કરણવાળા, સદાચારમાં તત્પર અને ઇદ્રિયદમનમાં પ્રવૃત્ત હતા, શ્રી જિનેશ્વરની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ રાજનિતિનું પાલન કરતા હતા, તે શ્રીમદ્ વિજયાનંદસૂરિને પ્રરતુત “ શ્રાદ્ધગુણ વિવરણ' ના પ્રારંભમાં સ્તવીએ છીએ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાભાનિધિ શ્રીમવિજ્યાનંદસૂરી. (આત્મારામજી મહારાજ ) The Bombay Art Printing Works, Fort. Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ वोरा हठीसंग झवेरचंद सीरीश नंबर १ लो. परमर्षि श्री जिनमंडनगणि विरचित, I . છે શ્રાદ્ધપુWવિવરWWાષાંતર. જ છે. ( જિન વચનામૃત મહોદધિમાંથી પરમ ગીતાર્થ વચન તરંગ બિન્દુરૂપ શ્રાવકધર્મરૂપી કલ્પવૃક્ષના ઉત્તમ ગુણરૂપી પુનું દષ્ટાંત યુક્ત વિસ્તાર વડે વિવેચન.) અનુવાદક, ( પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય) શ્રીમાળ્યુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ વેરા હઠીસંગ ઝવેરચંદ ભાવનગર નિવાસીની આર્થિક સહાય વડે, પ્રસિદ્ધ કર્તા, શ્રીજૈન આત્માન સભા–ભાવનગર, ભાવનગર-ધી આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઇએ છાપ્યું. વીર સંવત ૨૪૪૨. આત્મસંવત ૨૧. વિક્રમ સંવત ૧૯૭૨. ઈ.સ. ૧૯૧૬. શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નં. ૩૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कृंतत्य पुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ।। ભાવા જે શ્રદ્ધાળુપણાને દૃઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શિઘ્ર વાવે (વ્યય કરે ) જિન દર્શનને ( સમ્યક્ત્વને) વરે, ( આદરે), પાપોના નાશ કરે, અને સયમ કરે, (મન ઇંદ્રિયાને વશ કરે ) તેમને વિચક્ષણુ પુરૂષો શ્રાવક કહે છે. શ્રીમદ્રષ્ટિનમનર્માણ, ) Page #8 -------------------------------------------------------------------------- ________________ 212L WAR: 0 Page #9 -------------------------------------------------------------------------- ________________ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ ΦΦ ( શ્રીમાન પ્રવકજી શ્રીકાન્તિવિજયજી મહારાજના શિષ્ય) 192 eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Saeeeeeeeeaaaaaaaaaaaaaaaaaaaaaaaaaeeeeeeeeeee મુનિરાજ શ્રી ચતુવિજ્યજી મહારાજ ( 11 HIE Dylar are a pal Galviar sai.) ΦΦ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ Φ The Bombay Art Printing Works, Fort, Page #10 -------------------------------------------------------------------------- ________________ આ ઉપકાર. છ૭-૭D0%A2-20-છવિડિઝણઝ પરમકૃપાળુ શાંતમૂર્તિ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ તથા શ્રીમાન પંન્યાસજી મહારાજ શ્રી સંપત્તવિજયજી મહારાજ શુમારે સાત વર્ષ ઉપર આ શહેરમાં પધાર્યા હતા, ઘણાંજ થોડા દિવસની અત્રે સ્થિરતા છતાં તે દરમ્યાન આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચતા હતા, તે વખતે તેઓ સાહેબ શ્રાવકવર્ગ માટે આ ગ્રંથની એટલી બધી ઉપગિતા જણાવી હતી અને સાથે આજ્ઞા કરી હતી કે, આ શ્રાવક ઉપયોગી ગ્રંથનું ભાષાંતર કરાવી આ સભા તરફથી પ્રસિદ્ધ થાય તે સમાજને ઘણું જ લાભ થશે સાથે આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થ રાહઠીસંગભાઈઝવેરચંદ ને પણ આવા ઉપગી ગ્રંથે પ્રસિદ્ધ કરવા માટે ગ્રદ્ધારના કાર્યમાં લક્ષમીને વ્યય કરવા પ્રસંગાનુસાર ઉપદેશ આપે હતું, જે માટે આ બંને મહાત્માઓના ઉપદેશરૂપ નિમિત્તથી આ ગ્રંથની કંઇશરૂઆત કરવાની ઈચ્છા થઈ, જે માટે ઉક્ત બંને મહાત્માઓને અંત:કરણ પૂર્વક આભાર માનીયે છીયે. ત્યારબાદ કેટલોક સમય વિત્યાબાદ ઉક્ત ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદની ઈચ્છા આ ગ્રંથ માટે સહાય આપવાની થતાં તેનું ભાષાંતર કરાવ્યું તે પૂર્ણ થયા બાદ અત્રે સભાના સામાન્ય ધારા મુજબ તે ભાષાંતર શ્રીમાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજને સાવંત તપાસી જવા વિનંતિ કરી, જે ઉપરથી તેઓશ્રીએ તે તપાસતાં તે ભાષાંતર જોઈએ તેવું માલમ પડયું નહીં, જેથી આ સભાની નમ્ર વિનંતિથી અને તેઓશ્રીની પૂર્ણ લાગણી હોવાથી આ ગ્રંથનું ભાષાંતર સભાઉપર કૃપા કરી પોતે Page #11 -------------------------------------------------------------------------- ________________ 400220 ડિઝSછ0િ0-છ--04 gosto - 680-4-6% AD--69624 નવેસરથી કરી આપવા મહદ્ કૃપા દર્શાવી. પિતાના જ્ઞાન, ધ્યાન, સઝાય અને મુનિધર્મની ક્રિયા વગેરે કરતાં, તેમજ તે સિવાય પાટણના જેન ભંડારેની પિતાના ગુરૂરાજ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે ઉદ્ધાર અને વ્યવસ્થા કરતાં તેમજ આ સભા તરફથી અને બીજાઓ તરફથી તેઓશ્રીની અત્યંત લાગણી અને કાળજીથી ગ્રથોદ્ધારના કાર્યમાં આખો દિવસમાં ઘણે ટાઈમ તેઓશ્રીને વ્યતિત થતાં છતાં, ઉપરાંત વખત લઈ આ મહદ ગ્રંથનું ભાષાંતર ઘણી જ તસ્દી લઈ કરી આપી જૈન સમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. આવું સરલ અને સુંદર ખલના રહિત ભાષાંતર તેઓની કૃપા વડેજ પ્રસિદ્ધ થયું છે, જેથી આ સ્થળે આ સભા તેઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માને છે. અને આવી કૃપા તેઓશ્રીની થવાથી અને સાથે આર્થિક સહાય આપનારની ઈચ્છાથી તે ઉપકારની નિશાની તરિકે એ મહાત્માને ફેટેગ્રાફ આ ગ્રંથમાં આપી કંઈ જાણુમુક્ત થઈએ છીએ. પ્રસિદ્ધ કર્તા. Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ વોરા હઠીસંગભાઈ ઝવેરચંદ, શ્રી છઠ્ઠી જૈન શ્વેતાંબર કોનફરન્સની રીસેપશન કમીટીના પ્રમુખ સાહેબ, ભાવનગર, ~ ~~ ~ ) - The Bombay Art Printing Works, Fort. Page #14 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. શેઠ હઠીસંગભાઇ વેચંદ યોગ. ભાવનગર. આપ વ્યવહારિક સ્થિતિમાં શ્રીમાન છે. ધર્મના ઉચ્ચ સંસ્કારી કુળમાં આપના જન્મ થયેલા હેાવાથી તે સ ંસ્કારના ખળે, આપને મળેલ ઉત્તમ લક્ષ્મીના અન્ય અન્ય પ્રસ ંગે તીર્થયાત્રા, ઊદ્યાપન, પ્રતિષ્ઠામહોત્સવ, જીદ્ધાર, ગુરૂભક્તિ વગેરે ધ કાર્યોમાં અંત:કરણના ધાર્મિક ઉત્સાહથી સારા વ્યય કરી આપે યશ પ્રાપ્ત કરેલ છે; વળી સાધી બધુ પરત્વેની ઉચ્ચ લાગણીને લઇને શહેર ભાવનગરમાં મળેલ શ્રી જૈન કેાન્સ વખતે કામની સેવાના તે ઉત્તમ કાર્ય માટે આપે ઉદાર હાથથી દ્રવ્ય વાપર્યું હતું, તે સાથે જ્ઞાનાદ્વારના કાર્યાં ઉપર આપને ખાસ પ્રેમ હાઇને આ શ્રાદ્ગુણ વિવરણ જેવા મહાન ગ્રંથમાં પણ આપે સારી ઉદારતા ખતાવી છે; તેને લઇને તેમજ આ સભા ઉપર પણ પુરતી પ્રીતિ ધરાવેા છે તેથી આ શ્રાવકપણાના ગુણને ધારણ કરાવનારા અને જયશ્રીની સિદ્ધિને આપનારા આ અપૂર્વ ગ્રંથ આપશ્રીને અણુ કરીએ છીએ. પ્રસિદ્ધ કì. Page #15 -------------------------------------------------------------------------- ________________ SA DEWAYTON ES Page #16 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना Inana • પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનને ઉદ્દેશ સમજી ઉત્તમ અધિકારી થવું જોઈએ. તે અધિકાર 625 પ્રાપ્ત કર્યા સિવાય આ વિશાળ સંસારસાગરમાં પિતપોતાની શક્તિ-અનુસાર પ્રયત્ન કરીને પ્રત્યેકને જીવનનૌકા માટે જે માર્ગ કાઢવો પડે છે, તે કાઢી શકાતું નથી. આપણી પાછળ અનંતકાળ વીતેલો હોય છે અને આપણે જીવનદશામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી સમક્ષ વિશાળ અને અભેદ્ય ભવિષ્યકાળ પણ આગળ વધતો જ હોય છે, એવી રીતે આપણી કર્મોએ નીમેલી મર્યાદા હોય, ત્યાં સુધી એ જીવનયાત્રા ચાલતી રહે છે, અને અંતે કાળ આપણને આ સંસારના મહાન રણાંગણમાંથી ઉપાડી જાય છે, પણ તે સમયે આપણે મહાન સમરાંગણમાં કેટલા વિજયી થયા છીએ કે પરાજિત થયા છીએ, એ વાતનો નિર્ણય આપણને અધિકારજ કરાવે છે. એ ઉત્તમ અધિકાર સંપાદન કરવાનું સાધન ગુણ છે. પ્રત્યેક મનુષ્ય પ્રાણીમાં કમનુસાર બીજરૂપે કિંવા વિશેષ સ્પષ્ટરૂપે એ ગુણોની પ્રેરણા રહેલી હોય છે. તે ગુણોને જ્યારે વિકાશ થાય છે, ત્યારે મનુષ્ય જીવનની ભવ્યતા પ્રકાશી નીકળે છે. કમ પુગલના અનાદિ સંબંધથી વિચિત્ર વેશોને ધારણ કરી આત્મા આ સંસારની ચતુર્વિધ ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, તેમાં જ્યારે સુકર્મયોગે તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ગુણ મેળવવાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવાને અને જાણવાને જે ગુણોની આવશ્યકતા છે, તે ગુણે મનુષ્ય ગતિમાં સારી રીતે મેળવી શકાય છે. ભગવાન તીWકરેએ પણ સૂત્રવાણીમાં એજ પ્રરૂપણ કરેલી છે. તે ઉપદેશે છે કે, “આ જીવ વસ્તુતાએ શુદ્ધ છે પણ તેની શુદ્ધ દશા કર્મને લીધે દબાઈ જાય છે-આચ્છાદન પામી જાય છે, તેથી તે સ્વભાવ દશા ભુલી જઈને વિભાવદશામાં આવી પડે છે, તેથી તેણે પોતાની પરમ વીર્ય સ્પરણા કરી પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવો જોઈએ.” ભગવાન દેવાધિદેવના આ ઉપદેશ ઉપરથી સિદ્ધ થાય છે કે, પ્રત્યેક મનુષ્ય આત્માએ વયસ્કરણા કરવી જોઇએ, એ વીર્ય સ્કરણા આત્મીય ગુણોને લઈને જ પ્રગટ કરી શકાય છે, અને તેથી ખરેખરી માનસિક ઉન્નતિ મેળવી શકાય છે. આ સંસારના નિત્ય વ્યવહારમાં રહીને ધર્મને અધિકાર અથવા ધમની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા ઉચ્ચ ગુણની પૂર્ણ આવશ્યકતા છે. મનુષ્યને આ સંસારમાં અનેક પ્રકારની Page #17 -------------------------------------------------------------------------- ________________ . પ્રકૃતિના સંસર્ગમાં આવવુ પડે છે તેથી પોતાને અવશ્ય કવ્ય જે જે વ્યવહાર હાય તેમાં જે જે પ્રકૃતિના યાગ થાય તેના પોતાના વ્યવહારિક કાય જેટલાજ સબંધ રાખી પેાતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવા નહિ, આપણા શુભ નિશ્ચયને વિરાધી એવા વિચારથી તણાઇ જવા કરતાં, આપણાં શુભ વિચારમાં અન્ય જના દ્વારાય તેમ કરવાનો યત્ન રાખવા, મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી દારાઈ સર્વ પ્રાણીમાત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસારવા અને સર્વોપયાગી ગૃહાવાસમાં રહીને પણ અનાસક્તિ રાખી, સમભાવે વર્તી મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણાના પાઠ ગુણ મેળવવાથીજ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ સર્વ પ્રવૃત્તિમાં તે ઉત્તમ ગુણાનો પ્રકાશ પાડવામાં આવશે, તેા પછી તમાને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કાઇ સ્થાને દુરાગ્રહ કે અનાદરની મુદ્ધિ ઉત્પન્ન થશે નહિ, ક્રાઇ પ્રિય પદાર્થને અભાવે કલેરા થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલુ લાગશે કે અન્યના હર્ષ શાકથી તમને હર્ષ શાક થયા વિના રહેશે નહિં અને શક્તિ-અનુસાર સર્વાંને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારો અને ભવ્ય ભાવના શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે, અકસ્માત તમને તમારી ઉમદા આશાએ અને ઇચ્છાએ પૂર્ણ થતી જણાશે; જેન—આગમના તત્વાનુ જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઇ આવશે, તમારી દૃષ્ટિજ કેાઇ દિવ્ય પ્રકારે ખુલી જશે, શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા, તથા ચંચળતા વગેરે દોષ! તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપ પ્રાપ્ત કરી તમે ધર્મના પૂર્ણ અધિકારી થઇ શકશે. આવી રીતે ધમની સંપૂર્ણ યાગ્યતા ગુણથીજ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણાનુ સ્વરૂપ કેવું છે ? અને તે ગુણા મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે ? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાષકે સંપાદન કરવું જોઈએ, અને તે જ્ઞાનને પોતાના નિર્મળ ચારિત્રમાં ઉતારવુ જોઇએ. તેમ કરવાથી ગૃહસ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિલ ખેાધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવના સ્ફુરિત થાય છે, તેમજ પેાતાના ઉચ્ચ આશયાનું અને મહા પ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે. આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ ઉપયુŚક્ત સ` માહાત્મ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ :થ્રાવકને ધના અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણીની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનારા છે. અને ધર્મીના અધિકારી ક્રાણુ ? એ પ્રશ્નના યથાર્થ નિય કરાવનારા છે, જેઓએ શ્રાવકપણાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યાં હોય, એટલે કે જેને આપણે શુદ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓનેજ ઉદ્દેશીને આપણાં મહેાપકારી મહાત્માઓએ આવા ગ્રંથા લખેલા છે. એટલુ જ નહિ પણ સમાન્ય સર્વોપયોગી થઇ શકે તેમ પણ છે. આવા ગ્રંથા વાંચી, વિચારી ગૃહસ્થાવાસીએ પોતાના યથા સ્વરૂપને સમજી શકે છે અને પરિણામે ધન! પૂર્ણ અધિકારિ વ માં દાખલ થઇ શકે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થવર્ગના ઉભય લેકને શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમર્ષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દષ્ટાંતો આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણે છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધમ મુનિધર્મથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આદ્ય ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉલ્લેખ કરેલ છે. ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પતાના પાંડિત્યનો પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણે શાસ્ત્રીય પ્રમાણથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યોગ્યતા અને તેના પ્રકારો હૃદયગ્રાહી દતથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે, જે વાંચવાથી સામાન્ય વાચકને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ તેમ છે. ધર્મના સામાન્ય અને વિશેષએવા બે પ્રકાર છે. સમ્યક્ વર્તન એ સામાન્ય ધર્મ અને બારવ્રતાદિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધર્મ હોય તે જ વિશેષ ધર્મ સુશોલિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણોનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દનો અર્થ “દૈઃ સદ તિકૃતિ રુતિ ગૃહસ્થ:” એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગુરુ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ. માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ થાયdv#વિમવઃ ” એમ બતાવવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારથી ( ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિઃશંકપણે ભોગવાય છે. અન્યાયોપાર્જિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાન રૂપ બની આ લેક તથા પરલોકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિતાનુયોગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકે આપી એ આદ્ય ગુણને દિવ્ય પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજ્વળ અને યશસ્વી બનાવનારા દાનધર્મ વિષે પણ સારો ઇસારો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અન્યાયપાર્જિત દ્રવ્યના પરિણામને દર્શાવનારૂં રંકછીનું દષ્ટાંત ઘણું સુબોધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ, ન્યાયનિક વૃત્તિનું માહાસ્ય, દેવદ્રવ્યાદિકના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ જુવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના રોગથી બુદ્ધિની વિચિત્રતા, તે સંબંધે ધનશ્રેણીનું દષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણ વિષે ઘણું રસિક વિવેચન કરેલું છે. ગૃહસ્થ ન્યાયપાર્જિત વૈભવવાળો હોય પરંતુ જે તેનામાં શિષ્ટાચારનો ગુણ ન હોય તો તે યોગ્ય કહેવાય નહિ. તેથી તે પછી “શિષ્ટાચાની પ્રશંસા કરવા રૂપ) બીજા ગુણનું વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપયોગી ગુણના વર્ણનમાં સદાચારના લક્ષણ આપવામાં આવ્યા છે કે, જેની અંદર શ્રાવક ગૃહસ્થ લેકાપવાદને ભય રાખવા, ગરીબ-નિરાશ્રિત લેકને ન્યાત, જાત કે ધર્મને ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરવો, બીજાએ કરેલા ઉપકારની કદર કરવી, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દાક્ષિણ્યતા રાખવી, કાઇની નિંદા કરવી નહિં, સત્પુરૂષોની પ્રશ'સા કરવી, વિપત્તિમાં ધૈય રાખવું, સંપત્તિમાં નમ્ર થવુ, પ્રસંગે ઘેાડું ખેલવું, કાઇ સાથે વિરોધ કરવા નહિં, અંગીકાર કરેલુ` કા` પુરૂં કરવું, નકામા ખર્ચ કરવા નહિં, હ ંમેશા યોગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાનો આગ્રહ રાખવા, પ્રમાદ છેડી દેવા, લાકાચારને અનુસરવું, અને જમાના પ્રમાણે ચાલવું, આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણા બતાવી તે ઉપર કૌશાંબી નગરીના ધર્મપાળ અને વસુપાળ શ્રેષ્ટીનું અસરકારક દૃષ્ટાંત આપી એ બીજા ગુણના વર્ણનની સમાપ્તિ કરવામાં આવી છે. ગૃહસ્થ શિષ્ટાચાર પાળનારા હોય પણ જો તે વિવાહ સંબંધમાં અવિચારી થ્યની જાય તે તેની કુલ વ્યવસ્થાના ભંગ થઈ જાય, તેથી તે પછી “ સમાન કુલ તથા શીલવાલા અન્ય ગાત્રી સાથે વિવાહ સબંધ જોડવાના ” ત્રીજો ગુણ આપવામાં આવ્યા છે. આ ગુણના વિવેચનમાં ધમ્મ અને અધર્માં મળી આ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસંગે કુલીન કન્યાના લક્ષણા તથા વિવાહને ચાગ્ય વયનુ સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બંધારણુ સબંધે સારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈતે ધર્મ, શેાભા, કીત્તિ અને આ લેાકના સર્વ સુખા પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઇને કલહ કલેશ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનુ દૃષ્ટાંત આપી તે દોષના છે ચિતાર આપેલા છે. આ પ્રસંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રાથી રહે છે, તે વાત દાઁવાને સુજાત, અતિજાત, કુન્નત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રાના લક્ષણા આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્ત્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઇએ, એ વાત સૂચવી તે સાથે યથાથ ગૃહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી ખતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શે!ભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્નભિન્ન કરી નાંખે છે. તે વિષય ચર્ચા સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુખાધક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણુરૂપે આ ત્રીજો ગુણુ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યા છે. '' કદિ શ્રાવક ગૃહસ્થ સુનુ સ્ત્રીના યાગથી યુક્ત થયા હાય, પરંતુ જે તે પાપથી ડરતા ન હાય તે। તે યોગ્ય ગણાતા નથી, તેથી તે પછી “ પાપભીરૂ ” નામના ચોથા ગુણુનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરૂ ન હોય તે તેને અન”ના કારણ રૂપ અનેક દુસનેા લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભા થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વમળ તથા સહુદેવ નામના એ શ્રેષ્ટિકુમારાનું દૃષ્ટાંત આપી એ ચેાથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યા છે. "" કદિ ગૃહસ્થ પાપભીરૂ હોય પણ જો પ્રસિદ્ધ દેશાચારથી ઉલટી રીતે વર્ત્તતા હોય તે તે ગૃહસ્થ ધર્માંને યાગ્ય ગણાતા નથી, તેથી હું પ્રસિદ્ધ દેશાચાર ” નામના પાંચમા ગુણુનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જૈન ગૃહસ્થે લેાક વિરૂદ્ધ કે ધર્મ વિરૂદ્ધ આચારના ત્યાગ કરવા જોઇએ. અન્યથા તે પુરૂષ લોકમાન્ય, યશસ્વી અને સિકા થઇ શકતા નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા યાગ્ય કેટલાએક લોક વિરૂદ્ધ કાર્યો ગણાવી તેમાંથી દૂર રહેવા સારા ઉપદેશ આપેલા છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કદિ પ્રસિદ્ધ લેકચાર પ્રમાણે વર્તતો હોય પણ જે તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હોય તો તે ઉપર કહેલો ગુણ નિષ્ફળ થઈ જાય છે, તેથી તે પછી કેઇને અવર્ણવાદ ન બેલવા રૂપ” છઠ્ઠા ગુણને પ્રસંગ સંક્ષેપમાં વર્ણવી બતાવ્યો છે. નીચ ગોત્ર કર્મ બાંધનારા એવાને આ ગુણને વિશેષ બોધ થવા માટે ગ્રંથકારે કોઈ એક વૃદ્ધ બ્રાહ્મણનું અસરકારક દષ્ટાંત આપેલું છે. પ્રસિદ્ધ લોકાચાર પ્રમાણે વર્તે અને પરનિંદા પરહરે છતાં પણ જે નઠારા ઘરમાં અને નઠારા પડોશમાં રહેનાર ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે બતાવાને “ગૃહ સ્થ કેવા ઘરમાં અને કેવા પડોસમાં રહેવું જોઈએ તે વિષે સાતમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અંબિકા નામની વિપ્રપત્નિને દાખલ આપી નઠારા પડોશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી બતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સંગ રાખવાને ઉપદેશ આપેલે છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હૃદયગ્રાહી દષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશને ઘણે મધુર સ્વાદ ચખાડ્યો છે. ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત થયાં હોય છતાં પણ જે ગૃહસ્થ માતાપિતાને પરમ ભક્ત ન હોય તો તે ધર્મને અધિકારી બનતું નથી, તેથી “માતા પિતાની ભક્તિ–સેવા કરવારૂ૫» નવમો ગુણ વર્ણવી બતાવ્યો છે. આ પ્રસંગે ગ્રંથકારે સપુત્રના લક્ષણોનું સારું વિવેચન કરી બતાવ્યું છે. અને તે ઉપર કેટલાએક મનોરંજક દાખલાઓ આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપર્યુક્ત સર્વ ગુણ પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થ પિતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કેઈ પણ સ્થળ ઉપદ્રવ વાળું જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ કરવો જોઈએ. તે ત્યાગને જ દશમા ગુણ તરીકે ગણી ગ્રંથકારે “ગૃહસ્થ કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવું જોઈએ, એ વિષે સારું વિવેચન કરેલું છે. નઠારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિર્વિચાર રાજાનું અસરકારક દષ્ટાંત આપી આ ગુણની ખરી ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. સારા યોગ્ય સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ કોઈવાર નિંદિત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી તે પછી “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવારૂપ અગીયારમાં ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અયોગ્ય કાર્યને આરંભ, પ્રજા વર્ગ સાથે વિરોધ, બેલવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ-એ ચાર જે મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજાણી નગરીનાગ નામના બ્રાહ્મણની દષ્ટાંત-કથા આપી ગ્રંથકારે આ સ. પયોગી મહાન ગુણને ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યો છે. તે પછી સ્વજન, સ્વદેશ, જાતિ અને રાજ્યને અહિતકારી કર્તવ્યને અંગીકાર ન કરવાને બોધ આપ્યો છે. અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણો આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત કર્યો હોય તે છતાં જે પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે છે તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવકના પ્રમાણમાં ખર્ચ રાખવાને બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરે અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક પણ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અને નુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પિતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે. ગૃહસ્થ આચિત વ્યય કરનાર હોય પણ જે તે ગૃહસ્થને છાજે તેવો વેશ પહેરે નહીં તે તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતો નથી, તેથી તે પછી ગ્રંથકારે વૈભવને અનુસાર વેષ રાખવાને તેરમે ગુણ વર્ણવી બતાવ્યો છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણ દેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે. જે મનન કરવા જેવું છે. માંગલ્ય વેષથી બાહેર સ્વરૂપ વડે સુશોભિત દેખાતે ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તે તે ઉત્તમ ગણાતું નથી, તેથી બુદ્ધિના આઠ ગુણ મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે. અને તે ઉપર નારદ અને પર્વત નામના બે વિદ્યાર્થીઓનું સુબોધક ઉદાહરણ આપેલું છે. બાહ્ય અને આંતર સ્વરૂપથી યુક્ત થયેલો ગૃહસ્થ જે સતત ધર્મશ્રવણ કરતે ન હોય, તો તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી “ધર્મ શ્રવણ કરવારૂપ પનરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ટી અને સુદર્શન શ્રેણીના દસ્કૃતિ આપવામાં આવ્યા છે, જે ઉપરથી વાચક અને શ્રોતા-ઉભયના હૃદય ઉપર ધર્મશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે. બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલ ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતા હોય પણ જે તે ધર્મના સાધનરૂપ અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમો પાળી શકતો ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “અજીર્ણમાં ભેજનને ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ સોળમા તથા સત્તરમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમે દર્શાવવામાં આવ્યા છે. સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિને સત્કાર કરેલો જોઈએ. આ વાત સિદ્ધ કરવા માટે ત્રિવર્ગને સાધના કરવારૂપ” અઢારમા અને બે અતિથિની ભક્તિ કરવારૂપ” ઓગણીશમાં ઉચ્ચ ગુણોનું ગ્રંથકારે સપ્રમાણ વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ થિનું સ્વરૂપ એવા ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનન પૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ધરમાં પાધ્યવર્ગમાં કાણુ કાણુ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વવાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારૂં સમજાવ્યું છે. અને અતિથિ સત્કાર વિષે પ્રતિષ્ટાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનના સુબાધક પ્રબંધ આપેલા છે. વૈભવસ'પન્ન થયેલા ગૃહસ્થને ધેર અનેક યોગ્ય અતિથિએ આવે છે, તેમ નિરાશ્રિતા આશ્રય લેવાને પણ આવે છે, તેમજ તેની સલાહ લેવાને ધણાં યાગ્ય પુરૂષો આવે છે, તેથી મોટાઈના અભિમાનને લઇ તેનામાં મિથ્યાગ્રહ રાખવાના સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિર્ગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઇ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી “ મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ ” અને ‰ ગુણમાં પક્ષપાત કરવારૂપ '' વીશમા અને એકવીશમા ગુણુનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી ગૃહસ્થ ધર્મની યોગ્યતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. ,, સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી ાઈવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થે નિષિદ્ધ દેશ અને કાળની ચર્ચામાં ઉતરવું ન જોઇએ. અને પોતાનામાં કેટલી શકિત છે, તેના વિચાર કરવો જોઇએ. જો દેશ, કાળ અને શકિતના વિચાર કરવામાં ન આવે તેા પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતા નથી, તેથી તે વિષે “ દેશ અને અકાળ ચર્ચાના ત્યાગ કરવારૂપ ” અને “ સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ ” આવીશ અને ત્રેવીશમા ગુણનુ ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણુવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણસૈનના મંત્રી કુમારદેવનું દૃષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે, י પ્રત્યેક ગૃહસ્થે ત્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરૂષોની સેવા પૂજા કરવી જોઇએ અને પાતાને આશ્રયે રહેલા પોષ્ટ વસ્તુ પોષણ કરવુ જોઇએ. તે સિવાય ગૃહસ્થધર્માંની ઉપયેાગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવા રૂપ અને પેાષ્ય ૧ગતું પાષણ કરવા રૂપ ” ચાવીશ તથા પચ્ચીસમા ગુણાની આવશ્યક્તા દર્શાવી છે અને તે પ્રસ ંગે વ્રતી, વૃદ્ધ અને પેાધ્યજનાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે. વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થાંની શંકા રાખવાની છે અને કાર્યોકાર્યાંના વિશેષ જ્ઞાનને મેળવવાનુ છે. તેથી તેને માટે લાંએ કાલે થનાર અનદ્વિકના વિચાર કરવા રૂપ અને વિશેષ જાણવા રૂપ ” છવીશ અને સત્યાવીશમા ગુણોનું સ્વરૂપ દર્શાવેલુ છે. એ ગુણાના માહાત્મ્યને પ્રગટ કરવા ધનશ્રેણી અને મુમુદ્ધિમંત્રીનું રસિક દૃષ્ટાંત આપવામાં આવેલુ છે. પ્રત્યેક ગૃહસ્થે ખીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઇએ, તેમ ન કરવાથી તે લેાકેામાં કૃતઘ્ન ગણાય છે, તેથી તેની તરફ લાકા માનદિષ્ટથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતન હેાય છે, તે Page #23 -------------------------------------------------------------------------- ________________ કપ્રિય થાય છે. અને લોકપ્રિીતિ મેળવવામાંજ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ઝં. થકારે “કૃતજ્ઞ, અને લેકવલ્લભ થવા રૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણો સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કૃતજ્ઞતાના ગુણ ઉપર વસંતપુરના જિતારિ રાજાને અને લેકવલભપણુના ગુણ ઉપર અભયકુમાર મંત્રીને રસિક દૃષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે. ગૃહસ્થ કૃતા અને લોકપ્રિય થયો હોય છતાં પણ જે તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળો ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા ધારણ કરવી જોઈએ, તેથી ગ્રંથકારે તે પછી “સલજ અને સંદર્ય રૂપે ત્રીશ અને એકત્રીશમાં ગુણોનું યથાર્થ દિર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબોધક દષ્ટાંતિ આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વર્તન સંબંધી ગુણ દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આતગુણોનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણે ગૃહસ્થ શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તો સૌમ્ય-મનહર આકૃતિવાળો હોવો જોઈએ. દર્શનીય, અને પ્રસન્ન મૂર્તિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણો જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળા પુરૂષ દુર્ગણી હેઈ લેકેને ઉકેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “સામ્ય) નામે બત્રીશ ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દષ્ટાંત આપ્યું છે. જે સૌમ્ય હોય તે પરોપકારી હોવો જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછી જ તેત્રીશમા ગુણ તરીકે પોપકારને ગણે છે. ચં. થકારે આ સ્થળે પરોપકારના માહામ્યને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંત આપવામાં આવેલા છે. જે વાંચવા ઉપરથી પ૫કારનો અભુત પ્રભાવ વાંચના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવા વિષય જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે “અંતરંગ શત્રુ જેવા કામ ક્રોધાદિને ત્યાગ કરવારૂપ” ચોત્રીશ. ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતશત્રુઓનું યથાર્થ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અને ધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઇંદ્ધિને વશ કરવારૂપ” પાંત્રીશમા ગુણનું સર્વોત્તમ દિગ્દર્શન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણેને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પિતાનું ખરેખરું પાંડિત્ય પ્રગટ કરી બતાવ્યું છે. અને છેવટે આ માર્ગાનુસારી પાંત્રીશ ગુણો કે જેઓનું સેવન કરવાથી અભ્યદય આપનારા ઐશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મલ બાર વ્રત રૂપ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી એક્ષપદના અધિકારિી થઈ શકે છે. એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શૈલી બહુજ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિતે કંઠસ્થ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ ગ્રંથના કર્તા શ્રીજિનમંડનગણી વિક્રમ સંવત પનરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓ શ્રી તપાગચ્છ રૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચંદ્ર સૂરિના પરિવારમાં થયેલા હતા, તેઓ જૈન ધર્મમાં પ્રખ્યાત થયેલા શ્રી સમસુંદર સૂરિના શિષ્ય હતા, મહાત્મા સોમસુંદસૂરિ ભારતવર્ષમાં એક સારા વિદ્વાન અને લેખક ગણાતા હતા. તેઓએ પન્નાપર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, પડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથ પર સુબોધક ટબા રચેલા છે. ગ્રંથકારે આ ગ્રંથની પ્રશસ્તિમાં પોતાની ગુરૂ પરંપરા ક્રમવાર આપી છે. છેવટે જૈન ગૃહસ્થધર્મના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણુના માહાભ્યને દર્શાવનાર આ શ્રાદ્ધગુણ વિવરણને ગ્રંથ સર્વ સાધમિ બંધુઓના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની ઉચ્ચતાની, કર્તવ્યનિષ્ઠ ધર્મકાર્યની, સદાચાર તથા સદ્વર્તનના નિર્મળ બોધની અને પરંપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાઓ રિત થઈ આવે તેમજ ગુહાવાસના ઉચ્ચ આશયોનું અને ખરેખર જૈનતત્વનું મહાબલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ શ્રાદ્ધગણ વિવારણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની બીજી પ્રત એકઠી કરી મેળવી, શેધી છેવટે મુફ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિદ્ધ કરી શક્યા છીએ. આ ગ્રંથના ભાષાંતરની યોજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાને આશય સમજી શકાય તેમ ન શૈલીને અનુસરી અર્થને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયોગી એવો આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહીં. જે એમ થશે તે કર્તાને, અનુવાદકનો અને પ્રકાશકને શ્રમ સર્વ પ્રકારે સફળ થયેલું ગણાશે. શહેર ભાવનગરમાં સં. ૧૯૬૪ની સાલમાં આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું છઠું અધિવેશન કરવામાં આવ્યું તે વખતે આ મહાન પરિષદ્દને તમામ ખર્ચ આ શહેરના અગ્રગશ્ય ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદે આપેલ હતો, અને ભારતવર્ષના શ્રીસંધની યથાશક્તિ ભક્તિ કરી હતી. તે માંગલિક કાર્યની ખુશાલીમાં આ સભાને રૂા. ૧૦૦૦) એક હજારની રકમ જ્ઞાનનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગ્રંથમાળા (સીરીઝ) માટે ભેટ આપવાની ઈચ્છા જણાવેલી તે મુજબ સભાએ ધારાની રૂઇએ આ ગ્રંથ તેમની સીરીઝના પ્રથમ પુષ્પ તરિકે છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આવી રીતે આવા ઉપયોગી ગ્રંથને પ્રસિદ્ધ કરી શાનદ્ધાર કરવાના ઉચ્ચ કાર્યો કરવાને માટે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પિતાને ઉદાર હાથ લંબાવી મનુષ્ય જન્મનું સાર્થક કરનાર ઉક્ત આર્થિક સહાય આપનાર ગૃહસ્થને ધન્યવાદ આપવામાં આવે છે, અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બંધુઓને સુચના કરવામાં આવે છે. સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં દષ્ટિદોષથી કે પ્રેસષથી કેઈ પણ સ્થળે સ્કૂલના જણાય તે ક્ષમા યાચીએ છીએ. આત્માનંદ ભવન. વીર સંવત ૨૪૪૨, આત્મ સંવત ૨૦. | વિક્રમ સંવત ૧૯૭૨. શ્રીમાન્મહાવીર પ્રભુની જન્મ તીથી. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, શેઠ હરજીવનદાસ દીપચંદ. સેક્રેટરીઓ. " - Page #26 -------------------------------------------------------------------------- ________________ શેઠ હઠીસંગઝવેરચંદ હોવાનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. વાર હઠીસંગ ઝવેરચંદનો જન્મ કાઠીયાડમાં પ્રખ્યાત શહેર ભાવનગરમાં સંવત ૧૯૧૬ ના કારતક વદી એકાદસીને રોજ થયું છે. તેઓ જાતે વિશાશ્રીમાળી વંશ અને જન્મ વણીક હેઈને તેમનું કુટબ વેરાના અટકથી ઓળખાય છે. ગેહિલકુવૃત્તાંત. ળના (આ રાજ્યના) આદ્ય મહારાજશ્રી ભાવસિંહજીએ જ્યારે ભાવન ગર શહેર વસાવ્યું તે વખતે વહેારા કુટુંબના પૂર્વજે તે શહેરનું રણ બાંધવામાં સામેલ હતા. પ્રથમ શેઠ હેમજી કુંવરજી નામે એક ગૃહસ્થ રાધનપુરથી કાઠીયાવાડમાં આવેલા હતા. તેમની સાથે વરતેજથી નેમા હોરાને આદ્ય મહારાજ ભાવસિંહજીએ ઘણું સન્માન સાથે બોલાવી ભાવનગર શહેરમાં વસાવ્યા હતા. તેમણે ભાવનગરમાં રહી પિતાની વ્યાપાર કળા ખીલવી હતી. નેમા હેરાને ભાણજી અને દેવશી નામે બે પુત્ર થયા હતા. તેમાં ભાણજી ને ગાંગજી અને ભણુ નામે બે પુત્રો થયા હતા. એ ચારે શાખાઓમાંથી વોરા વંશ વૃદ્ધિ પામ્યો છે; જેમના નિવાસથી ભાવનગરમાં બહેરાશેરીને નામે એ સ્થળ અદ્યાપિ પ્રખ્યાત છે. ગાંગજીના પુત્ર હેમા વેરા તથા દેવસી વોરાના પુત્ર સવચંદ વોરાએ પોતાના વ્યાપાર કળાથી સારી ખ્યાતિ સંપાદાન કરી ભાવનગરના સર્વે વ્યાપારીમાં અગ્ર પદવી મેળવી હતી. જિનાલય જૈન ઉપાશ્રય વગેરે જે ભાવનગરમાં થયેલા છે, તેમાં અગ્ર ભાગ આ બહેરા કુટુંબને જ છે. ધાર્મિક અને વ્યાપારિક ઉન્નતિને સંપાદન કરનાર હેમજી વોરાને જ્યચંદ, સુરચંદ અને કરશન નામે ત્રણ પુત્રો થયા હતા. તેઓમાં વચલા પુત્ર સુરચંદને જશરાજ અને ઝવેરચંદ નામે બે પુત્રો થયા હતા. તેઓમાં જે ઝવેરચંદ બહેરા આ જીવનવૃતાંતના નાયક હઠીસંગભાઈના પિતા થાય છે. તેમના પિતામહ સુરચંદ વોરાનું સિદ્ધતિર્થ–પાલીતાણામાં વિખ્યાત દિરા કુટુંબના વાલજી ગણેશની પુત્રી ઝીણબાઈ સાથે લગ્ન થયું હતું. તે પરમ શ્રાવિકા ઝીણીબાઇના આગમન પછી સુરચંદ શહેરાની સમૃદ્ધિમાં ઘણો વધારો થયો હતો. અને ધાર્મિક કાર્યો કરી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સુરચંદ વ્હારાને રાજમાન અને સંધમાન અને સંપાદાન થયાં હતા અને ભાવનગરના સમગ્ર સધના તેઓ નાયક બન્યા હતા. સુરચંદ વહેારાના સ્વર્ગવાસ પછી જ્યેષ્ટ પૂત્ર જશરાજ બ્હારા, લઘુ પૂત્ર ઝવેરચંદ વ્હારા અને ભ્રાતા ભાવનગરના સધની અગ્ર પદવી પર આવ્યા હતા. તેઓ બંનેમાં ઉત્તમ પ્રકારના ભાતૃભાવ હતા. શ્રાવક જન્મની સાર્થકતા કરવાને તેમણે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કર્યો હતાં અને જૈન ધર્મના ઉદ્યોતમાં અતિશય વૃદ્ધિ કરી હતી. વારા હઠીસંગભાઇની માતાનુ નામ લાધીબાઈ હતુ. જે વિખ્યાત કુટુંબવાળા શાં. કલ્યાણજી તેજશીનાં પુત્રી થતાં હતાં. તેમના ઉદરથી ત્રણ પુત્રીઓ ઉપર શેઠ હઠીસગભાઈના જન્મ થયા હતા. માતાપિતાના લાડમાં ઉછરેલા વારા હડીસ’ગભાઇએ પિતાના આશ્રય નીચે રહી ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી તેમણે પોતાની વેપાર વિદ્યા ઉપર સારૂં ધ્યાન આપ્યું હતું. પરંપરાથી ધર્મના સ ંસ્કાર પામેલા હોવાથી તેમજ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મને માનનારા પોતાના કુટુંબના સહવાસથી શેઠ હઠીસગભાઇ પણ દેવ, ગુરૂધર્મ પ્રત્યે સારા પ્રેમ ધરાવે છે, અને તે સાથે વેપાર કળાની સારી તાલીમ લઇ પોતાની પેઢીના સર્વ કાર્યમાં સારી પ્રવિણતા પણ સંપાદન કરેલ છે. તેને વળાના મેતા વેારા હઠીસગભાઇને તેમનાં એક પ્રથમનાં પત્નિ સ્વર્ગવાસી ઝુલીમા કે જેએ ભાવનગરના શેઠ ભાણુજી ભીમજીનાં પુત્રી હતાં. તેને હરકાર નામે એક પુત્રી છે. કુટુંબમાં શેઠ ગુલાખચંદ જીવાભાઈના જ્યેષ્ટ પુત્ર દુર્લભજી વેરે આપેલાં છે. પુત્રીઓ અને બે પુત્ર છે, મોટી પુત્રોનું નામ વિજ્રકાર અને પુત્રીઓ છે. અને પુત્રનું નામ પ્રભુદાસ વગેરે બે પુત્રા છે. મોતીને કંઇપણુ ફરજંદ નથી. નાની પુત્રીનું નામ હાલની એ સ્ત્રીઓ તેમને હાલ ચાર રંભા વગેરે ચાર દીવાળી તથા શેઠ હડીસંગભાઇ જ્યારે યોગ્ય વયમાં આવ્યા, ત્યારે તેમના તરફથી જૈન ધર્મને ઉદ્યોત કરનારાં ઘણા કાર્યો થયેલાં છે. તેમનું કુટુંબ ભાવનગરના જૈન સંધમાં જે ધર્મ અનેયાત્રાઓ. વિખ્યાતિ પામેલું છે, તેનું કારણ પણ તેમની ધાર્મિક પ્રવૃત્તીજ છે, આ ભારત વર્ષના ધણા ભાગમાં સંવેગી સાધુઓને મેટા પરિવાર મુનિરાજશ્રી બુટેરાયજી મહારાજ્વી શરૂ થયેલા છે. તેમના પિરવારમાં વિખ્યાત થઇ ગયેલા ગણિ મૂળચંદજી મહારાજ સંવત ૧૯૦૮ની સાલમાં ભાવનગર પધાર્યાં હતા તે વખતે તેમણે šારા શેરીમાં આવેલા એક વિશાળ ભાગમાં ઉતરી પોતાના વ્યાખ્યાનના સારા લાભ જ્હારા કુટુંબને આપ્યા હતા અને સ્વવાસી નિતિવિજ્યજી મહારાજના દિક્ષા મહાત્સવ પણ એ કુટુંબના આત્રપણા નીચે થયા હતા. તે પછી સંવત ૧૯૧૪ના વર્ષમાં મુનિરાજશ્રી નૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબમાંથી આવેલા હતા અને તેમના ઉપદેશના મહાનલાલ ભાવનગરની જૈન પ્રજાને મળ્યા હતા જે લાભ શેઠ ડીસંગભાઇના કુટુંબે ધણા ચાતુર્માંસ સુધી લીધા હતા. મુનિરાજ વૃદ્ધિચદ્રજી મહારાજના ઊપદેશથી શેઠ હઠીસંગભાઇનાં વડીલ માતુશ્રી તરફથી રૂપાનુ ઘેાડીયાપારણું કરાવી શ્રીસંધમાં મૂકવામાં આવ્યું છે, જે પ્રતિવષે વીરપ્રભુના જન્મોત્સવ વખતે તેના સારા ઊપયાગ થાય છે. શેઠ હઠીસંગભાઇ સ્વતંત્ર થયા પછી તેમણે ધાર્મિક યાત્રામાં પોતાની લક્ષ્મીના સારા સદુપયોગ કરેલા છે તેમના કાકા જસરાજ વ્હેારાના પુત્ર અમરચંદભાઈ કે જે તેમના વડીલ Page #28 -------------------------------------------------------------------------- ________________ બંધ થાય છે તેમની સાથે રહી શેઠ હઠીસંગભાઈએ કેટલાએક ધર્મકાર્યો કરેલાં છે જેમાં તેઓ બંને ભાઈઓ લક્ષ્મીની જેમ પુણ્યના પણ સાથે જ ભાગીદાર બનેલા છે. શેઠ હઠીસંગભાઈના પિતામહી ઝીણીબાઈ ઘણાં ધમાં હતાં. તેમણે સંવત ૧૯૨૦ની શાલમાં સિદ્ધાચલની યાત્રા માટે એક મહાન સંઘ કાઢયો હતે. જેમાં તેમના બંને પૌત્રાએ લક્ષ્મીને સારો વ્યય કર્યો હતો. નવકારશ્રીનું મહાભેજન કરાવી વૃતધારીઓને માટે એક મેટી રકમ અર્પણ કરી હતી. જેમાંથી પૌષધ વૃતધારી શ્રાવકને અદ્યાપિ પારણું ભોજન અપાય છે. શેઠ હઠીસંગભાઈએ સંવત ૧૯૨૩ના વર્ષમાં પોતાના જયેષ્ટ બંધુ અમરચંદભાઈ સાથે કેશરીયા--આબુજીની યાત્રા કરી હતી. એ યાત્રાને પ્રસંગે તારંગા-રાણપુરજી અને મારવાડી પંચતીર્થોની યાત્રા થઈ હતી. તે સત્કાર્યમાં તેમણે ધાર્મિક સખાવતે સારી કરી હતી. તે પછી શેઠ હઠીસંગભાઈએ પોતાની માતા જવલબાઈને સાથે લઈ સિદ્ધગીરીની નવાણું યાત્રા કરી હતી અને એ પવિત્ર તિર્થમાં લક્ષ્મીની મોટી રકમની સખાવત કરી હતી. આ પવિત્ર પ્રસંગે હમેશાં સ્મરણમાં રાખવાન-યાત્રાનું મહાપુણ્ય ઉપાર્જન કરવાને શેઠ હઠીસંગઈ તરફથી સિદ્ધવડે યાત્રાળુઓને ફાગણ સુદી ૧૩ ને દિવસે પાથેય (ભાનુ) આપવાને એક રકમ કાઢવામાં આવેલી છે. આ શિવાય બીજી ઘણી યાત્રાઓમાં તેમની વ્યાપાર લક્ષ્મીને સદુપયોગ થયેલ છે. સંવત ૧૯૩૪ના વર્ષમાં તેમણે જોયણી, અમદાવાદ, ખેડા, માતર ખંભાત-વડોદરા, સુરત વગેરે મેટા સ્થળમાં યાત્રા કરી દરેક સ્થાને ઘણે ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૩૩ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ પિતાના બંધુ અમરચંદભાઈ સાથે કાઠીયાવાડમાં જુનાગઢ તથા પંચતીર્થોની યાત્રા કરવા એક મોટો સંઘ કાઢયો હતો અને તેમાં ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) વિગેરે કેટલાક વિદ્વાન મુનીઓ સાથે પધાર્યા હતા. સંવત ૧૯૪૧ના વર્ષમાં હઠીસંગભાઈએ સમેતશિખરજી વગેરેની મહાયાત્રા કુટુંબ સાથે કરી હતી અને તેમાં દરેક સ્થળે સારી સખાવત કરી હતી. સંવત ૧૯૪૭ની સાલમાં કેશરીયાજી વગેરે પંચતીથી કરી હતી તેવી જ રીતે તેમના પિતાશ્રીએ પણ શિખરજીની યાત્રા કરી હતી. આ પ્રમાણે અનેક યાત્રાઓમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના શ્રાવક જીવનની સાર્થક્ત કરી છે. અને તે તે પ્રસંગે ધામક સખાવતેમાં ઊદાર હાથ લંબાવ્યો છે. સરલ હૃદયના વેરા હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈની સાથે મળી સંવત ૧૯૨૪ના વર્ષમાં શ્રીગોડીજીના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પ્રતિમા સ્થાપન દહેરાસરમાં બીજા બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને તે પ્રસંગે તેમના વડીલે અને પ્રતિષ્ઠા. વીશ સ્થાનક તપનું ઊદ્યાપન કર્યું હતું. જેમાં તેમની ઉદારતા પ્રકાશી નીકળી હતી. અને ભાવનગરના શહેરમાં વહેરા કુટુંબને વિજયનાદ થઈ રહ્યો હતો. સંવત. ૧૯૩૫ ના વર્ષમાં ભાવનગરના મોટા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાજુમાં સુંદર પ્રતિમાનું સ્થાપન શેઠ હઠીસંગભાઈ તરફથી થયું હતું. અને તે પોતાના મહેમ લધુ ભ્રાતા હરજીવનના નામથી અંકિત કરવામાં આવ્યું હતું. જે સત્કાર્ય પિતાના પૂજ્ય માતુશ્રી જવેલબાઈને હાથે ઉજવવામાં આવ્યું હતું. વળી શેઠ હઠીસંગભાઈના પિતા ઝવેરચંદ Page #29 -------------------------------------------------------------------------- ________________ વારાએ સિદ્ધગીરી પર રહેલા ચૌમુખજીની ટુંકમાં આવેલા દેરાસરના છાર કરાવવા શરૂ કરેલા તે વેારા હઠીસંગભાઇએ પૂર્ણ કરાવ્યા હતા. ભાવનગર શહેરની બહાર આવેલા દાદાસાહેબના સ્થાનથી ઓળખાતા ભવ્ય જિનાલયમાં જ્યારે પ્રતિષ્ઠામહાત્સવ કરવામાં આવ્યા હતા ત્યારે શેઠ ડુડીસગભાઇએ ઉદારતાથી એ જિનાલય ઉપર ધ્વજદંડ ચડાવ્યા હતા. અદ્યાપિ તે કાયમ દર વરસે પેાતાના તરફથી ચડે છે. સંવત્ ૧૯૫૫ ના વર્ષમાં શેઠ હડીસગભાઇએ ધરદેરાસરની સ્થાપના કરી તેમાં રૂપાની છત્રીમાં પ્રભુને પધરાવી પ્રતિષ્ઠાનો મેટા ઉત્સવ કર્યાં હતા. આ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા પન્યાસજી શ્રી ગભિરવિજયજી મહારાજના હાથથી કરવામાં આવી હતી. આ મહાત્સવમાં તેમના સૌભાગ્યવતા પત્નિ દીવાળીબાઇને ઉપધાન વહેવરાવવામાં આવતાં પ્રથમ માળા તે પરમ પૂજ્ય પન્યાસને હાથે પહેરાવવામાં આવી હતી અને તે પ્રસ ંગે સમસ્ત સધકૃત નંદિશ્વરદ્દીપની રચના કરવામાં આવી હતી. જે પ્રસંગે મોટા વરઘોડા, રાત્રિજાગરણ વીગેરે ધણી ધામધુમ થઈ હતી. આ બધા પ્રસ ગેામાં નવકારશી અને સ્વામીવાત્સલ્યના મહાત્સા ઘણી ઉદારતાથી પોતાના તરફથી ઉજવવામાં આવ્યા હતા. આ શિવાય તેવા પ્રકારના ખીજા કાર્યોમાં એ ઉદાર શેઠે પોતાની લક્ષ્મીને સદુપયેગ કરેલા છે અને તેવી રીતે વર્તમાન કાળે પણ કરે છે. શેઠ હડીસગભાઇએ જેવી રીતે દેવ-ગુરૂની સેવામાં પોતાની ઉદારતા દર્શાવી છે, તેવી રીતે તેમણે બીજી ધાર્મીક સખાવતા પણ કરેલી છે. સ. ૧૯૪૯ ના વર્ષમાં ધાર્મીક સખાવત. પોતાના ઉપકારી ગુરૂ શ્રી નૃદ્ધિચંદ્રજી પાઠશાળાનુ સ્થાપન થયું. તે વખતે એક સારી રમ અર્પણ કરી એ શુભ કાર્યના સમારંભ તેમના તરફથી થયા હતા. જ્યારે તે ભાવનગર શહેરના પરમ ઉપકારી ગુરૂએ સ્વર્ગવાસ કર્યો ત્યારે તેમના અગ્નિદાહના સ્થાપન ઉપર તે ગુરૂની ચરણપાદુકાના સ્મરણુરૂપ સ્તુપની ક્રિયા પણ તેમણે બંધુ અમરચંદભાઇ સહીત મુખ્ય રીતે કરી હતી. દાદાસાહેબની વાડીમાં યાત્રાળુએ ઉતરવા માટે પોતાના ખર્ચ એક મકાન બંધાવી સધને અર્પણ કરેલ છે જેમાં યાત્રાળુએ ઉતરવાના લાભ લે છે, તે શિવાય સિદ્ધગીરીની છાંયામાં આવેલા દેપલા નામના ગામમાં ત્યાંના શ્રી સંધે કરેલા નવીન જિનાલયમાં પેાતાના તરફથી જિનપ્રતિષ્ઠા કરવાને તે માટે સધ લઈને ગયા હતા. અને તે પ્રસંગે સલાને વાહન—ભાજન વગેરે સામગ્રીને તમામ ખર્ચ આપી તે ગામના સર્વ વર્ણને ભાજન આપ્યું હતુ. એજ વર્ષમાં તેમના તરફથી સારા ધનવ્યય કરવામાં આવ્યા હતા. સ્વર્ગવાસી મહેાપકારી શ્રી નૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી શેઠ હડીસગભાઇએ પોતાના વડીલ બંધુ . અમરચંદભાઈ સાથે રહી સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણામાં એક સુંદર ધર્મશાળા બંધાવી છે જે પવિત્ર સ્થાનમાં અંતે ભાઇઓએ સારી રકમ ખરચી પોતાના નિત્ર નામને એ પવિત્ર ગીરીરાજની છાયામાં ચિરસ્થાયી કરેલુ છે. જેના લાભ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ સદાકાળ લીધા કરે છે. દાદાસાહેબમાં ઉધાડવામાં આવેલ જૈન એર્ડીંગમાં તેમના તરફથી અમુક Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ રકમ અર્પણ થયેલી છે. સંવત ૧૯૫૬ ના ભયંકર દુકાળમાં ગરીબ લેકેને સસ્તે ભાવે અનાજ આપવાના તથા પાંજરાપોળના અનાથ જાનવરોને નીભાવ કરવામાં રા હઠીસંગભાઈ તરફથી મદદ થઈ હતી. આ શિવાય કાઠીયાવાડ ગુજરાત, કચ્છ, વાગડ, માળવા, પંજાબ વગેરે દેશોમાંથી આવેલ ઐયજીર્ણોદ્ધાર, નવીન જિનાલયોની, ઉપાશ્રયોની, ધર્મશાળાઓની અને બીજા જાહેર શુભ ખાતાની ટીપમાં બહેરા હઠીસંગભાઇએ દરેક પ્રસંગે કાંઈ કાંઈ રકમ અર્પણ કરેલી છે અને લક્ષ્મીને સર્વ રીતે કૃતાર્થ કરેલી છે. આજસુધીના જીવનમાં તે ઉદાર ગૃહસ્થ પિણા લાખની મોટી ગંજાવર રકમ સત્કાર્યમાં અર્પણ કરી ચુક્યા છે અને હજુ ભવિષ્યમાં જેઓ પિતાના જીવનમાં લક્ષ્મીને સદુપયોગ કરવાને તત્પર રહેલા છે. સં. ૧૯૩૪ ના વર્ષમાં સ્થાનકવાસી અને લોકાગચ્છ સાથે ભાવનગરમાં મહાન કલહ થયો હતો. તે સંવત ૧૯૪૦ ના વર્ષમાં સમવસરણની રચના શ્રીસંધ જાહેર કાર્યોમાં તરફથી થતાં તે કલહને ભંગ કરી તેમણે પ્રથમ નવકારશ્રીનું ભોજન ભાગ. આપ્યું હતું. તે વખતે રા કુટુંબે તન મન અને ધનથી તેમાં ભાગ લીધો હતા અને હોરા હઠીસંગભાઈએ પરસ્પર સંપવૃદ્ધિને માટે સારો પ્રયત્ન કર્યો હતા. વહેરા હઠીસંગભાઈ પિતાના સખાવતના ગુણોથી સંઘના માનની સાથે રાજનું માન પણ પામેલા છે. ભાવનગરના નામદાર મહારાજા સાહેબ સર ભાવસિંહજી તરફથી તેમને દરેક ઉત્તમ પ્રસંગે આમંત્રણ મળે છે. અને પ્રજા વર્ગમાં એક આગેવાન ગણાય છે. તેઓ જ્ઞાન અને જ્ઞાનના સાધનોને પુષ્ટિ આપનારા દરેક શુભ ખાતાને સારી સહાય આપે છે. ઘણાં વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી જેન હિતેચ્છુ સંસ્થામાં જોડાવાથી તેઓને જ્ઞાનખાતા ઉપર સારી પ્રીતિ થઈ હતી. અને તેથી તેમણે તે વખતે પ્રથમથી જ્યાનંદ કેવળીના રાસનું ઉપયોગી પુસ્તક છપાવવામાં સારી સહાય આપી હતી. ત્યારપછી તેઓ અત્યારે ભાવનગરમાં સ્થપાયેલી શ્રી જેને આત્માનંદ સભાના પ્રથમ લાઇફમેમ્બર થયેલા હતા. ત્યારબાદ શ્રી છઠ્ઠી જૈનવેતામ્બર કોનફરન્સ આ ભાવનગર શહેરમાં મળી હતી, કે જે કોન્ફરન્સમાં બીજે નહીં મળેલ એટલી (શુમારે પંદર હજાર) જેના બંધુઓની સંખ્યા એકઠી થઈ હતી. તેઓની દરેક પ્રકારની ભકિત તેમજ આ કોન્ફરન્સને તમામ ખર્ચ જે કે શુમારે પંદર હજાર રૂપૈયા થયો હતો તે વોરા હઠીસંગભાઇએ ઘણીજ ઉદારતાથી તમામ પિતે આપ્યો હતો, જેને લઈને સંઘભકિત બહુ સારી રીતે કરી હતી સાથે શ્રી સિદ્ધાચળજીની યાત્રાને લાભ આ કેન્ફરન્સમાં બહાર ગામથી આવનાર અનેક જેના બંધુઓને આવા શુભ નિમિત્તથી થયો હતો. તે વખતે રીસેપ્સન કમીટીના પ્રમુખ શ્રી સંધ તરફથી વોરા હઠીસંગભાઈ નિમાયા હતા. તેઓએ આવું મહાન ઉદાર કાર્ય અને સંઘભકિત કરવાને લઈ શ્રી જેન આત્માનંદ સભા ભાવનગરના તરફથી રિા હઠીસંગભાઈને આ રાજ્યના નામદાર મહારાજાના લઘુબંધુ કુમાર સાહેબ મંગળસિંહજીભાઈના પ્રમુખપણ નીચે અનેક ગામોથી આવેલા શ્રી સંઘના હાજરી વચ્ચે દબદબા ભયું એક માનપત્ર આપવામાં આવ્યું હતું અને તેજ વખતે શ્રી જૈન ધર્મ પ્રબોધક સભાએ પણ સાથે જ માનપત્ર આપ્યું હતું. જે સમયે તેઓ ઉકત સંસ્થાના પેટ્રન થઈ રૂ. ૫૦૦)ની રકમ આ સંસ્થાને આપી હતી તે સાથે આ સંસ્થાની Page #31 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ગાંઠ જે શુદ૭ નારાજ દરવર્ષે સ્વામીવાત્સલ્ય તેના તરફથી થાય તેને માટે રૂા. ૭૫૦)ની રકમ આ સભાને ભેટ કરી હતી જે રૂપૈયાના વ્યાજમાંથી અને તુટતા રૂપૈયાનું ફંડ કરી કાયમ તે પ્રમાણે સ્વામીવાત્સલ્ય થાય છે. વળી આ શુભકાર્યની નિશાની કાયમ જળવાઇ રહે તેને માટે રૂા. ૧૦૦૦)ની એક રકમ જૈન ગ્રંથા પ્રસિદ્ધ કરવાને આ સભાને તેઓએ ભેટ કરીછે; જેમાંથી ઉત્તરાતર વારા હઠીસંગભાઇના નામની સીરીઝ તરીકે ગ્રંથા આ સભા તરફથી પ્રસિદ્ધ થશે જેમાં પ્રથમ પુષ્પ-ગ્રંથ પુસ્તક તરિકે આ શ્રાદ્ધગુણવિવરણ ભાષાંતરના ગ્રંથ છે. આ શહેરમાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયને માટે સગવડતાવાળું સ્થાન ખરાખર નહેાતુ તેથી શ્રી સંધની માલેકીનું ઢાકર મહેતાની મેડીના નામથી એળખાતું મકાન નવેસરથી ચણી એક સુંદર બીલ્ડીંગ કરવામાં આવ્યું, જે સાધ્વીજી મહારાજના ઉપયોગ માટે લેવાનું નક્કી થતાં તેમાં વારા હઠીસગભાઇએ રૂા. ૩૨૫૧) શ્રી સંધને આપીતે ઉપાશ્રય શ્રી સધને અર્પણુ કર્યાં છે અને તે ઉપાશ્રયને વારા હડીસ ગભાઇની પત્ની દીવાળીબાઈ તથા માતીખા ઉપાશ્રય એમ શ્રી સંધના તરફથી નામ આપવામાં આવેલ છે. આ છઠ્ઠી કાન્ફરન્સના મેળાવડા વખતે અત્રેના શ્રી સંધ તરફથી આ ક્રાન્ફરન્સના વારા હઠીસ'ગભાઇને આદેશ આપવામાં આવ્યા તે વખતે એકત્ર થયેલ શ્રી સંધ સમસ્ત અત્રેના શ્રી સંધ તરફથી કાયમના માટેનુ એકનિરાશ્રિત ક્રૂડ ખાલવામાં આવ્યું હતું જેમાં રૂ!. ૨૫૦૦) ની રકમ તે ક્રૂડમાં વારા હડીસગભાઇએ ભરવાથી તેમજ આ કાન્ફરન્સને તમામ ખર્ચ તે આપતા હોવાથી અત્રેના શ્રીસંધ તરફથી સદરહુ કુંડનું નામ પણ “ વારા હઠીસગ ઝવેરચ’દ શ્રી જૈનનિરાશ્રીત ક્રૂડ '' એમ રાખવામાં આવ્યું હતુ અને અહીંના બીજા મુખ્ય મુખ્ય કેટલાક આગેવાનેાએ પણ સારી રકમા ભરી હતી. પરંતુ અત્રેના આગેવાનોએ અત્યાર સુધીતે ખાતું ખાલ્યું નહી તેને માટે પ્રયાસ કાંઇ પણ કર્યાં નહીં, પાતે ભરેલી રકમ આપી નહીં અને વારા હઠીસંગભાઇએ ભરેલી રકમ આપવા અને ક્રૂડ શરૂ કરવા અનેક વખત આગેવાનોને કહ્યા છતાં તે પણ લીધી નહીં તે વખતે થયેલુ ક્'ડ માત્ર કાગળા ઉપર લખેલુ જ અત્યાર સુધી પડી રહ્યું છે. વેારા હઠીસંગભાઈ અત્યારે ભાવનગર શહેરમાં સંધના અગ્રેસર ગણાય છે,સંધના દરેક કામાં તેમની સલાહ લેવાય છે. તેમનું હૃદય નિર્મળ છે. છળ,કપટ પોતેસમજતા નથી અને તેના થી દુર રહે છે. જોકે તેઓ ઉંચી જાતીની ધાર્મીક કે વહેવારીક કેલવણી મેળવી શકયા નથી તથાપિ કુટુંબના ધર્મના સંસ્કારને લઇને તેઓ ધાર્મિક કાર્યોંને ચાહે છે અને પ્રસંગે પ્રસંગે તેને માટે ઉદારતા બતાવે છે. વળી સાથે પોતાની કામની ઉન્નતિ કરવામાં તેએ સારી ચ્છિા ધરાવે છે અને અનેક ધર્મના કાર્યોમાં પ્રસંગે પ્રસ ંગે મળેલી લક્ષ્મીના સદ્વ્યય કરે છે. મનુષ્ય માત્રમાં ઘણે ભાગે ગુણુ અને દોષ બંને હોય છે, પરંતુ સજ્જન મનુષ્યેા હમેશાં ગુણગ્રાહી હૈાય છે. જેથી કાઇ પણ વ્યક્તિમાં જે જે ગુણ! હાય તેનું અનુકરણ અને પક્ષપાત કરવા એ દરેક મધ્યનું કવ્ય છે. વારા હઠીસ ગભાઇનું આ જન્મવૃતાંત સંક્ષિપ્તથી આપવામાં આવ્યુ છે, પરંતુ હવે પછી તે આ કરતાં પણ વધારે સારા ધર્મના કાર્યો કરી વધારે ગુણો સપાદન ફરી પાતાને મળેલ લક્ષ્મીના સમાગે વ્યય કરી વધારે યશ મેળવે, એવું ઇચ્છીયે છીયે. પ્રકાશક. Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુમાણકા. નંબર. વિષય . નંબર. વિષય. પૂ. ૧ નમસ્કારપ્રજનાદિ - ૧ ૧૮ શુદ્ધ વહેવાર ઉપર ઘનશ્રેષ્ઠીની ૨ શ્રાવક શબ્દને અર્થ.... ૪ | કથા. . . . ૩૭ ૩ ધર્મોપદેશ દાનાવસરે યોગ્યતા | ૧૯ બીજા ગુણનું વર્ણન. (શિ વિચાર.. • • - ૭ ષ્ટાચાર પ્રશંસા.) .... ૩૯ ૪ સામાન્ય ગૃહસ્થ ધર્મ ગ્રહણ ૨૦ સદાચારનું સ્વરૂપ. ... ..... ૩૯ હતુ. . . . ૧૩ ૨૧ સદાચાર ઉપચારનું ઉદાહરણ ૪૯ ૫ સામાન્ય ગૃહસ્થ ધર્મરૂપ પાં. ૨૨ ત્રીજા ગુણનું વર્ણન (એસત્રિશ સશુણ સંગ્રહ *લેકે ૧૪ માન કુલ શીલવાળા અન્ય ૬ પ્રથમ ગુણ વિવરણ (ન્યાય ગેત્રી સાથે વિવાહ કરે) ૫૪ સંપન્ન વિભવ.) - ૧૫ ૨૩ વિવાહદિ સ્વરૂપ નિરૂપણ. • ૫૪ ૭ ન્યાયસંપન્ન વિભવાદિ સ્વરૂપ. ૧૬ ૨૪ આઠ પ્રકારનાવિવાહાદિસ્વરૂપ ૫૪ ૮ ન્યાયપાર્જિતદ્રવ્ય સત્પાત્રવિનિગની ચતુર્ભગીમાં પ્રથમ ર૫ વરના લક્ષણે.. ... ... પપ ૨૬ સ્ત્રીના લક્ષણે. • સ્વરૂપ. . . . . ૧૬ • - ૫ ૨૭ સમાન શીલના વિવાહ ... પ૭ ૯ પ્રથમભંગ સ્વરૂપ ઉપર નંદિજેણની કથા, ... . ૨૮ સમાન શીલ ઉપર સુભદ્રાનું ... ૧૭ ૧૦ બીજા ત્રીજા ભંગનું સ્વરૂપ... ૧૯ દષ્ટાંત. ... • • ૫૭ ૧૧ ત્રીજા ચેથા ભંગનું સ્વરૂપ... ૨૦ ૨૯ ચાર પ્રકારના પુત્રનું સ્વરૂપ. ૬૧ ૧૨ ચેથા ભંગ ઉપર રંક શ્રેણીની ૩૦ સુકલત્રના લાભનું ફળ. * ૬૩ કથા. ૩૧ કુકલત્ર (નઠારી સ્ત્રી) ઉપર ... ... ... ... ૨૨ સાવિત્રીનું દ્રષ્ટાંત. . . ૬૬ ૧૩ વ્યવહાર શુદ્ધિ સ્વરૂપ. . ૨૪ ૧૪ વ્યવહારશુદ્ધિ ઉપર વંચક છે ૩ર વધુ (વહુ)ના રક્ષણને ઉપાય. ૬૭ ૩૩ ચેથા ગુણનું વર્ણન. (પાછીની કથા. . ... ૨૬ પભીરૂ) • • • ૬૯ ૧૫ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધાદિ. ૨૯ ૩૪ પાપભીરૂનું સ્વરૂપ • • ૬૯ ૧૬ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધ ઉપર ૩૫ પાપભીરૂ ઉપર વિમલનું આ - કુકકુર કથા. ... ... ... ૩૦ ખ્યાન.. ... ... .... ૭૦ ૧૭ ચાર પ્રકારના શુદ્ધ વ્યવહારનું ૩૬ પંચમગુણવણુન(પ્રસિદ્ધ સ્વરૂપ, - - - - ૩૧ ! દેશાચાર આચરણ કરવા રૂપ.) ૭૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દેશાચારનું સ્વરૂપ. ૩૮ દેશલેાકાદિ વિરૂદ્ધ ૩૯ છઠ્ઠા ગુણનુ વર્ણન (કાઈના અવર્ણવાદ નાડુ ખેલવા રૂપ.) ૭૬ ૪૦ પ્રશંસક સ્વરૂપ. ७६ ૪૧ અવર્ણવાદને વિષે બ્રાહ્મણીનું દ્રષ્ટાંત. ૪૨ મહુજન માનનીય અવણૅ વાદિ વિપાકદર્શન. ૪૩ તે ઉપર સીતાનું દૃષ્ટાંત. ૪૪ સાતમા ગુણનુ’ વર્ણન ( ગ્રહસ્થે કેવા ઘરમાં રહેવુ' ) . .... .... 9.30 .... .... 6600 .... .... .... ૪પ ગૃહાદિ સ્વરૂપ..... ૪૬ ગૃહ કરવાને વિષે સુસ્થાન સ્વ .... રૂપ. ૪૭ ગ્રહકરણે સ્થાનનિષેધ ૪૮ સુસ્થાનેવિષે નિર્દોષ .... .000 0000 ... 6330 ગૃહ .... .... ... 3333 .... .... ૭૩ ૭૩ ७७ .... .... કરશુ. ૪૯ ગૃહને વિષે લક્ષ્મીવૃદ્ધિ ઉપાય. ૮૨ **** ७८ ७८ ८० ८० ૮૩ ૫૦ ગૃહ વ્યવસ્થા સ્વરૂપ. ૫૧ ગૃહ સ્થાન સ્વરૂપ. પર સારાનરસા પાડાશનું ઉપદન. ૮૩ ૫૩ ખરાબ પાડાશ ઉપર અમિકાનું ८० ૮૧ ૨૪ ૬૪ V ઉદાહરણ. ૮૪ .... .... ૫૪ આઠમા ગુણનુ વર્ણન (સત્સંગ આચરણ કરવા રૂપ ).... ૮૬ ૫૫ સદાચારીના સંગ કરવાવિષે ८७ .... સત્ અસત્ સ ંગનું સ્વરૂપ..... ૮૬ ૫૬ તે ઉપર પ્રભાકરની કથા ૫૭ નવમા ગુણનુ વર્ણન (માપિતાની પૂજા કરવા રૂપ ) ૫૮ માતપિતા આદિની પૂજા કરવાનું સ્વરૂપ. ૯૪ ૯૫ ૫૯ દશમા ગુણનુ વણૅન. (ઉ પદ્મવવાળા સ્થાનના ત્યાગ કરવા રૂપ..... ૬૦ ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગનું .... સ્વરૂપ. ૬૧ તે ઉપર નિર્વિચાર રાજાનું' .... .... આખ્યાન. ....૧૦૧ ....૧૦૪ .... દૂર અગીયારમા ગુણનુ વણુ - ન. (નિ ંદિત કાર્યમાં પ્રવૃત્તિ નાહ કરવા રૂપ.) ૬૩ નિદ્વિત કાર્ય માં પ્રવૃત્તિ નહિ કરવા વિષે વર્ણન. ....૧૦૪ ૬૪ અનુચિત કાર્ય નહિ કરવા વિષે૧૦૫ ૬૫ તે ઉપર આરોગ્યદ્વિજની કથા.૧૦૯ ૬૬ ખારમા ગુણનું વર્ણન. (આવકના પ્રમાણમાં ખર્ચ કરવા રૂપ. ) ૬૭ આવક પ્રમાણે ખરચ રાખવા સંબધીવિવરણ. ... .... ...૧૧૭ ....૧૧૭ ૬૮ તે ઉપર કર્યનું ઉદાહરણ....૧૧૯ ૬૯ તેરમા ગુણનુ વર્ણન. (ભવને અનુસારે વેષ રાખવા રૂપ.) ...૧૨૪ ૭૦ વૈભવને અનુસારે વેષ રાખવા વિષે વિવેચન..... ૭૧ ચૌદમા ગુણનું વર્ણન (બુદ્ધિના આઠ ગુણા મેળવવા ....૧૨૭ .... .... ... ૩પ.) ૭૨ બુદ્ધિના આઠ ગુણુનું વર્ણન. ૧૨૭ ૭૩ ઉપર નારદ પર્વતનું ઉદાહરણ ૧૨૯ .... .... ૭૪ પંદરમા ગુણુનું વર્ણન. (નિરંતર ધર્મને શ્રવણુ ક રવા રૂપ.) .... 1000 .... 980. ....૧૦૧ .... ....૧૦૧ .... ..૧૨૪ .... ....૧૩૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નિરંતર ધર્મ શ્રવણ કરવા | ૯૫ માતા સબંધી ઉચિત આચ વિષે વર્ણન. .. • ૧૩૧ રણ. ... ... ... ......૧૫ર ૭૬ તે ઉપર મણિકાર શ્રેણીની કથા ૧૩૧ ૯૬ સહોદર ઉચિત્ત આચરણ. ....૧૫૨ ૭૭ સુશ્રુષાનું ફળ. ... ... ૧૩ર ૯૭ ભાર્યા સંબંધી ઉચિત્ત આચ૭૮ સુશ્રુષા લક્ષણ. .. ... ૧૩૩ રણ. ... ... ... ૧૫૩ ૭૯ તે ઉપર સુદર્શન શ્રેષ્ઠિની કથા. ૧૩૩ ૯૮ પુત્ર ઉચિત્ત આચરણ. ૧૫૩ ૮૦ સેળમા ગુણનું વર્ણન. ૯ સ્વજન ઉચિત્ત આચરણું. ૧૫૪ (અજિર્ણમાં ભેજનને ત્યાગ | ૧૦૦ ધર્માચાર્ય સબંધી ઉચિત કરવા રૂપ.) .... ... .૧૩૮ આચરણ. • • ૧૫૫ ૮૧ અજિર્ણમાં ભેજન ત્યાગ ક- ! ૧૦૧ નગરજનો સબંધી ઉચિત આ વા વિષે વિવેચન ૧૩૮ ચરણ. • • • • ૧૫૫ ૮૨ સતરમાં ગુણનું વર્ણન (કાલે ૧૦૨ પરતિથિક ઉચિત આચરણ. ૧૫૭ ભેજન કરવા રૂપ.) . ૧૦૩ ઉચિત્ત આચરણના ફળપદ૮૩ કાલે ભેજનાદિ સ્વરૂપ • ૧૪૦ | શનનું વર્ણન. . . .૧૫૮ ૮૪ ભજન વિધિ . . ૧૪૧ ૧૦૪ તે ઉપર શાલિવાન પ્રબંધ. ૧૫૯ ૮૫ રાત્રિભોજનનિષેધનું વર્ણન. ૧૪૧ ૧૦૫ વશમા ગુણનું વર્ણન ૮૬ રાત્રિભેજનને વિષે નું (મિથ્યાગ્રહનો ત્યાગ કરવા વર્ણન. . . . ૧૪૨ | રૂપ.) ... ... ... ...૧૬૧ ૮૭ વિસ્તારથી ભેજન વિધિ. ૧૪૨ | ૧૦૬ અભિાનવેશ (મિથ્યા ગ્રહના ૮૮ અઢારમા ગુણનું વર્ણન. | ત્યાગનું સ્વરૂપ ... ... ...૧૬૦ (ત્રિવર્ગના સાધન કરવારૂપ) ૧૪૪ ૧૦૭ એવી શમા ગુણનું વર્ણન, ૮૯ ત્રિવર્ગનું સ્વરૂપ • • ૧૪૪ { (ગુણમાં પક્ષપાત કરવા રૂપ.) ૧૬૩ ૯૦ ઓગણેશમા ગુણનું વ- \ ૧૦૮ ગુણમાં પક્ષપાત કરવા વિષે ન, (અતિથિ વિગેરેની ભ વર્ણન. . . . ૧૬૩ ક્તિ કરવા રૂપ.) ... ...૧૪૭ ૧૦૯ બાવીશમા ગુણનું વર્ણન, ૯૧ અતિથિવિગેરેની ભક્તિ કરવા ! (અદેશ અને અકાલ ચર્યાને વિષે વિવરણ .. ... ૧૪૭ ! ત્યાગ કરવા રૂપ.) - ૧૬૫ ૯૨ અતિથિ દાનને વિષે સુધન | ૧૧૦ અદેશ અને અકાળ ચર્ચાના નિ છીની કથા. . ... ૧૪૯ ધ ણાનું વર્ણન. ... ..૧૬૫ ૯૩ નવ પ્રકારે ઉચિત દર્શન. ૧૫૧ ૧૧૧ તે ઉપર હંસનું ઉદાહરણ.૧૬૫ ૯૪ પ્રથમ પિતા સબંધી ઉચિત્ત | ૧૧૨ તેવીશામા ગુણનું વર્ણન. આચરણ. . .. ૧૫૧ ! (પિતાના તથા પરના બળા Page #35 -------------------------------------------------------------------------- ________________ બળને જાણવા રૂપ.)... ..૧૬૭ | ૧૩૩ પરમાર્થ વડે કરીને કૃતજ્ઞનું ૧૧૩ બળા ળિ સ્વરૂપ. • ૧૬૭ | સ્વરૂપ. . . ૧૮૯ ૧૧૪ તે ઉપર લક્ષણસેનનુષની કથા. ૧૬૭ | ૧૩૪ ઓગણત્રીશમા ગુણનું વ૧૧૫ વશમા ગણનું વર્ણન, ણુન, (લેકવલ્લભ પણ રૂપ) ૧૨ (વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃ- | ૧૩૫ લેકવલ્લભનું સ્વરૂપ. ૧૯૨ ધોની પૂજા કરવા રૂપ.) ૧૭૧ ૧૩૬ પરલોક વિરૂદ્ધનું સ્વરૂપ. ૧૨ ૧૧૬ વ્રતમાં રહેલા તથા જ્ઞાનથી વૃ- | ૧૩૭ ઉભયેક વિરૂદ્ધનું સ્વરૂપ. ૧૯૩ ધોની પૂજા કરવાવિષે વર્ણન. ૧૭૧ | ૧૩૮ લકવલ્લભ ઉપર શ્રી અભયકુ૧૧૭ તે ઉપર કપદી શ્રેણીનું દષ્ટાંત. ૧૭૨ | મારની કથા. - - ૧૯૩ ૧૧૮ પચીશમા ગુણનું વર્ણન. | ૧૩૯ ત્રીશમા ગુણનું વર્ણન, (પષ્ય વર્ગનું પિષણ કરવા (સલજજ૫ણારૂપ.) ૧૯૮ રૂપ. ... ... ... ..૧૭૩ ! ૧૪૦ લજજાવાનનું સ્વરૂપ. ૧૯૮ ૧૧પિષ્ય પોષકનું સ્વરૂપ ૧૭૩ ૧૪૧તે ઉપર શ્રી આંબડદેવનું આખ્યાન.૧૯૯ ૧૨૦ તે ઉપર સાગર શ્રેણીની કથા. ૧૭૪ | ૧૪ર એકત્રીશમા ગુણનું વર્ણન. ૧૨૧ પરમાર્થથી–નિશ્ચયથી પિષ્ય | (સદય પણ રૂપ.) . ૨૦ વિચાર. . • ૧૭૪ ' ૧૪૩ દયાવાનનું સ્વરૂપ . .૨૦૧ ૧૨૨ છવીશમા ગુણનું ૧૪૪ તે ઉપર વિકમરાજાની કથા. ૨૦૩ (દીર્ધદશી પણું.) ... ...૧૭૬ ૧૪૫ બત્રીશમા ગુણનું વર્ણન ૧૨૩ દીર્ધદશીનું સ્વરૂપ. ૧૭૬ (સામ્યપણા રૂપ.). ૨૦૫ ૧૪૬ સભ્યનું સ્વરૂપ. . .૨૦૫ ૧૨૪ તે ઉપર ધનશ્રેણીની કથા. ૧૭૬ ૧૪૭ તે ઉપર વિરધવળની કથા....ર૦૬ ૧રપ સત્તાવીસમા ગુણનું વ { ૧૪૮ તેનાથી વિપરીત કઠેર પ્રકૃતિ ર્ણન (વિશેષજ્ઞપણ રૂપ) ૧૮૦ ઉપર લક્ષમણુસેન નૃપનું ઉદા૧૨૬ વિશેષરનું સ્વરૂપ. • ૧૮૦ હરણ. . . . . ૨૦૭ ૧૨૭ તે ઉપર સુબુદ્ધિ મત્રિની કથા. ૧૮૧ | ૧૪ તેત્રીશમા ગુણનું વર્ણન ૧૨૮ બીજે પ્રકારે વિશેષજ્ઞનું સ્વ (પરોપકાર કરવારૂપ.) ૨૧૦ રૂપ. • • • ૧૮૨ { ૧૫૦ પપકારીનું સ્વરૂપ. ....૨૧૦ : ૧૨૯ તે ઉપર સાગરદત્તનું આખ્યાન.૧૮૩ ૧૫૧ ચાર પ્રકારે મનુષ્યનું સ્વરૂપ૨૧૧ ૧૩૦ અઠાવીશમા ગુણનું વર્ણન ૧૫ર બે પ્રકારે ઉપકારનું સ્વરૂપર૧૨ (કૃતજ્ઞપણા રૂપ.) - ૧૮૬ | ૧૫૩ તે ઉપરવિક્રમાદિત્યની કથા ૨૧૨ ૧૩૧ કૃતજ્ઞનું સ્વરૂપ. • ૧૮૭ ૧૫૪ ચેતન અચેતનના પરોપકારનું ઉપ૧૩ર તે ઉપર જિતારી રાજાની કથા. ૧૮૮] દર્શન. • • • ૨૧૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પાપકારને વિષે ભરત રાજાનું ૧૬૧ માનનું સ્વરૂપ. - - ૨૩૧ ઉદાહરણ. . . ૨૧૫] ૧૬૨ મદનું સ્વરૂપ. ... ... ર૩ર ૧૫૬ શેત્રીશમા ગુણનું વર્ણન. ૧૬૩ હર્ષનું સ્વરૂપ છે. ૨૩૪ (અંતરંગારિ પ વર્ગના ત્યાગ ૧૬૪ પાંત્રીસમા ગુણનું વર્ણન, કરવા રૂપ.)... ... ...૨૬ ( ઇન્દ્રિયને જય કરવા રૂપ.)૨૩૬ ૧૫૭ છ અંતરંગારિનું સ્વરૂપ. ૨૨૬ ૧૬૫ ઈદ્રિયોના રાધ કરવાનું સ્વરૂપ. ૨૩૬ ૧૫૮ કામનું સ્વરૂપ – ૨૨૬ ! ૧૬૬ ગ્રંથ સમાપ્ત ... .ર૩૯ ૧૫૯ ક્રોધનું સ્વરૂપ... ... રર૮ ૧૬૭ ગ્રંથકારની પ્રશસ્તિ. * ૨૪૦ ૧૬૦ લેભનું સ્વરૂપ. ... ... રર૯ ઇ જ 5 6 આ સભા તરફથી અત્યારસુધીમાં જે જે ગ્રંથે પ્રસિદ્ધ થયા તેનું લીસ્ટ જે સંખ્યા કુલ ૮૨ છે, આ સભાએ પ્રસિદ્ધ કરેલા સંસ્કૃત માગધી મૂકીકના થે. નં. ૧ સમવસરણ સ્તવઃ અવ | ૦ ૧૫ દેવવંદન ભાષ્ય. . --પ-૦ સૂરી - - ૦–૧–૦ ૦ ૧૬ સિદ્ધપંચાશિકા. . ૦–૨–૦ ૯ ૨ કુલૂકમાવલી . ૦-૧-૦૦ ૧૭ અન્નાયડંકુલકમ ૦–૨–૦ એ ૩ લોકનાલિકા દ્વાત્રિશિકા ૦-૨૦ ૦ ૧૮ વિચારસપ્રતિકા ૦-૩-૦ , ૪ એનિસ્તવઃ - ૦–૧-૦ ૧૯ અલ્પ બહુવ ... , ૫ કાલસપ્રતિકા ૨૦ પંચસૂત્રમ, ... , ૬ દેહસ્થિતિ કરી જંબુચરિત્ર. . , ૭ સિદ્ધદંડિકા . ૦–૧–૦ || * ૨૨ રત્નપાળનૃપકથા ... » ૮ કાય સ્થિતિ ૨૩ સુક્તરત્નાવલી. - » ૯ ભાવ પ્રકરણ ૦–૨–૦ ૨૪ મેઘદુત. ... ... * ૧૦ નવતત્વ ભાગ. * ૦ ૧૨-૦ ૨૫ ચેતેદુત. . ગ્રહ ૧૧ વિચાર પંચાશિકા — ૦–૨–૦ | ન ર૬ પર્યુષણુષ્ટાબ્દિક વ્યા* ૧ર બંધષ ત્રિશિકા. ૦-૨૦ ખ્યાન. . . ૦-૬-૦ * ૧૩ પરમાણું, પુદ્ગલ, નિ- | ર૭ ચંપકમાલાકથા. - ૦–૬–૦ ગેદ પત્રિશિકા — ૦-૩-૦ ૦ ૨૮ સમ્યકત્વ કૌમુદિ. . ૦-૧૦૦ ન ૪ શ્રાવકવૃતભંગ પ્રકરણ ૦–૨–૦ / ૦ ૨૯ શ્રાદ્ધગુણ વિવરણ.. ૦-૧૦૦ * આવી નિશાનીવાળા ગ્રંથે કિલિકમાં નથી. ૦ આવી નિશાનીવાળા ચ શિલાકમાં જુજ છે. ૧ ૬. [ [ 1 1 - જે જ શું ? 3 4 5 6 . Page #37 -------------------------------------------------------------------------- ________________ ૦ ૩૦ ધર્મરત્ન પ્રકરણ - ૦-૧ર-૦ | * : ૩૧ કપસૂત્ર · · ૦–૦-૦ ૩૩ ઉપદેશસપ્તતિકા.... ૦-૧૩૦ ૩૪ કુમારપાળ પ્રબંધ... ૦-૧૪.૦ છ૩૫ આચારપદેશ. * ૦–૩–| ૩૬ રોહિણી અશચંદ્ર કથા.... ... ... ૦–૨-૦ ૩૭ ગુરૂગુણષત્રિશિક . ૦–૮-૦ જ ૩૮ જ્ઞાનસાર. • • ૧-૦-૦ ૩૯ સમયસાર. . . ૦-૮-૦ છ૪૦ સુકૃતસાગર - ૦–૮–૦ અ૪૧ ધમ્મિલ કથા ૦-૨-૦ ૪૨ પ્રતિમાશતક . ૦-૮-૦ ૪૩ ધન્ય કથાનકમ, ... ૦–૨–૦ ૪૪ ચતુવિંશતિજિન સ્તુતિ સંગ્રહ. ... .... ૦-૬-૦ , મેરૂત્રદશી કથા. ~ ૦-૧–૦ ૪૫ રહણેય ચરિત્ર. ... ૦-૧-૦ ૫૧ શ્રી ક્ષેત્રસમાસ. - ૦–૮–૦ ગુજરાતી ભાષામાં ભાષાંતર વગેરેના ગ્રંથે, જે કે ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપયોગી છે તેવા પ્રકટ થયેલા ગ્રંથ, ૧ જેન તત્વદર્શ • ૪-૦૦ ૧૬ નવતત્તવનો સુંદર ધ ૦-૧૦૦ ૨ અજ્ઞાનતિમિરભાષ્કર . ૨-૮-૦ ૧૭ આત્મવલ્લભ સ્તવનાવાળી. ૦-૬-૦ ૩ ધર્મબિન્દુ ગ્રંથ • • ૨-૮-૦૬ ૧૮ જીવવિચારવૃત્તિ ... ... ૦–૬–૦ ૪ આત્મપ્રબોધગ્રંથ• • ૨-૮–૦ ૧૯ દંડકવિચારવૃત્તિ. . ૦–૮–૦ ૫ ધ્યાનવિચાર. ... ... ૦-૩-૦ ) ૨૦ નયમાર્ગદર્શક. . . ૦-૧૨-૦ ૬ શ્રી પ્રકરણસંગ્રહ... ... ૦-૪-૦ ૨૧ જેનતત્વસાર મૂળ તથા ૭ શ્રાવક કલ્પતરૂ • • • ૦-૬-૦ ભાષાંતર. . ૦–૬–૦ ૮ આત્મોન્નતિ . . ૦ ૧૦-૦ ૨૨ સદર ભાષાંતર. . ૦૨-૦ ૯ પ્રકરણ પુષ્પમાલા ૦-૬-૦] ૨૩ મેક્ષપદ સંપાન ... ૦-૧૨-૦ ૧૦ વીવીધ પૂજાસંગ્રહ (શ્રીમદ્ ૨૪ શ્રી જંબુસ્વામી ચરિત્ર . ૦–૮–૦ આત્મારામજી મહારાજ ૨૫ નવાણું પ્રકારી પૂજા. * ૦-૪-૦ તથા મુનિરાજ શ્રી વલ્લભ ૨૬ જૈન ગ્રંથગાઈડ ... ... ૧–૦–૦ વિજયજી મહારાજ કૃત. ૦–૮–૦ ૨૭ તરિત્ન મહોદધિ (તપા૧૧ જૈન ધર્મવિષયિક પ્રનત્તર ૦-૮-૦ વલી) ભા. ૧,૨ . . ૦–૮–૦ ૧૨ કુમારવિહારશતક - ૧-૪-૦ ૨૮ વિવિધપૂજા સંગ્રહ નવી ૧૩ દેવસરાઈ પ્રતિક્રમણ · ૦-૩-૦ આવૃત્તિ. • • • ૦–૮–૦ ૧૪ હંસવિદ ... .... ૦-૧ર-૦ ૨૯ શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તવ. ૦–૨-૦ ૧૫ પ્રશ્નોત્તર પુષ્પમાળા (આ. ૩૦ શ્રી શ્રાદ્ધગુણ વિવરણ ભા. વૃત્તી બીજી ) . . .-૧૪-૦ | ષાંતર. • • • ૧-૮-૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ** 动冰活的动作动的动作 શ્રાદ્ગુણ વિવરણ. ge (uide.) 86 你为你为你做 时时 Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ अर्हम् श्री सर्वज्ञाय नमः श्रीमद्विजयानंदसूरीश्वर पादपद्मेभ्योनमः परमर्षि श्री जिनमएमनगणि विरचित શ્રાનુાં વિવા. प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् । वच्मि कंचनसुश्राद्ध, धर्मं शर्मैककारणम् ॥ १ ॥ શબ્દા કેવલ જ્ઞાને કરી સૂર્ય સમાન શ્રીમન્ત્રહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક ( અદ્વિતીય) કારણ રૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કાંઇક (સક્ષિસરૂપમાં) વર્ણન કરૂં છું. ॥ ૧ ॥ ભાવાર્થ-ભગવાન્ નિન્ય જ્ઞાતપુત્રે મેક્ષના સાધન માટે બે પ્રકારના ધર્માં કહ્યા છે તેમાં એક સુનિધમ અને બીજો ગૃહસ્થ ધર્મ. તેમાંથી આ ગ્રન્થકાર જિનમડન ગણી મહારાજ મુનિધર્મ માટે ન એલતાં પ્રથમ પાયારૂપ ગ્રહસ્થ ધર્મ હોવાથી તથા ગ્રહસ્થ ધર્મ મુનિધથી સરલ અને સુસાધ્ય હાવાથી પ્રથમ તે ધર્મનું વન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે હું સક્ષે ૫માં શ્રાવકેાના ગુણાનું વર્ણન કરૂ છું. આમ કહેવાનું કારણ ઉપાસક દશાંગસૂત્ર— તથા-—શ્રાવકપ્રજ્ઞતિ—શ્રાવકધર્મવિધિપ્રકરણ--શ્રાવકઢિનકૃત્ય-ધમ રત્ન-ચેગશાસ્રધર્મબિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથેામાં શ્રાવકેાના ગુણેનું વર્ણન અતિવિસ્તાર પૂર્વક આપેલું છે. પરંતુ આ કાલના મનુષ્યાને તેવા ગ્રંથા જોવાનુ` સામર્થ્ય અલ્પ હાવાથી ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ગુણ વિવરણ. તેમજ જ્ઞાનની ન્યૂનતા હેાવાથી અલ્પ સમયમાં ઇચ્છિત બેધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણુ વિવરણુ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઊચિત ધારું હાય એમ લાગે છે. માઁગલાચરણમાં શ્રીમદ્વીરભગવાનને—નમસ્કાર કરવાનું કારણ શાસનના નાયક છે માટે તથા એ ભગવાને ખતાવેલા શ્રાવકના ગુણુનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણકે ભગવાનૂ યુગાદિ દેવના સમયના શ્રાવકામાં સરલતાના ગુણુ હેવાનું શ્ર'થાથી દેખાય છે તેમજ બાવીસ તીર્થંકર ભગવાના સમયના શ્રાવકામાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણા મુખ્ય હાવાનું દેખાય છે તે તે ગુણાને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતા નથી પણુ ભગવાન્ મહાવીર સ્વામિના સમયના શ્રાવકના ગુણા કેવા હાવા જોઇએ તે અત્રે દર્શાવ્યુ છે, તેથી વીર ભગવાનૂને નમસ્કાર કર્યાંનું સમજાય છે. વ્ય...ગાર્થના વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકને પણુ-બાવીસ-તીર્થંકર મહારાજના શ્રાવકાની પેઠે પ્રાજ્ઞ અને ઋજુ થવાની ગ્રંથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણ્ણા પ્રાપ્ત કરી શ્રાવકાએ ઋજી તથા પ્રાસ થવા ચુકવું નહીં. પ્રાયે ઋજુપણું જન્મથી અને જ્ઞાનથી થઇ શકે છેઅને પ્રાજ્ઞપણું સત્સંગથી સત્શાસ્ત્રના અધ્યયનથી શ્રવણુ મનન નિદધ્યાસનથી (અનુભવ કરવાથી) થાયછે તેા ખીજા` અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુનિ મા ન સધાતા હેાય તેવા સુશ્રાવકોએ નિત્યકર્મ સાથે પેાતામાં પ્રાજ્ઞપણું આવે તેને માટે અહેારાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેના ઉપયાગ કરી પોતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત્ પ્રયાસ કરવા ઊચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાંસુધી કુલ પર પરાથી પ્રાપ્ત થયેલુ... શ્રાવકપણુ ́ તે વાસ્તવિક શ્રાવકપણુ ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મહતા થઇ શ્રાવકપણાને ચેાગ્ય નિઃસ્પૃહતાથી થતા પરમાનન્દ મલશે નહીં, મેક્ષમાં કેવા આનંદ હશે તેના જેમને અનુભવ કરવા હાય તેમણે શ્રાવકપણાને ચોગ્ય સમતાથી–પ્રાપ્ત થતા આનન્દને અનુભવ કરવા એવા ગ્રન્થકારના આશય હાય એમ સ’ભવે છે. जयश्री सिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् । સાનથે: સાવિષેમાં, વિવેન્નિવજોત્તમઃ ॥૬॥ શબ્દા --સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકોએ જયશ્રીની સિદ્ધિત આપનાર અને સાવ ( નામ પ્રમાણે ગુણ યુક્ત ) એવા ધર્મ ગુરૂકથિત શુદ્ધ મંત્રની પેઠે સાધવા યાગ્ય છે.॥૨॥ ૧ સાંભળવાથી. ૨ વિચારવાથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ભાવાર્થ–આ સંસારમાં ધન ધાન્યાદિક ઈચ્છિત વસ્તુઓ અને દીવ્ય શક્તિએ પ્રાપ્ત કરવાને મનુષ્ય સદગુરૂની સેવા કરે છે. અને જ્યારે ગુરુ મહારાજ આવી સેવાથી પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને તેની ચેગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કરવાને મંત્ર આપે છે. આ મંત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે. અને પિતે ધારેલો લાભ મેળવે છે, તે જ પ્રમાણે ગ્રન્થકાર મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! જે તમારે મેક્ષ સુખ મેળવવું હોય તે તમે ગુરૂ મહારાજે બતાવેલા મંત્રની પેઠે ધર્મનું આરાધન કરે કે જેથી અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય, સાત્વિક કહેવાનું કારણ એ છે કે, મંત્ર સાધતાં જેમ ઉપસર્ગો થાય છે તેમ ધર્મ સાધનમાં પણ અનેક ઉપસર્ગો આવે છે, આ વખતે નિઃસવ પ્રાણ ગભરાઈને ધર્મથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકોમાં શ્રેષ્ઠ એવા આનન્દ અને કામદેવાર સુશ્રાવકના દષ્ટાન્ત પ્રસિદ્ધ છે તે જુવે. આ મહાશયને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવોએ અનેક ઉપસર્ગો કર્યા છતાં ધર્મને ત્યાગ કર્યો નહીં તે તેઓ સદગતિના ભાજન થયા તેમ જે તમે પણ દે ચિત્તથી ધર્મનું આરાધન કરશે તે તાત્કાલિક સાગતિ અને પરંપરાથી મોક્ષસુખને મેળવી શકશે. કદી કોઈ એમ કહે કે સાવિકપણું લાવેલું આવતું નથી. તે તે વાત યોગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણે છે, તે બધા તિભાવને પામેલા છે, એટલે આવરણથી અવરાએલા છે; પુરૂષાર્થ કરવાથી આવરણના ક્ષપશમ કે ક્ષય પ્રમાણે તે ગુણે પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરે કે સાત્વિક માણસે ધર્મ સાધી શકે છે, મહારામાં પણ તે ગુણ છે તે પ્રાણને પણ હું ધર્મને છોડીશ નહીં, અને આવે વખતે પૂર્વે થઈ ગયેલા મહર્ષિઓ અને સુશ્રાવકેએ કેવી દઢતાથી ધર્મ આરાધ્ય છે તે વિચારી પિતે નિઃસવ થઈ ધર્મ નહીં છેડતાં સાત્વિકપણને અવલંબી રહેવું એ આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે. વિવેક વિના ધર્મ થઈ શક્તો જ નથી, સત્સદ્વિવેક થયા વિના આત્મજ્ઞાનને સંભવ નથી, આત્મજ્ઞાન શિવાય સમ્યકત્વ નથી અને જે ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય તે પછી શ્રાવકનું પંચમ ગુણસ્થાન તેની તે વાતજ શી? તેથી ભવ્ય પ્રાણીઓએ સત્સદ્વિવેક મેળવવા સક્શાસ્ત્ર અને સદગુરૂનું સેવન કરવું અને જડ ચિ તન્યનું સ્વરૂપ સમજી પિતાનું કર્તવ્ય શું છે તે વિચારવું, આમ વિચાર કરતાં ગુરૂ મહારાજે બતાવેલા ધર્મનું આરાધન કરવાનું પિતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીની સિદ્ધિને આપના ધર્મ શુદ્ધ મંત્રની જેમ આરાધવા ગ્ય છે, એમ અનુભવમાં આવશે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ગુણ વિવરણ, તેમાં પ્રથમ ( ગ્રન્થકાર્ મહારાજ ) શ્રાવક શબ્દને અર્થ કહે છે, परलोक हियं सम्मं जो जिवयणं सुणेइ नवन्तो । પ્રતિવવજ્ઞવિનમામુદ્દો સો સાવનો ત્ય ૫ રૂ ॥ અથવા, "श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाश वृणोति दर्शनम् । कृंतत्यपुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥ શબ્દા—જે ઉપયોગ પૂર્વક પરલેાકમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચના સમ્યક્ પ્રકારે સાંભલે અને અતિ તીવ્ર કર્માથી [ કષાયાદિથી ] સુકાયેલા હાય તે શ્રાવકનાઅત્ર ( અધિકાર ) સમજવા ૩ અથવા. " જે શ્રદ્ધાળુપણાને દ્રઢ કરેજિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને શીઘ્ર વાવે ( વ્યયકરે ) જિન દર્શનને ( સમ્યકત્ત્વને ) વરે, (આદરે) પાપાતા નાશ કરે અને સયમ કરે ( મન ઇંદ્રિયોને વશ કરે ) તેમને વિચક્ષણ પુરૂષો શ્રાવક કહે છે. ॥ ૪ ॥ ભાવા —આ ગ્રન્થમાં કેવા શ્રાવકનુ' વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકા ચાર પ્રકારના શાસ્ત્રામાં વર્ણવ્યા છે તે પૈકી અહિં નિચેના ગુણાવાળા એટલે કે ભાવ શ્રાવકાને મુખ્યતાએ અધિકાર છે, કારણ કુલક્રુમાગત જેમને શ્રાવકપણું પ્રાપ્ત થયું છે તેએ જ્યાંસુધી વ્રતાદિક ન લે ત્યાંસુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કેાઇ મનુષ્યનું નામ શ્રાવક હેાય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય, એટલે તેનુ અત્રે વન નથી. તેમજ ચિત્રામણ કે મૂર્તિમાં શ્રાવકપણુ· સ્થાપ્યુ હોય તેના પણ અત્રે અધિકાર નથી, તેવીજ રીતે હવે પછી શ્રાવકપણુ ́ થનાર છે તેના પણ અહીં અધિકાર જણાતા નથી. અર્થાપત્તિથી ભાવશ્રાવકના અધિકાર હેાવાનુ` ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપયોગ પૂર્વક સાંભળના૨ એવું છે. ખરેખર આ વિશેષણુ પ્રમાણે મેટા ગ્રંથાના ગ્રંથા ન સાંભળતા થાડુ પશુ ઉપયોગ પૂર્ણાંક સાંભળે અને તેનું મનન કરી હેયાપાદેયને વિચાર કરી જે શ્રાવકે વર્તે તે તેએ અલ્પ સમયમાં તત્ત્વ પ્રાપ્તિ પૂર્ણાંક પરમશાન્તતા મેળવી ભવ ભ્રમણથી છુટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનુ ઘણું થાય છે, પણ તે ઉપયેાગ પૂર્ણાંક ન હેાવાથી જોઇએ તેવું કાયકારી થતુ' નથી તેથી, ઉપયાગ પૂર્વક શ્રવણ કરવાને ગુણુ શ્રાવકેાએ અવશ્ય પ્રાપ્ત કરવા જોઇએ, ીજી વિશેષણ અતિ તીવ્ર કર્માંથી મુકાયેલા હાય એવુ' છે આ વિશેષણથી અન’તાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાની કષાયાના નાશ કરનાર શ્રાવક હાય એમ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ, સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી મુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં રિદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હે જોઈએ તે પ્રાયઃ ભાવશ્રાવકમાં હેય એમ સંભવે છે. શ્રદ્ધાને દૃઢ કરે એટલે દ્રઢ સમ્પત્યવાન હોય અથવા જૈન દર્શનની અનેક પ્ર. કારે પરીક્ષા કરી તેના ઉપર વિશેષ શ્રદ્ધાલુ થાય. આ શ્રદ્ધા શાસ્ત્ર શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપયોગ પૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષમીની ચંચલતા જાણું પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ ઈ વાવરે અને જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જ્યારે સમ્યકત્ત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપનો નાશ થઈ જાય છે અને ઇંદ્રિઓ તથા મન સહજપ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનારો શ્રાવક હોય એમ વિશેષણ આપિલું છે તેથી વિચક્ષણ પુરૂ આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસ્ત્રકારે શ્રાવક શબ્દની નિરૂકતની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દને સાર્થક કરી બતાવ્યું છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યો છે તે જ પ્રકારે શ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરે ઘટે છે. નિસ વિમાન આ પ્રમાણે પદને તેડીને એક એક અક્ષરનો અર્થ કરે તેને નિરૂકત કહે છે અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણુ શાસ્ત્રમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહ વામીએ નિધિ કુક ને અર્થ એક એક અક્ષરને જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં પાંત શબ્દને પણ અર્થ એજ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દનો અર્થ અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યા છે. શ્રદ્ધતિ શ્રાતિ પ્રધાને પકાવે તેને મા કહીએ. ધનં વન–સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને ૨ કહીએ અને વૃત્તપુવાનિ એટલે અપુણ્ય (પાપ)ને છેદન કરે તેને કહીએ શા–– ત્રણે અક્ષરના વર્ણન કરેલ અર્થ વિશિષ્ટ જે વ્યક્તિ હોય તેને શા કહે વામાં આવે છે તાત્પર્ય શ્રધ્ધા પૂર્વક સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખર્ચા પાપ નાશ કરે તેને વિચક્ષણ પુરૂ શ્રાવક કહે છે. અથવા–વૃત્તિ - Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. સનમ હિતકારી ભગવદ્દ વચનને સાંભળે તેને આ કહીએ તૃતિ તીન દર્શન (સમ્યકત્વ) ને વરે અંગીકાર કરે તેને વ કહીએ અને જાતિસંયમ સંયમત્રત અંગીકાર કરે તેને ના કહીએ તાત્પર્ય ભગવદ્રવચન સાંભળી સમ્યકત્વ પ્રાપ્ત કરી યથાગ્ય સંયમ વ્રત નિયમાદિ આચરે તેને વિચક્ષણ પુરૂષ શ્રાવક કહે છે. શ્રાવકનું બીજું લક્ષણ " अवंति यस्य पापानि पूर्वबछान्यनेकशः। आवृतश्च व्रतैर्नित्यं श्रावकः सोऽनिधीयते ॥ ५॥ શબ્દાર્થ—જેનાં પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપ વિ જાય છે (જતાં રહે છે) અને જે હમેશાં વ્રતથી યુક્ત હોય છે તે શ્રાવક કહેવાય છે. તે પા ભાવાર્થ–કને ક્ષય બે પ્રકારે થાય છે એક બાંધેલા કર્મ ભોગવી લેવાથી, એટલે કે કમેં પિતાનું નિર્ણત ફલ આપી ખરી જાય છે અને બીજું પ્રત્યાખ્યાન તીવ્ર તપસ્ય જ્ઞાન ધ્યાન વિચારણું વિગેરેથી કર્મો નિર્જરે છે. શ્રાવક પૂર્વે બાંધેલા પાપે ઉપર જણાવેલા બે પ્રકારથી આત્મ પ્રદેશથી દૂર કરે છે, તેમજ નવાં પાપ ન બંધાય તેને માટે નિરંતર પિતાને ગ્ય વ્રતથી યુક્ત હોય છે તેથી આવા ગુણ વાળાને શ્રાવક કહેવાય છે. આ શ્રાવક ધર્મ કે છે તે કહે છે. सुदेवत्वमानुषत्वयतिधर्मप्राप्त्यादिक्रमेण मोक्षसुखदायकत्वेन सुरतरूपमानो योग्यज्य एव दातव्यः શબ્દાર્થ દેવપણું મનુષ્યપણું અને યતિ ધર્મની પ્રાપ્તિ વિગેરેના કામે કરીને મેક્ષના સુખને આપનારે હોવાથી કલ્પવૃક્ષની ઊપમાને યોગ્ય એ ધર્મ પિગ્ય પુરૂષ નેજ આપવો જોઈએ કહ્યું છે કે, નંસિવ સાવધાવિવિ વિFિri तम्हा जुग्गजियाणं, दायव्वो धम्मरसियाणं ॥६॥ શબ્દાર્થ_વિધિએ કરીને સેવેલે શ્રાવક ધર્મ પણ ક્રમે કરી એક્ષને હેતુ થાય છે તેથી તે શ્રાવક ધર્મ ધર્મને વિષે રસિક એવા ગ્ય પુરૂષોને આપવું જોઈએ ૬ ભાવાર્થ-શ્રાવક ધર્મ પણ ગ્યતા વિના કેઈને આપ નહી એ ગ્રંથકાર મહારાજનો આશય છે. અપાત્રમાં શુદ્ધ વસ્તુ નાખ્યાથી વિપર્યયને પામે છે, તે Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. પછી ધર્મરત્ન જેવી અમુલ્ય વસ્તુ યોગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી રોગ્ય નથી. (આ ઉપરથી શ્રાવકધર્મથી શ્રેષ્ઠ એવા મુનિ ધર્મને તે ગ્યાયેગ્યને વિચાર કરી ખરેખરા પાત્રનેજ આપે છે એમ સિદ્ધ થાય છે.) ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ ચગ્ય શોધવાં જોઈએ તે કહે છે. " जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरूहि देसियो सम्मं । કુળ ધોરિ ત નલિવિદા મણિ છે શબ્દાર્થ–પગ્ય જીવને 5 ગુરૂઓએ વિધિ પૂર્વક સારી રીતે ઉપદેશેલે પગ્ય ધર્મ સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારે કહેલ છે . ૭ ભાવાર્થગ્ય છે એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગલ કહેવામાં આ વશે તેવા લક્ષણવાળા છ સમજવા. કદી શાસ્ત્રોક્ત લક્ષણવાળા મળે પરંતુ ધર્મોપદેણા ગુરૂ કિયાહીન શિથિલાચારી પરિગ્રહધારી વિષયી અસત્યવાદી વિગેરે દુર્ગુણયુક્ત હોય તે તેવા પાસેથી પ્રાપ્ત થયેલે શ્રાવક ધર્મ પ્રાયે યથાર્થ ફલને આપનાર થતું નથી, તેથી ગુરૂઓ પણ શાસ્ત્રોક્ત ગુણેએ યુક્ત હોય તેજ શ્રાવકધર્મ આપવાને ગ્ય છે. એગ્ય ધર્મ કહે છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જેમાં ધર્મ પાલન કરવાની જેવી યોગ્યતા હોય તેને તેવા તેવા પ્રકારને ધર્મ બતાવ જોઈએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય ઉપયોગી પણ કઠિણ નિયમે આપવામાં આવે છે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિઠ્ઠલ થાય અને લિધેલા નિયમનો ભંગ કરી દેષનો પાત્ર થાય અને વખતે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ધર્મથી પરાધ્યમુખ થાય, તેથી એગ્ય ગુરૂઓએ ચોગ્ય જીવોને ગ્યધર્મ એગ્યતા પ્રમાણે આપવો જોઈએ. અગ્ય પુરૂષને આપેલે ધર્મ વિશેષ ગુણોની પ્રાપ્તિ કરાવનાર થતું નથી કહ્યું છે કે– " चूतांकुरकवलनतः कोकिनकः स्वनति चारु नतु काकः । થોથસ્થ ગાયને રવેલું હેતરિ નેતરચ ગુણઃ” | s છે. શબ્દાર્થ-જેમ આંબાના મહેરના ભક્ષણથી કયેલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કોઈ કાગડો કરતો નથી, તેમ જે ગ્યા હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અગ્યને થતા નથી ૮ ભાવાર્થ–આંબાને મેહર કોયલ પણ ખાય છે. અને કાગડો પણ ખાય છે. આ મેહેરથી કેયલને સ્વર સુધરે છે. અને સુંદર પંચમ સ્વરથી તે આખા વન Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આજ મેહેર કાગડો ભક્ષણ કરે છે પણ તેને દુઃસ્વર તેને તેજ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનાર ને કંટાલ આપે છે. મેહરમાં સ્વર સુધારવાની શક્તિ જગ જાહેર છે છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પારલૌકિક સુખ આપવાની શક્તિ છે તથાપિ અપાત્રમાં સ્થપાયેલે તે ધર્મ નિષ્ફળ જાય છે, તેથી પાત્રાપાત્ર વિચાર કરવો એ ખાસ જરૂરનું છે. યોગ્યયોગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજાં દષ્ટાંતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે. ગ્યાતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. " आने निबेसुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवक्त्रे, औषध्यादौ विषौ गुरुसरसि गिरौ पांमुन्नूकृष्णनूम्योः । कुक्षेत्रे कषायजुमवनगहने मेघमुक्तं यथांजस्तकृत्पात्रषु दानं गुरुवदननवं वाक्यमायाति पाकं” ॥ए॥ શબ્દાર્થ–જેમ વર્ષાદનું પાણું આંબામાં લીંબડામાં સારા તીર્થમાં કચરામાં, છીપમાં સપના મુખમાં એષધી વિગેરેમાં ઝેરી વૃક્ષમાં મેટા રેવરમાં પર્વતમાં પીલી તથા કાલી જમીનમાં સેલડીના ક્ષેત્રમાં કષાય વૃક્ષોના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરૂના મુખમાંથી નિકળેલું વાક્ય જેવા પા ત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. જે લો. ભાવાર્થ–વષદનું પાણી એકજ સ્વભાવનું છે છતાં જુદા જુદા પાત્રમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિષ્ટ આમ્રરસ ઉત્પન્ન કરે છે. લીંબડાના વૃક્ષમાં પડવાથી કકરસ પેદા થાય છે. ઉત્તમ તીર્થમાં પડવાથી પવિત્રતાને પામે છે. કચરામાં પડવાથી નિંદનીક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૈક્તિક થાય છે. સર્ષના મુખમાં પડવાથી પ્રાણુ ઘાતક ઝેર નિવડે છે. ઔષધિમાં પડવાથી એષધિ રૂપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે. ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણુ નાશક ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયોગી સ્વચ્છ જલ થાય છે. પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીલી તથા કાળી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃદ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારું થાય છે. કષાય વૃક્ષોના ગહન વનમાં પડવાથી કષાય રસ ઊત્પાદક થાય છે. તેવી જ રીતે સદ્દગુરૂ મહારાજનાં વચનામૃત એકજ સ્વભાવ પરિણત હોય Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. છે તથાપિ પાત્રતાની ગ્યાયોગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશયપણે પરિણમે છે, તેથી જેને જે ગ્યા હોય તેને તે ઉપદેશ આપે એ ગ્રંથકાર મહારાજને ઉદ્દેશ છે. સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાને કમ પ્રાયે બદલાયેલો લાગે છે. શ્રેતાઓને વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પિતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથો સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પણ જેને બરાબર ખબર ન હોય તેવાઓની સમક્ષ આચારાંગાદિ અતિ કડિન ગ્રંથ વાંચવામાં આવે છે આથી રોતાવક્તાના કાલને જોઈએ તે ઉપયોગ થતું નથી, તેથી દેશ કાળ અને શ્રોતાઓને વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણ થઈ પડે. હવે બીજી રીતે બતાવે છે. गिरिसिर १ पणालश्मरुथन ३ कसिणावनि जल हिसुत्ति एमणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीव दिलुता ॥१॥ શબ્દાર્થ—અથવા જેમ પર્વતનું શિખર, પરાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણિઓની ખાણ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં ની પેગ્યતા ઉપર આધાર રહે છે. ૧૦ ભાવાર્થ—વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રેતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાયાંતરથી વ્યગ્ર ચિત્તવાળા કેઈ બરોબર વ્યાખ્યાન શ્રવણ કરી વિચાર કરતા નથી. રૂડી સાચવવાને સારૂ વ્યાખ્યાન શ્રવણ કરનાર અથવા માનની કે પ્રભાવનાની ઈચ્છાથી ઉપાશ્રયે જઈ કાળ ગાળનાર શ્રેતાઓ પર્વતના શિખર જેવા છે. જેમ પર્વતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણ લાભકારી થતું નથી તેમ પૂર્વોક્ત લક્ષણવાળ શ્રેતાઓને ઉપદેશ રૂપી જળ લાભકારી થતું નથી. ૧ બીજા છે પરણાળ જેવા છે; પરશુળ જેમ જળને ઝીલીને પિતાની પાસે ન રાખતાં જમીન વાસણ અગર ટાંકામાં નાંખે છે પરંતુ પરણાલને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરૂ મહારાજથી ઉપદેશ શ્રવણ કરીને ઉપદેશ બીજાઓને સંભળાવી પિતાનું પંડિતપણું જાહેર કરે છે, પરંતુ પિતાના આત્માનું કઈ પણ પ્રકારે હિત સાધી શક્તા નથી, તેથી આવા પ્રકારના છે પણ ગુરૂ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાદ્ધગુણ વિવરણ. મહા રાજના વચનામૃતનું પાન કરવાને ગ્ય થઈ શકતા નથી, તેથી આવા જીને ઉપદેશ આપવા પ્રયત્ન કરે નહીં. ૨ હવે જીવેને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલ પાણીને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધાન્યાદિકને પાક થાય છે, તેમ કેટલાક છ ગુરૂમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની યોગ્યતાના અભાવે યથાર્થ પણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા જ ધર્મોપદેશને યોગ્ય સમજવા. ૩ કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરૂ મહારાજને આપેલે ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પિતામાં રાખી બીજા ને તેજ ઉપદેશ દેઈ લાભ કરે છે, જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગોધૂમ વીગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા જીવમાં સ્વપ ઉપદેશ પણ તાદિક ઉત્પન્ન કરવાને હેતુ થઈ ત્રણ કિધા છેવટે સાત આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થાય છે. તેથી આવા જે ખરેખર ઉપદેશને યોગ્ય છે. ૪ સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમમિતિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે જે ગુરૂ મહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે પિતે વસ્તી પિતાના વ્રતથી બીજા યોગ્ય જેને પણ સન્માર્ગે દોરે છે તે જ ઉત્તમ પ્રકારના ગણાય છે. ચલાતી પુત્રે માત્ર ઉપસમ, વિવેક, અને સંવર એ પદત્રયીને ઉપદેશ શ્રવણ કરી પિતાનું હિત સાધ્યું, તેમજ સોમવસુ બ્રાહ્મણે પણ મીઠું ખાવું, સુખે સુવું, અને લોકને પ્રિય આત્મા કરે, આ ત્રણ પદ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલોચન મંત્રી પાસે શ્રવણ કરી તે પ્રમાણે કેણ વર્તે છે વિગેરેની તપાસ કરી પિતે તેમ વતી સુખી થયે. તેમ ૫ ઉપદેશ પણ ચગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળ બિંદુની માફક મહા મૂલ્યવાનું થાય છે. ૫ મણિની ખાણમાં પડેલા થોડા પાણીથી જેમ મહા મૂલ્યવાન, તેજસ્વી, ચિન્તામણિ રત્નાદિક ઉત્પન્ન થાય છે તેમ કેઈક જીવને બેડાં પણ મહાવાકયે ઘણે લાભ કરતા થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપદેશ શૈતાદિ ગણધર મહારાજેને આત્માને સંસારથી તારવાને અર્થે થયે તેમ છેડા પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ઉપદેશથી મણિ જેવા જીવોને અત્યંત લાભ થવાથી તેજ ભવમાં તેઓ મેક્ષ પામે છે આવા જ ઉત્તમોત્તમ જાણવા. ૬ शुनाशुनजव्यसुत्नाविता घटावास्याअवास्याश्च तथा। ह्य वासिताः सद्धर्मवासस्थ तथैव योग्यतां श्रयंति जीवाः कतिचित् सुयोगतः ॥ ११ ॥ શબ્દા–જેવી રીતે સાર દ્રવ્યોથી તથા ખરાબ દ્રવ્યથી વાસિત કરેલા ઘડાઓ ત્યાગવા ગ્ય અને અત્યાગવા ગ્ય થાય છે તથા કેટલાક ઘડાઓ અવાસિત હોય છે તેવી જ રીતે જીવો કેટલાએક સારા વેગથી સદ્ધર્મવાસની ગ્યતાને પ્રાપ્ત થાય છે. જે ૧૧. યોગ્યતા અનેક પ્રકારની છે તેને માટે આગમમાં આ પ્રમાણે કહ્યું છે. “धमा उबिहा नवा जुन्ना य जुण्णा विहा नाविया अन्नाविया य नाविया विहा पसथ्थन्नाविया अप्पसथ्थनाविया य पसथ्था अगुरुतुरुकाहिं अपसथ्या पलंमुलसुण माहिं पसथ्थनावित्रा बम्मा अवमा य एवं अप्पसथ्यावि जे अप्पसथ्या अवम्मा जे य पसथ्या बम्मा न ते सुंदरा श्यरे सुंदरा अन्नावित्रा न केण नावित्रा णवगा आवागाओ उत्तारिता मत्तगा एवं धम्मानिनासिणो नवगा जे मित्रदिट्टी तप्पढमयागाहिति । जुण्णावि जे अन्नाविया ते सुंदरा कुप्पव यणपासथ्येहिं नाविया एवमेव नावकुमा संविग्गेहिं जे अप्पसथ्या वस्मा जे अ पसथ्या य संविग्गा य अवस्मा एए बट्टा શબ્દાર્થ–ઘડા બે પ્રકારના છે. નવા અને જુના જુના બે પ્રકારના છે વાસિત અને અવાસિત, વાસિત બે પ્રકારના પ્રશસ્ત વાસિત અને અપ્રશા વાસિત પ્રશસ્ત Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાદ્ધગુણ વિવરણ વાસિતતેઅગર શિલારસ વિગેરે દ્રવ્યોથી વાસિત અને અપ્રશસ્ત વાસિત તે કાંદા [ડુંગળી ] લસણ વિગેરેથી વાસિત હોય છે, તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ગ્યઅને બીજે અત્યાગવા ગ્યા. એવી જ રીતે અપ્રશસ્તના પણ બે પ્રકાર છે. ત્યારે અને અત્યાજ્ય, તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાજ્ય થાય તે બે સારા નથી બાકીના જે ભેદ કહ્યા છે[ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજ્ય થાય તે પણ સારા છે. તેમજ(પ્રાચીન પણ) સારા કે ખરાબ દ્રવ્યથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે. નિભાડામાંથી તત્કાળ કાઢેલા ઘડા તે નવીન કહેવાય છે. એવી રીતે વર્મા ભિલાષી ઓને પણ જાણવા જે નવા મિથ્યાષ્ટિઓ છે તેને પ્રથમ બેધ આપે, જુના પણ [ મિથ્યાદષ્ટિઓ ] જે અવાસિત છે તે સુંદર છે. (ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થાય છે તે કહે છે.) કુદર્શનથી અને પાસાWાદિકના પરિચયથી વાસિત થાય. એવી જ રીતે ભાવ ઘડાઓ [ ] સમજવા, જે સંવિગ્ન ગુણેથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વાગ્યું છે અને જે પ્રશસ્ત અને સંવિગ્ન [ગુણવાલા] છે તે મનેઝ છે. ભાવાર્થ-જીને યોગ્ય ગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જુના બે પ્રકારના ઘઠા કહ્યા છે. તેમ બે પ્રકારના છ જાણવા, જુના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના વાળા અને વાસના વગરના.વાસનાવાળા બે પ્રકારના છે એક સુગંધી દ્રવ્યથી વાસિત થએલા અને બીજા દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા. દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાશ્વેથી જેમનાં હૃદય વાસિત થયેલાં છે અને જે તે વાસનાને સદગુરૂનો ઉપદેશ મળતાં પણ છેડતા નથી તે વાય છે એટલે તે જીવે ધર્મના પાત્ર નથી અને જેઓ મિથ્યા દર્શનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હૃદયના હઠકદાગ્રહથી રહિત જી હોય તે ગુરૂના ઉપદેશથી સદસદ વિવેકથી પર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છોડી સત્યને ગ્રહણ કરે તેવા છે અવાચ્ય છે એટલે ધર્મોપદેશને યંગ્ય છે. પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. વામ્ય અને અવાઓ. જે જેને પ્રથમ સમ્યગ દર્શનાદિની પ્રાપ્તિ થયેલી છે અને જે જે કુગુર્નાદિકને વેગ થતાં સમ્ય દર્શનને વમી જાય તેવા છે તે છ વાગ્યે જાણવા, અને તેવા જ ઉપદેશ યોગ્ય હતા નથી અને જે જેને પ્રથમથી સમ્યગદર્શન ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવર. ૧૩ પાછળથી કુગુર્નાદિકને સંસર્ગ થયાં છતાં પણ સમ્યગ દર્શનાદિકને ત્યાગ કરતા નથી તેવા જ ધર્મોપદેશને યંગ્ય ગણાય છે તે અવાસ્ય જાણવા. જે છ જુના છતાં અવાસિત છે એટલે કે ઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે જીવે પણ ધર્મના ઉપદેશને યેગ્ય છે. આ પ્રમાણે જુના ઘડાના દષ્ટાંતથી ધર્મોપદેશને માટે જેની ગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે ની સરખામણી કરતાં ગ્યાયેગ્યને વિચાર જણાવે છે. જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ બાલ્યાવસ્થાવાળા જે કઈ જેને કોઈ પ્રકારના ધર્મને સંસ્કાર થયે નથી તેવા જેને ધર્મોપદેશ ગ્યતા પ્રમાણે અને ન્યાય પુરસ્સર આપવાથી શીઘ કાર્યકારી થાય છે, તેથી આવા જ ધર્મને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેગ્ય બતાવવા જે આટલે બધે પરિશ્રમ લીધે છે તેનું કારણ સ્પષ્ટ છે કે આયુષ્ય અ૫ છે વિદનો ઘણું છે, મહર્ષિઓએ પિતાનું અને અનેક ભવ્ય જીવેનું હિત કરવાનું છે તેથી અપાત્ર છે સાથે ધર્મોપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને વિચાર કરી પાત્ર છેનેજ ઉપદેશ આપવા પ્રયાસ કરે જેથી ઉભયનું શ્રેય થાય. શબ્દાર્થ–પગ્યાયેગ્યનું સ્વરૂપ પ્રતિપાદન કર્યા પછી વિશેષ ધર્મના અથી એવા પિગ્ય પુરૂએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલું પૂર્વીપરભાવ રૂ૫ વિધાન તે વિધિ) પ્રયત્ન કરવો જોઈએ, કહ્યું છે કે ભીંતના પેળવા પ્રમુખ વ્યવસ્થા કર્યા શિવાય ( ભીંતના ઉપર ચિલું ) ચિત્ર શેભતું નથી. અને પાસ આપ્યા સિવાય તેના ઉપર રંગ સ્થિર થત નથી, ખેતરને ખેડ્યા સિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધર્મ પૂર્વકજ બારવ્રતાદિપ વિશેષધર્મ શોભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પિતાના ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશની અંતે વારંપરિવાર ઇત્યાદિક કુલ કમથી આવેલ અનિંદ્ય વિભવની ત્રિભાગાદિ અપેક્ષાએ ન્યાયથી આચરણ કરવા રૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ પરમહંત પરમ જૈિન ] વિચાર ચતુર્મુખ [ વિચાર કરવામાં બ્રહ્મા રૂ૫] રાજર્ષિ પરનારી સદર (પરસ્ત્રી બાંધવ) રૂદતી વિત્ત પરાડમુખ [નિરવંશનું દ્રવ્ય પ્રહણ કરવામાં વિમુખ] રાજ પિતામહ વિગેરે બિરૂદ જેને મલેલાં છે એવા વ્યવસાય ૧, નિધાન ૨, વ્યાજે ધીરવા ૩. Page #53 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રાદ્ધગુણ વિવરણ. કુમારપાલ મહારાજને સમગ્ર રાજાઓની સભા સમક્ષ ઉપદેશ કર્યો તે જ અહિ પ્રતિપાદન કરે છે, न्यायसंपन्नविनवेत्यादि श्लोकदशक. न्यायसंपन्नविनवः १ शिष्टाचारप्रशंसकः २ कुन शीलसमैः साधं कृतोपाहोऽन्यगोत्रजैः ३ ॥१॥ पापनीरू ४ प्रसिहं च देशाचारं समाचरन् । अवर्णवादीनकापि राजादिषु विशेषतः ६॥॥ अनतिव्यक्तगुप्ते च । स्थानेषु प्रातिबेइमके । अनेकनिर्गमबार विवर्जित निकेतनः ७ ॥ ३ ॥ कृतसंगः सदाचारः ७ मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्छतं स्थान १० मप्रवृत्तश्चगर्हितो ११ ॥४॥ व्ययमायोचितं कुर्वन् १२ वेषं वित्तानुसारतः १३ अष्टनिधीगुणैर्युक्तं १५ शृण्वानो धर्ममन्वहम् १५ ॥ ५ ॥ अजीर्णेनोजनत्यागी १६ काले जोक्ताच सात्म्यतः १७ अन्योन्या प्रतिबंधेन त्रिवर्ग मपि साधयन् १७ ॥ ६ ॥ यथावदतिया साधौ । दीने च प्रतिपत्तिकृत् १५ सदाननिनिविष्ठश्च २० पक्षपाती गुणेषुच २१ ॥ ७ ॥ अदेशाकानयोश्चर्यात्यजन् २२ जानन् बलाबनं २३. वृत्तस्थ ज्ञान वृघानां पूजकः २५ पोष्य पोषकः २५ ॥ ७ ॥ दीर्घदशी २६ विशेषज्ञः २७ कृतज्ञः श्लोकवानः । सलजः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृति कर्मवः ३३ ॥॥ अंतरंगारिषड्वर्ग परिहार परायणः ३४ वशीकृतेंजियग्रामो ३५ गृहि धर्मायकल्पते ॥ १० ॥ दशनिः कुनकम् ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરનાર (1) શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરना२ [२] ३ मने शासथी सश अन्य जीवियोनी साथे ना२ [37॥१॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. પાપથી ભય રાખનાર [૪] પ્રસિદ્ધ દેશાચારને આચરનાર [૫] કેઇના પણ સંબંધમાં અવર્ણવાદ નહિ બેલનાર તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાદ નહી બેલનાર (૬) ૨છે જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારે પાડોશીએએ યુક્ત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણાં ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) ૩. શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતા પિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવ વાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦ ) નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર [૧૧] ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર ૧૨ સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર ૧૩ આઠ બુદ્ધિના ગુણેએ યુક્ત ૧૪ નિરંતરે ધર્મને શ્રવણ કરનાર ૧૫ ન પચ્યું હોય ત્યાં સુધી ભાજનને ત્યાગ કરનાર ૧૬ હંમેશાના વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેજન કરનાર ૧૭ પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ગનું (ધર્મ અર્થ અને કામનું) સાધન કરનાર ૧૮ છે ૬ અતિથિ સાધુ અને દીન પુરૂષને ચોગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯]. નિરંતર દુરાગ્રહ નહી રાખનાર ૨૦ ગુણની અંદર (ગુણું જનની અંદર ) પક્ષપત રાખનાર ૨૧ મે ૭ દેશ તથા કાળ વિરૂદ્ધ આચરણને ત્યાગ કરનાર પર (પતાના) બલાબલને જાણનારર૩ વ્રતધારી તથા જ્ઞાનથી વૃધોની પૂજા કરનાર ર૪ પિષણ કરવા ગ્ય જનનું પેષણ કરનાર ૨૫ ૮ પૂર્વાપર લાંબી નજરથી જેનાર ર૬ વિશેષ જાણનાર ર૭ કરેલા ગુણને જાણનાર ૨૮ લેકની પ્રીતિ મેળવનાર ૨૯ શરમ રાખનાર ૩૦ દયાળુ ૩૧ શાંત પ્રકૃતિવાળે કર પોપકાર કરવામાં શું ૩૩ ૯ અંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર ૩૪ ઈદ્રિના સમહને વશ કરનાર (૩૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળે જે હેય) તે ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. ૧૧ અહીં સ્વામીહ, મિત્રહ, વિશ્વાસીને ઠગ, ચેરી વિગેરે નિંદવા ગ્ય (માર્ગ ] દ્રવ્ય ઉપાર્જન કરવાનું છોડીને પિતાપિતાના વર્ણને અનુકુળ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. (ઉપર જણાવ્યા પ્રમાણે) શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિશંકપણે પોતાના શરીરે કરી તેના ફલને ભેગવવાથી અને (પિતાના) મિત્ર અને સ્વજનાદિકમાં સમ્યક્ પ્રકારે વહેંચણી કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः। Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ, कुकर्म निहितात्मानः पापाः सर्वत्र शंकिता : " ॥ १२ ॥ ॥ પોતાના કર્મના ખલે કરી અભિમાની થએલા ધીર પુરૂષે દરેક ઠેકાણે પ્રકા શિત થાય છે અને કુકર્મનો અદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરૂષ! દરેક ઠેકાણે ભયભીત રહે છે ! ૧૨ ન્યાયેાપાર્જિત વિત્તના અધિકારમાં સ્પષ્ટતા માટે અન્યા ચેાપાર્જિત વિત્તવાળાની સ્થિતિ દશાવે છે. ૧૬ અહિં પુરૂષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણ પ્રાપ્ત થાય છે, એક ભેક્તાનુ' અને ખીજુ ભાગ્ય વિભવનું, તેમાં ભગવનારને આ (પુરૂષ ) પરદ્વેતુથી પ્રાપ્ત પરદ્રવ્ય ભાગવે છે એવા દોષના લક્ષણુવાલી આશકા થાય, તથા ભાગ્ય વસ્તુમાં આ પરદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી ( ન્યાય પ્રવૃત્તિમાં ) તે અન્ને પ્રકારની શંકા હૈાતી નથી તેથી ન્યાચે પાર્જિત વિત્તમાં અભિશકનીયતા ( અવિશ્વાસપણું ) નથી. અહિં અભિપ્રાય એવા છે કે ન્યાયેાપાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કાઇ પણ પુરૂષ કાઈ વખતે લેશ માત્ર પણ શ’કા કરતા નથી તેથી કરીને તે [ ન્યાય પ્રવૃત્તિ કરનાર અવ્યાકુલ ચિત્ત અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન્ સુખના લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને શ્લાઘાની પ્રાપ્તિ થાય છે. સપાત્રને વિષે દ્રવ્યના ઉપયોગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિના હેતુ થવાથી અને દયાએ કરી દીન અનાથ પ્રાણીઓને બ્યાદિ આપવાથી તે પરલેાકના હિતને અર્થ થાય છે. અહિં ન્યાયાપાર્જિત વિત્ત તથા તેના સત્પાત્રમાં વિનિયોગ કરવાથી ચતુલૈંગી થાય છે, જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિચેગ ૫૫ ( આ ન્યાયસ'પન્ન વૈભવના પ્રથમ ભાંગા ) પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત હોવાથી ઉત્તમ દેવપણ” ભોગ ભૂમિમાં ( યુગલિક ક્ષેત્રમાં ) મનુષ્યપણુ, સમ્યક્ષ વિગેરેની પ્રાપ્તિ તથા આસાસિદ્ધિ ફળ આપનારૂં થાય છે. જેમ ધન સાથે વાઢુ તથા શાલિભદ્ર વિગેરેને થયું જેથી કહ્યું છે કે— परितु लियकप्पपायवचिंतामणि कामधेनुमादपं । दाणा सम्मत्तं पत्तं धसथ्थवादें" ॥ १३ ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રાદ્ધગુણ વિવરણ શબ્દાર્થ–દાનથી ધનસાર્થવાહ કલ્પવૃક્ષ ચિંતામણિ અને કામધેનુના મહિને માની તુલના કરનાર સભ્યત્વને પ્રાપ્ત કર્યું હતું. તે ૧૩. અથવા નદિષણ વિગેરેના દષ્ટાંતની પેઠે—જેમ કેક ગામમાં દ્રવ્યને સમૂહે કરી કુબેરની સાથે સ્પર્ધા કરનાર કેઈ બ્રાહ્મણે યજ્ઞના પ્રારંભમાં એક લાખ બ્રાહ્મણને જમાડવાને પ્રારંભ કર્યો. તેની અંદર દાનની રૂચિવાળા કઈ જૈન બ્રાહ્મણને લાખ બ્રહ્મભેજન પૂર્ણ થયે અવશેષ રહેલ તંદુલ અને ઘી પ્રમુખ હું તને આપીશ, એવી પ્રતિજ્ઞા કરી તેને સહાય કરવા માટે રાખે. અનુક્રમે લક્ષ બ્રહ્મભેજન પૂર્ણ થતાં અવશેષ રહેલું તંદુલ વિગેરેને નિર્દોષ અને ન્યાયથી પ્રાપ્ત થયેલું માની તે નિર્ધન જૈન બ્રાહ્મણે વિચાર કર્યો કે જો આ (અનાદિક) કેઈ પણ સત્પાત્રને આપવામાં આવે તે ઘણું ફળ થાય. કહ્યું છે કે— ન્યાયથી પ્રાપ્ત થયેલાં અને કલ્પનીય એવાં અન્નપાનાદિક દ્રવ્યનું પરમ ભક્તિ અને આત્માને ઉપકાર થશે એવી બુદ્ધિએ સાધુઓને જે દાન આપવું તેને મિક્ષફળ આપનારે અતિથિવિભાગ કહે છે.” તે પછી તે બ્રાહ્મણે દયા તથા બ્રહ્મચર્ય પ્રમુખ ગુણવાળા કેટલાએક (પિતાના) સ્વધર્મીઓને ભેજન માટે નિમંત્રિત કર્યા. તે સાધમના ભેજન અવસરે એક મહિનાના ઉપવાસના પારણે કઈ મહાવ્રતધારી મુનિ આવી પહોંચ્યા. આ સાધર્મઆથી આ યતિ ઉત્તમ પાત્ર છે એ નિશ્ચય કરી તે બ્રાહ્મણે બહુમાન તથા શ્રદ્ધાપૂર્વક તે મુનિને અન્નપાન વિગેરે આયું. જે કારણથી કહ્યું છે કે " मिथ्यादृष्टिसहस्त्रेषु वरमेको ह्यणुव्रती । अणुव्रतिसहस्रेषु वरमेको महाप्रती ॥ १५॥ महाबतिसहस्रेषु वरमेको हि तात्त्विकः । तात्त्विकेन समं पात्रं न नूतं न नविष्यति " ॥१५॥ શબ્દાર્થ–“હજારે મિથ્યાદ્રષ્ટિઓથી એક અણુવ્રતધારી[શ્રાવક] શ્રેષ્ઠ ગણાય છે. હજારે અણુવ્રતધારીઓથી એક મહાવ્રતધારી (સાધુ) શ્રેષ્ઠ ગણાય છે ૧૪ હજારે મહાવ્રતધારીઓથી એક તત્વવેત્તા શ્રેષ્ઠ ગણાય છે, તત્વવેત્તાની સમાન [ ઉત્તમ! પાત્ર થયું નથી અને થવાનું નથી, જે ૧૫ ” Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાદ્ધગુણ વિવરણ કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર તે જૈન બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં દેવતા થશે. ત્યાંથી અવીને રાજગૃહનગરમાં નદિષેણ નામે શ્રેણિક રાજાને પુત્ર થયે, તેણે વન વયમાં પાંચ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિણ) દેગુંદ દેવતાની પેઠે મનહર વિષય સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયે. આ તરફ તે લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણા ની અંદર કાંઈક ભેગાદિક સુખને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે પૂર્વે યૂથપતિએનાશ કર્યો છે હાથીપુત્ર જેના, એવી કઈ હાથણીએ યૂથપતિને વંચન કરી કઈ તાપસના આશ્રમમાં એક કલભને જન્મ આપ્યો, અને તેને ત્યાંજ મુ.તે ગજકલભ (હાથીનું બચ્ચું તાપસના કુમારની સાથે વૃક્ષેને પાણી સિંચતો હેવાથી તાપસેએ તેનું સંચાનક એવું નામ પાડ્યું. કેઈક અવસરે પિતાના યૂથપતિ પિતાને મારી પતે યૂથપતિ થયે, અને હાથણએના ટોળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથીજ જાણતું હતું, તેથી તેણે તાપસેના આશ્રમને ભાંગી નાખે. ખેદ પામેલા તાપસે એ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યું. તે હાથી આ પ્રમાણે હતે-સાત હાથ ઉંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ હિલો, દશ હાથ વિસ્તારમાં અને વીશ નખએ સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઉંચા કુંભસ્થલ હતા, કંડમાં લધુ હતો, મધુ સમાન પિંગલ નેત્રો હતાં, ચળકતા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચારશે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતે. તે ભદ્ર જાતિને હાથી સાત અંગમાં સુશોભિત હતે. શ્રેણિક રાજાએ તેને અતિ ય પૂર્વક પકડીને પિતાને પટહસ્તિ કર્યો. રાગ્ય આહાર તથા વસ્ત્ર ઓઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થયો. કેઈક અવસરે તાપસએ જે ! આ અમારા આશ્રમને ભાંગવાનું ફલ છે,” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આલાન તંભને ઉખેડી ત્યાંથી નિક અને બીજી વાર તાપના આશ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયા પરંતુ તે દુઃખે કરી વશ થાય તે હાથી કોઈ નાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિણ કુમારે તે હાથીને હંકાર્યો. નંદિવેણુકુમારને જોઈ આ કોઈ પણ મહારે સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઉભે . પછી Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ૧૯. નદિષણ કુમારે તેને લાવી આલાનરત બાં, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનું વૈભારગિરિ ઉપર પધાર્યા, (તે વૃત્તાંત સાંભળી) શ્રેણિક રાજા અભયકુમાર અને નંદિણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હસ્તિ ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પૂર્વ ભવમાં લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણોને વૃત્તાંત કહી સંભળાવ્યું. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી બોલ્યા કે-“હે રાજન્ ! આ નંદિણ કુમારચાયથી મેળવેલા દ્રવ્યને સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાગને ભેગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણાને મેળવી અનુક્રમે મેક્ષ સુખને પામશે.અને હાથીને જીવ તે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રા પાત્રને વિચાર કર્યા સિવાય (કરેલા) દાન પ્રમુખથી ભેગોને પ્રાપ્ત થયે, પરંતુ પહેલેકમાં પ્રથમ નરકમાં જનાર છે,” એવું શ્રવણ કરી મંદિરેણુ કુમાર પ્રતિધ પામ્ય અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે “હજુ પણ તારે ભેગાવલી કર્મ ઘણું બાકી છે.” એવા વચનેથી (શાસન) દેવતાએ નિષેધ કર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી. પૂર્વના નિકાચિત ભેગા કર્મના ઉદયથી પ્રેરાયેલા નદિષેણ દીક્ષાને ત્યાગ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરંતર દશ દશ (મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નાદિષણની કથા બીજા ગ્રંથથી જાણવી. પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પિષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગોને પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષલમીના સુખને પામે છે. ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય કરી જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારે થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારેજ છે, જે કારણથી કહ્યું છે કે – ___" दानेन नोगानाप्नोति यत्रतत्रोपपद्यते" શબ્દાર્થ–“દાને કરી જ્યાં ત્યાં (ભામાં ભમતાં) ભેગો પ્રાપ્ત થાય છે ? (પણ મોક્ષ સુખ મળતું નથી.) Page #59 -------------------------------------------------------------------------- ________________ ર૦ શ્રાદ્ધગુણ વિવરણ, અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્ય કરી સત્પાત્રને પિષણ કરવારૂપ ત્રીજો ભાગ જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણા આરંભથી દ્રવ્ય ઉપાર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાગે જણાવ્યું છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારું થાય છે. કહ્યું છે કે – " खरोऽपि गवि पुग्धं स्यादुग्धमप्युरगे विषम् । पात्रापात्र विशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥ १॥" શબ્દાર્થ—ખોળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દુધ ઉત્પન્ન કરે છે અને દુધ પણ સપને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે ” તેવી જ રીતે તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળમાં પાત્ર વિશેષથી મટે અંતર છે. સપના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું માર્તિક થાય છે. મહા આરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાવ વિના મમ્મણ શેડ વિગેરેની પેઠે દુર્ગતિના ફળનેજ આપનારું થાય છે. કહ્યું છે કે“ ववसायफवं विहवो, विवहस्स फवं सुपत्तविणिोगो । तयनावे ववसाओ, विहवोवि य दुग्गनिमित्तं ॥ १॥" શબ્દાર્થ—“ વ્યાપાર કરવાનું ફળ વિભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ દુર્ગતિના હેતુ થાય છે. ૧ છે ” અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્ય કરી કુપાત્રના પિષણ વિગેરે કરવારૂપ છે ભાગે જાણવો છે આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરૂષને નિંદનીક હોવાથી અને પરમાં દુર્ગતિને હેતુ હોવાથી વિવેકી પુરૂએ ત્યાગ કરેગ્ય છે. કહ્યું છે કે "अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् । धेनुं निहत्य तन्मांसाक्षाणामिव तर्पणम् ॥ १॥" Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ. ૧ શબ્દા અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યનુ· દાન (કુપાત્રને) કરવુ તે અત્યંત દોષ ઉત્પન્ન કરવાવાળુ છે જેમ કેાઇ ગાયને મારીને તેના માંસથી કાગડાઓને તૃપ્તિ કરાવે તેના જેવું છે ॥ ૧ ॥” વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે— “अन्यायोपार्जितैर्वित्तैर्यत् श्राद्धं क्रियते जनैः । तृप्यते तेन चांगाला कसा दासयोनयः ॥ २ ॥” શબ્દા— અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યેાથી જે લાક। શ્રાદ્ધ કરે છે તેનાથી ચંડાળા, વર્ણ શંકર તથા દાસની ચેાનિમાં ઉત્પન્ન થયેલા તૃપ્ત થાય છે (પિતૃ તૃપ્ત થતા નથી ) ॥ ૨ ॥ ” જેથી ન્યાયથી ઉપાર્જન કરેલુ' દ્રવ્ય થાડું આપેલું પણ કલ્યાણને માટે થાયછે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યુ હોય, તોપણ ફળ રહિત થાય છે. અન્યાયની વૃત્તિથી અર્જન કરેલુ દ્રવ્ય આલેક અને પરલેાકમાં અહિતના અર્થેજ થાય છે, કેમકે આલેાકમાં લેક વિરૂદ્ધ આચરણ કરવાવાળા પુરૂષને વધ મ ધનાઢ ઢોખા પ્રાપ્ત થાય છે, અને પરલેાકમાં નરકમાં પડવા વિગેરે દોષો થાય છે. કદાપિ કોઇ માણસને પાપાનુબંધીપુણ્યકર્મના ફળને લઈને આલેાની વિપત્તિ દેખાતી નથી, તથાપિ પરિણામે તે અવશ્ય થવાનીજ. જે કારણથી કહ્યું છે કે— "पापेनैवार्थ रागांधः फलमाप्नोति यत्कचित् । मिशा भिषवत्तत्तम विनाश्य न जीर्यति ॥ १ ॥” શબ્દા— અર્થના રાગે કરી અધ થયેલા મનુષ્ય પાપવડે કદી કાઈ વખત ફળને પામે, તાપણ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છના નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલુ ધન શરૂઆતમાં કાંઇક ફળ આવે છે, પરંતુ પરિણામે તે (ધન) ગહણ કરનારના નાશ કરે છે ! ? !! ” વળી કહ્યું છે કે "न्यायोपात्त वित्तेन यो दितं हि समीहते । णाकालकूटस्य सोऽनिवांनति जीवितुम् ॥ २ ॥ " Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાદ્દગુણ વિવરણ. શબ્દાર્થ જે પુરૂષ અન્યાયી ગ્રહણ કરેલા દ્રવ્યે કરી ( પેાતાના ) હિતને ઇચ્છે છે તે પુરૂષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઇચ્છા રાખે છે ”ા ૨ ૫ તેવી રીતે આલેાકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યવડે પેાતાને નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપમુદ્ધિમાંજ રશ્રેણિ વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રકશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે. મરૂસ્થળમાં પલ્લી ( પાલી ) નામે ગામની અંદર કાફ઼ અને પાતક નામે બે ભાઇઓ હતા. તે બેમાં નાના ભાઈ ધનવાન હતા, અને માટા ભાઇ નિ ન હેાવાથી તે નાનાભાઈના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરત! હતા. એક વખતે વર્ષારૂતુમાં દિવસના કાર્યથી થાકેલા કાફ઼ રાત્રે સુતા હતા, તે વખતે પાતકે કહ્યું કે—હે ભાઇ ! પાણીના સમૂહથી આપણા કયારાએની પાળા તૂટી ગઇ છે અને તું નિશ્ચિતપણે સુતા છે, એમ ઠપકા આપ્યા. તે વખતે તે કાફ઼ પથારીનો ત્યાગ કરી દરદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પોતાના આત્માને નિદ્યતા કેાદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તુટેલી પાળેને ખાંધવાની રચના કરવામાં તત્પર કરીને જોઇ તેણે પૂછ્યુ કે—“તમે કાણું છે ?” તેએએ ઉત્તરમાં જણાવ્યું કે અમે તારા ભાઇના નાકરા છીએ. કાઇ ઠેકાણે મહારા નાકરા છે ? એમ કાટ્ટએ પ્રશ્ન કરે છતે તે એલ્યાકે વલ્લભીપુરમાં હારા નાકરા છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટું* સહિત વલ્લભીપુરમાં ગયા. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડાની નજીકમાં વસતા અત્યંત દુખળપણાને લઇ ભરવાડેએ તેનું રંક એવુ' નામ પાડયું. તે રક વણિક તે આભીરાના અવલ’ખનથી ઘાસનું ઝુંપડુ કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કોઇ જાત્રાળુ (કાર્પેટિક) કલ્પેની રીતિ (રસ સાધવાના વિધાન) પૂર્વક ગિરનાર પતથી સિદ્ધરસની તૂંબડીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાફ઼ તૂંબડી એવી શરીર વિનાની(અઢશ્ય)વાણીનું શ્રવણ કરી ભય પામ્યા. તેથી વલ્લભીનગરીના સમીપમાં તે તૂખડીને તે કપટી વાણીઆના ઘરમાં અનામત મુકી અને તે યાત્રાળુ (કાર્પેટિક) સેામનાથની યાત્રા કરવા ગયા. કાઈ પ ના દિવસે ચૂલા ઉપર મુકેલી તાવડીમાં તૂંબડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણ રૂપ થયેલી (તાવડી) જોઇ તે વણિકે આ સિદ્ધરસ છે, એમ નિશ્ચય કરી તે તુંબડી સહિત ઘરની સાર વસ્તુને ખીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યુ, અને બીજે દરવાજે ઘર કરીને રહ્યા, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ २3 તે શ્રેષ્ઠીએ કેઈએ વેચવા લાવેલા ઘીનું પિતે માપ કરતાં તે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈઢણી છે, એમ નિશ્ચય કરી તે ઈઢાણીને કોઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી ખોટાં ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધિપુણ્યના બળે કરી વેપારમાં તત્પર રક એષ્ટિને ઘણું દ્રવ્ય મળ્યું. એક વખતે કેઈ સુવર્ણની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ઠિને મળે. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધું અને તેની સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાક અનેક કટિ ધનનો સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિર્ધન હતું તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કોઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દૂર રહ્યા પણ ઉલટ સંપૂર્ણ લોકોને ઉચ્ચાટન કરવા, નવા નવા, કરનું વધારવું, અહંકારનું પિષણ અને બીજા શ્રીમતની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરેથી સર્વ ભૂતેના સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાફ પિતાની લક્ષ્મી કોને દેખાડતા હતા. તે પછી કોઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જડેલી કાંસકી રાજાએ પિતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ, તેથી બળાત્કારથી હરણ કરી લીધી. તે વિધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કટિ સુવર્ણ આપી મુગલેને લાવ્યા. તે મુ ગેલેએ દેશને નાશ કર્યો છતે તે રંક વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકને લાંચ આપી ફેડ્યા અને બેટો પ્રપંચ કરાવ્યું. પૂર્વે તે રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડતે પછી સંકેત કરેલા પુરૂષે પાંચ શબ્દના વાજી વગાડતા, પછી ઘેડે આકાશમાં જ તેના ઉપર આરૂઢ થયેલે રાજા શત્રુઓને મારતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશ કરતા; પણ આ વખતે રક શ્રેષ્ટિએ ફેડેલા પંચ શબ્દ વાત્ર વગાડનારાઓએ રાજાને ઘેડા ઉપર સ્વાર થતાં પહેલાં પચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘેડે ઉડીને ચાલ્યા ગયે, તે વખતે હવે શું કરવું એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યું. તે પછી સુખે કરી વલ્લભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે– “पण सयरी वाससयं, (वासा)तिनि सयाई अश्वमेऊणं । विकमकालाओ तो, ववजीलंगो समुप्पन्नो ॥ १ ॥" Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રા ગુણ વિવરણ. શબ્દાર્થ–“વિક્રમ રાજાના સમયથી ત્રણસે પંચોતેર ૩૭૫ (મહાવીર સ્વામીથી ૮૪૫) વર્ષ અતિકમણ થયે વલભીનો ભંગ થયે” ૧ (વલ્લભીના ભંગ સંબંધી કેટલાએક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથી અને પ્રાચીન લેખેથી જાણી લેવા. આ શિલાદિત્ય પ્રથમ શિલાદિત્ય હોવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યો છે તે મલવાદીના સમયને પ્રાયે મળતા આવે છે.)તે રંક શ્રેષ્ટિએ મુગલેને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. રક શ્રેષ્ટિ કથા. સમાસ. એવી રીતે અન્યાય વિત્તના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું, વળી વ્યવહાર પૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારને ખોરાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધજ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે– " ववहारसुद्धी धम्मस्स, मूवं सम्वन्नुनासए । વવારે તુ સુપ, સ્થjી નો મ” છે ? . " सुद्धणं चेव अत्थोणं, आहारो होइ सुण । તુ તુષ્ટ, મુક્કી ન જવે” . શ . • " सुकेणं चेव देहेण, धम्मजुग्गो य जायई। जं जं कुण किच्चंनु, तं तं ते सफलं भवे" ॥३॥ શબ્દાર્થ–સર્વર ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુદ્ધ વ્યવહારે કરી અર્થની શુદ્ધિ થાય છે૧ એ શુદ્ધ અર્થે કરીને જ આહાર શુદ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે જે ૨ વ્યાખ્યા-શુદ્ધ અર્થે કરીને જ આહાર એટલે અશન પાન ખાદિમ સાદિમ વિગેરે શુદ્ધ (દેષ રહિત) થાય છે, અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે, કારણ કે બાહ્ય મલ (મલિન શરીરાદિ) હેય તે પણ જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુદ્ધિ ગણાય છે. “શુદ્ધ દેહે કરીને જ ધર્મને થવાય છે, અને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે, કા વ્યાખ્યા-ગૃહસ્થ શુદ્ધ દેહે કરીને જ ધર્મને પગે થાય છે. જેમકે અંગને Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને પિગ્ય થાય છે, તેમ આ શુદ્ધ દેહવાળે છવ ધર્મ રૂપી અલંકારને યોગ્ય થાય છે, અને પછી દેવપૂજા તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે સ્વર્ગ અને મેક્ષના ફળનેજ આપનારું થાય છે. ભાવાર્થઅહિં જીનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહાર શુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું વધારે લેવું, માપવાનાં કાટલાં પ્રમાણુથી વધારે ઓછાં રાખવાં, તાજવામાં ધડે વિગેરે રાખવે, સારે માલ દેખાડી ખરાબ આપ, સારે પદાર્થ નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના પિસા લેવા, દેવદ્રવ્ય વિગેરે ઉચાપત કરવું, લાંચ ખાવી, વિશ્વાસઘાત કરે એ વિગેરે અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું ગૃહસ્થને ગ્ય નથી, કારણ કે શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અર્થશુદ્ધિ છે, અને તથા પ્રકારને જે શુદ્ધ અર્થ (દ્રવ્ય) હોય તેજ તેનાથી ખરીદેલે આહાર શુદ્ધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનારે થઈ શકે છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર એટલે જો ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરેલું હોય અને તેને આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુદ્ધિથી અર્થની પ્રાપ્તિ થઈ ગણાય છે, અને તે દ્રવ્યને સત્પાત્ર, દીન, અનાથ વિગેરે ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યો હોય તે તે અત્યંત આનંદ આપનારે થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિકર્તા થાય છે, અને તે દ્રવ્ય જેના ઉપભેગમાં આવ્યું હોય તેના વિચારે પણ વ્યવહાર શુદ્ધિમાં પ્રવર્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિગેરેને વધારનાર વિચારેને લય થાય છે, તેથી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા સતત્ પ્રયાસ કરે જેથી તે ઉત્તરોત્તર ઉત્તમ ફળને આપનારૂં થાય. આ શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુઓ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુઓ શુદ્ધ થવાથી જીનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાથી કર્મબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ દશાને પામી પિતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે, અને એગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકુળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણને અંગીકાર કરી અને પછી સર્વ વિરતિ પણનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાને પ્રાપ્ત કરી,ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અંતે મોક્ષપદને પામે છે. હવે ઉપર કહેલી બીના વ્યતિરેકથી દર્શાવે છે Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ " अन्नदा अफसो होश, जं जं किच्चं तु सो करे ॥ - વલ્લાહુવિ િય, ધ હિંસાવ નો છે ?” શબ્દાર્થ—અન્યથા વ્યવહાર શુદ્ધિરહિત પુરૂષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે, અને તે ધમની લઘુતા કરાવે છે ” ૧ વિવેક રહિત લોકો નિંદા કરે છે. લઘુતા જે થાય છે તે કહે છે– " धम्मखिंसं कुणंताणं अप्पणो अपरस्स य ॥ अबोही परमा होइ सुत्ते विनासियं ॥२॥" શબ્દાર્થ –ધર્મની હેલના કરવાવાળા પિતાના આત્માને અને બીજાના આ બેલિબીજ (સમ્યકવ) નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેવું છે ઘરા લેકમાં પણ કહેવાય છે કે જેને જે આહાર હોય છે તેને તે શરીરને બાંધે અને સ્વભાવ થાય છે; જેમ બાલ્યાવસ્થામાં ભેંસનું દુધ પીનારા ઘડાઓ પાણીમાં પડે છે, અને ગાયનું દુધ પીનારા જળથી દૂરજ ઉભા રહે છે, તેવીજ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ (ભાવ)વાળે થાય છે. તે કારણથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય છે, તેજ ધર્મની વૃદ્ધિનું કારણ થાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આખરે રાજા, ચેર, અગ્નિ, જળ વિગેરેથી હરાઈ જનારું હેવાથી તે ઘણે કાળ સ્થિર રહેતું નથી, અને તે પિતાના શરીરને ઉપગ અને પુણ્ય કાર્યમાં વ્યય વિગેરેનું કારણભૂત થતું નથી. કહ્યું છે કે – " अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति; .. प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥१॥" શબ્દાર્થ– અન્યાયથી ઉપાર્જન કરેલું કમ દશ વર્ષ સુધી રહે છે, અને અગ્યારમું વર્ષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સર્વથા) તે નાશ પામે છે” ૧૫ જેને માટે વાચક શ્રેષિનું દષ્ટાંત છે– Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. કઈ ગામમાં હેલેક નામે શ્રેષ્ટિ હતું અને તેને હલી નામે ભાર્યા અને હાલાક નામે પુત્ર હતો.તે હલેક શ્રેષ્ઠ મા આલાપથી, બેટાં ત્રાજવાથી, બેટા માપથી, નવી અને પુરાણી વસ્તુ મેળવી રસને ભેદ કરવાથી અને ચેરના લાવેલા (પદાર્થ) નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યાપારથી ભેળા અને ગામડીયાઓને ઠગવાના ધંધાથી ધન ઉપાર્જન કરતે હતે. ખરી રીતે તે તે શેઠીઓ પરને ઠગવાથી પિતાના સ્વાર્થને ઠગનારેજ હતે. કહ્યું છે કે – દિલ્યપદવઃ પાપા, માયા વવાયા भुवनं वंचयमाना, वंचयन्ते स्वमेव हि ॥१॥" શબ્દાર્થ—કપટ કરવામાં નિપુણ અને માયાએ કરી બગલાના જેવી વૃત્તિવા ળા પાપી પુરૂષો જગતને ઠગવા જતાં પોતાના આત્માને ઠગે છે.” ૧ મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ હોવાથી વર્ષની અને ચેર, અમિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કાંઈ પણ એકઠું થતું નથી (રહેતું નથી). અનુક્રમે વન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને બીજા ગામમાં વસનાર ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્ય. વહુ ઘરમાં આવી તે ધર્મની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણ કરવાના અને આપવા વિગેરેના અવસરે પૂર્વના સંકેત કરેલા પંચકર ત્રિપકર માપાના સબંધથી પુત્રને પણ પંચકર ત્રિપેકર રૂ૫ બીજા નામથી આમંત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લોકેના જાણવામાં આવ્યાથી લે કે તેનું વેચકશિ એવું બીજું નામ પાડયું. એક વખતે શેઠના પુત્રની વહુએ પિતાના સ્વામીને પુછયું કે, “શા કારણથી પિતા તમને બીજા નામથી બોલાવે છે? તે શેઠના પુત્રે પિતાની ભાર્યાને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું. તે ધર્મિષ્ટ વહુએ શેઠને વિનંતી કરી કહ્યું કે આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ધર્મકાર્ય માટે અને ભેગમાટે થતું નથી અને ઘરમાં પણ રહેતું નથી, તે કારણથી ન્યાયથી અર્થને ઉપાર્જન કરે કેલ્યાણકારી છે. શેઠે કહ્યું, “ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કઈ પણ લેક વિશ્વાસ ન રાખે.” પછી વહુએ કહ્યું કે “વ્યવહારથી શુદ્ધ હેય તે થે પણ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા બી. જની પેઠે ઘણાં ફળવાળું થાય છે અને નિઃશંકપણાએ ભોગ વિગેરેની પ્રાપ્તિથી મનને Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. સુખ અને સમાધિને લાભ થાય છે. જે તમને વિશ્વાસ ન હોય તે છ મહીના સુધી તુચ્છ ધંધાને ત્યાગ કરી ન્યાય વૃત્તિથી વ્યાપાર કરે.” પછી શ્રેષિએ વહુના વચનથી તેવી રીતે કર્યું. છ મહીનામાં તેણે પાંચશેર પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કર્યું. તે છેષ્ટિના સત્યવાદીપણુથી અને સત્યકારીપણા વિગેરેથી સવે ઘરાકે તેની દુકાને આપ લે કરવા લાગ્યા, લેકેમાં તેની કીર્તિ પ્રસરી અને લેકેમાં વિશ્વાસ થયે. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યું. વહુએ કહ્યું પરિક્ષા કરે. પછી તે સુવર્ણની પાંચશેરી કરાવી તેને ચામડાથી મઢી અને પિતાના નામથી અંક્તિ કરાવી ત્રણ દિવસ સુધી રાજમાર્ગમાં મુકી પણ કોઈએ દેખી નહિ; પછી તેને લાવી કઈ મહેતા જળાશયમાં નાખી તેને કઈ મચ્છ ગળી ગયે, તે મચ્છ કેઈએક માછીની જાળમાં પડે; માછીએ તેને ફાડે કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી, તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાવ્ય, શેઠે કાંઈક આપી ગ્રહણ કરી લીધી, અને શ્રેષ્ઠિને વહુના વચન ઉપર વિશ્વાસ થયે. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ટિએ ઘણું વિત્ત ઉપાર્જન કર્યું, અને સપ્ત ક્ષેત્રમાં અનેક પ્રકારે વ્યય કરતાં ઉત્કૃષ્ટિ મેટાઈને પામ્યું. તે પછી સંપૂર્ણ લેકે આ શેઠનું ઉજવળ દ્રવ્ય છે એ વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણ કરવા લાગ્યા. વહાણ ભરવામાં પણ વિદનની નિવૃત્તિને અર્થે તેનાજ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચાર કરી વહાણ ચલાવવાની વખતે કે હજુ સુધી હેલી હેલ એમ બેલે છે. એવી રીતે શુદ્ધ વ્યવવહાર આ લેકમાં પણ પ્રતિષ્ઠાને હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અથેપાર્જનના ઉપાયમાં રહસ્ય છે. કહ્યું છે કે " सुधीरर्यार्जने यत्नं, कुर्यान्न्यायपरायणः । - ચાય જુવાનપાયોડયમુપાયઃ સંપાંપા ? ” | શબ્દાર્થ – ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળા પુરૂષે અર્થ ઉપાર્જન કરવામાં પ્રયત્ન કર, ન્યાય છે તેજ સંપત્તિને વિશ્વ રહિત ઉપાય અને સ્થાન છે. ૧” સજજનપણને ભજવાવાળા પુરૂને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિઓ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ સારી નથી. પરિણામે સુંદર એવું સ્વભાવથી કુશપણું હોય તે તે શેભે છે, પરંતુ ફળમાં (પરિણામે) વિરસ અને સેજાથી થયેલું સ્થળપણું હોય તેતેશભતું નથી. તપસ્વી લેકેને વિહાર, આહાર(ખેરાક), વચન અને વ્યવહાર શુદ્ધ જોવાય છે, અને ગૃહસ્થને તે વ્યવહારજ શુદ્ધ જેવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાખંડી અને પાસસ્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરે અને તે દ્રવ્યનું વ્યાજથી ગ્રહણ કરવું વિગેરે પણ મહા દેષકરનાર છે. જે કારણથી કહ્યું છે કે – " अन्यायदेवपाखंकि, तधनानां धनेन यः। वृषिमिच्छति मुग्धोऽसौ विषमत्ति जिजीविषुः ॥१॥" શબ્દાર્થ–“જે પુરૂષ અન્યાયના, દેવના, પાખંડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈતે દ્રવ્ય કરી પિતાના દ્રવ્યની વૃદ્ધિ ઈચ્છે છે તે ભેળે પુરૂષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઈચ્છા કરે છે, ૧ ” લિમિક શાળામાં પણ કહ્યું છે કે – " देवजव्यण या वृद्धि, गुरुजव्यण यद्धनम् । तपनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥ १॥" प्रनास्वे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ अग्निदग्धाः प्ररोहंति, प्रनादग्धो न रोहति ॥॥ प्रनास्वं ब्रह्महत्या च, दरित्रस्य च यधनम् ॥ ગુરુપત્ની કવ્ય, ચમ િપતયેત રૂ . ” શબ્દાર્થ –“દેવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરૂના દ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે ? પ્રાણેકિંઠ સુધી આવ્યા હોય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઉગે છે પણ દેવદ્રવ્યથી દાઝેલે ઉગતો (ઉદય પામત) નથી. પારાદેવદ્રવ્ય,બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુરૂની ભાર્યા અને ગુરૂદ્રવ્ય એ સર્વે સ્વર્ગમાં રહેલાને પણ નીચે પાડે છે. ૩. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ્ગુણ વિવરણ, અહિં લાકિ કથા કહે છે—પૂર્વે શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજમામાં કોઇ શ્વાન બેઠા હતા, તેને કાઈ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યાં. રૂધિર નીકળતા શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠા. રાજાએ ( રામે ) તેને ખેલાવીને પુછ્યું એટલે તે શ્વાન ખેલ્યા કે મને નિરપરાધીને તે બ્રહ્મપુત્રે શામાટે માર્યા ?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં ખેલાવી રાજાએ તેને કહ્યું, ‘તને મારનાર આ બ્રહ્મપુત્ર છે ? એટલ, એને શું દંડ કરીએ ?” કુતરાએ કહ્યું કે ‘આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિયાજન કરે,' રાજાએ પુછ્યુ, આ ડ કેવા કહેવાય ?” ત્યારે કુતરાએ ફરીથી કહ્યું, ‘હું આ ભવથી સાત ભવ પહેલાં નિરંતર શ’કરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મહારા અન્ને હાથેાને ધેાઇ ભેાજન કરતા હતા. એક વખતે શકરના લિ’ગમાં ભરવા માટે લેાકેાનુ' ભેટ કરેલુ કઠિન ઘી તેને વેચતાં તે કઠણ હાવાથી મહારા નખની અંદર ભરાઇ ગયુ, તે ઉષ્ણ ભેાજનથી ગળી ગયુ અને અજાણપણાએ મહારાથી તેનું ભક્ષણ કરાયુ. તે દુષ્ટ કથી હું સાત વખત કુતરા થયા છુ...! હે રાજન ! આ સાતમા ભવમાં મને જાતિ સ્મૃતિ જ્ઞાન થયુ' છે, અને હમણાં તમારા પ્રભાવથી મને મનુષ્ય સખથી વાણી ઉત્પન્ન થઈ છે.' એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલ દેવદ્રવ્ય દુઃખનુ કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરૂષાએ તે દ્રવ્યનુ પેાતાની શક્તિ અનુસાર રક્ષણ કરવું. પતિ પુરૂષા ઝેરને ઝેર કહેતા નથી; પર`તુ દેવદ્રવ્યને ઝેર કહે છે. “ વિષ ભક્ષણ કરનાર એકનેજ હૂણે છે, અને દેવદ્રવ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે,” એમ સ્મૃતિકાર કહે છે. ૩૦ અહિં’ કાઇ એમ શંકા કરે કે · જે એવી રીતે વ્યવહારના નિષેધ કરશે તે ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિજ નહીં થાય, અને પછી આજીવિકાના વ્યવછેદ થતાં ધ ના હેતુભૂત ચિત્ત સમાધિના લાભ કેવી રીતે થશે ?’ એવી આશકા કરી કહે છે, * ન્યાય એજ અર્થની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એજ પરમાથી દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાત્પર્ય છે. જેમ દેડકાએ જળાશયમાં આવે છે, અને પક્ષીએ સરાવરના પૂરમાં આવે છે તેમ શુભકર્મને વશ થયેલી સર્વ પ્રકારની સપત્તિએ સારા કર્મવાળા પુરૂષાની પાસે આવે છે, ” તેવીજ રીતે કહ્યું છે કે 66 नोदन्वानर्थितामेति न चांजो जिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ॥२॥" Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રાદ્ધગુણ વિવરણું, શબ્દાર્થ–બજેમ સમુદ્ર યાચાપણાને પ્રાપ્ત થતું નથી અને પાણીથી ભરાય છે તેમ આત્માને પાત્રપણાને પમાડે તેથી પાત્રમાં સંપત્તિઓ પિતાની મેળે આવે છે. ” તે શુદ્ધ અજુ વ્યવહાર ચાર પ્રકારને છે તે કહે છે. યથાર્થ કહેવું ૧. અર્વાચન કિયા ૨. ભવિષ્યના અપાયને (અનર્થને) પ્રકાશ કરે. ૩. અને મૈત્રી ભાવને સદ્ભાવ ૪. અજુ એટલે સરળ, શુદ્ધ એટલે દેષ રહિત એવે વ્યવહાર નામને ગુણ ચાર પ્રકારનો છે, તે બતાવે છે. યથાર્થ કહેવું એટલે ધર્મમાં, લેવડ દેવડમાં અને સાક્ષી કે બીજા વ્યવહાર વિગેરેમાં વિરોધ રહિત વચનનું બેલવું, અહિં આ તાત્પર્ય છે –નિરંતર ધર્મ અને અધર્મને જાણું ભાવ શ્રાવકે પરને ઠગવાની બુદ્ધિથી બેલતા નથી, અને તેઓ સાચું અને મધુર બેલે છે.ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ ઓછી વધારે કિમત કહેતા નથી અને સાક્ષીમાં નિયુક્ત કર્યા હોય તે પણ અસત્ય વચન બોલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કઈ પણ મનુખ્યને અસત્ય વચનથી દૂષિત કરતા નથી, અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકે ધર્મના ઉપહાસ્યજનક વચનને કમળ શ્રેષ્ટિ વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ જજી વ્યવહારને પ્રથમ ભેદ થયે. ૨ અર્વાચન ક્રિયા એટલે પરના દુઃખમાં અકારણભૂત એવી મન વચન અને કાયાના વ્યાપાર રૂપ કિયા તેને અવંચન ક્રિયા કહે છે. સદશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી ઓછું આપી અને વધારે લઈ શુદ્ધ ધર્મને અથી બીજાને ઠગે નહીં. અર્વાચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્વક, ચેરેનું લાવેલું અને તેના ચાર સંબંધી) પ્રગ વિગેરેને ત્યાગ કરે તે આ પ્રમાણે છે–ચેર, ચેરી કરાવનાર, ચેરને સલાહકાર, ચેરના ભેદને જાણુ, ચેરીના માલને ખરીદનાર, ચારને ખોરાક આપનાર અને અને ચોરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચેર કહેવાય છે. તેમાં કાણકક્રયી એટલે ચેરનું લોવેલું ઘણું કિમતનું પણ કાણુક એટલે આ ખરાબ છે એમ કહી ડી કિમતથી ખરીદ કરી લે તેને કાણકક્યી કહે છે. હવે અઢાર પ્રસિદ્ધિઓનું વર્ણન કરે છે. ભલન ૧, કુશળ ૨, તર્જા ૩, રાજગ ૪, અવકન પ, અમાર્ગદર્શન ૬, શય્યા ૭, તથા પદભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, તથા ગોપન ૧૨, ખંડનું ખાદન ૧૩, તથા વળી મહારાજિક ૧૪, પદ્ય ૧૫, અગ્નિ ૧૬, ઉદક Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરૂએ જાણવી. એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં) તમારે ડરવું નહીં તે વિષયમાં હુંજ ખાત્રીદાર થાઉં છું, ઇત્યાદિક વાકયેથી ચોરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભલન કહે છે. ૧ એ ચાર જ્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાત પુછવી તેને કુશલ કહે છે. ૨ચોરને હસ્ત વિગેરેથી ચોરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તર્જા કહે છે માયા જેમાં રાજન ભાગ હોય તેવું રાજભેગ દ્રવ્ય એળવવું તેને રાજભેગ કહે છે. ૪ ચોરી કરતા ચેરેને (માલ લેવાની ઈચ્છા પૂર્વક દેખવું તેને અવલોકન કહે છે કે ૫છે ચારના માર્ગ પુછનારને બીજે રસ્તે બતાવવાથી તે ચોરને છુપાવવા તેને અમાર્ગદર્શન કહે છે કે ૬ ચોરને સુવાની વસ્તુ વિગેરેનું આપવું તેને શય્યા કહે છે કે ૭ (ચારના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવરને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભંગ કહે છે. ૮ રને પિતાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કહે છે લા ચારને નમસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૧. ચેરને ગાદી તક આપ તેને આસન કહે છે કે ૧૧ છે ચારને સંતાડે તેને ગેપન કહે છે મારા ચારને ખાંડ જેટલી વિગેરેનું ભેજન આપવું તેને ખંડ ખાદન કહે છે કે ૧૩ છે ચારને ઉપયોગી લેકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવું તેને મહારાજિક કહે છે ૧૪ અને ચોરને પદ્ય અગ્નિ ઉદક દેરડું વિગેરે આપવું, એટલે કે ચેરને પગ ધોવા અને શરીરે ચોળવા માટે દૂર માર્ગથી આવવાથી ઉત્પન્ન થયેલા શ્રમને દૂર કરવાના હેતુરૂપ ઉષ્ણ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પદ્યનું આપવું તેને પદ્યપ્રદાન કહે છે કે ૧૫ . રસોઈ કરવા માટે ચેરને અગ્નિ આપ તેને અગ્નિપ્રદાન કહે છે. ૧૬ ચેરને પીવા વિગેરેના માટે શીતળ જળનું આપવું તેને ઉદકપ્રદાન કહે છે કે ૧૭ છે અને ચોરી કરીને લાવેલાં ચતુષ્પવાળાં જનાવરોને બાંધવા માટે દેરડું આપવું તેને રજજુપ્રદાન કહે છે ! ૧૮ છે ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ દરેક ઠેકાણે જોવું, કેમકે અજાણતાં આપે તે તેને અપરાધ નથી. આ પ્રમાણે અર્વાચનક્રિયાનું વર્ણન જાણવું. - “તૂતાવાયનાસત્તિ”—એ પદને અર્થ કરે છે. અશુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજદંડ અને નરકમાં પડવારૂપ જે ભાવી અપાયે (અનર્થ)તેનું પ્રકાશવું Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. એટલે પ્રગટ કરવું તે આવી રીતે – હે ભદ્ર! આલેક અને પરલેકમાં અનર્થને કરવાવાળાં ચોરી વિગેરે પાપને કરીશ નહીં, એમ બીજાઓને જણાવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.– "अन्नाएण वित्तं, दव्वमसुद्धं असुद्धदव्वणं। आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि॥१॥ देहेण असुद्धेणं, जंजं किऊ कयावि सुहकिन्छ । तंतं न हाइ सहलं, बीयंपिव ऊसरनिहित्तं ॥॥" શબ્દાર્થ – અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ ગણાય છે અને અશુદ્ધ દ્રવ્યથી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથી (ખારાકથી) પાષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. ૧તે અશુદ્ધ શરીરે કરી છે જે શુભ કાર્ય કેઇ વખતે કરવામાં આવે છે તે કાર્ય ઉખરભુમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ર” આ જુ વ્યવહારને ત્રીજો ભેદ થયે, તેવીજ રીતે “મિત્તીનાવાર સજાવત્તિ એ જુવ્યવહારના ચેાથાભેદને વર્ણવે છે. મિત્રને ભાવ અથવા તે મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મૈત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગેમુખ ત્યાઘવૃત્તિથી (મુખે ગાય જેવી અને વર્તનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લેકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે કપટ મિત્રતા દેખાડી લોકોને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરૂષ ચાર પ્રકારે આજુવ્યવહાર કરનાર થાય. આ (આગળ કહેવાશે તે) વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણુને વગર જોયે ન્હાનું આપે નહીં. અને જો ન્હાનું આપે તે ઘણાઓની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે; પોતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતા હોય ત્યાં) ઉભે પણ ન રહે. લક્ષ્મીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદિ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકેની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જુગારી અને પૂર્વ પુરૂષને ઉધારે આપવું નહીં. જે પિતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામ કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારૂં ય તે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાદ્ધગુણ વિવરણ પણ પુન્યના અથી પુરૂએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈદ્રવ્ય ખેટાં માપ અને ત્રાજવાંથી. ઉપાર્જન કરાય છે તે દ્રવ્યપ્રથમ જોવામાં આવે છે, પણ ઉષ્ણુ પાત્રમાં પડેલા જળબિંદુની પેઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિણ્યતાથી કેઈના જામીન કે સાક્ષી થવું નહીં. અને જ્યાં ત્યાં કેશના જળનું પાન વિગેરે કરવું નહીં. જે પુરૂષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરૂષ મેશના ચડાથી પિતાનું ઘર ઘેલું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં પ્રાયે કરી લેભની આકુળતાથી ઘણા આરવાળે, અને શ્રાવકને અનુચિત એ બે પગવાળાં અને ચારપગવાળાં પ્રાશુઓને તેમજ લેતું, ગળી, તલ, વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકમંદિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સંક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી. કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભકર્મોથી પુષ્ટ થયેલા ધર્મને અનુસારે રહેલી છે. કહ્યું છે કે – થનાનુiારિણી વિદ્યા, લક્ષ્મી પુણાનુરિજી, दानानुसारिणी कीर्तिः, बुधिः कर्मानुसारिणी॥१॥" શબ્દાર્થ— વિઘા ઉદ્યમને અનુસાર પ્રાપ્ત થાય છે, લક્ષ્મી (પૂર્વ) પુન્યને અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસાર પ્રસરે છે અને બુદ્ધિ કર્મોને અનુસાર થાય છે.૧ ભાવાર્થ–“યત્રાનુણારિણી વિદ્યા–વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરૂષે કર્મને દેષ કાઢી અભ્યાસ કરવામાં પ્રમાદી થાય છે. પરંતુ પ્રમાદ નહીં કરતાં આત્મામાં તિભાવે રહેલાં મતિ અને શ્રુતજ્ઞાનને ધ કરનાર મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરો. જ્યારે પ્રયત્ન કર્યા સિવાય જ્ઞાન (વિવા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે છે પ્રયત્ન કરે જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કેઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે, પુસ્તક સંરક્ષણ, જીર્ણ પુસ્તકેદ્ધાર, પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસીને સહાય, લેકેપગી નવીન પુસ્તકેની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ક્ષોપશમ થાય છે. માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતકરણની ખરી લાગણ પૂર્વક કરવાથી અને સતતુ વિદ્યાભ્યાસ ચાલુ રાખવા થી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી, વિદ્યા તે શું પણ માસ સુર મુનિ કે Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ ૩૫ જેનાથી મા શા મા તુને બદલે પાર તુન્ બેલાતું હતું તે પણ તેમણે ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસને પ્રયત્ન ચાલુ રાખે તે તે કેવળ જ્ઞાન મેળવા ભાગ્યશાળી થયા હતા. તેમજ અનેક રાજકાર્યને વ્યવસાય છેતાં મહારાજા કુમારપાલે એકાવન વર્ષની પુખ્ત ઉમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગસ્તવ, ચગશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર વિગેરે કઠા કર્યા હતાં, એટલું જ નહીં પણ તેઓશ્રી સાહિત્યશાસ્ત્રમાં પણ નિપુણ હતા, તેની સાબિતી તેમના બનાવેલા સર્વજિન સાધારણતેત્રના કા ઉપરથી થાય છે. વળી સતતુ વિ ઘાભ્યાસ કરતાં કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સ્વાધ્યાયી શ્રીમદ્દ રામચંદ્રસૂરીનું એક નેત્ર નાશ પામ્યું હતું, તે પણ પ્રયત્ન જારી રાખી સાહિત્ય અને ધર્મ શાસનું સંપૂર્ણ જ્ઞાન મેળવી તેમણે સે પ્રબંધ રચ્યા હતા. તેમજ શ્રીમદ્ યશવિજપાધ્યાય તથા શ્રીમદ્દ વિનયવિજપાધ્યાયજીએ વિદ્યાભ્યાસ માટે કરેલે પ્રયાસ જગ જાહેર છે. અને તેઓશ્રી પિતાને અને જગતને ઉપકાર થાય તેવા સંખ્યાબંધ ગ્રંથ રચવાને શક્તિમાન થયા હતા. આ શિવાયનાં સેંકડે ઉદાહરણથી સિદ્ધ થાય છે કે પ્રયત્નથી જ્ઞાનાવરણીય કર્મ ત્રુટે છે, અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તેથી “હું અશક્ત છું, વૃદ્ધ છું, મને શાસ્ત્ર સમજાતાં નથી ” ઈત્યાદિ ન્હાનાં કાઢી પ્રમાદનું સેવન ન કરતાં સતત્ વિદ્યાભ્યા સ કરવા પ્રયત્ન કરવો જોઈએ. “સમી પુણાનુરાણિી ”—લક્ષ્મી પૂર્વકૃત શુભ કર્મને અનુસાર પ્રાપ્ત થાય છે. આ સ્થળે પ્રયત્નની મુખ્યતા નથી, કારણ પ્રાતઃકાળથી સાયંકાળ પર્યત પ્રયત્ન કરનાર મજુર વિગેરેને સ્વલ્પ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વલ્પ પ્રયત્ન કરનારને ઘણું દ્રવ્યની પ્રાપ્તિ થતી જગ જાહેર છે. માટે કોઈ એમ સમજતે હોય કે હું પુષ્કળ પ્રયત્ન કરવાથી પ્રચુર દ્રવ્ય મેળવી શકીશ, તે તે વિચાર ભુલ ભરેલ છે. ત્યારે ગૃહસ્થાએ પિતાના નશીબ ઉપર આધાર રાખી શું બેસી રહેવું? એ કઈ પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં કહેવાનું કે આ ગ્રંથમાં તેમજ બીજા ગ્રંથમાં શ્રાવકેએ પિતાના આત્મહિતને ન બગાંડતાં વ્યવસાયાદિક કેવી રીતે પ્રમાણિકપણે કરવા, તથા ક્યા કયા ધંધા શ્રાવકને કરવા ઉચિત છે, તે તથા પ્રાપ્ત થએલા દ્રવ્યમાંથી ધર્મકાર્યમાં અને સાંસારિક કાર્યમાં કેટલું દ્રવ્ય ખર્ચવું તેના નિયમ બતાવ્યા છે, અને તે પ્રમાણે વર્તનાર શ્રાવકે ચોક્કસ સુખી હોય એવી વિદ્વર્ગની Page #75 -------------------------------------------------------------------------- ________________ ६ શ્રાદ્ધગુણ વિવરણ માન્યતા છે. તે શાકત રીતિએ પ્રયત્ન કરતાં જે દ્રવ્ય મળે તેનાથી સતિષમાન રોગ્ય છે. . આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રેષ્ઠિના દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, તેથી – મી પુણનુણાળિી એ યથાર્થ જ છે. “રાનાનુરારિ રીરિ?— કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સંબંધમાં જણાવવું જોઈએ કે કેટલાક ગૃહસ્થ પિતાને ત્યાં કેઈના ધર્માદાના પૈસા જમે હોય, અથવા પિતે ધર્માદા નિમિત્તે કાઢયા હોય તે ન વાપરતાં પિતાને ત્યાં જે જમે રાખ્યા હોય તે પસાથી કઈ દાનાદિ કાર્ય કરી પિતાની કીર્તિ થાય તેવું ઈચ્છે છે તે એગ્ય નથી; આવા દાનાદિક અવસરે પણ ન્યાયનું અવલંબન કરી યથાતથ્ય જણવવું એગ્ય છે. કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લું થાય છે ત્યારે દાન કરનારની કીર્તિને બદલે અપકીર્તિ થાય છે. પિતાના પૈસાનું દાન કરવાનો અવસરે કીર્તિની ઈચ્છા રાખ્યા વિના શુદ્ધપાત્રમાં શુદ્ધદ્રવ્ય અને શુદ્ધભાવથી દાન કરવું એગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચગ્ય કીર્તિ ફેલાયા વગર રહેશે નહીં. શુદ્ધિ જર્મનુષણિી – કર્મને અનુસાર કાર્ય કરવાની બુદ્ધિ થાય છે. જેમ કોઈ માણસને અમુક વસ્તુથી લાભ થવાને હોય તે તેને તે વસ્તુને વેપાર કરવાની ઈચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યને લાભ થાય. આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવા રૂપ જે બુદ્ધિ થઈ તે પૂર્વકૃત કર્મને અનુસારે થઈ, તેમજ “તારના વૃદ્ધિદશી વિશ્વના જેવું કાર્ય થવાનું હોય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષ થાય છે. આ સંબંધમાં વાલ્મિક રામાયણમાં કહ્યું છે કે – નિત નવ દpપૂર્વ, નયૂ હેમા तथापिजाता रघुनन्दनस्य, विनाशकाले विपरीतवृद्धि ॥१॥" તાત્પર્ય એ છે કે– “સુવર્ણમય હરણ કેઈએ બનાવેલ નથી,પૂર્વે કેઈએ દેખ્યું નથી અને કેઈના સાંભળવામાં પણ આવતું નથી, તે પણ વિનાશ કાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ” તે આ પ્રમાણે બુદ્ધિ, ભાવી કાર્યને અનુસારે થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યમાં વિદ્વાનોએ સમ પરિણામ રાખવો અને હરેક પ્રયત્ન જેનાથી કર્મબંધ થાય એવાં તીવ્ર કષાયજનક Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ ૩૭ કાર્યો કરતાં અટકવું, પુનઃ પુનઃ વિચાર કરે અને હારી નિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુર્મતિને બનતે પ્રયત્ન ત્યાગ કર. લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેષ્ટિનું ઉદાહરણ આ પ્રમાણે છે. કાંચનપુરમાં સુંદરએષ્ટિને ધનશ્રેષ્ટિનામે પુત્ર નવાણું લાખ દ્રવ્યને સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના કમથી આવેલા હતા અને ચુંમાલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પિતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ટિએ કેડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કે, તે પણ વર્ષની અને હિસાબ (સરવૈયું) તપાસતાં કેટલાએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશમાં જઈ પંદર પ્રકારના કર્માદાનેથી વેપાર કરતાં તેણે એક ફ્રોડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું. દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભલેએ તેનું સઘળું દ્રવ્ય લુંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ટિ પિતાને ઘેર આવ્યા. અને બીજીવાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણા લેભથી આકુળ વ્યાકુળ મનવાળા તે ધનશ્રેષ્ટિએ પલ્લી અને તેની આજુબાજુના ગામમાં જઈ, ચરેએ ચોરી કરીને આપેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચેરેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલ્લંઘન કરવું વિગેરે પ્રકારથી તેણે સવાડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પિતાના આત્માની નિદામાં તત્પર થયેલ તે ધનશ્રેષ્ઠિ ઘેર આવ્યું તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબંધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રવ્ય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેને ખર્ચ પણ પૂર્વે જેટલે કરતે હવે તેટલેજ કર” પછી તે ધનશ્રેષ્ટિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લાગ્યો. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી કોટી ધ્વજ વાળા ગૃહસ્થની અભ્યથાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ,) ૨ વાહન (ઘેડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણકરી પ્રથમ ઘોડાને વેપાર કરવા માંડે. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ટિને વાર્યો તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક ફ્રોડની કિંમતનું રત્ન પિતાની જંઘામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું; અને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાદ્દગુણ વિવરણ તેના હાથમાં એક પાટીયું આવ્યું. તે પાટીયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યું અને ફરી હિસાબ જોતાં પણ નવાણું લાખજ રહ્યા. કારણકે જંઘાની અંદર છુપાવેલા કેડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનું તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રવ્ય જેટલી કિંમત ઓછી થઈ ગઈ. પછી તે શ્રમિત થએલે ધનશ્રેષ્ઠિ પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્મકાર્ય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયો. તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારો થવાથી કેટલાક દિવસે તેને કેટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મંદિરના જીર્ણોદ્ધાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે હેટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેષિને એક કટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણ ઓછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે, એવી ઉક્તિ છે.અનુક્રમે ધનશ્રેષ્ટિપિતાના સુપુત્રને વિષે ઘરને ભાર આપણું કરી પિતે ચારિત્રી (સાધુ) થયે. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાની થયે, અને મોક્ષપદને પામ્યા. એવી જ રીતે અત્યંત કલેશ વિગેરેને ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાયે કરી દ્રવ્યવૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણુમાં “ન્યાય સંપન્ન વિભવની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે થકાર મહારાજ પ્રથમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ ચગ્ય પુરૂષને ઓળખાવે છે. "इच्छं न्यायोपगतविनवः पुण्यकार्याएयनेकान्यातन्वानो विशद विधिना प्राप्तकीर्तिप्रतिष्ठः। मोके श्लाघापदमधिगतः शुधगाईस्थधर्म, योग्यः प्रोक्तो मुनिनिरुदयत् सहिवेकिप्रवेकः।१।" इति न्यायसंपन्न विनवनामा प्रथमो गुणः समाप्तः ॥१॥ ' ' શબ્દાર્થ –“ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભાવવાળે, નિર્મળ વિધિથી અનેક પુન્ય કાર્યો કરનાર, કીર્તિ તથા પ્રતિષ્ઠા પામેલો,લોકમાં પ્રશંસા પાત્ર થયેલા અને વિવેકની શ્રેષતાને પ્રગટ કરનાર પુરૂષને મુનિઓએ શુદ્ધ હરય ધર્મને પાગ્ય કહે છે. ૧” ન્યાય સંપન્ન વિભવ યુક્ત હોય તે ધર્મને રેગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણનું વર્ણન કર્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ this द्वितीय गुण वर्णन. शिष्ट पुरुषोना आचारनी प्रशंसा. NEET લાઈન વે ક્રમ પ્રાપ્ત શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરવા રૂપ બીજા ગુણનું વર્ણન કરે છે. શિક્ષાને પ્રાપ્ત થયેલા અર્થાત બતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સત્પરૂપે ની સેવાથી પ્રાપ્ત કરી છે નિર્મળ શિક્ષા જેમણે તે શિષ્ટ પુરૂ કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરૂને આચાર–શ્રેષ્ઠ આચરણ રૂપ વન–તેની પ્રશંસા કરનાર અર્થાત્ તેમની ઉપહણ કરવી, ઉત્સાહ વધારે, ઘણું લેકેની આગળ તેમના ગુણ ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી લાઘા કરનાર હોય તેને શિષ્ટાચાર પ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુચ માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણી પુરૂમાં માન્યતા થાય છે, ગુણવાન પુરૂષોની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે. ઉત્તમ માર્ગને અનુસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે, ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે"लोकापवादनीरुत्वं, दीनाभ्युधरणादरः। તitતા યુવાધિ, વાવાઃ પ્રવીવિત છે ? શબ્દાર્થ – લેકના અપવાદથી ભય રાખવો, દીન પુરૂષને ઉદ્ધાર કરવામાં આદર કરે, કરેલા ઉપકારને જાણ, અને દાક્ષિણ્યતા (શરમ) રાખવી; આ થારને સદાચાર કહે છે. ૧૦ ભાવાર્થ-જાપવાદ – જે કાર્ય કરવાથી કેમાં નિંદા થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે . અહીં તાત્પર્ય એ છે કે પ્રાયે ધનાદિકના લેથી અથવા ઇદ્રિના વિષયને આધીન થઈ કે અસત પ્રવૃત્તિ કરવાનું છે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાદ્ધગુણ વિવરણ. તેને કાપવાદને ભય છે, અને જે ધર્મિષ્ટ હોય તેજ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. માટે શ્રાવકપણામાં લોકાપવાદ ભરૂત્વ ગુણની ખાસ આવશ્યક્તા છે. “વીનાન્યુ ” – દીન પુરૂને ઉદ્ધાર કરવામાં આદરવાળે એટલેકે, પિતાને સ્વધર્મિ-જાતિ બંધું કે દેશ બંધુ કોઈ પણ પ્રાણ આપત્તિમાં આવી પડયે હોય તે તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેને બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવું જોઈએ. “તારા – કરેલા ગુણને જાણ તે–આ સામાન્ય ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે છે દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલી જનાર અધમ ગણાય છે. તેથી હરેક પ્રકારે પિતાની શકિત અનુસાર ઉપકારીના ઉપકારને બદલે વાળવા ચુકવું નહીં. હવે જે કોઈ એક પુરૂષમાં ઉપકારીના ઉપકારને બદલો વાળવાની કોઈ પણ રીતે શક્તિ ન હોય તે પણ તેણે તેને બદલે વાળવા હમેશાં ઈચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતઘતા પ્રાપ્ત થાય નહીં, તેમજ ઉપકારીને બદલે આપવાને શક્તિમાન પુરૂષે એ પણ વિચાર ન કરવો જોઈએ કે મ્હારા ઉપર ઉપકાર કરનાર કાંઈ પણ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી જણ મુક્ત થાઉં. એ વિચાર કરે તે માથું કાપી પાઘડી બંધાવવા જેવું છે, તેથી વિચારશીળ પુરૂષ આ પ્રમાણે વિચાર કરે નહીં. પરંતુ ઉપકારીના ઉપકારનું નિરંતર સમરણ કર્યા કરે અને ચિંતવે કે, મહારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ હારા ઉપકારી પુરૂષપર મા આવી પડે. “સુરક્ષિ –સુદાક્ષિણ્યતાવાળે એટલે કેટલાએકસારા માણસે, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરૂષે અમુક સુકૃત કાર્ય કરવા ભલામણ કરે, અને તે કરવામાં પિતાને મહેનત પડતી હેય, દ્રવ્યને વ્યય થત હેય, અગર બીજું કંઈ કષ્ટ સહન કરવું પડતું હોય તે પણ તે કાર્ય શરમને લઈને કરી આપે. કદિ ઉપરોક્ત પુરૂ અકાર્ય કરવાની ભલામણ કરે છે તે કરવું કે નહી? એવી કઈ આશંકા કરે તેને કહેવાનુકે પ્રથમ તે ઉત્તમ પુરૂ તેવા અકાચની ભલામણ કરેજ નહીં. કદિ તેવા સંજોગોને લઈ અકાર્ય કરવાનું કહેવામાં આવે છે તેવા કાર્યમાં દાક્ષિણ્યતા રાખવી એગ્ય નથી. આ ગુણવાળે પુરૂષ દુની Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ૪૧ યાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણુમાં આવશ્યકતા છે. ઉપર જણાવેલા ચાર ગુણને સદાચાર કહેલો છે. ૧ વળી કહ્યું છે કે – "सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तत्सम्पदि नम्रता ॥२॥" શબ્દાર્થ સર્વ ઠેકાણે નિદાને સર્વથા ત્યાગ, સપુરૂષની પ્રશંસા, અત્યંત કષ્ટમાં અદીનપણું અને તેવી જ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી. ૨” ભાવાર્થ–“સર્વત્ર નિ સવા —ઈ પણ માણસે કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી નહીં. પરંતુ વિપરીત આચરણ કરનારને જોઈ તેના ઉપર કરૂણા લાવી તેને પિતે બનતા ઉપાયે વિપરીતકાર્ય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણ કરે, અને જો તેમ કરતાં અસત પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તે તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિદાન કરે નિંદા કરવાથી નિંદા કરનાર પુરૂષના આત્માને કઈ પણ પ્રકારને લાભ થતો નથી. પરંતુ જે પુરૂષની નિદા કરવામાં પ્રવર્તમાન થયું હોય તેના અવગુણમાં ચિત્તની રમણતા થવાને લીધે આત્મામાં તે અવગુણનું પ્રતિબિંબ પડવાથી આત્મા મલીનતાને પામે છે જેમ જિનેશ્વર કે મહર્ષિઓના ગુણોત્કીર્તન કરવાથી ગુણે કીર્તન કરનારને આત્મા નિમંળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કોઈ પણ વ્યક્તિની નિંદા કરી આત્માને કલુષિત કરે નહીં. તેમાં રાજા, મંત્રી, દેવ, ગુરૂ સંધ અને પુરૂની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવું જોઈએ. નહીં તે રેહિણીની પેઠે નરક અને તિર્યચનાં અતિ તીવ્ર દુખનો અનુભવ કરવો પડશે. એમ જાણું નિદાથી નિવવું એજ ઉચિત છે. “વારિતુ સાધુ–સત્યરૂની પ્રશંસા કરવી–તેમના શાંતતા, ગભીરતા, શૈર્યતા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાધુર્યતા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા, સરળતા, સમ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સવજનવલ્લભતા, પ્રમાણિક્તા, નિઃસંગિતા, નિડ તા, નિર્લોભતા, પરોપકારિતા, દીર્ધદર્શિતા,ધર્મચુસ્તતા, સંસારવિમુખતા તથા ઔદાર્ય, વૈર્ય, સાજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરત્વ વિગેરે અનેક ગુણનું નિરંતર સ્મરણ કરવું, અને તેમને Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર યોગ્ય પ્રયાસ કરે. કેમકે મહાત્માઓના આવા ઉત્તમ ગુણો ધાર્મિક તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલંબન રૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમ પૂર્વક કરેલી પ્રશંસા ઉત્તરોત્તર ગુણ પ્રામિ, પુણ્યરૂદ્ધિ, નરેંદ્રપણું સ્વર્ગ તથા યાવત અપવર્ગને ફળને પણ આપનારી થાય છે. માટે સંત પુરૂના ગુણે દષ્ટિગોચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉદાસીનતા ધારણ કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુ પુરૂષના ગુણેની પ્રશંસા કરનાર તથા ઉદાસીનતા રાખનાર બે ચેરના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરૂએ ઉદાસીનતાને ત્યાગ કરી તેમના ગુણોની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ. પ્રાચિન”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દિનપણું ધારણ કરવું નહીં. પણ એવી વખતે આત્માની શક્તિને વિચાર કરી મનન કરવું કે, પૂર્વ ભવ સંબંધી કેઈ નિકાચીત કર્મ ઉદયઆવ્યું છે, તે તેને સમભાવથી વેદવું–ભોગવવું એજ આ આપત્તિના વિનાશને પ્રતિકાર છે. માટે હારે દીન થવાની કે યાચના કરવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી. આ કર્મ પિતાનુ ફળ આપી નષ્ટ થતાં આત્મા પોતાની મેળે કમજનિત આપત્તિથી મુક્તિ થશે એટલે હાર પિત ના આત્મામાં રહેલાં અનંત સુખ પ્રગટ થવાથી સર્વ કલેશ નાશથશે, એવે વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં. કારણકે દીનતા કરવાથી પિતાની નિર્બળતા જાહેરમાં લાવવા સિવાય બીજી કાંઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી. “સરસ અરિ નમ્રતા–તેવીજ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી કાંદ પુદયથી સંપત્તિ પ્રાપ્ત થાય તે પણ અહંકાર ન ધારણ કરતાં હમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યોદયના વખતે વિચાર કરે કે મહારા પૂર્વ પુન્યને ઉદય થવાથી આ સંપત્તિ, સ્વજન, અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થો મને પ્રાપ્ત થયાં છે, તે આવા અનુકૂળ અવસરે મહારે સમપરિણામે રહી અથિર સંપતિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણ ક વીજ ગ્ય છે. તેમજ આ સંપત્તિને સ્થિર કરવાનો ખરેખર પ્રતિકારતે એ છે કે પિતાની લમી. જેના મ તથા જિનમંદિરને જીર્ણોદ્ધાર, દીદ્ધાર, સત્પાત્ર, અને જ્ઞાનદાન આદિકમાં વિનિગ કરે તેજ છે. કારણકે પુન્યને અનુસાર પ્રાપ્ત Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ૪૩ થનારી લક્ષ્મીને ય સત્કાર્યમાં કરવાથી પુયની વૃદ્ધિ થાય છે, અને પુન્યની વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે નહિ તે ચક્રવતી અને ઇંદ્રાદિકની ઋદ્ધિ પણ સ્થિર રહી નથી તે આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથીક અછિની પેઠે અહંકાર કરે એ સર્વથા અનુચિત છે. કહ્યું છે કે –“નમતિ સલા ઘણા (જ્યારે વૃક્ષે ફળે છે ત્યારે તે નમ્રીભૂત થાય છે.) તેવી રીતે જેમ જેમ સંપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાંજ શેભા રહેલી છે. પહેલેકમાં પણ ધનમાંથી ધનનાશ, માન હાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે. માટે ધનને અહંકાર પરલેકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એજ સંપત્તિનું ભૂષણ છે. એ ગુણ ઉત્તમ પુરૂષને અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે " प्रस्तावे मितनाषित्वमविसंवादनं तथा । प्रतिपन्न क्रिया चेति, कुत्रधर्मानुपातनम् " ॥३॥ શબ્દાર્થ–પ્રસંગ આવે જરૂર પુરતું બેલવું, તથા વિરોધ ન કરે, ક્રિયા અંગીકાર કરવી અને પિતાના કુળ ધમનું પાલન કરવું. ૩.” ભાવાર્થ–પ્રસ્તા મિતપત્રણ–પ્રસંગ આવે જરૂર પુરતુંજ બલવું જોઈએ. કેમકે અસંબંધવાળાં અથવા સંબંધવાળાં પણ વાકયે વિશેષ બોલવાથી ઘણું વખત શ્રેતાએ કંટાળી જાય છે, તેથી ધારેલી અપર થતી નથી. કદિ કોઈ એમ કહેકે ત્યારે શાસ્ત્ર સંબંધી ભાષણ પણ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે? તેને માટે કહેવું જોઈએ કે જિનેશ્વરની વાણીમય અગાધ શાસ્ત્રોમાંથી જેટલું ન બોલાય તેટલું છું છે માટે પ્રોજન પુરતું અને અસરકારક બલવું જોઈએ. બેલતાં પહેલાં અંતરંગ વિચારે થવાથી મનમાં સંકલ્પ વિકલની જાળ ઉત્પન્ન થાય છે. પછી આમાં ભાષાવર્ગણાનાં પુલે ગ્રહણ કરી મુખદ્વારા પ્રગટ કરે છે, એટલે અપ્રાસંગિક કે પ્રાસંગિક પણ વિશેષ બલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવું પડે છે. તેથી પ્રસગે પણ મિતભાષિપણું રાખવું એગ્ય છે. “અવિસંવાહન તથા”—કઈ પણ સાથે વિરોધ કર નહિ કેમકે વિરોધ કરવાથી વર પરંપરા વધે છે, અને આત્ત તથા રદ્રધ્યાન થવાથી મનુષ્ય જન્મનું Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ફળ જે વર્ગ કિવા મેક્ષરૂપ થવું જોઈએ તેને બદલે તે વિસંવાદ ઉપરોક્ત ટુન કરાવી આત્માને નરક કે તિર્યંચરૂપ દુર્ગતિમાં ખેંચી જવા સમર્થ થાય છે. તેથી વિચારશીવ પુરૂષે વિરોધ કરતા પહેલાં વિચાર કરે. તેમાં પણ વ્રતધારી શ્રાવકેએ અને વિશેષે કરી યતિ મહાશયોએ તે સર્વથા વિસંવાદ ત્યાગજ કર જોઈએ. કારણ કે યતિહમેશાં આવશ્યકમાં “મિત્તી ઇત્તવમૂકું આ મહાવાકયનું મરણ કરે છે. તે તેમણે તે કોઈ પણ સાથે વિરોધ રાખે એ વ્યાજબી ગણાશે નહીં. “પ્રતિાિ રિ–અંગીકાર કરેલું કાર્ય કરવામાં વિઘ્ન આવે તે પણ તેથી ડરી ન જતાં તે કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરે. કાર્ય કરવાનું અંગીકાર કરતાં પહેલાં કાર્યના ગુણ દેષ, પિતાની શકિત, સહાયક અને દ્રય, ક્ષેત્ર, કાળ તથા ભાવને વિચાર કરી કાર્ય કરવાનો આરંભ કરે. બનતા સુધી પોતાની જાત મહેનતથી થઈ શકે તેવું કાર્ય હાથ ધરવું કે તે પરિપૂર્ણ થવામાં વાંધો આવે નહીં. પરંતુ બીજાએના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહીં સમજવું કે કોઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કે – પ્રાપ્તિ ન , વિજ્ઞાન ની, प्रारज्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥१॥" તાત્પર્યાર્થ—અવિન આવશે એમ ધારી નીચ પુરૂષ શુભ કાર્યને પ્રારંભ કરતા નથી, વિનથી હણુએલા મધ્યમ પુરૂષ કાર્યને પ્રારંભ કરી વિરમી જાય છે. અને ઉત્તમ પુરૂ તે વારંવાર વિનથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યને ત્યાગ કરતા નથી.” આ ઉપરથી દરેક પુરૂએ સત્કાર્યકરવામાં વીર્ય ફેરવી તેને સંપૂર્ણ કરવા ચુકવું નહીં. કુલધર્મનુપલે--કુળધર્મનું પાલન કરવું–શ્રાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પિતાને શુદ્ધ આચારને ત્યાગ કરી સ્વેચ્છાદિક કેના વેષ તથા દુરાચારોનું ગ્રહણ કરવામાં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઈ પણ રીતે રોગ્ય નથી. ભાદયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચાર સુશ્રાવકે પ્રા Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ૪૫ તે પણ છોડવા જોઈએ નહીં. આ ઠેકાણે અસત કુળાચારની ઉપેક્ષા કરી શ્રાવકના કુળને સંબંધ હોવાથી શ્રાવકના કુળાચાનું ગ્રહણ કરેલું છે. વળી કહ્યું છે કે – " असध्ययपरित्यागः, स्थाने चैव क्रिया सदा । પ્રધાનર્થે નિર્વજ, માર્ચ વિવર્ણનમ્ ! ” રાખાઈ—“ફળ વિનાના ખર્ચને ત્યાગ કરે, ઉચિત સ્થાનમાંજ હમેશાં કયા કરવી, શ્રેષ્ઠ કાર્યમાં આગ્રહ રાખવો અને પ્રમાદને ત્યાગ કરે જા” ભાવાર્થ-“પ્રક્ષેપ પરિત્યાઃ ”—નિષ્ફળ ખર્ચને ત્યાગ કર નેઈએ. કારણકે તેમ થવાથી દ્રવ્યને નાશ થઈ પાપની વૃદ્ધિ થાય છે, તેથી આ લેકમાં દરિદ્રતા તથા અપકીતિ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેના અતિતીવ્ર દુઃખ સહન કરવાં પડે છે. વળી અસત કાર્યમાં દ્રવ્યને વ્યય થઈ જવાથી મનુષ્ય ભવને ચગ્ય ખરેખરૂં પુન્ય કાર્ય જે દ્રવ્યથી કરવાનું છે તે રહી જાય છે, જેથી પરીણામે પશ્ચાતાપ કરવો પડે છે, માટે અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય કરતાં પહેલાં ખાસ શુભાશુભ ફળનું મનન કરી ભવિષ્ય કાળમાં આપત્તિ વિગેરે કાંઈ ખમવું ન પડે તેવી રીતે પ્રવૃત્તિ કરે. તેમજ માત્ર ખાલી નામના કરવાની ઈચ્છાથી લગ્નાદિ પ્રસંગમાં પણ બીજા ધનાઢયેની સાથે સ્પર્ધામાં ઉતરવા પ્રયત્ન નહીં કરતાં સમયેચિત અને શક્તિ અનુસાર વ્યય કરે એગ્ય છે. સ્થાને જૈવ શિયા સ”—દરેક કિયા હમેશાં યોગ્ય રથાનેજ કરવી જોઈએ, અનુચિત સ્થાનમાં ક્રિયા કરવાથી કાર્યની જેવી જોઈએ તેવી સફળતા થઈ શક્તિ નથી. જેમ સિદ્ધગિરિ આદિ પવિત્ર ક્ષેત્રમાં પ્રભુભક્તિ, બ્રહ્મચર્ય, સામાયિક પ્રતિકમણ, તપ, જપ, ધ્યાન અને મુનિદાન વિગેરે જેવું સ્થિર ચિત્તથી થઈ શકે છે તેવું પિતાના ગામમાં કે ઘરમાં પ્રાયે થઈ શકતું નથી. વળી સાધુની સમીપમાં દે ઉપાશ્રયમાં જેવી ધર્મ કિયા થઈ શકે છે તેવી હાદિક અન્ય રથાનમાં થઈ શકતી નથી. માટે વિચારશીલ પુરૂષે ચગ્ય સ્થાને ચગ્ય ક્રિયા કરવી. “પાના નિર્વશ્રેષ્ઠ કાર્ય કરવામાં આગ્રહ રાખવો જોઈએ, કારણકે આ ચરાચર જગતમાં પ્રાણી માત્રને અનેક કાર્ય કરવાનાં છે છતાં તેને ધર્મ, અર્થ, કામ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. અને મેક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં પણ અર્થ અને કામની પ્રાપ્તિ જે કે ધર્મ કરવાથી થાય છે તે પણ વિવેક વિના તેનું (અર્થ અને કામનું) સેવનકરનાર દુર્ગતિનું ભાજન થાય છે. તેથી તેના સંબંધમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીય ન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગણતામાં રાખી અનંત રત્નત્રય,અનંત વીર્ય અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મેક્ષરૂપ પુરૂષાર્થને પ્રધાન કાર્યગણેલું છે અને તે ધર્મરૂપ પુરૂષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે. તેથી ધર્મ એજ પ્રધાન કાર્ય છે. કહ્યું છે કે " त्रिवर्गसंसाधनमन्तरण, पशोरिवायुविफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ॥१॥" તાત્પયો –“ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કર્યા સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરૂ ધર્મને પ્રધાન કહે છે કાર કે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧” માટે વિવેકી પુરૂ ધર્મરૂપ પ્રધાન કાર્યને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે. બમ વિવર્ગન –પ્રમાદને ત્યાગ કરે. તેત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કટો શત્રુ પ્રમાદજ છે, અને જે શત્રુહેય તેને ત્યાગ કરે એ સૂછીને એક રવાભાવિક નિયમ છે. તે પ્રમાદ શત્રુને ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું વિરૂદ્ધ છે? કદિ કોઈ રાજા હુકમ કરે કે મારી તમામરૈયતે હમેશાં એક કલ કી મહારી સેવા ઉઠાવવી, રાજાના આ હુકમને લોક જુલ્મી હુકમ ગણશે અને તેને ( હુકમને) રાજા પાસે પાછું ખેંચાવવા વિદ્વાન, ધનવાન, અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચુકશે નહીં. તે જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણા કલાકે સેવા કરાવે છે, ત્યારે તેની સેવામાંથી મુક્ત થવા માટે બનતા પ્રયાસ કેમ ન કરે જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લેકના પ્રાણીઓ માતકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને શૈણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદે થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા ચોગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી. માટે સાધુ અગર શ્રાવકોએ પ્રસાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ, તેને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં. કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વધરોને પણ છેક નિગદ સુધી પહોંચાડનાર તેજ છે. કહ્યું છે કે – " मज्ज विसयकसाया, निदा विगहा य पंचमीनाणया । एए पंच पमाया, जीवं पागंति संसारे ॥ १ ॥" તાત્પર્ય –“આઠ મદ, પાંચ ઇન્દ્રિયના ત્રેવશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ જવને સંસારમાં પાડે છે. આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કઈ ભવ્ય પ્રાણી સંસારા કાર્યમાંથી અવકાશ મેળવી ધમ કરવાને તત્પર થાય છે, તેટલામાં ઉપરોકત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે તે તેનાથી પાછા નહીં હડતાં આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજયકરી, ધર્મ કરવામાં તત્પર થવું અને જે કાર્ય આજે કરવાનું હોય તેને આ વતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં. કહ્યું છે કે – " कनकरणसो आज कर, आजकरणसो अब । अवसर बिता जातहै, फिर करेगा कब ॥" આ કવિતાને વિચાર કરી જે શુભકાર્ય કરવાનું હોય તે શીશ કરવું જોઈએ. કેમકે –“શાંતિ રૂવિજ્ઞાનિ” શુભ કાર્યમાં ઘણાં વિદ્ધ આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરે નહીં. વળી કહ્યું છે કે –“પપા ત્વરિતા તિ– ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધર્મકરણી કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધીદેવ મહાવીર સ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગાતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે –“સમાં મા ઘણા – હે તેમ ? સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાકય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. માટે હું સુશ્રાવક છું અથવા સવે ત્તમ સાધુ છું એ નકામે અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંગ્વાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે – Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રદ્ધગુણ વિવરણ. "लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनं । प्रवृत्ति गर्हिते नेति, प्राणैः कागतैरपि ॥५॥" શબ્દાર્થ –“કાચારનું અનુકરણ કરવું, સર્વ કેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. . પા ” ભાવાર્થ –“ વારનુત્તિ – લોક એટલે મહાજન તેમને જે આચાર તે લેકચાર તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“માગને ચેન માતર સ થા –મહાન પુરૂષ જે માગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તેમાર્ગ અન્ય પુરૂષને અનુકરણીય છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવને વિચાર કરી લેકચારનું પાલન કરવા પ્રયત્ન કરે. આ સ્થળે કહેવું જોઈએ કે, કેટલાએક લેક દેશચાર તથા કુળાચારને લોકાચાર ગણી તે આચાર લોક વિરૂદ્ધ કે શાસ્ત્ર વિરૂદ્ધ હોય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે એગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય, અને જિનાજ્ઞાને ભંગ થતો હોય તેવો આચાર લાચાર થઈ શકે નહીં. તેથી એવા મન કપિત કાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધલેટાચારનું પાલન પ્રાણીમાત્રને ધર્મ પ્રાપ્તિ અને આત્મ હિતનું કારણ ભૂત થઈ પડે છે. માટે બનતા પ્રયાસે વિવેકી પુરૂષે શુદ્ધ લોકાચારનું ઉલ્લંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. . જિયપાલન –સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાય માં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તે લેકમાં માન હાનિ, મદાંધતા અને વિવેક શૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાનો પ્રસંગ આવે, તેથી વિવેક પુરસર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે –“ વિવામો નિધિ” વાક્યાનુસાર વૃદ્ધ, જ્ઞાન, અભ્યાગત જયેષ્ટ તથા કનિષ્ઠ બંધુ અને સપુરૂષનું ચિત્ય સાચવવા અને કઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકપુરૂષોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. પત્તિતિ નેતિ”—ક પ્રાણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં. કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, લોકાપવાદ અને રાજ વિરૂદ્ધતા થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે, કારથ કે નિદિત કાર્ય સત્યકી વિદ્યાધરની પેઠે Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ગુણ વર્ણન. આ લેાક તથા પરલેાકના અહિતને માટે થાય છે. ઉપરોક્ત સર્વ પ્રકારનો સદાચાર આચરણ કરવા લાયક છે. માટે વિશેષ ધાભિલાષી પુરૂષે સદાચાર ગ્રહણ કરવા ચુવુ· નહીં. કહ્યું છે કેઃ— t विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्तिर्मलिनम सुनङ्गेप्पसुकरम् सन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः, सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥ ६ ॥" શબ્દાર્થ:- આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષાના પગલે ચાલવુ, ન્યાય વૃત્તિને પ્રિય કરવી, પ્રાણના નારા થતાં પણ મલિન કાર્ય ન કરવુ; દુર્જનની પ્રાર્થના ન કરવી અને પાતે નિર્ધન થયા છતાં પણ મિત્રની પાસે યાચના કરવી નહીં. એવું અતિ વિષમ અને ખડ્રગની ધારા જેવુ' આ વ્રત સત્પુરૂષાને કાણે બતાવ્યુ હશે ? દુઝ ૪૯ આ ‘શિષ્ટાચાર પ્રશ’સા’ ધરૂપી ખીજનો આધાર અને પરલેકમાં ધર્મ પ્રા મિનુ` કારણ હાવાથી મેક્ષરૂપ કાર્યનું કારણ થાય છે. તેને ચારના દ્રષ્ટાંતથી બતાવે છે– કાશ’બીપુરીમાં સદ્ભૂત ગુણ્ણાના ઉત્તમ ભંડાર રૂપ અને જૈન ધર્મના આસ્વાનથી ઉલ્લાસ પામેલેા જિતારિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તેજ નગરીમાં મ્હાટી ઋદ્ધિવાળા ધન અને યક્ષ નામના એ શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેષ્ઠીને પેાતાના કુળને આનંદ આપનાર ધર્મપાલ નામે પુત્ર હતા, અને યક્ષ શ્રેષ્ઠીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતા. અનુક્રમે તે અન્ને મનેાહર એવી ચેાવન વયને પ્રાપ્ત થયા, અને પૂર્વ જન્મના સંસ્કારને લીધે માલ્યાવસ્થાથીજ તે બન્નેને ક્ષીર નીર પેઠે અત્ય'ત આશ્ચર્યકારક મિત્રતા થઇ. તે બે મિત્રામાંથી એકને જે રૂચે તે બીજાને પણ રૂચતું હતું. તેથી લાકમાં આ બન્ને એક ચિત્ત વાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પોતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેના દ્વિવસે નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગત્વત્સલ શ્રીમાન્ મહાવીર સ્વામીનુ આગમન થયું', અને દેવાએ સમેાસરણની રચનાકરી.આ વાતની ખબર પડતાં નગરના લેાકેાની સાથે કેશ'મીના રાજા જિતારિ વીરપ્રભુને વંદન કરવા ગયા. કુતૂહુળમાં તપર તે બે શેઠીઆના પુત્રા પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાદ્ધગુણ વિવરણ, વખતે જિનેશ્વરે ધર્મ દેશના પ્રારંભ કર્યો. પછી તે બે વણિકના પત્રમાંથી એક ને જિનેશ્વરની વાણી શ્રદ્ધા રૂપ થાય છે, અને તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્ર વાળે, મરતક ધુણવતે અને રેશમાંચિત શરીર વાળે તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાક્યને અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કેળીઆ સટશ વિરૂધ્ધ લાગતું હતું. આથી તે બને મિત્રો એક બીજાના આશય સારી રીતે સમજી ગયા હતા. પછી તે બન્ને મિત્રો સમેસરણમાંથી ઉઠી પિતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે બે કે “હું ભાઈ?, તું જિનવાણથી ખરેખર ભાવિત થયેલ છે અને હે! મિત્ર હું ભાવિતનથ તેનું શું કારણ હશે? વળી લેકમાં આટલા કાળ સુધી આપણે બે એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણું આ બાબતમાં આપણું બનેનું ચિત્ત જુદા વિચાર વાળું થયું છે. તેનું શું કારણ હશે !” આ વાત સાંભળી ચકિત થયેલા બીજા મિત્રે કહ્યું કે “હે ભાઈ?, હારૂં કહેવું સત્ય છે મને પણ આ બાબતમાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે. પરંતુ આ વિષયમાં આપણું બન્નેને નિર્ણય ફક્ત પ્રશ્ન કરવાથી તેજ કેવળજ્ઞાની કરશે તે હેતુથી “આવતી કાલે તેમની પાસે જઈશું એવી રીતે નિશ્ચય કરી તે બને મિત્રે પ્રભાત થતાં મહાવીર સ્વામી પાસે ગયા. ત્યાં વિનય પૂર્વક તેમનું આરાધન કરી તેમણે પિતાને સદેહ પુછયે. તેથી ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યો કે “પૂર્વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃતાંત આ પ્રમાણે છે– કેઈગામમાં તમે અને કઈ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુંદરતાના સ્થાનરૂપવન વય પ્રાપ્ત થવાથી તમે તે વયના વિકારને પ્રાપ્ત થયા પરંતુ સંપત્તિના અભાવથી લેશમાત્ર તમારા મને રથ કઈરીતે પૂર્ણ થતા નહતા, તેથી તમે ચેરી રૂપ અનાર્યકર્મ કરવાને આરંભ કર્યો. પછી કઈવખતે રાત્રિમાં બીજા ગામની અંદર જઈ અતિશીવ્રતાથી તમેગાનું હરણ કર્યું. તેથી તમને ફાંસી દેવાનું કામ કરનાર પુરૂએ ત્રાસ પમાડે એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા મનની ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જેવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જીવે આ પ્રમાણે વિચાર કર્યો કે, “અહો! શ્રેષ્ઠ આચારના મંદિર રૂપ આ મુનિને જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સંગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અધન્ય છીએ, કારણકે દ્રવ્યની ઈચ્છાથી વિરૂદ્ધ કાર્ય કરનારા અમે પરાભવને પ્રાપ્ત થયા છીએ, અરે! Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૧ દ્વિતીય ગુણ વર્ણન ધિક્કારથી આત્માને નાશ કરનારા અમે મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જવાના? અને દુઃખી હાલતને લીધે અમે ઉભય લેક વિરૂદ્ધ કર્મ કરનારા થયા છીએ. જેવી રીતે આ મુનિનું આચરણ પાપરહિત અને નિર્મળ છે. તેવી જ રીતે અમારું આચરણ આ મહાત્માથી વિપરીત છે તે આવા વિરૂદ્ધ આચરણથી અમારું કલ્યાણ શી રીતે થશે? આ પ્રમાણે ધર્મ પાળે સાધુની પ્રશંસા કરી અને બીજે વસુપાલ તે તે મુનિ તરફ ઉદાસીન વૃત્તિવાળે થયે. તે બેમાંથી એક ગુણના રાગથી બે ધિબીજ પામે, અને બીજાને તે પ્રાપ્ત થયું નહીં. પછી કષાયની મંદતાને લીધે દાન દેવામાં તત્પર થએલા તમે બન્ને મિત્રોએ મનુષ્ય ભવને ગ્ય પ્રશસ્ય કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે ત્યાંથી કાળ કરી શ્રેષ્ઠ આચારવાળા અને વણિક ધર્મમાં પરાયણ તમે અને આ કેશંબી નગરીમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયા છે. ઉપરોક્ત કારણથી આ ભવમાં એકલા આ ધર્મપાલને શ્રેષ્ઠ બેધ રૂપ બેલિબીજનું ફળ પ્રાપ્ત થયું છે, અને બીજાને બેષિબીજના અભાવથી બંધ રૂપ ફળ પ્રાપ્ત થયું નથી.” એવી રીતે પૂર્વભવનું વૃતાંત શ્રવણ કરવાથી ધર્મપાલ જાતિ મરણ પામે, અને દ્રઢ નિશ્ચય થવાથી ભાવપૂર્વક જિનેશ્વરના કથન કરેલા ધર્મમાં તત્પર થયેલે ધર્મપાળ મેક્ષમાં જશે. અને બીજો વસુપાલ તે બેધિબીજના હેતુભૂત શિષ્ટાચારમાં ઉદાસીનતાને લીધે સંસારમાંજ પરિભ્રમણ કરશે. આ ઈતિ ચેર દ્રષ્ટાંત સમાસઃ - ઉપરોક્ત ફળાફળને સારી રીતે વિચાર કરી સુશ્રાવકે શિષ્ટાચાર અને તેમના ગુણદિકની પ્રશંસા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે – " अकुर्वन्नपि सत्पुण्यं, शिष्टाचारप्रशंसया । दम्नसंरममुक्तात्मा,प्राणी प्राप्नोति तत्फलं ॥" શબ્દાર્થ–પુજકાર્યને નહીં કરનાર પણ કપટ અને કોપથી મુકત થએલે પ્રાણી શિષ્ટાચાર પ્રશંસાથી બેધિબીજના ફળને પ્રાપ્ત કરે છે. ૭ ભાવાર્થ-કોઈ પુરૂષ અંતરાય કર્મના ઉદયથી પુન્ય કાર્ય ન કરી શક્ત હોય તે પણ તેને શિષ્ટાચારની પ્રશંસા કરવી એગ્ય છે. કારણકે તે પ્રશંસાના બળથી શિષ્ટાચારમાં પ્રવૃત્તિ કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટે છે, અને તેથી બેલિબીજની પ્રાપ્તિ થાય છે. બોધિબીજની પ્રાપ્તિ થતાં અનુક્રમે અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીય કર્મને ક્ષય થવાથી, તત્ત્વ બોધરૂપ શુદ્ધ સમ્યકત્વ આત્મામાં પ્રગટ થાય છે, અને અનુક્રમે અવશેષ રહેલા કષાયની મંદતા થતી જાય છે, તેથી જિન કથિત ધર્મનું Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ. વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મ શુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વ વિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી રવર્ગ અને મોક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કોઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચુકવું નહીં. વળી કહ્યું છે કે -- “વિડિજિ ગુણ–પુ ગુ મરી આ વિમાનભેર સંસાર, મુધો કુવારાથઃ ” શબ્દાર્થ – ગુણની શ્રેણિને ધારણ કરતા હોય તે પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળો તે મુગ્ધ પુરૂષ સંસારમાંજ નિમન થાય છે.” ભાવાર્થ-ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈર્ષાને લીધે બીજા ગુણી પુરૂષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મસર ધારણ કરી તે મુગ્ધ જન સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે પિતામાં રહેલા ગુણને ગર્વ અને બીજાના ગુણમાં ઈર્ષ થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઊતરેલા બે મુનિઓમાંથી એક તપસ્વી અને બીજા હંમેશાં ભેજન કરનાર હતા. એક વખતે તપસ્વી મુનિ કઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થ ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભેજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તેજ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થ આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે?' તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ હારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કોઈ વખતે કેવળજ્ઞાનીને જોગ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, તે બે મુનિમાંથી ક્યા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વર્તે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપ્યો કે, “નિત્ય ભજન કરનાર મુનિનો આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલે છે, તેથી અલ્પ સમયમાં મેક્ષ સુખ મેળવશે. ” આ ઉદાહરણને વિવેકી પુરૂષે વિચાર કરી ગુણ કે ગુણી ઉપર મત્સર ધારણ કરી આત્માને મલીન કરે નહીં. ગ્રંથ કર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશ દ્વારા આગ્રહ કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ગુણ વર્ણન ૧૩ तो विवेकज्ञजनेन शिष्टाचारप्रशंसा प्रवणेन जाव्यम् । विशुद्धधर्मोज्वलकीर्तिलाभाऽ - भिल्लाषिणाऽत्रो चित्तवृत्तियुक्त्या ॥५॥ इति द्वितीयो गुणः શબ્દા: ઉપરોક્ત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્ત્તિની અભિલાષા રાખનાર વિવેકી પુરૂષે ઉચિત વજ્જૈન પૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવુ, ” આ પ્રમાણે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું. Page #93 -------------------------------------------------------------------------- ________________ A तृतीय गुण वर्णन . . | હ સમાન ફળ તથા શીલવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કર. વારૂપ ત્રીજા ગુણનું વિવરણ કરે છે, ":"ht=ાસ્કarria- lee “લીલ સાત દાહોડ શોત્રજૈ–પિતા અને પિતામહ (દાદા) વિગેરે પૂર્વ પુરૂષના વંશને કુળ કહે છે. અને મદિરા, માંસ, રાત્રિભેજન અને અનંતકાયાદિકના ઉપગને ત્યાગ કરવા રૂપ આચાર,અથવા તે સમાન દેવ, ગુરૂ અને કિયા કલાપ (ધર્મનુષ્ઠાન) ના આસેવનરૂપ આચારને શીળ કહે છે, તેવું કુળ તથા શીળ જેમનું એક સરખું હેય તેઓ સમાન કુળ શીળવાળા કહેવાય છે. કુળ અને શીળને કહેવાવડે ઉપલક્ષણથી સંપત્તિ, વેષ અને ભાષાદિકનું પણ ગ્રહણ કરવું. તેજ અહીં દર્શાવે છે. જે સંપત્તિ વિગેરેમાં વિષમતા હોય તે કન્યા પિતાના પિતાના મહાનું વૈભવથી અલ્પ વૈભવવાળા પિતાના સ્વામીની અવગણના કરે છે, અને પિતાના પિતાના પ્રચુર વૈભવને આધીન થઈ અહંકારને પ્રાપ્ત થએલ. વર પણ ન્યાના પિતાની નિર્ધનતાને લીધે પિતૃ પક્ષના દુર્બળ ટેકાવાળી કન્યાની અવગણના કરે છે. અમુક પુરૂષથી ચાલી આવેલી વંશ પરંપરા તે ગેત્ર, અને તેમાં ઉત્પન્ન થએલા તે ગેત્રી કહેવાય છે. તેમનાથી જે અન્ય ગેત્રવાળા હોય તેમની સાથે વિવાહ કરે એગ્ય છે. અહીં નીતિ આ પ્રમાણે છે – બાર વર્ષની કન્યા અને સોળ વર્ષને પુરૂષ તે બન્ને વિવાહ યોગ્ય ગણાય છે. તેવા વિવાહ પૂર્વક કરેલ સંતતિ ઉત્પન્ન કરવા અને પાલન કરવા રૂપ વ્યવહાર ચાર પ્રકારના વર્ણને કુલીન બનાવે છે. અગ્નિ અને દેવાદિકની સાક્ષી પૂર્વક પાણિગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે, અને તે વિવાહ લેકને વિષે આઠ પ્રકારને કહેલે છે. તેમાં ૧ કન્યાને શણગારીને આપવી તેને બ્રહ્મ વિવાહ, ર વૈભવ આપીને કન્યા આપવી તેને પ્રાજાપત્ય વિવાહ, ૩ બે ગાયના દાનપૂર્વક કન્યા આપવી તેને આર્ષ Page #94 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. પપ વિવાહ અને ૪ માં યરૂને અર્થે કત્વિજને કન્યાદાનનીજ દક્ષિણ આપવી તેને દેવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધર્મ વિવાહ કહેવાય છે. અને ૫ માતા પિતા અથવા બધુવને પ્રમાણ નહીં હોવાથી પરસ્પરના અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, ૬ મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ, ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સુતેલી અથવા પ્રમાદ વશ થએલી કન્યાનું ગ્રહણ કરવું તેને પિશાચ વિવાહ કહે છે. આ ચારે અધમેં વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધર્મ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિને ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે – "कन्यां सतीमुत्तमवंशजातां,सब्ध्वाऽधिकां याति न कः प्रतिष्ठाम् । क्षीरोदकन्यां गिरिराजपुत्री, गोपस्तथोग्रश्च यथाऽधिगम्य॥१॥" શબ્દાર્થ – “કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષ્મીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થએલી કન્યાને મેળવી કે પુરૂષ અધિક પ્રતિષ્ઠા નથી પામત જેની જીહા રસવાળી છે, ભાર્યા સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરૂષનું જીવિતવ્ય સફળ છે. આ લેકમાં હમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારોથી ઉપ્ત થયેલ કર્મના બંધ પ્રાપ્ત થવાથી પરલોકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંયોગ છે તેજ નરક છે. જે કારણથી કહ્યું છે કે – "कुमामवासः कुनरेंजसेवा, कुनोजनं क्रोधमुखी च नार्या । कन्याबहुखं च दरिजताच,षड् जीवलोके नरका नवन्ति॥॥" શબ્દાર્થ –“કુમામમાં વાસ, નરેંદ્ર સેવાકજન, ધ યુક્ત મુખવાળી ભાય, ઘણી કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલોકમાં નરક કહેવાય છે. ૨. વર કે કન્યાની પવિત્રતાનું સૂમસાન વર અને કન્યાના ગુણ તથા લક્ષણ દિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, સનાથપણું, વિદ્યા, દ્રવ્ય, શરીર અને ઉમરે એ સાત ગુણે વરની અંદર જેવા યોગ્ય છે. તે ઉપરાંત તે કન્યા ભાગ્ય{ વતી હેવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્દગુણ વિવરણ, . છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હાય, અને નાભિ, સત્વ અને વર એ ત્રણ ગભીર હાય તા તે શ્રેષ્ઠ છે. કંઠ, પીઠ, પુરૂષચિન્હ અને જ ધાયુગલ એ ચાર જે પુરૂષનાં લઘુ હોય તે નિરંતર પૂજનિક થાય છે. અ'ગુલી સહિત અ’ચુલી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હાય તે મનુષ્ય સુખ લાગવે છે. એ સ્તન અને એ નેત્રના મધ્યભાગ, બે ભુજા, નાસિકા અને જડત્રુ એ પાંચ જેનાં દીધે હાય તે પુરૂષ લાધ્ય અને પુરૂષાત્તમ ગણાય છે. નાસિકા, કઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છ જેનાં ઉચાં હેાય તે હંમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિન્હા, તાળવુ, નખ, એઇ અને હાથ તથા પગનાં તળી એ સાત જેનાં રકત હાય તા તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વર્લ્ડ, વર્ણથી સ્નેહ, સ્નેહથી સ્વર, વરથી કાંતિ અને કાંતિથી સત્વ એમ ઉત્તરાત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરાંત અત્રીશ. લક્ષણમાંથી સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરૂષ પુન્યશાળી અને દાની હાય છે, રજોગુણી પુરૂષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હાય છે, અને તમેગુણી પુરૂષ પાપી અને લેાભી ઢાય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, મેાક્ષકામી, અનાથ અને શીલહીન પુરૂષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દોષવાળા, અપંગ અને રોગી પુરૂષોને પણ કન્યા આ પછી નહીં, બધિર, નપુસક, મુગા, લંગડા, અધ, શૂન્ય હૃદયવાળા અને એકદમ પ્રહાર કરનાર પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમ જાતિવાળા, માતાપિતાના વિયેાગવાળા અને પત્ની તથા પુત્ર યુક્ત પુરૂષને પણ કન્યા આપવી નહીં, ઘણા વેર અને અપવાદવાળા, હમેશાં પેદા કરે તેટલું ખાઈ જનાર અને પ્રમા દથી હણાએલા મનવાળા પુરૂષને પણ કન્યા આપવી નહીં. એક ગાત્રવાળા, જુગાર અને ચારી વિગેરેના વ્યસનથી આત્માને નાશ કરનાર અને પરદેશીને પણ પડિત પુરૂષે કન્યા આપવી નહીં, ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણુ દોષ જાણુવા. *ન્યાનાં લક્ષણ અને ગુણ દોષનું વર્ણન આ પ્રમાણે છે.— ૫૬ "पीनोरुः पीनगएका लघुसमदशना पद्मनेत्राम्नरक्ता, बिम्बोष्ठी तुङ्गनाशा गजपतिगमना दक्षिणावर्तना जिः । स्निग्धाङ्गी वृत्तवत्रा पृयुमृडुजघना सुस्वरा चारुकेशी नर्त्ता तस्याः द्वितीशो भवति च सुजगा पुत्र माता चनारी ॥३॥” " Page #96 -------------------------------------------------------------------------- ________________ પ૭ તૃતીય ગુણ વર્ણન. શબ્દાર્થ –“પુષ્ટધા, ભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલખણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન એક, ઉન્નત નાસિકા, ગજેની પડે ગતિ, દક્ષિણાવર્તનાભિ, સ્નિગ્ધ શરીર, વૃત્તાકાર મુખ, વિશાળ અને કેમળ જધન (કેડની નીચેનો ભાગ) મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને સ્વામી રાજા થાય છે, અને સૈભાગ્યવતી એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. આ પ્રમાણે કન્યાનાં લહાણું જાણવાં હવે કલક્ષણેનું વર્ણન કરે છે – " शुष्काङ्गी कूपगएमा प्रविरत्रदशना श्यामताल्वोष्टजिह्वा, पिङ्गाकी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामाङ्ग सन्नतभ्रः कुचयुगविषमा रोमजङ्घातिकशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽतक्षणाढया ॥॥" શબ્દાર્થ – જે સ્ત્રીનું અંગ શુષ્ક હેય, કૂપની માફક ઉડા ગાલ હેય, છુટા છુટા દાંત હય, તાળવું એષ્ટ અને છહ શ્યામ હેય, નેત્ર પીળાં હાય, ઠીંગણી હોય અને જે અતિ ઉચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હાય, સ્તનનું યુગલ વિષમ હોય, રેમયુકત જધા હોય અને ઘણા કેશ હય, તેવી સેળ કુલક્ષણવાળી સ્ત્રી ધન અને પુત્ર હિત હોય છે. તેથી તે ત્યાગ કરવા ગ્ય છે આ સ્ત્રીઓનાં સેળ કુલણ સમજવા જે કન્યા બંધુ (સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઈને જ્યાં સુધી અગીયારમું વર્ષ સંપૂર્ણ થાયત્યાં સુધી લેકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાય પૂર્વક વિવાહગ્ય થાયછે. ઈત્યાદિ પરીક્ષા પૂર્વક સમાન આચાર અને કુળથી શેજિત એવા વર કન્યાને ગ થયે છતે ધર્મ, શેલા, કીર્તિ અને આ લેક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલંકાદિ ઉસ થાય છે. તેનું જ દષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા, અને તેજ નગરમાં સમ્યક્ પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણ અને શકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિને પરિચય કરવા રૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વ રૂપ ભૂષણથી ભૂષિત થએલે જિનદત્ત નામે એકી રહેતું હતું. તે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રાદ્ધ ગુણ વિવરણ શ્રાવક હતું. તેને અનુક્રમે સુભદ્રા નામે પુત્રી ઉત્પન્ન થઈ. તે રૂપ, લાવણ્ય અને સૌભાગ્ય રૂપી અમૃતને જાણે સમુદ્રજ હેય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વરવા માટે અનેક વરેનું આગમન થતું હતું. પરંતુ જિનદત્તકી શ્રાવક શિવાય બીજાને તે કન્યા આપવા ઈચ્છતું ન હતું. કહ્યું છે કે – " विवेकीना धर्मयशोऽनिवृद्ध्यै, समं कुलाचार मिहावलोक्य। वराय शुखाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय॥॥" શબ્દાર્થ—“વિવેકી પુરૂષે ધર્મ અને કીર્તાિના ફેલાવા માટે આ લેકમાં સમાન કુળ અને આચારનું અવલોકન કરી પવિત્ર વરને પિતાની પુત્રી આપવી જોઈએ; અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થો] બીજી કન્યા લાવવી જોઇએ. પ” - એક વખતે ચંપા નગરીથી બદ્ધ ધર્મની શ્રધ્ધાવાળા બુધ્ધદાસ નામે વણિક વેપાર અર્થે વસંતપુરમાં આવ્યું. ત્યાં સુભદ્રાને જોઈ તેના રૂપથી મોહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઈ હંમેશાં એવી રીતે ઘર્મનું શ્રવણ કરવા લાગે કે જેથી અનુક્રમે તને જાણ થઈ તે ભાવશ્રાવક થયે. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેણીએ પિતાની પુત્રી તેને આપી; અને પાણિગ્રહણ મહોત્સવ કર્યો, કેટલે એક કાળ વ્યતીત થયા પછી તે બુધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચંપા નગરીમાં આવ્યું. ત્યાં પણ સુભદ્રા જૈનધર્મ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ બધ્ધની ભક્ત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી બુધ્ધદાસે પૃથફ ઘર કર્યું. ત્યાં સાધુ સાધ્વીઓ ભિક્ષાર્થે આવતા હતા તે જોઈ તેની સાસુ વિગેરેને તેના પર દ્વેષ થઈ આવે, તેથી તે કહેવા લાગી કે આ સુભદ્રા સાધુમાં આસક્ત છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુક્ત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હેય નહીં એવા કોઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થ આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઈ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પોતાના શરીરને ઉપચાર કરવામાં વિમુખ હેવાથી તેમણે તે તરણને નેત્રમાંથી દૂર કર્યું નહીં. પણ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચાતુર્યથી તે મુનિ મહાશયના નેત્રમાંથી જહાએ કરી તે તરણું ઉપાડી લીધું. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુભદ્રાની Page #98 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. જાણમાં આવ્યું નહીં. જ્યારે મુનિશ્રી ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે તેની સાસુ પ્રમુખે તેના પતિને બતાવ્યું કે જે! હારી સ્ત્રીનું તિલક મુનિના લલાટમાં સ કમાણ થયું છે. તે જોઈ બુદ્ધદાસ વિચાર કરવા લાગ્યા કે આ પરમ શ્રાવિકાની આવી વિપરીત વાત કેમ સંભવે? અથવા વિષય બલવાન છે,એમ વિચારી તે સુભદ્રા તરફ મંદ સ્નેહવાગે થયે. સુભદ્રાએ આ વૃત્તાંત કઈ પણ પ્રકારે જાણી લીધું. પછી સુભદ્રા તે અસત્ય અપવાદ દૂર કરવાને રાત્રિમાં શાસનદેવીના સાનિધ્ય માટે કાર્યોત્સર્ગ કરી ઉભી રહી. તેના શીલની જાણકાર શાસનદેવી પણ સુભદ્રા પાસે આવી, અને કહ્યું કે, “હે ભદ્રે ! હારૂં શું પ્રિય કરું? આ વચન સાંભળી સુભદ્રા બેલી કે, હે દેવિ ! મહારા અપવાદને દૂર કરી તમે જૈનશાસનની પ્રભાવના કરે. દેવીએ જવાબ આપે કે, હું પ્રભાતે ચંપાનગરીના દરવાજાઓ બંધ કરી નગરીના લેકે જ્યારે આકુળ વ્યાકુળ થશે ત્યારે આકાશમાં રહીને આ પ્રમાણે બેલીશ કે, “જે સ્ત્રી મન, વચન અને કાયાથી નિર્મળ શાળવાળી હોય તે ચાળણીમાં જળ સ્થાપી તે જળથી દરવાજાનાં કમાડને ત્રણ વાર છાંટ એટલે કમાડે ઉઘડી જશે. અને જ્યારે નગરની બીજી સ્ત્રીઓથી ચાલણીમાં જળ ન રહે ત્યારે તેમની સમક્ષ તું તેમ કરી બતાવજે, એટલે હારો અપવાદ દૂર થશે અને કીર્તિ ફેલાશે”પછી સુભદ્રાએ દેવીના આદેશ પ્રમાણે નગરીના ત્રણ દ્વાર ઉઘાડી ચોથું દ્વાર કોઈ પણ અન્ય સતી હશે તે ઉઘાડશે, એમ ધારી ત્યાંથી પાછી ફરી. આમ થવાથી ચ પાનગરીમાં જેનશાસનની પ્રભાવના થઈ,અને સુભદ્રાને શ્વસુરવર્ગ, રાજા અને સંપુર્ણ નગર પ્રતિબંધ પામ્યું. આવા પ્રકારની કેટલીએક ઉત્તમ સ્ત્રીઓ હોય છે, તેથી પરીક્ષા પૂર્વક તેવી ઉત્તમ કન્યાઓ સાથે લગ્ન કરવામાં પ્રયત્ન કર જોઈએ. તેમ કરવાથી વધૂના રક્ષણને ઉપાય કરનાર પુરૂષને સુજાત અને અતિજાત જેવી સુત સંતતિ રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને તે સંતતિથી ગૃહસ્થ પિતાના ત્રણથી મુક્ત થાય છે, તેમને સર્વ કાર્યમાં સહાય મળે છે. હંમેશાં મનને સ્વસ્થતા અને વિશ્રાંતિ મળે છે, સંપૂર્ણ આર્થિક વેપારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે, વખત આવે ઘરભારનું આરે પણ કરવાથી ઈચ્છા મુજબ પિતાની પુન્ય કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. અને ચિત્તને વિષે ચિતવેલા મારથે પૂર્ણ કરવા વિગેરેથી મહિમા અને ઉતિ થાય છે. શ્રી ઉદયનમંત્રીતે વાગભટ્ટ અને આમદેવ વિગેરેથી જેમ આલેકનું ફળ થયું હતું, તેમ સંતતિ પરલેકના ઉદય માટે પણ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ, મધુમતી (મહુવા) ના રહીશ ભાવડ શ્રેણીની તેના પુત્ર જાવડ છીએ કલ્યાણ ની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પિતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરલેકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કઈ પર્વને વિષે સિદ્ધાચલ ઉપર ગયે હતું. ત્યાં સ્નાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે સ્નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રયુક્ત થયે, તેને અશ્રુયુક્ત જોઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પુછયું એટલે ભાવશેઠે અથુપાત થવાનું સાચું કારણ કહ્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “હારે આ પર્વત ઉપર પાષાણમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ પત્તનમાં જઈ નવ લાખ સોનામહરથી શ્રી કષભદેવ, પુંડરીક, અને ચક્રેશ્વરી એ ત્રણ મૂર્તિઓ લાવી દશલાખ સેનામેહરને ખરચ કરી વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણમય ત્રણ બિંબનું સ્થાપન કર્યું. નીચ અને કુલાંગાર (કુળને વિષે અંગારા સમાન) રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રથી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આલોકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે – ." श्रियाम्नोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् । पुष्पुत्रःखान्नार्केन्दू तापमङ्कुच मुञ्चतः ॥ ६ ॥ अथवा"कामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते जनक्ति जनतागोष्ठी कणेनाऽपि यः। मार्गेऽप्यलिनग्न एव जनकस्याज्येति न श्रेयसे, હા! સ્વાgિa! ધૂમમમનું મૂરવા રવિંદ્ર ગ્રીમિત્તિક કા શબ્દાર્થ–બલક્ષ્મી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જોઈ, સૂર્ય અને ચંદ્ર પિતાના દુષ્ટ પુત્રના દુ:ખથી અનુક્રમે તાપ અને કલંકને છેડતા નથી. દ” અથવા “હે અગ્નિ! આ ધૂમ રૂપી પુત્ર કે જે કાલા શરીરનો છે,આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લેકને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમૂહની ગેઝીને નાશ કરે છે, અને માર્ગમાં પણ (પિતાની) અંગુળીએ વળગેલા છતાં પિતાના કલ્યાણને માટે થતું નથી, તેવા પુત્રને પામી તને કેમલજજા આવતી નથી ? લેકમાં પુત્રને વૃક્ષોની ઉપમા આપેલી છે. ૭ કહ્યું છે કે Page #100 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. “सहकारं हि सुजातं, कुष्माण्डं बीजपुरमति जातम् । वटतसफलं कुजातं,जवति कुलाङ्गारमिकु फलम् ॥॥" શબ્દાર્થ–સુજાત––મને પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિ જાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજેરા સમાન છે, કજાત પુત્ર વડના ફળ સમાન છે, અને કુળમાં અંગાર રૂપ પુત્ર શેલડીને ફળ સમાન છે. ૮ શ્રીમદ્ જિનાગમ પણ એજ પ્રમાણે કહે છે. પુત્ર ચાર પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે છે. અતિજાત–પિતાથી ચઢતીયાતા, સમાન જાત–પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા, અને કુળગાર પિતાના કુળને નાશ કરનાર.” ભાવાર્થ– બાતઃ ”—આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષની સાથે સરખામણી કરી છે. તેમાં પ્રથમ સુજાત–મને પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખાવ્યા છે. જેમ આંબાની ગેટલી વાવવાથી જે જાતની તે ગેટલી હોય તે જ જાતનું આમ્ર ફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી, તેવી રીતે મને અથવા તે પિતા તુલ્યપુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય ચૂનાધિક કરે નહીં. તેવા પુત્રને સુજાત અથવા તે સમજાત પુત્ર કહેવામાં આવે છે. “અતિનાત”—પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીજેરાનું વૃક્ષ પ્રમાણમાં નાનું હોય છે છતાં તેનાથી ઉપ્ત થયેલું કેળું તથા બીરારૂપ ફળ હેતું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક સત્કૃત્ય કરી પિતાથી અધિક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાથી ઉચ્ચ, સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે. ના”—નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યું છે. જેમ વડનું ઝાડ ઘણું મહેતું, છાયા યુક્ત અને તાપદિક કને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારૂ થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ, તુચ્છ અને ઉપકાર રહિત હોય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ શાહ ગુણ વિવરણ. તેમ જે પુત્ર સત્કૃત્ય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કિત્તિને અગ્ય વર્તણુંક ચલાવી, દ્રવ્યને દુરૂપયોગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલીન કરે છે તે કુજાત પુત્ર કહેવાય છે. ચા ”—આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીના ફળની ઉપમા આપી છે. જ્યાં સુધી શેલડીને ફળ આવ્યું હતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે, અને સર્વ રીતે ઉપયોગી થઈ પડે છે, અને જ્યારે તેને ફળ આવે છે ત્યારે તે તદન નાશ પામે છે તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉતશ થવાથી આખા કુળને નાશ થાય છે. જોકે પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈચ્છા કરે છે. તેમજ તેને માટે અનેક પ્રયત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકાર ( કુળને નાશ કરનાર ) પત્ર ઉસન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઈચ્છા અને પ્રયત્નાદિની નિંદા કરી પિતે કરેલી મૂખાઈને પશ્ચાતાપ કરે છે, અને ચિંતવે છે કે “આના કરતાં જે મેં કદ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી હારા કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં? આ ઉપરથી પુત્રથી જ કલ્યાણ છે એમ માનવું અને તેને માટે પ્રયાસ કરે એ ધર્માભિલાપીઓને કઈ પણ રીતે ઉચિત નથી. ગ્રંથકાર પ્રસંગોપાત સંતતિનું વર્ણન કરી હવે સ્ત્રીના પ્રરતુત વિષય ઉપર આવે છે. - જેની મને વૃત્તિ લેશમાત્ર પણ ખડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવું ઉચિતપણું, વિનય અને વિવેકને અગાડી કરી સંપૂર્ણ વ્યવહારને કરવા કરાવવાથી,પતિને અનુકુળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની એ દર પિતે પ્રવૃત્તિ કરવાથી શ્રેણિક રાજાને ચેલણા અને ઉદાયન રાજાને પ્રભાવતીરછીની પેઠે નિરંતર હર્ષ તથા સુખને ઉલ્લાસ કરનારી થાય છે, વળી ઘર સંબંધી સઘળા પ્રસંગમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હોય. કહ્યું છે કે" गृहचिन्ताजरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् । જિં જ ક્ષતિ , પૂણિી અરવિહીર ખા” Page #102 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. શબ્દાથ–“ઘરની ચિતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાત્રોને સત્કાર કરનારી સ્ત્રી જાણે ઘરની કલપલતા જ હેય નહિ તેમ તે ગૃહસ્થાને શું શું ફળ નથી આપતી ? અર્થાત સર્વ ફળ આપે છે. ] ભાવાર્ય–આ જગમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે. અને તે ચિંતા ચિતાની પિઠે પ્રાણીમાત્રને હમેશાં બળ્યા કરે છે. તેમાં ગૃહસ્થને પ્રાયે કરી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હેયછે. આપણા દેશમાં પુરૂષનું કામ વ્યવસાય અથવા નેકરી આદિકથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પિતાના કુટુંબ અને શરીરનું પોષણ કરવાનું હોય છે. જેમને સ્ત્રી નથી હોતી અથવા સ્ત્રી વિવેક શૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતેજ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરૂષને બે ચિંતાઓ હોવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરૂષ ચિંતાગ્રસ્ત હેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસ્ત્રાભ્યાસ અને અપૂર્વ કળા કૌશલ્ય વિગેરેથી પિતાને જોઈએ તે ઉત્કર્ષ કરી શક્તા નથી. પરંતુ જે સી કેળવાએલી અને વિવેકવાળી હોય તે ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ હારીજ ફરજ છે એમ ધારી તે બે પિતે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હોવાને લીધે તેમના પતિઓ ઘરસંબંધી ચિતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લેકે નવી નવી શેધો,શાસાભ્યાસ અને કળા કૈશલ્યમાં આગળ વધી પિતાને ઉત્કર્ષ કર્યો છે, અને હમેશા કરે જાયછે. તેવી જ રીતે શાસ્ત્રકારના “ રિન્તાર ” આ વાક્યને અનુસાર પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાયછે. ગૃહસ્થને ઉત્કર્ષ તે કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહે છે, માટે હરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ. અને તે જ તે યાચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પોતાનું “ગૃહિણ” એવું નામ સાર્થક કરે છે. સ્ત્રી પતિને ઉત્તમ મતિ આપનારી હેવી જોઈએ, અર્થાત પિતાને સ્વામી વ્યાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડે હોય તે તેને શીલવતી અને અનુપદેવીની પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ. દાચિત Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. પિતાને સ્વામી કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતું હોય તે પણ તેના વિનયાદિકનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લોક અને પરલેકના અતિ તીવ્ર દુઃખ વિપાકને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પકે દરેક પ્રકારે તેની મતિ સુધારી એહિક અને પાકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થાને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કરે ઉચિત છે. પુરૂષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યગ્ર હોવાને લીધે પિતાના જાતિબંધુ,ધર્મબંધ અથવા મુનિમહાશય પિતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથાચિત કરી શક્તા નથી. પણ જે રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હેય તે પિતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં, એગ્ય આગતા સ્વાગત કરી અલેકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીર્તિને વધારો કરે છે, અને પરલે કમાં પિતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યનું ભાગી બનાવે છે, આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દુર રાખે છે. આવી રીતે ગૃહસ્થને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદન નથી કરતી? અર્થાત જેમ કલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના રવામીને અનુકુળ વર્તન કરી આ લેકમાં જ રવર્ગ અને મેક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે " दक्षा तुष्टा प्रियालापा, पतिचिताऽनुवर्तिनी।। कुलौचित्याझ्ययकरी,सा लक्ष्मीरिव चापरा॥१॥" શબ્દાર્થ_“શાણી, સતિષ પામેલી, પ્રિય બેલનારી, પતિના ચિત્તને અનુસરનારી અને પિતાના કળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષ્મી હેય નહીં? [ તેમ ઘરને શોભાવે છે. ] ૧૦ ભાવાર્થ–સ્વી વિદુષીજ હેવી જોઈએ, અને તેવી હોયતેજ દરેક કાર્યમાં વિવેક પુરસ્ય વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સતેષ માનનારી હેઈ શકે છે.ગમેતેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તે પણ જ્યાં સુધી સંતોષપ્રાપ્ત થયે નથી ત્યાં સુધી એશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે કારણ કે ઐશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસંતોષ Page #104 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી, અને ઉલટું અસંતોષને લઈને એવી ઈચ્છા રાખનાર હંમેશાં દુઃખી જ રહે છે. કેટલીએક સ્ત્રીઓ પોતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સતેષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પિતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સંતેષ શિવાયની સ્ત્રી સાથને ગૃહસંસાર સુખમય થત નથી; પણ જેની સ્ત્રી સતિષી હોય તેને આ દુનીયાંજ સ્વર્ગ રૂપ થાય છે. - જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભ ત્સ શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી. અને અવસરે પણ મદનસુંદરીની પેઠે મધુર, પરિમિત અને સમયોચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણુથી આ લેકમાં આદર, યશવાટ, ધર્મોગ્યતા અને પરલોકમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરે જોઈએ. * પતિના ચિત્તને અનુસરીને વર્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઓષધિ અને કામણ ટુમણ વિના પણ પિતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઇચ્છા હોય તેણે રૂખમણી અને દ્વિપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે.આ ગુણ પણ દરેક સ્ત્રીઓને અનુકરણ કરવા ગ્યા છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિની માનનીક હોવાથી હંમેશાં સુખી થાય છે. પિતાના કુળને ઉચિત હોય તેટલેજ ખરચ કરનારે જી હાય તો તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસ પાત્ર થાય છે. જે પતિ પાસે જોઈએ તેટલા પસાની જોગવાઈ ન હોય, અને સ્ત્રી વિશેષ ખર્ચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીઓએ પિતાના પતિની સંપત્તિને અનુસાર ખર્ચ કરે, કે જેથી દિવસે આનંદથી નિર્ગમન થાય, આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને લક્ષમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીએ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે. માટે ગૃહસ્થ એ ઉપરના બે કલાકમાં જણાવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી સ્ત્રીને સંગ્રહ કરે ઉચિત છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘર કાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હોવી જોઈએ. પરંતુ જેમ તેજપાલ મંત્રીની ભાર્યા અપમાદેવી ઘર કાર્યમાં કુશળ હતી તેવી સ્ત્રી હોવી જોઈએ. અને કલહ કરનારી ભાયથી તે ખરેખર ઘરને નાશ જ થાય છે. તે વિષે દષ્ટાંત આ પ્રમાણે છે– કઈ ગામમાં શિવ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને કજીયાર અને સર્વ ધર્મથી બહાર કરેલી સાવત્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતું તેમાં એક વ્યંતર રહેતે હતિ સાવિત્રી વડના મૂળમાં કચરે પેશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલો તે વ્યંતર પલાયન કરી કોઈ એક ગમના ઉપવનમાં જઈ રહ્યા. સાવિત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતો હતો. "आः किं सुन्दरि ! सुन्दरं न कुरुषे किं नो करोषि स्वयम्, धिग् त्वां क्रोधमुखीमतीकमुखरस्त्वत्तोऽपि कः कोपनः। श्राः पापे प्रतिजल्पसि प्रतिपदं पापस्त्वदीयः पिता, दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशातयोः किं सुखम् ॥११॥" શબ્દાર્થ–શિવ-“અરે સુંદરિ! તું સુંદર કેમ કરતી નથી? ” સાવિત્રી“ તું પતેજ કેમ સુંદર કરતું નથી ? ” શિવધિમુખી તને ધિક્કાર છે. સાવત્રી – અસત્ય બેલવામાં વાચાલ હારથી બીજો કેણ ક્રોધી છે. ? ” શિવ– અરે પાપણી! તું દરેક વાક્યમાં સામું બેલે છે? - સાવત્રી-- બાપ પાપી” આ પ્રમાણે નિરંતર દંતકલહ અને કલેશથી દુ:ખી થયેલાં દંપતિને સુખ કયાંથી હોય ? ?” પછી તે શિવ બ્રાહ્મણ ઘરને ત્યાગ કરી નાઠે અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યા છે તે ઉપવનમાં ગયે. વ્યતરે તેને બેલા “હે શિવ? તું મને ઓળખેછે?” શિવે કહ્યું “ના” વ્યંતરે કહ્યું “હું હારી સ્ત્રીને ભયથી આ ઉપવનમાં આ છું. ત્યારે નિર્વાહ અહિં કેવી રીતે થશે?” શિવે કહ્યું “ તમારી કૃપાથી મહારે નિર્વાહ થઈ જશે. ” પછી વ્યંતર શિવને જણાવી કઈ શેઠના પુત્રને વળગે. શેઠે મંત્ર જાણનારને બોલાવ્યા પણ તેઓ કાંઈ પણ ગુણ કરી શક્યા નહીં. પછી શિવ ભતને કાઢે છે એમ જાણી શિવને લાવ્યા. શિવના મંત્રેલા જળથી ફાયદો થવાથી શેઠે તેને પાંચસે સોના મેહાર આપી આથી તેની લેકમાં પ્રસિદ્ધિ થઈ. જ્યાં જ્યાં વ્યંતર વળગે છે ત્યાં ત્યાં જઈ શિવ તે વ્યતરને નસાડે છે. પછી એક Page #106 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુણ વર્ણન. વખત વ્યંતરે શિવને કહ્યું કે “હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરવો નહીં. જો તું તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં. તેથી હારો અપયશ થશે.” પરંતુ ધનમાં આસકત થયેલે તે બ્રાહ્મણ ઉપચાર કરતો વિરમે નહીં. એક વખતે તે યંતર કઈ ધનવાન પુરૂષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્રજાપ કરવા લાગ્યો વ્યંતરે મુઠ્ઠી ઉગામી કહ્યું કે “તને મારી નાખીશ.” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બે કે “હે વ્યંતર ! હું તને કંઈ જણાવવા માટે અહિં આ છું.” બં તરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે મહારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે. એ વાર્તા શ્રવણ કરીને જ વ્યતર પલાયન કરી ગયા અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે કે – " कतहिन्या गेहिन्याऽत्र, के के नोजिता जनाः । सात्रागतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥१२॥" શબ્દાર્થ—“કજીયાર સ્ત્રીથી આ લેકમાં ક્યા ક્યા પુરૂષ ઉદ્વેગને નથી પામ્યા? (અર્થાત સર્વે પામ્યા છે ) “તે અહિં આવી છે” એટલું સાંભળીને વ્યંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. ૧૨ માં વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સત્કાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળ વધૂના ગુણ છે. માટે તેવી સારી ભાય મેળવવાને પ્રયત્ન કરી જોઈએ. વધુ રક્ષણના ઉપાયે આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરે કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રડાનું કાર્ય કરવું, વાસણો ધોઈ સાફ રાખવાં, ધાને દળવાં, ગાય દેહવી, દહીંનું મથન કરવું, રસોઈ કરવી, ચગ્ય રીતે ભેજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવાં અને સાસુ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કર પુર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મુકવુ, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચાર રૂપ માતાના સરખી સ્ત્રીને રેકી રાખવી. અર્થાત્ જેમ સારા આચાર રૂપી માતાને સત્પરૂ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેલું છે કે ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયને પ્રગટ કરવા, Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. કડા કરવી, કુતુહલ કરવું, પરપુરૂષની સાથે બોલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીને સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસર્ગ રાખ ચગ્ય નથી. (એકાકી) જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે ધોબી પાસે જવું, દતિની સાથે મેળ રાખવે, પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખિના વિવાહ (લગ્ન) માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપારે ખરે ખર સતીઓના પણ શીળ રૂપજીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબુલ, શૃંગાર, મર્મકારી વચન, કીડા, સુગંધની ઈચ્છા, ઉદુભટ વેષ, હાસ્ય, ગીત, કેતુક, કામક્રીડા, શય્યા, કુસબી વસ્ત્ર, રસ સહિત અન્ન, પુષ્પ અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું આ સર્વને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ નિરંતર ત્યાગ કરે જોઈએ. હે સુંદર ભ્રકુટી વાળી સ્ત્રી ? તું તારા પતિ તરફ નિષ્કપટી, નણંદે તરફ નમ્ર, સાસુ તરફ ભકિતવાળી, સ્વજને પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ હતવાળી, શો સાથે હસમુખી, પતિના મિત્રે સાથે (નિર્દોષ) હાશ્ય વચન બોલવા વાળી અને તેના દુશ્મને પ્રત્યે ખેદ ધરનારી છે. આ સર્વે સ્ત્રીઓને પતિવશ કરવાને મષધિ રૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " एवं गृहस्थः सुकलत्रयोगाजनेषु शोनां बनते सुखी च, देवातिथिप्रीणनपुण्यकर्मा,जनैः परत्रापिगति विशुद्धाम्॥१३॥" શબ્દાર્થ –“એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીના પગથી લેકમાં શભા પામેછે, અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવા રૂપ પુણ્ય કર્મોને ઉ. પાર્જન કરી પરલોકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૧૩” આ ઠેકાણે માર્મા નુસારીના પાંત્રીશ ગુણ પૈકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું છે - -. Page #108 -------------------------------------------------------------------------- ________________ હિ S चतुर्थ गुण वर्णन. ગણાતા કાર પોષણ M ania Russian વે કમથી પ્રાપ્ત થયેલ “પાપભીરૂ નામે ચતુર્થ ગુણને વર્ણવે છે. th #pવમe -Narsing) “uપરિતિ–દીઠેલા અને નહીં દીઠેલા અનર્થોના કારણભૂત કર્મ તે પાપ અને તેથી ભય રાખનારને પાપભીરુ કહે છે. તેમાં ચોરી, પરસગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણે છે તે આ લેકમાં પણ સર્વ મનુષ્યમાં વિડંબનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે“द्युतापाज्यविनाशनं नवनृपः प्राप्तोऽथवा पाण्डवामद्याकृष्णनृपश्च राघवपिता पापतिो दूषितः । मांसाच्छेणिकलूपतिश्च नरके चौर्यानिष्टा न के वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमतो रावणः॥१॥" શબ્દાર્થ-બનળ રાજા અને પાંડવોએ જુગારના વ્યસનથી પિતાના રાજ્યને નાશ કર્યો, કૃષ્ણ મહારાજ મદિરાથી નાશ પામ્યા, રામચંદ્રજીના પિતા દશરથ શિકાર કરવાના વ્યસનથી દાષિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચેરીના વ્યસનથી કેણ નાશ નથી પામ્યા! કૃતિપુણ્યશ્રેણી વેશ્યાને વ્યસનથી નિધન થઈ ગયું અને રાવણ પરલી ગમનને વ્યસનથી મૃત્યુ પામે છે. આ દીડેલા અનર્થનાં કારણે છે. શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનું ફળ આપનાર મદિરા અને માંસનું આલેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણ છે. જે કારણથી જેનાગમમાં કહેલું છે કે, “મહેટા આરંભથી, મહેટા પરિગ્રહથી, માંસાહારથી અને પચેઢીને વધ કરવાથી જ આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે.” વળી બીજે ઠેકાણે કહેલું છે કે “પચેંદ્રીને વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં આદરવાળા Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. અને હેટા આરંભ તથા પરિગ્રહવાળા છે નરકને વિષે ઉત્પન્ન થાય છે.” જો બીજી કોઈ રીતે નિર્વાહ થઈ શકતું હોય તે પાપથી ભય રાખનાર પુરૂષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળ શ્રેણીની પેઠે ત્યાગ કરે જોઈએ. તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરૂષને વિમળની પિઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે કુશસ્થળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કઈ એક શેઠના પુત્ર રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતું, અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળે હિતે. તે બન્ને ભાઈઓએ ગુરૂ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ ક્યાં હતાં. એક વખત બને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરોએ વિમળને રાતે પુછયે. વિમળે કહ્યું કે “હું જાણતું નથી અનુક્રમે બીજા વેપારીઓ શ્રાવસ્તી નગરીમાં ઘણે લાભ સાંભળી તે તરફ ગયા. પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણી સૂકમ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યા. રસ્તામાં જતાં એક ગામમાં ગળી, મીણ, મધ, લૂણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળે ગ્રહણ કરી નહીં. કેટલાએક ગામડીઆ માં પણ તાવી ઘી આપતા હતા, પણ વિમળ ગ્રહણ કર્યું નહીં, પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો સહદેવ ન્હાનું આપતો હતો, પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લેકોએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સહદેવ તે આપવાને ઉત્સાહવાળે થયો, પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસોઈ વખતે કોઈ વેપારીએ અગ્નિ માગે, પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કઈ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગે, પણ તેણે અગ્નિ નહીં આપવાથી કોપયુકત થયેલે તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગે, પણ વિમળ ભય પામે નહીં. પછી રાક્ષસે કહ્યું કે “અરે ! જે તું મને અગ્નિ આપે તે હું તને છોડી દઉં.” વિમળે કહ્યું કે “હે રાક્ષસ ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવકે તેને આપતા નથી જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, મદિરા, માંસ, ઔષધ. મૂળીયાં, શસ્ત્ર, અગ્નિ, યંત્ર અને મંત્ર વિગેરે આપવાં નહીં. વળી “શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણુ, કાષ્ટ, મંત્ર, મૂળ અને ઓષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યું છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ હ૧ ચતુર્થ ગુણવર્ણન. " न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंमितैः। अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमं ॥२॥" શબ્દાર્થ—અગ્નિ ખેર, શસ્ત્ર, મદિર અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પડિત પુરૂષએ કેઈને આપવી નહીં, અને ગ્રહણ પણ કરવી નહીં. ૨ તે કારણથી હું પ્રાણાતે પણ અગ્નિ નહીં જ આપું. વિમળના આવા વચને શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થયેલે પોતાના વાભાવિક રૂપને પ્રગટ કરી બોલ્યા કે, “હે વિમળ ! હારી પ્રશંસા વર્ગમાં ઈદ્ર મહારાજે કરી હતી કે, વિમળ જે કઈ બીજો પાપ ભીરૂ પુરૂષ જ નહીં તે કારણથી તમને ક્ષેભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં. માટે તમે વરદાન માગે.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણ આપી સ્વર્ગમાં ચાલ્યા ગયે. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડહો વાગતું હતું કે, “સર્પથી શેલા રાજપુત્રને જે કોઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે.” એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહાને ગ્રહણ (સ્પર્શ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડ્યું ત્યારે તે કહેવા લાગે કે, “મહાર માટે ભાઈ વિમળ છે તેને આપ.” રાજાએ તેમ કર્યું પણ વિ. મળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને વિમળને શ્રેણી પદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાય પૂર્વક વર્તન કરતા અને પરોપકારમાં તત્પર એ વિમળ ધર્મ કરવા લાગે કહ્યું છે કે– "आज्ञा कीर्तिः पालनं धार्मिकाणां, दानं लोगो मित्रसंरक्षणं च। एषामेते षड्गुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण॥३॥" શબ્દાર્થ – આજ્ઞા, કીર્તિ, ધમપુરૂષનું પાલન, દાન, બેગ અને મિત્રનું શક્ષણ આ છે ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્ર જન છે?” અર્થાત જેને રાજાને આશ્રય હેય તેણે આ કાર્યો અવશ્ય કરવાં જોઈએ. સહદેવ તે રાજ્ય મેળવી લેકેને અત્યંત દુઃખ આપવા વિગેરે પાપને નિશકપણે કરવા લાગ્યું. વિમળ તેમ કરતાં અટકાવ કરતે હતા, પણ સહદેવે તેમ કરતાં વિરમે નહીં, કારણ કે, “ઉપદેશથી કેઈને સ્વભાવ ફેશ્વી શકાતું નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રાદ્ ગુણ વિવરણ, છ મહીના સુધી વાંસની ભુંગળીમાં રાખેલું કુતરાનુ` પુછડું મહાર નીકળ્યું કે પા વાંકુને વાંકુ' જ રહે છે. ” પછી સહુદેવને કાઇ શત્રુએ મારી નાખ્યા. ત્યાંથી મરણ પામી નરકે ગયા. અને વિમળ તો ધર્મ કરી સ્વર્ગમાં ગયે, ત્યાંથી ચ્યવી એક ભવ કરી સાધુ થઈ મેાક્ષમાં જશે. ઇતિ વિમળ દષ્ટાંતઃ ** ગ્રંથકાર ચતુર્થ ગુણના ઉપસ’હ્રાર કરતાં ઉપદેશ દ્વારા તેનુ ફળ દર્શાવે છે, " विमलवदिति यः स्यात्पापनीरुप्रवृत्तिः, सततसदय चित्तो धर्मकर्मैक चित्तः । स सुरनरसुखानि प्राप्य जाग्रद्विवेकः, कलयति शिवली नायकत्वं सुखेन ॥ ४ ॥” શબ્દા ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરૂષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળા, નિર'તર દયાળુ હૃદયવાળે, ધરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળા અને ફુરાયમાન વિવેકવાળા હેાય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખાને પ્રાપ્ત કરી મોક્ષરૂપ લક્ષ્મીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે.” જુઆ ઠેકાણે ચતુર્થ ગુણનું વર્ણન સમાપ્ત થયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ पंचम गुण वर्णन. વે કમથી પ્રાપ્ત થયેલ “પ્રસિદ્ધ દેશચાર ન આચરણ કરવારૂપ પંચમ ગુણનું વર્ણન કરે છે. “સિદ્ધ જ હેરાવા રમાવાનું તથા પ્રકારના અન્ય શિષ્ટ પુરૂષને તે આચાર માન્ય હોવાથી લેક રૂઢીમાં આવેલ હોય તેને પ્રસિદ્ધ કહે છે. અને મહાન પુરૂષને 5 ભજન, વસ્ત્ર અને ગૃહકાર્ય વિગેરે નાના પ્રકારની યિારૂપ આખા દેશને વ્યવહાર તેને દેશાચાર કહે છે. તેવા પ્રસિદ્ધ દેશાચારને સારી રીતે આચરનાર ગૃહસ્થ ધર્મને યોગ્ય થાય છે, અર્થાત પુર્વોક્ત રીતિથીવર્તન કરનાર પુરૂષ વિશેષ ધર્મ મેળવવા અધિકારી થાય છે. દેશ–ઉપલક્ષણથી પિતાના કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધિને પામેલા લોકાચાર અને ધર્માચારનું સારી રીતે આચરણ કરનાર હોય, તેનું આચરણ તો તેનાથી વિરૂદ્ધ આચારને ત્યાગ કરવાથી થાય છે. કહ્યું છે કે – "लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माबोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१॥" શબ્દાર્થ–બજે કારણથી ખરેખર સમગ્ર ધાર્મિક લેકેને આધાર લેક છે, તે માટે લેક વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ [ આચાર)ને ત્યાગ કરે જઈએ, ૧ દેશ અને લેકાદિક વિરૂદ્ધ તે આ પ્રમાણે છે. - દ્રવ્યના પ્રમાણ કરતાં અધિક વેશ રાખનાર, અધિક દ્રવ્ય છતાં હીનવેશ રાખનાર અને પિતે શક્તિ રહિત છતાં શક્તિવાળાની સાથે વેર કરનાર પુરૂષનું મહાન્ પુરૂ ઉપહાસ્ય કરે છે. ચેરી વિગેરેથી દ્રવ્યની આશા બાંધનાર, સારા ઉપાયમાં શંસય રાખનાર અને પોતાની શકિત છતાં ઉદ્યોગ રહિત થનાર પુરુષને Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. લક્ષમી પ્રાપ્ત થતી નથી રોગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર ઉપર દ્વેષ રાખનાર અને નિગી છતાં ઔષધ ખાનાર પુરૂષ ખરેખર મરવાને ઈચ્છછે એમાં સંદેહ નથી. જકાત આપી ઉલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પોતાના કુળના અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણેને મંદ બુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાર્યની સિદ્ધિ ઈચ્છનાર, દુઃખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મિલકતને ખરીદનાર આ ત્રણેને મુર્ખ પુરૂના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઈચ્છા કરનાર, ભેજન તૈયાર છતાં ગમન કરનાર અને નિર્ધન છતાં ગોષ્ટિ કરવામાં અત્યંત આસક્ત હોય, તે પુરૂષ મુને શિરોમણું ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણે અનર્થને પ્રાપ્ત થાય છે. જેના દેષ જાણીતા હોવા છતાં તેની સ્લાધા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેને અવર્ણવાદ બેલનાર પુરૂષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયો હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષે મહિષ, ખર અને ગાયની ઉપર આરહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ લોકાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આલેકમાં ખરેખર યશ, મોટાઈ અને શભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હોવાથી કરવા ધારેલાં ધર્મ કાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે દેશના રહેવાસી લેકેની સાથે વિરોધ થવાનો સંભવ હેવાથી ધર્મકાર્યમાં વિશ્વ આવી પડે છે. કહ્યું છે કે 'व्यत्रीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा। नज्यतां नाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥३॥" શબ્દાર્થ “અસત્ય હોય અથવા તે સત્ય છે પરંતુ લેકેતિ તે અતિ દુઃસહ્ય હોય છે. પાત્ર ( વાસણ ) ભાગે કે ન ભાંગે પણ લેકે તો ટકે મારે છે જ ૧ જનક્તિને લેક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેના આચારથી વિરૂદ્ધ હોય તેને લેક વિરૂદ્ધ જાણવું. કાચારથી વિરૂદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલ મનુષ્ય પણ તરણાની પેઠે નકામે થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પાંચમ ગુણ વર્ણન. પેાતાના સ્થાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસેાને ત્રેસઠ પાખડીઓ હમેશાં જે લેાકાચારનું પાલન કરે છે. તે લેાકાચાર કેવી રીતે લઘુ થાય ? જ્યારે સર્વ પ્રકારના સંગને! ત્યાગ કરનાર મુનિએ પણ શરીર અને સંયમનુ રક્ષણ કરવા માટેલેાકાચારને અનુસરે છે ત્યારે ખીજાની તેા ગણત્રીજ શી. ? ઘણા લેાક સાથે વિરોધ રાખનારને સ'સર્ગ કરવા, દેશાચારનુ ઉલ્લંઘન કરવુ', શક્તિ ઉપરાંત ભાગ કરવા, દાનાકિને નિષેધ કરવા, સંત પુરૂષોને કષ્ટ આવે ખુશી થવુ' અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરવા, ઇત્યાદિ બીજા પણ કેટલાંએક લેાક વિરૂદ્ધ કાર્યો જાણી લેવાં. હવે ગ્રંથકાર પ`ચમ ગુણના ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. ። समाचरन् शिष्टमतस्वदेशाचारं यथौचित्यवशेन लोके । सर्वाभिगम्यो लते यशांसि, स्वकार्य सिद्धिंच गृहाश्रमस्थः ॥ ३ ॥” ૯૫ શબ્દાર્થ”— ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરૂષ શિષ્ટ પુરૂષને માન્ય એવા પાતાના દેશાચારને યોગ્ય રીતે આચરણ કરતા લેાકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પોતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે. ” | કૃતિ વૃંદ્મમો મુળ | Page #115 -------------------------------------------------------------------------- ________________ षष्ठ गुण वर्णन. છે. આ નુક્રમથી આવેલા કેઇને પણ અવર્ણવાદનહીં બોલવા આ જ રૂપ છઠા ગુણને વર્ણવે છે. 1 2 સાવલીના – અવર્ણ એટલે નિંદા, તેને બોલવાના સ્વભાવવાળે પુરૂષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કોઈ પણ ઠેકાણે બેલનાર નહાય, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્તમભેદવાળા પ્રાણીઓને પણ અપવાદ બોલનાર ન હોય, કેમકે બીજાને અવણવાદ બોલવામાં ઘણુ દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે– " परपरिनवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म । नीचै गोत्रं प्रतिनवमनेकनवको टिदुर्मोचम् ॥१॥" શબ્દાર્થ–“બીજાને પરાભવ તથા અપવાદ અને પિતાને ઉકર્ષ કરવાથી પ્રએક ભવમાં અનેકભવ કેટીથી પણ છુટી ન શકે તેવું નીચ ગોત્રકર્મ બંધાય છે.” પિતાની પ્રશંસા, બીજાની નિદા, મહાન પુરૂષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બોલવું એ સર્વ આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર દ્વેષ રાખનાર કીડી પણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે, અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરૂષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરૂષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરૂષ દૂષણ જોઈ બીજા પાસે પ્રગટ કરે છે. અને અધમાધમ પુરૂષ તે દુષણ જોઈ એકદમ બૂમ પાડી ઉઠે છે. પિતાને Page #116 -------------------------------------------------------------------------- ________________ પણ ગુણ વર્ણન. ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને નિરાસ કરવા માટે સરૂની છઠ્ઠા જડ બની જાય છે, અર્થાત્ આવા પ્રસંગે સત્પરૂ માનજ ધારણ કરે છે. કારણ કે પરની નિંદા કરવી એ એક મહાનું પાપ છે. વળી વધારે આશ્ચર્ય તે એ છે કે પિતે નહીં કરેલાં પણ બીજાના પાપ,નિંદા કરનારી વૃદ્ધ બ્રાહ્મણીની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણીનું દષ્ટાંત આ પ્રમાણે છે કોઈ સારા ગામમાં દાનેશ્વરી અને લોકપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતો. કહ્યું છે કે- “પ્રજાને દાતાજ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઇચ્છે છે, પણ સમુદ્રને કોઈ ઇચ્છતું નથી;” અર્થાત્ જેમ વર્ષાદ જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લોકો તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ, અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કોઈના ઉપગમાં આવતું નથી, તેથી લોકે આ બન્નેને ઈચ્છતા નથી તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણ શેઠની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લેકે આવે છે, અને તે આ શેઠને ધમ જાણી પિતાનું દ્રવ્ય થાપણ મુકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે. માટે એ ધમી છે તે જાયે.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલે કોઈ કાર્પટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યો, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભેજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિ, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવા ડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મરતક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા મોટા સપના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાપેટિકને મરણ પામેલ જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થઈકહેવા લાગી કે, “દ્રગ્સના લોભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે ?” આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે, અને વિચાર કરે છે કે હું તેને વળગું ? “દાતાને આત્મા નિર્મળ છે, સર્પ અજાણ અને પરવશ છે, સમડી પણ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે હારે કોને વળગવું? ” એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ ગુણ વિવરણ, કરનારી બ્રાહ્મણીને વળગી પડી, એટલે તે તત્કાળ શ્યામ, કુબડી અને કુષ્ટ રાગથી દુષિત થઇ ગઇ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેાકેાને આ પ્રમાણે કહ્યું કે— ७८ "" कुम्न भिन्न युगलेन किल्विषं, बालकस्य जननी व्यपोहति । कण्ठतालुरसनानिरुज्जता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २ ॥” શબ્દાર્થ”—“ માતા બાળકની વિદ્યાને ફુટેલા ધડાના ડીકરાથી દૂર કરે છે, પણ કંઠું, તાળુ અને જીવ્ડાથી અવર્ણવાદ રૂપ વિષ્ટાને બહાર ફેંકનાર દુર્જને તા માતાને પણ હરાવો છે. ૨’ ; તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લાકના પણ અવર્ણવાદ કલ્યાણકારી નથી, તો “રાનાğિ વિશેષતઃ ” એ વચનથી ઘણા લાકને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરૂ અને સંઘ વિગેરેનો અવર્ણવાદ કેવી રીતે કલ્યાણકારી થાય ? અર્થાત્ ન જ થાય. રાજાદિકના અવર્ણવાદ બેલવાથી આ લેકમાં દ્રવ્યાક્રિકના વિનાશ અને ભવાંતરમાં નીચ ગેાત્ર તથા કલંક વિગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાગમમાં આ પ્રમાણે છે— “. પાતાનુ હિત ઇચ્છનાર પુરૂષે અસત્ય, અભ્યાખ્યાન ( કલંક, ) ચુગલી અને મર્મ ભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બોલવાંજ ન જોઇએ. પતિ પુરૂબાએ બીજાનેા છતા દોષ પણ ન કહેવો જોઇએ, તે લેાકેાને વિષે પ્રગટ અથવા તો છાના એવા અવિદ્યમાન દેોષ તેા એલાયજ કેમ ? જે દુર્બુદ્ધિ ખીજા પુરૂષને કલંક આપે છે, તે પુરૂષ આ લેાકમાં નિંદનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુ:ખાને મેળવે છે. જે દુઃૠમતિ માસના દોષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુકત યતિને (સાધુને)કલ'ક આપેછે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલંક આપનારી સીતાની પેઠે અન’તદુઃખને પામે છે.”તે વિષે સીતાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.— આ ભરત ક્ષેત્રમાંમિણાલકુંડ નામે નગરમાં શ્રીભુતિ નામે પુરહિત રહેતા હતા. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લેક ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. તે જોઇ ખાટા મત્સરથી વેગવતી લેાકેાને કહેવા લાગી કે ‘· બ્રાહ્મણેાને છેડી આ મુડ પાખંડીને કેમ પૂો છે ? મે' આ સાધુને સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે ’ એ પ્રમાણે મુનિ Page #118 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ગુણ વર્ણન. ૭૯. ઉપર વેગવતીએ અસત્ય કલંકને આપ મુ. તેથી ભેળા લેકે મુનિશ્રીની પૂજા કરતા અટક્યા. મુનિશ્રીએ પણ પિતાના ઉપર લોકોને અભાવ જોઈ તે અસત્ય કલંકના આરોપને જાણી લીધો. પછી તેમણે મહારા નિમિત્તે જિનશાસનની હાનિ મા થાઓ ” એ વિચાર મનમાં રાખી “જ્યાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી મહારે ભેજન કરવું નહીં, ”એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધ્યાને રહ્યા. પછી શાસન દેવતાની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ, અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાતાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પિતાના આત્માની નિંદા કરતી બેલી કે, મેં ઠેષભાવથી સાધુને ખોટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવતાએ સજજ કરેલી વેગવતી ધર્મ સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળ સંધર્મદેવલેકે દેવી થઈ. ત્યાંથી ચ્યવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પર્વભવમાં ખોટ આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ, પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ લેકેએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે કે" निवार्यतामानि ! किमप्ययं बटुः,पुनर्विवकुः स्फुरितोत्तराधरः। न केववं यो महतां विनाषते,श्रृणोति यस्मादपि यः स पापनाक।३।" શબ્દાર્થ –“હે સખી! ઉપરના સ્ફયમાન હેઠવાળા અને કોઇ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટકને નિવારણ કર, કારણ કે જે મહાન પુરુષની નિંદા કરે છે તે એકલેજ પાપી ગયું છે એમ નહીં, પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી થાય છે. ૩ આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે એમ દર્શાવે છે. "इत्थं सदा निन्द्यमवणर्वाद,त्यजन्परेषां श्रवणं च तस्य । जगजनश्लाध्यतया गृहस्थः,सघर्मयोग्यो भवतीह सम्यक्॥॥" શબ્દાર્થ– ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા યોગ્ય એવો બીજાને અવર્ણવાદ અને તેનું શ્રવણ એ બનેને ત્યાગ કરતા ગૃહસ્થ જગતના લોકોને પ્રશંસનીય થવાથી આલેકમાં સારી રીતે સદ્ધર્મને યોગ્ય થાય છે. ૪"તિષ | Page #119 -------------------------------------------------------------------------- ________________ AST सप्तम गुण वर्णन. : : : વે કમ પ્રાપ્ત સપ્તમ ગુણનું વર્ણન કરે છે. I:IS H -::*.-: tel * * * * * * * * “ઝામિકવિતનિતિન:”ગ્રહરી અનેક પેસવા નિકળવાના દ્વારેથી રહિત મકાનવાળ હોય. કારણકે જે ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હોય તે જેઓના આગમન અને પ્રવેશની ખબર પડતી નથી તેવા દુષ્ટ લેકના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળે હોવો જોઈએ એ અહિં તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત રથાનમાં નહિ બાંધતાં ઉચિત સ્થાનમાંજ બાંધવું યુદ્ધ છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય (અસ્થિ) , રાખ ખાતર વિગેરે દોષ અને નિષેધ કરેલ આયથી રહિત હોય તથા ઘણી દવ, અંકુરા, દર્ભને ગુ, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હોય, સારા સ્વાદયુકત પાણીને ઉદ્દગમ હોય અને નિધાનવાળું હોય તેને ગ્ય રથાન કહે છે કહ્યું છે કે" शीतस्पर्णोष्णकाने याऽत्युष्णस्पर्शा हिमागमे । वर्षासु चोजयस्पर्शा, सा शुन्ना सर्वदेहिनाम् ॥ १॥" શબ્દાર્થ– ઉણ કાળમાં શીત સ્પર્શવાળી, શીત કાળમાં ઉણ સ્પર્શ વાળી અને વર્ષો તુમાં ઉષ્ણુ તથા શીત એ બને સ્પર્શવાળી હોય તે ભુમિ સર્વ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે. ૧” પ્રથમ ભૂમીને એક હરત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે રેતીથી પુરી દેતાં જે રેતી વધી પડે તે શ્રેષ્ઠ, ઓછી રહેતે હીન, અને બરાબર થાયતે સાધારણ Page #120 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ગુણ વર્ણન, (મધ્યમ) ભૂમિ સમજવી. જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં, પાંચ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે જમીન દિમૃઢ કરનારી ન હોય, અર્થાત્ જે જમીનમાં ઉભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હોય, ચારે બાજુ સરખી હોય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉગાડવાવાલી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હોય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઈત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રથી જાણું લેવું. સ્થાનના ગુણદેનું જ્ઞાન તે શકુન, સ્વમ, દૈવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે. જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પાર શિવાયની બીજા અને ત્રીજા પહેરની છાયા પડતી હોય તે તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બેરડી અને બીજેરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરને મૂળથી નાશ થાય છે. ઘરમાં દુધવાળું વૃક્ષ હોય તે તે લક્ષ્મીને નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હેય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હાય તે સંતાનને નાશ કરનાર થાય છે. તેથી આવૃક્ષના કાષ્ટને પણ ત્યાગ ક. કોઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડો, પશ્ચિમ દિશાએ પીંપળે અને ઉત્તર તરફ પીંપર હોય તે પ્રશંસનીય છે. ગૃહસ્થ તીર્થકરની પીઠ, શંકર તથા સૂર્યની દષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી મકાન બંધાવે ” બીજે સ્થળે પણ કહેલું છે કે, “જિનેશ્વરની પીડ, સૂર્ય તથા શંકરની દષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કર જોઈએ. ચંડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. અરિહંતની દૃષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશાએ હાયતે ઘણું દુઃખ આપનાર થાય છે. પરંતુ જો વચમાં માર્ગ હેયતે કાંઈ પણ દેષ લાગુ થતું નથી. સ્થાન સારૂં હોય તે પણ ઘર નિર્દેષ કરવું જોઈએ.” કહ્યું છે કે "पुरिसव्व गिहस्संगं, हीणं अहिअं न पावए सोहं । तम्हा सुद्धं कीर, जेण गिहं हवा रिधिकरं ॥॥". શબ્દાર્થ–ચૂનાધિક શરીરવાળા પુરૂષની પિડે ઘરનું શરીર જૂનાધિક હેયતે શોભા પામતું નથી. તેથી જો ઘર નિર્દોષ કર્યું હોય તે તે ઋદ્ધિ કરનાર થાય છે. ૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ વળી “હળ, યાન, ગલી, અરઘટ, યંત્ર, કાંટાળુ, વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દુધવાળાં વૃક્ષ એ સર્વેનાં કાષ્ટ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવો જોઈએ. બીજોરી, કેળ, દાડિમ, જબીર, દેહલિદ્ધ, આંબલી, બાવળ, બોરડી અને ધંતૂરાના કષ્ટને પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષોનાં મૂળિયાં પડેશને લીધે જેના ઘરમાં ગયાં હોય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વ ગૃહસ્થને હાનિ કારક છે, પણ ધર્મ સ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણમય પ્રાસાદ કે ઘરમાં કાષ્ટના ખંભાદિકને અને કાષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના તંભાદિકને ગૃહ એ પ્રયત્નથી ત્યાગ કરે જઈએ. દેવમંદિર, કૂપ, વાપિકા, સ્મશાન, મઠ, અને રાજમંદિરના પાષાણ, ઈટ અને કાષ્ટ ગૃહાથે બાંધકામમાં સરસવમાત્ર પણ લેવાં યોગ્ય નથી. ગળાકાર, ખુણારહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હેય એવા ઘરમાં વાસ કરવા યોગ્ય નથી. જે ઘરનાં દ્વાર આ પિ આપ બંધ થાય છે, અને ઉઘડે છે તે અશુભ ગણાય છે; અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, રષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્ર ઘર ઉપર ચિતરવાં એગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસવતી, નવનિધાન યુક્ત લકમી, કળશ, વધામણું અને સ્વપ્નની શ્રેણિ એ મકાન ઊપર ચિતર્યા હોય તે તે શુભ ગણાય છે. મકાન પુર્વ તરફ ઉન્નત હેાયત દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઊતહેયતે દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઊન્નત હોય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હોય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે સત્પરૂને માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે. ” વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે – “જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળે કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હેય, આદર પૂર્વક ઉત્સવ થતા હોય, રક્ત વર્ણની યવનિકા હાય, સારી રીતે ઘરને કચરે દૂર થતું હોય, મેટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હેય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળ હાય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લયમી વાસ કરે છે.” - ઘરની વ્યવસ્થા નીચે જણાવ્યા પ્રમાણે હેવી જોઈએ. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે – Page #122 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ગુણ વર્ણન. "पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥३॥ नुजिक्रिया पश्चिमायां, वायव्यां धान्यसङ्गहः॥ नत्तरस्यां जलस्थान-मीशान्यां देवतागृहम् ॥४॥" इति विवेकविलासे ॥ શબ્દાર્થ “લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં રડું અગ્નિ કેણમાં, શયન દક્ષિણ દિશામાં, શસ્ત્રાદિકનૈઋત્ય કેણુમાં, ભેજન ક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય કેણમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાણ કણમાં કરવું ૩-૪ વળી સ્થાન કેવા પ્રકારનું હોવું જોઈએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનને નિષેધ હોવાને લીધે સ્થાન અતિ પ્રગટ અને અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હોય તે નિચે સમીપમાં બીજા ઘર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્લું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય, અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાએલું હોવાને લીધે શેભાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પિસી કે નિકળી શકાય છે. વળી મકાન કેવા સ્થાનમાં હોવું જોઈએ તે બતાવે છે. “સુરારિ –જ્યાં સુદર શીળ વિગેરેથી અલંકૃત પાડોશી વસતા હોય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીળ [ આચાર] વાળ પાડોશી હે તે ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સગુણી પુરૂષના પણ ગુણની હાની આપો આપ થઈ જાય છે. ઉત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તે જ હાથી દયા રહિત થયે હતે, વળી ગાયો ચરાવનાર સંગમને સારા પાડેશીને વેગ મળવાથી તે પરલેકમાં શાલિભદ્રપણે ઊસન્ન થયે હતે. આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડોશીઓ તે આ પ્રમાણે છે. "खरिया तिरकरवजोणी, तानायरसमणमाहणसुसाणा । वग्गुरियवाहगुम्मिय, हरिएसु पुलिन्दमाचंधा ॥५॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રાદ્ધ ગુણ વિવરણ ~ ~ ~ जूयारवेसं नम नट्ट नट्ट तह कुकम्मकारीणं । संवासं वजिज्जा, घरहट्टाणं च मित्तीय ॥६॥" શબ્દાર્થ–“દાસી, તિર્યથી પેષણ કરનાર, તાલાચર [ તાબોટા પાડીને ફરવા વાળા મશ્કરા, ] સાધુ, બ્રાહ્મણ, શ્મશાન, મૃગલ વિગેરેને ફસામાં નાંખનાર (પારાધી), વ્યાધિ, શિકારી વિશેષ (જનાવરેની મદદથી શિકાર કરનાર), હરિકેશ ચંડલ વિશેષ, ભિલ્લ લેક, માછી, જુગારી, વેશ્યા, નટજાતિ વિશેષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરૂષના ઘર તથા દુકાનને પાડશ અને મૈત્રીને સર્વથા ત્યાગ કરે જોઈએ. ૫-૬” વળી ઘર દેવળની પાસે હોય દુઃખ, ચતુષ્પથ [ક] માં હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હોય તે પુલનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રવ્યને નાશ થાય છે. મૂર્ખ, અધર્મી, પાખંડી, મર્યાદા રહિત, ચેર, રેગી, ક્રોધી, અંત્યજ, અહંકારી, ગુરૂની શય્યા સેવનાર શત્રુ સ્વ મિવંચક, શિકારી, અને સાધુ, સ્ત્રી તથા બાળકનો ઘાત કરનાર અધમ પુરૂષોને પાડેશ આત્માનું હિત ઈચ્છાનાર બુદ્ધિમાન પુરૂષે ત્યાગ કરે જઈએ. ખરાબ પાડોશીને વિષે અંબીકાનું ઉદાહરણ આ પ્રમાણે છે શ્રી ગિરનાર પર્વતની નજીક કુબેરપુરમાં દેવભટ્ટ અને દેવીલાને પુત્ર સેમભટ્ટ નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને સ્વભાવથીજ દાનપ્રિય અંબિકા નામે ભાર્યા હતી. તે બન્નેને સિદ્ધ તથા બુદ્ધ નામે બે પુત્રો હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ એક માસના ઉપવાસી સાધુને ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી દાન આપ્યું. અંબિકાના તે દાનને જોઈ જાણે સાક્ષાત્ રાક્ષષીજ હોય નહીં અને જાણે કલહની મૂર્તિજ હોય નહીં, એવી તેની કોઈક પાડે શણ ઉંચે હાથ કરી એકદમ ઘરમાંથી નિકળી હેટા શબ્દોથી જેમતેમ બોલવા લાગી. તે અરસામાં કેઈ ઠેકાણે ગયેલી તેની સાસૂ આવી પહોંચી. તે પાડોશણનાં વચને સાંભળી ક્રોધયુક્ત થયેલી તેની સાસૂએ સમભટ્ટને જણાવી દીધું. સેમભટ્ટ બેલ્યો કે, “અરે પાપિણી ! હજુ સુધી કુળદેવતાની પૂજા થઈ નથી, પિતૃપિંડ ભર્યા નથી અને બ્રાહ્મણને પણ જમાડ્યા નથી અને તે આ શું કર્યું ?” ઈત્યાદિ આક્રોશ વચનથી તિરસ્કાર કરી ઘરમાંથી કાઢી મુકી, અંબિકા પણ પિતાના બે પુત્રને લઈ એકદમ ત્યાંથી નિકળી ગઈ. ગામમાં કઈપણ ઠેકાણે સ્થાન નહીં મળવાને લીધે નગરની બહાર જતાં ચાલવાથી થાકી ગયેલી અંબિકા પાસે તેના બન્ને પુત્રોએ જળ માગ્યું. આગળ એક શુષ્ક સરોવર જોવામાં આવ્યું, તે તેના શીળના પ્રભાવને લીધે જળથી ભરાઈ ગયું, અને એક શુષ્ક આમ્ર વૃક્ષ હતું તે પણ ફળ યુકત થઈ ગયું. હવે જળ તથા ફળ વિગેરેથી સુખી Page #124 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ગુણ વર્ણન. ૮૫ થયેલી અમિકા આમ્રવૃક્ષની છાયામાં વિશ્રામ લે છે, તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસુ શીળના મહિમાથી તથા મુનિદ્યાનથી પ્રસન્ન થયેલ શાસનદેવતાના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવર્ણમય થયેલાં તથા સિકથા માક્તિકરૂપ થયેલાં અને રસાઇનાં ભાજના જેવાં ને તેવાં ભરેલાં જોઇ ખુશી થઈને પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર ! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઇ પાછી તેડી લાવ.” સોમભટ્ટ પણ તેનું માહાત્મ્ય જોઇ પશ્ચાતાપ કરતા તેની પાછળ ગયા. ભત્તત્ત્તરને આવતા જોઇ ભય પામેલી અંબિકા પેાતાના પુત્ર સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કાહ'ડ નામના વિમાનમાં મ્હોટી ઋધ્ધિવાળી અખિકા નામની દેવી થઇ. લેાકેાના અપવાદથી ભય પામેલા સામભટ્ટે પણ તેજ કૂવામાં ઝંપાપાત કર્યાં. તે પણ મરીને તેજ વિમાનમાં અભિચેાગિક કર્મના ઉદયથી સિ’હરૂપ ધારી દેવ થયા, અને તે અંબિકાના વાહન તરીકે થયા. ॥ ઇતિ અંખિકા ઉદાહરણ સમાપ્ત. LL હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારા પાડેશ રાખવા આગ્રહ કરે છે. * ' इत्यम्बिकावदिकन्दल मत्सरादीन्, कुप्रातिवेश्मिकतया प्रतिज्ञाव्य दोषान् । श्राद्धः सदा स्वपरसौख्यसमाधिदेतोः, विदधीत वासम् ॥ ७ ॥ " सुप्रातिवेश्मिक શબ્દા --“ઉપર જણાવ્યા પ્રમાણે આ લાકમાં અંબિકાની પેઠે ખરાબ પાડારાથી અપવાદ અને અદેખાઇ વિગેરે ઢાષાની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિર'તર પોતાની અને પરની સુખ સમાધિ માટે સારા પાડેાશવાળા મકાનમાં વાસ કરે. ૭ ” કૃતિ સન્તમઃ । Page #125 -------------------------------------------------------------------------- ________________ જ ન TT Sી કેદ કરી , it : - - allie अष्टम गुण वर्णन. વે ક્રમથી પ્રાપ્ત થયેલ “ સારા આચારવાળાને સંગ કરવા” રૂપ અષ્ટમ ગુણનું વર્ણન કરે છે. જ ' ૦ ૦ E “ કુતર : સવારે ” –સુંદર આચાર અર્થાત્ આ લેક તથા પરલેકના હિતવાળી પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરૂષોની સાથે સંગ કરનાર હેય. પરંતુ જુગારી, ધૂર્ત, બદમાસ, ભાટ, ભાંડ, અને નટ વિગેરેને સંગ કરે નહીં. કારણકે તેમને સંગ કરવાથી સદાચાર હોય તે પણ નાશ પામે છે. “यदि सत्सङ्गनिरतो, नविष्यसि नविष्यसि । अथाऽसज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १॥" શબ્દાર્થ છે જો તું સાપુરૂષની સંગતિમાં આસક્ત થઈશ તે સુખી થઈશ અને જો તું દુર્જનની સંગતિમાં પડીશ તે દુ:ખમાં પડીશ૧” (નિશ્ચય નથી) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા ગ્યા છે. જે તે સર્વથા ત્યાગ ન કરી શકાય તે સત્પની સાથે સંગ કરે એગ્ય છે, કારણકે સંત પુરૂષ સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “તું સત્સંગનું મહાસ્ય તે ! પાર્શ્વમણિના સંગથી લેતું સુવર્ણ થાય છે, અને કાચ સુવર્ણની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલે શંખ અગ્નિના સંબંધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલે પુરૂષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાદિક સચેતનને સંગતે દૂર રહે, પરંતુ વૃક્ષમાં પણ સજજન દુર્જનપણું રહેલું છે. કારણકે અશેકવૃક્ષ શેકને નાશ કરે છે, અને કલિ (બહેડાનું વૃક્ષ ફ્લેશ ઉત્પન્ન કરે છે. જેમ અશ્વ પાતળા હોય છે તે પણ શેભાને પામે છે, અને રાસભ પુષ્ટ હોય તે પણ શેભાને પામતે નથી, તેમ સજ્જન નિધન હોય તે પણ તે શ્રેષ્ઠ ગણાય છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ગુણ વર્ણન. પણ અધમ પુરૂષ ધનવાન હોય તે પણ તે શ્રેષ્ઠ ગણાતું નથી. ઉપાધિજન્ય દેષ તે દૂર રહે, પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણીનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલે પણ દેષ સારી સંગતિથી ચાલ્યા જાય છે.” બે પિપટનામાતા પિતા એકજહેવા છતાં ભિલેના સંગથી એકને અવગુણ થયું હતું, અનેમનિના સંગથી બીજાને ગુણ થયો હતે,એમ સંભળાય છે. “હે રાજન્ !હાર અને તે પક્ષીના માતા પિતા એકજ છે મને મુનીઓ લાવ્યા છે, અને તેને ભિન્ન લેકે લઈ ગયા છે. હે રાજન ! તે પક્ષી ભિલેની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિ પુંગની વાણું શ્રવણ કરું છું. સંસર્ગથી દેશ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું.” વળી કહ્યું છે કે – "धर्म ध्वस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान, काव्यं निष्प्रतिनस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ, यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकाङ्क्षति ॥॥" શબ્દાર્થ—“ જેમ નિર્દય પુરૂષ ધર્મને અન્યાયી યશને, પ્રમાદી પુરૂષ દ્રવ્ય ને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરૂષ તપશ્યને, અ૫ બુધિ શ્રુત ને, નેત્રહીન પદાર્થ જેવાને, અને ચલચિત્તવાળે ધ્યાનને ઇચ્છે છે તેમ દુર્મતિ ગુ ણુના સંગને ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે, ૨” સારી સંગતિને ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતું નથી. આ સંબંધમાં લેકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે – વીરપુર નગરમાં ષકર્મમાં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે એક પુત્ર હતા. તે કીમીયાગર, જુગારી, કજીયાખોર અને સર્વ ઠેકાણે નિરંકુશ હાથીની પેઠે ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરનાર હતા. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “હે વત્સ!તું વ્યસનને ત્યાગ કર. જેને માટે કહ્યું છે જે "वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः । महानाय जायन्ते, वकाराः पञ्च वर्षिताः ॥३॥" શબ્દાર્થ–બર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ,વાદ અને વ્યસનરૂપ આ પાંચ કારે વૃદ્ધિ પમાડવાથી મહાન અનર્થ થાય છે. ૩ ' માટે હે વત્સ ! શાસ્ત્રનું અવગાહનકર, કાવ્યરસરૂપ અમૃતનું પાનકર, કળા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રાદ્ધ ગુણ વિવરણ. એને અભ્યાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શીખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યું કે" न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसन तृट् । મેવાર્શનીયં તુ, વિ નિરાઃ વલાદ છે જ ! શબ્દાર્થ—“શાસ્ત્રાભ્યાસથી કંઈ ક્ષુધા મટતી નથી,કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવ્યને જ ઉપાર્જન કરવું જોઈએ; બીજી કળાઓ તે ફળ વિનાની છે. ૪” આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈ ભરેલી યુકિતઓથી દુઃખી થએલે દિવાકર મૈન રહ્યા, પછી દિવાકરે પોતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુત્રને બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પણ હારૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર“ कृतज्ञखामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् । જિત્રલોચ, ન નૈવાવતિતિ છે ” શબ્દાર્થ કૃતજ્ઞ સ્વામીને સંસર્ગ, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરૂષની મિત્રી કરનાર પુરૂષ કદિપણ દુઃખી થતા નથી. ૫”ઉપરના લેકના તાત્પર્ય ને મળતા આ બીજા કને અર્થ આ પ્રમાણે છે “ ઉત્તમ પુરૂષની સાથે સંગતિ કરનાર, પંડિતની સાથે ગણી કરનાર, અને ઉદાર પુરૂષોની સાથે મૈત્રી કરનાર પુરૂષ કદિ પણ દુખી થતું નથી.” આ લેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યું. પછી પ્રભાકર તે લેકની પરિક્ષા કરવાના ઈરાદાથી દેશાંતર જતાં કે ઈએક ગામમાં કૃતઘ અને તુચ્છ પ્રકૃતિવાળા સિહ નામના ઠાકરની સેવા કરવા લાગે. પ્રભાકરે તેજ ઠાકરની સૌથી અધમ દાસીન ભાર્ય તરીકે સ્વીકાર કર્યો, અને તેજ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાંજ લુબ્ધ થએલા લેભનદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયે. પ્રભાકર રાજાને પંડિત પ્રિય સમજી આ પ્રમાણે બેત્યેકે –મૂર્ખ મુની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિ હરિ ની સાથે અને બુદ્ધિવાળા સદ્દબુદ્ધિવાળાની સાથે સંગતિમાં આવે છે. માટે મિત્રતા સમાન શીળવાળાની સાથેજ હેવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અષ્ટમ ગુણુ વર્ણન. થયેલા રાજાએ ઘણા ગામા સહિત એક નગર આપવા માંડ્યું પણ તે નહીં લેતાં પ્રભાકરે સિહુને અપાવ્યું. એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકારો કર્યાં, દાસીને સુવર્ણનાં આભરણ વિગેરે આપ્યાં, લેાભનઢીને પણ મહર્ષિંક મનાવ્યો. હવે સિંહ પાસે પોતાના જીવથી પણ અધિક વહાલા એક મયૂર હતા. તેનુ' માંસ ખાવાના દોહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગના પ્રભાવથી ઉત્પન્ન થયા. પ્રભાકરે પિતાના આપેલા શ્લોકની પ રીક્ષામાટે રાજાના મયૂરને કાઇ ઠેકાણે સ’તાડી ખીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ ર્યાં. હવે સિંહે ભાજન વખતે મયૂરના ચારે તરફ તપાસ કરતાં કાઇ પણ ઠેકાણેથી મળી આવ્યા નહીં, ત્યારે તેણે ગામમાં પહેા વગડાવ્યા કે, ‘જે પુરૂષ મયૂરની ખબર આપશે તેને રાજા એકસા આઠ સાનામ્હાર આપશે, ’ એવી રીતના પહેા સાંભલી • મને બીજો સ્વામી મળી આવશે ’ એમ ધારી દ્રષ્યમાં લુબ્ધ થયેલી દાસીએ રાજાને કહ્યુ કે, “ હે રાજન્ ! મે` અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં નષ્ટ થયેલા આ પ્રભાકરે મ્હારા દોઢ પૂર્ણ કરવા માટે બીજે મયૂર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખ્યા છે, ” એવું દાસીનું કહેવુ' સાંભળી સિહની પેઠે ફ઼ર અને ક્રોધયુક્ત થયેલા સિંહ પ્રભાકરને પકડવા સુભટ મેકલ્યા. તે વૃતાંત જાણી ભયભીત થયેલા પ્રભાકર મિત્રને ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે, · હે મિત્ર ! મ્હારી રક્ષા કર ! રક્ષા કર ! એમ ખેલતાં પ્રભાકરને લાભનઢીએ કહ્યું કે, હે રાજાનું શું નુકશાન કર્યું છે? ” પ્રભાકર–મ્હે મ્હારી સ્ત્રી માટે રાજાના મયૂર મારી નાંખ્યા છે. ’મિત્રાધમ લેાભનંદી– સ્વામીના દ્રાહ કરનાર, ત્હારે માટે સ્થાન ક્યાં છે? ખળતા પુળાને પેાતાના ઘરમાં કણ નાખે ? ' ઇત્યાદિ ખેલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લાભનદીએ ખુખારવ કયા એટલે રાજાના સુભટા આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહુ તિરસ્કાર પૂર્વક ખેલ્યા કે, ‘હે વિપ્રાધમ ! મ્હારા મયૂરને આપી દે અથવા ઇષ્ટ દેવતાનું સ્મરણ કરી લે. ’ તે વખતે પ્રભાકર દયામણેા થઇ ખેલ્યા કે, ‘હે રાજન! તમે મ્હારા પિતા, સ્વામી અને શરણુ રૂપ છે. તેથી તમ્હારા આ સેવકના એક અપરાધ ક્ષમા કરો. ' એ પ્રમાણે વિનતિ કરી તોપણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટને સોંપી દીધા, તેઓએ તેનુ` કાંઈ પણ અનિષ્ટ કર્વાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ સ્વરૂપ નિવેદન કરી મયૂર સેાંપી દીધા. તે પછી પ્રભાકર ખેલ્યા કે, · પિતાનુ` વચન દેવ સમાન કહેલ' છે, જેનુ ઉલ્લધન ૧ર Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહી સ હની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યા. રરતામાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય सह पन्नगै नवेच्छठात्मनिर्वा रिपुभिः सहोषितम् । अधयुक्त श्चपलैरपएिकतै न पापमित्रैःसह वर्तितुं क्षमम् ॥६॥ श्हैव हन्युर्तुजगा हि रोषिता, धृताऽसयश्छिमपक्ष्य वाऽरयः। असत्प्रवृत्तेन जनेल सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकघ्यविनाशिना ॥७॥" શબ્દાર્થ–બસની સાથે વિચરવું અને શઠ પુરૂષ તથા શત્રુઓની સાથે વાસ કરવો સારે છે, પણ ધર્મહીન, ચપળ, મુખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું પિગ્ય નથી, ૬, ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુઓ તે છિદ્રને જોઈ આ લેકમાંજ હણનારા થાય છે; પણ અસબત્તિ. વાળા પુરૂષની સાથે સંગતિ કરનાર પુરૂષ ઉભય લેકમાં હણાય છે.૭ પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે; પરંતુ ઉભય લેકને નાશ કરનાર મૂખની સાથે રહેતાં રાજ્ય હોય તે પણ સારૂં નથી.”૮ અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયો. ત્યાં હેમરથ નામે રાજા હતું, તેને કુવ્યસનને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિદ્રાપ્રિય અને લોકોને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતા. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર છે. તેની પાસે જઈ પ્રભાકરે વિનય પૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન દૃષ્ટિથી અવેલેકન કરવા રૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે – “प्रसन्ना दृग् मनः शुद्धं, सविता वाग् नतं शिरः । સગાથવિયં પૂના, વિના િવિજાવં સંતાન છે ” શબ્દાર્થ–બ પ્રસન્ન દૃષ્ટિ, નિમળ અંતઃકરણ, સુંદર વાણું અને નમ્રીભૂત Page #130 -------------------------------------------------------------------------- ________________ - ૯૧ અષ્ટમ ગુણ વર્ણન. મસ્તક એ પુરૂષની અર્થિપુરૂષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય છે. ” કુમારના સ્નેહ યુક્ત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગે કે, “અહો ! આ કુમારની નિર્મળ મૂર્તિ, મિત અને મધુર વચન, નવીન એચિત્ય ચાતુર્યતા અને આત્માની નિર્મળતા કેવી આશ્ચર્યજનક છે ! કેટલાએક પુરૂ બાલ્યાવસ્થાથીજ દ્રાક્ષની પેઠે મધુર હોય છે, કેટલાએક આગ્ન વૃક્ષની પેઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે અને કેટલાએક તે ઇંદ્રવારણના ફળની પેઠે વિપાકથી (પાકવાથી) કદિ પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણો વાસ કરી રહે છે. એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યું. તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિનયાદિક ગુણવાળી એક બ્રાહ્મણને પિતાની ભાર્યા કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનેમાં મુખ્ય એવા વસંત નામના વણકને મિત્ર કર્યો. અનુક્રમે પિતા મરણ પામતાં ગુણસુંદર કુમાર રાજા થશે, અને સર્વ કાર્ય કરવામાં સમર્થ પ્રભાકર મંત્રી છે. એક વખતે અશ્વના વેપારીઓએ બે જાતિવંત ઘોડાએ રાજાને ભેટ કર્યા. તે ઉત્તમ લક્ષણવાળા હતા પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે બિના જાણ બહાર હેવાને લીધે રાજા અને મંત્રી અને ઘોડા ઉપર આરૂઢ થઈ નગરની બહાર જઈ અો ખેલાવવાના થાનમાં અને ખેલાવી વેગ જાણવાની ઈચ્છાથી તે બન્નેએ અને ચાબુકને પ્રહાર કર્યો તેથી તે બને એટલા તે વેગથી ચાલી નિકળ્યા કે કોઈ પણ તેઓની ગતિને પહોંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મંત્રીએ ત્રણ આમળાં ગ્રહણ કરી લીધાં. પછી તેમણે લગામ મુકી દીધી એટલે એકદમ બને અને ઉભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મંત્રીએ એક આમળું આપ્યું; ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને બીજું અને ત્રીજુ આમળું આપ્યું. એવી રીતે ત્રણ આમળાથી કાળ ક્ષેપ કરતાં પાછળ રહેલું એન્ય આવી પહોચ્યું. પછી સ્વસ્થ થઈ નગરને વિષે આવી પહોંચ્યા. હવે ગુસુંદર રાજાને એક પાંચ વર્ષને પુત્ર હતું તે બાળ હરિણને સાથે લઈ હિમેશાં મંત્રીના મકાનમાં કીડા કરવા આવતું હતું. એક વખતે મંત્રીએ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાદ્ધ ગુણ વિવરણ રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સંતાડી દીધું. રાજાએ ભેજન વખતે કુમારની સર્વ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કોઈ પણ ઠેકાણેથી તે મળી આવ્યું નહીં. તેથી બ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઈ ગયે, અને રાજાને સઘળે પરિવાર પણ શ્યામ મુખ બની ગયે. આ અરસામાં કેઈએ શંકા કરી કહ્યું કે “કુમાર મંત્રીને ઘેર ગયે હતે.” તેથી સર્વ લેકના ચિત્તમાં મંત્રી ઉપર શંકા થઈ આવી. મંત્રી પણ રાજસભામાં ગયે ન હતું તેથી તેની ભાર્યા બેલી કે “હે સ્વામિન્ ! આજે રાજસભામાં કેમ ગયા નથી. ” મંત્રીએ જવાબ આપ્યો કે “ હે પ્રિયે! હું રાજાને મુખ દેખાડવાને સમર્થ નથી, કારણ કે આજે હું રાજકુમારને મારી નાંખે છે.” ભાર્યાએ કહ્યું કે “હે નાથ ! એ શું ?” મંત્રીએ જવાબ આપ્યો કે ગઈ કાલે હું કહ્યું હતું કે “ ગર્ભના પ્રભાવથી આ રાજાને પુત્ર શત્રુની પેઠે હારા નેત્રને દાહ ઉત્પન્ન કરે છે, તેથી મહેં હારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાખે છે.” તે પછી ચિત્તમાં બળાપ કરતી મંત્રી પત્ની એકદમ વસંત મિત્રને ઘેર જઈ તેને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. મિત્ર અત્યંત કૃતજ્ઞ હેવાથી “આ વાતમાં કોઈ નથી. હું પિતેજ રાજાને ભેગે થઈશ.” એવી રીતે મંત્રી પત્નીને આશ્વાસન આપી પિતે રાજા પાસે ગયે, અને રાજાને વિનંતિ કરી કે “હે દેવ! આ બાબતમાં મંત્રીને બીલકુલ અપરાધ નથી. કિતઆ વિષયમાં હારે પિતાનાજ અપરાધ છે.” એવી રીતે યુક્તિથી કાંઈક બોલે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહેચી અને તેણે જણાવ્યું કે “ હારે દેહદ પૂર્ણ કરવા માટે આ બીના બનેલી છે. તે પછી મંત્રી પણ આવી પહોંચ્યા અને કંપાયમાન શરીર વાળા તેણે વિનંતિ કરી કે “હે રાજન્! મ્હારા દુઃખથી દુઃખી થયેલે વસંત અને હારી પત્ની પિતાને અપરાધ જાહેર કરે છે, પરંતુ સઘળે અપરાધ મહારાજ છે, તેથી મહારા પ્રાણ ગ્રહણ કરવા જોઈએ.” તે પછી રાજા વિચાર કરવા લાગે કે, “આ મંત્રી બધી રીતે મ્હારૂં હિત કરનાર અને આમળાં આપી મને જીવિતદાન આપનાર છે.” એમ વિચારી રાજાએ લેક સમક્ષ મંત્રિને કહ્યું કે “હે મિત્ર! તે વખતે જે તેં મને આમળાનાં ફળ ન આપ્યાં હેત તે ક્યાંથી,આ રાજ્યજ્યાંથી, પુત્ર ક્યાંથી અને પરિવાર પણ ક્યાંથી હોત. મંત્રિએ કહ્યું કે, “હે સ્વામિન્ ! આમ કહેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાય છે પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડઆપ જ જોઈએ.ત્યારે રાજાએ કહ્યું, “જો એમ છે તે ત્રણ આમળામાંથી એક આમળું વળી ગયું.” એટલે મંત્રિ બોલ્યો કે, “હે દેવ ! હે સર્વ ગુણાધાર ! એ Page #132 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ગુણ વર્ણન. એ પ્રમાણે છે તે ત્રણ આમળાં રહેવા દે અને તમે કુમારની સાથે ચિરકાળ સુધી રાજ્ય કરે.” એમ બેલી કુમારને લાવી રાજાને અર્પણ કર્યો. તે અવસરે કુમારને જોઈ સર્વને આનંદ થયો. “હે મંત્રિન્ ! આ શું ?” એમ રાજાએ પુછયું એટલે મંત્રિએ પિતાના આદેશથી લઈને પિતાનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેના આ સ્વરૂપને જાણી લજજા પામેલા રાજાએ મંત્રીને અદ્ધાસન ઉપર બેસાડી કહ્યું કે “હેમત્રિન! હે જે અમૂલ્ય આમળાની પુત્ર સમાન તુલના કરી તે સહન કરવું.” ઈત્યાદિ પ્રીતિયુક્ત વાકથી પ્રભાકરને ખુશી કર્યો. પછી ઉત્તમ સ્વામી વિગેરેની પરીક્ષા જેણે કરી છે એવા પ્રભાકર મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સજજનને સંગ કરવા આગ્રહ કરે છે. "प्रनाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सगात्सदसज्जनानाम् । विवेकिना सौख्यगुणाद्यवाप्त्य, कार्यः सदा सज्जनसहरङ्गः॥१॥" શબ્દાર્થ—“વિવેકી મનુષે સજજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનનો સંગ કરવું ઉચિત છે. ૧૦ તિ મદન . છે વોરા અમરચંદ જ શર. જ છે ભાવનગર – ઘર દેરાસરજી # શાન ભંડાર તરફ થી સમ બેટ Page #133 -------------------------------------------------------------------------- ________________ नवम गुण वर्णन. હવે ક્રમથી પ્રાપ્ત થયેલ “ રૂપ નવમા ગુણુનું વર્ણન કરે છે. માતા પિતાની “ માતાપિત્રાચ્ય पूजकः "" ,, ~~~~ગૃહસ્થાએ માતાપિતાની પ્રાતઃ, મધ્યાન્હ અને સાય’કાળે પ્રણામાદિકે કરી પૂજા કરનાર થવુ જોઇએ. કહ્યું છે કેઃ— मातृपित्रादिवृद्धानां नमस्कारं करोति यः । तीर्थयात्राफलं तस्य तत्कार्योऽसौ दिनेदिने ॥ १ ॥ " “ પૂજા કરવા છ શબ્દા __ જે પુરૂષ માતા પિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે તેને તીર્થ યાત્રા જેટલુ ફળ થાય છે, તે હેતુથી તેમને નિર ંતર નમસ્કાર કરવા જોઇએ.” ભાવા —પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતાપિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, તેમ માતાપિતા, વડીલ બધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ઋણુ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે. માટે તેમને હંમેશાં નમસ્કાર કરવા જોઇએ. જે પુરૂષો પોતાના પરાપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કદિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતા નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરેલા છે તેના બદલે કોઇ પણ રીતે વાળી શકાતા નથી, તેને માટે જૈનાગમમાં જણાવેલી બીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહી’યાં એટલુ જ કહેવું ખસ થશે કે માતા પિતાનુ પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનુ ફળ પ્રાપ્ત કરે છે; માટે હમેશાં ત્રણ વાર ન અની શકે તે પ્રાતઃકાળમાં તા માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરૂષોએ અવશ્ય નમસ્કાર કરવા ચુકવુ' નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવા રૂપ પ્રચાર બહુધા લુપ્ત થઇ ગયા છે. પરં'તુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજામ Page #134 -------------------------------------------------------------------------- ________________ નવમ ગુણ વર્ણન. ૯૫ વિગેરે દેશેમાં દૃષ્ટિગોચર થાય છે. પણ જેવી રીતે શાસ્ત્રકાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનય પૂર્વક જોવામાં આવતા નથી. તે જેને શ્રાવક ધર્મને યોગ્ય થવુ' હાય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતા દક પૂજ્ય વર્ગનુ નમસ્કાર રૂપ પૂજન અવશ્ય કરવુ' જોઇએ. · માતાપિતાને નિર'તર નમસ્કાર કરનાર,' એ વિશેષણુથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાનો ભંગ તા કરી શકાયજ નહીં. કારણકે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્ત્તન કરવું. તેનેજ આગળ ઉપર શાસ્રકારે પૂજન કહેલું છે. < કેટલાએક કુપુત્રા સહેજ વાતમાં માતાપિતાની સામે થઇ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનાની અવજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞા પાલન રૂપ પૂજન તા દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણ અચકાતા નથી. આવા જીવા પ્રાયે કરી ધર્મને અયેાગ્ય હાય છે, અને તે પરલેકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે. તે વિવેકી પુરૂષોએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરૂષને સંસર્ગ પણ કરવા વ્યાજખી નથી. કોઈ કારણસર અથવા અજ્ઞા નતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુઃસહ્ય હોય તોપણ ઉત્તમ પુત્રએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી. જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વર્ત્તન કરવું' એ ઉચિત છે. આ માતાપિતાને ભક્ત છે • એમ લેાકેાને બતાવવા ખાતર નહી', પણ અ’તઃકરણની ખરી ભક્તિથી પૂછ્યવર્ગની પૂજામાં જોડાવું જોઇએ; કારણ કે પ્રાણી માત્રને સ’સારમાંથી તારનાર સ્થાવર અને જંગમ એમ એ તીથા કહ્યાં છે; તેમાં સ્થાવર તીર્થાંની સાથે માતાપિતાની સામ્યતા ખતાવી છે. જો કે ગ્રંથકર્તાએ સ્મૃતિ પુરાણુાર્દિકનાં વચના ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થાથી પણ અધિક શ્રેષ્ઠ ખતાવ્યા છે, તેપણુ ઉપરના શ્લોક જોતાં માતાપિતાની શત્રુંજયાદિ તીર્થોની સાથે સામ્યતા બતાવી છે તેને તે કાઇ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પ એવા છે કે, જે પુરૂષ હમેશાં માતાપિતાની નમસ્કાર રૂપ પૂજા કરનાર હોય છે તેજ પુરૂષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વગેરે કરી શકેછે, માટે માતાપિતાના પૂજક થઇ હંમેશાં તીર્થયાત્રા જેટલુ ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવું જોઇએ. વળી તેમને પરલેાકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જોડવાથી, આલેક તથા પરલોકના સ‘પૂર્ણ વ્યાપારાની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી, ઉત્તમ વર્ણ અને ગયુક્ત પુષ્પ તથા ફળ વિગેરે વસ્તુની ભેટ મુકવાથી અને નવીન Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રાદ્ધ ગુણ વિવરણ અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપભેગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “ માતાતિ” એ વાક્યમાં ઠંદ સમાપ્ત થયેલ છે. તેથી માતૃ શબ્દમાં મા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનીક હેવાથી નવા શબ્દને પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે – પાધ્યાયાદરાવા, શ્રવા રાત વિતા. सहस्रं तु पितुर्माता, गौरवेणाऽतिरिच्यते ॥॥" શબ્દાર્થ–“ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગેરવતામાં અધિક છે. ૨” વળી અડસઠ તીર્થો, તેત્રીશ ક્રેડદેવતા,અને અડ્યાશી હજાર ઋષિએ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરે ઉચિત છે, પરંતુ માતા ગર્ભ ધારણ અને પિોષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરે નહિ. હે ભારત ! સ્મૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માતા તેનાથી પણ અધક શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિકારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કમ બતાવ્યું છે. વળી "आस्तन्यपानाजननी पशूना-मादारलम्नावधि चाधमानाम् । आगेहकावधि मध्यमाना-माजीवितात्तीर्थमिवोत्तमानाम्॥३॥" શબ્દાર્થ–“પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષોને સ્ત્રીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરૂષને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તમ પુને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થ રૂપ છે. ૩ ” વળી આગમમાં પણ __“तिएहं दुप्पमिआरं समणाउ सो तंजहा अंमापिउणो भट्टिदायगस्स વખારિયાણ” ઈત્યાદિ છે શ્રમણ ! હે આયુષ્યમાન માતાપિતા, સ્વામી અને Page #136 -------------------------------------------------------------------------- ________________ નવમ ગુણ વર્ણન. ધર્માચાર્ય એ ત્રણ જણને બદલેા દુઃખે કરી વાળી શકાય છે. તેમાં કાઇ કુલીન પુરૂષ હંમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શતપાક તથા સહસ્રપાક તેલથી મન કરી, સુગંધીવાળા ચૂર્ણ`થી ઉત્તન કરી, ગધેાદક, ઉષ્ણેાદક અને શીતેાદક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલકારાથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક દાળ) વિગેરે યુક્ત અને મનેાજ્ઞ તથા તપેલી વિગેરેમાં રાંધવાથી ખરેાબર પરિપક્વ થયેલું ભાજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પેાતાની પીડ ઉપર ઉપાડીને કરે તો પણ માતાપિતાના પ્રત્યુપકાર થતા નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારના બદલા વળતા નથી. વળી જો તે કુલીન પુરૂષ માતાપિતાને ધર્મ સભળાવી, ધના બેધ કરી અને ધર્મના ભેદે સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મમાં સ્થાપન કરે તેા માતાપિતાના ઉપકારને બદલે વળે. (સ્વામી સેવકના સબંધમાં પણ ઉપરની માફક યથાયેાગ્ય જાણી લેવુ' ). વળી કાઇ સુગુણ પુરૂષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધર્મ સંબંધી ઉત્તમ વાય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી આયુષ્ય સમાપ્ત થતાં મરણ પામી કાઇ પણ દેવલેાકમાં દેવ પણે ઉત્પન્ન થયા હેાય તે વખતે તે દેવ પોતાના ધર્માચાર્યને દુર્ભિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મુકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મુકે, અને લાંબા કાળના વ્યાધિથી આકુળ વ્યાકુળ થયેલાને રાગ રિહત કરે તો પણ તેમના પ્રત્યુપકાર થતા નથી. પરંતુ જેતે સુગુણ પુરૂષ પાતાના ધર્માચાર્ય ને કેવળજ્ઞાનીના કથન કરેલા ધથી ભ્રષ્ટ થયેલા જોઇ વારંવાર ધર્મ સંભળાવી, ધર્મના બેધ કરાવી અને ધર્મના બીજા ભેદ સમજાવી કેવળ જ્ઞાનીના પ્રરૂપેલા ધર્મમાં સ્થાપન કરે તે ધર્માચાર્યના ઉપકારના બદલે સારી રીતે વળે છે. તેજ કારણથી ત્રિભુવન ગુરૂ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમન્ વીર વિભુ પોતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિબંધ કરવા માટે બ્રાહ્મણકુંડ ગામના ઉપવનમાં પધાર્યા હતા. તે સાંભળી તેમને વંદન કરવા માટે દેવાનંદા અને ઋષભદત્તનું ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમમહાવીર સ્વામીનુ` દર્શન થતાંજ દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઇ ઇંદ્રાદ્ધિક દેવાની સભાની અંદર શ્રી ગૈાતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, “ હે ભગવન્ ! આમ થવાનું શું કારણ હશે ? ” તેમણે જણાવ્યુ કે “ હું ગાતમ ! આ દેવાનંદા પ્રથમની મ્હારી માતા છે. ” શ્રી ગાતમસ્વામીએ બીજી વાર પૂછ્યું કે • હે ભગવન્ આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે ? ” ભગવાને પેાતાનું દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદેશથી હરિગુગમેષ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વના સર્વ વૃત્તાંત કહી સભળાવ્યા. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિબોધ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત "6 ૧૩ ૯૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રાદ્ધ ગુણ વિવરણ. કરી મોક્ષને પ્રાપ્ત થયા. એજ વિષયમાં કહ્યું છે કે – “वीरजिणपुव्वपियरो, देवानंदा सन्नदत्तो अ। श्कारसंग विनणो, होऊणं सिवसुहं पत्ता ॥४॥ શબ્દાર્થ—“મહાવીર સ્વામીનાં પ્રથમનાં માતાપિતા દેવાનંદ અને ગષભદત્ત અગીયાર અંગના જાણ થઈ મેસુખને પ્રાપ્ત થયા. ૪ એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશ રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવું વિગેરે બાબતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરોહિત શ્રી આર્યરક્ષિત ચેદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લોકેએ તેમને મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું તે જોઈ સર્વ લોકોને આનંદ થયો, પરંતુ માતાનો હષ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પુછી માતાની રજા લઈ તેજલી પુત્રાચાર્યની પાસે દષ્ટિવાદને અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે પિતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબંધ કર્યો. માતા પિતાના ઉપલક્ષણથી કલાચાર્ય, શ્રેષ્ઠી, અને ધર્મગુરૂ વિગેરેનું ગ્રહણ કર્યું. કહ્યું છે કે – " माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥ વૃ%ા ધરા , ગુવઃ સતાં મતઃ કા ” શબ્દાર્થ–માતા, પિતા, કલાચાર્ય, તથા તેમના ગેળીય વૃદ્ધ અને ધર્મો પદેશ આપનાર એટલાને પુરૂષોએ ગુરૂ વર્ગ માને છે. પ” વળી કહ્યું છે કે “જ્ઞા પત્ની અને પત્ની, મિત્રપત્ની તવ રા. श्वश्रूर्माता च, माता च, पञ्चैता मातरः स्मृताः॥६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति । अन्नदाता नयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥७॥" શબ્દાર્થ–“ વળી જપત્રી, ગુરૂપવી, મિત્રપત્ની, સાસુ અને પિતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સંસ્કાર કરનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭ = “सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपासकः। Page #138 -------------------------------------------------------------------------- ________________ નવમ ગુણ વર્ણન. मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मताः ॥॥" શબ્દાર્થ–બ સહેદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત્ત કરનાર એ પાંચ ભાઇઓ કહેવાય છે. ૮” એ આનંદ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને યોગ્ય જાણી લેવા. હવે થ કર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાનો આગ્રહ કરે છે – कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः। પૂનાવિધ ચના માતા-પિત્રોઃ કોરિશિહોરનાણા શબ્દાર્થ– આ લોકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરૂષે પતામાં કૃતતાનું આરે પણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉઘુક્ત થવું જોઈએ. ૯ રૃતિ નવ ગુઃ | Page #139 -------------------------------------------------------------------------- ________________ दशम गुण वर्णन. – – થી શ્રા | વકનાપાવીશ ગુણ પિકીનવા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવા” રૂપ દશમા ગુરુ મારા ણનું વર્ણન કરે છે. વનનુાં સ્થાન–વળી ધર્મની લેગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક પરચકના વેરથી દુષ્કાળ, મરકી, સાત ઇતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર છે. જો તેવા સ્થાનનો ત્યાગ કરવામાં ન આવે તો પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિગેરેનો નાશ હેવાથી અને નવીન ધર્મ અર્થ કામનું ઉપાર્જન નહી થવાથી તેના ઉભય લેકનો નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વલભીના ભંગ વખતે વલભીને લોકોના ઉભય લેકને નાશ થયો હતો. અથવા ધર્મ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલ્લ પલ્લી મ્લેચ્છગામ અને દેવગુરૂની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપડુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઇચ્છા રાખનાર પુરૂષે વાસ કરવો નહીં. કારણકે તેવા સ્થાનમાં રહેવાથી ચાર, સ્ત્રીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાની થાય છે. તેમજ દેવદર્શન, ગુરુનું આગમન અને સાધર્મિકના સંસર્ગ વિગેરેને અભાવ હોવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે सद्धर्मदुर्गसुस्वामिव्यवसायजन्धने । स्वजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ વર્ણન. ^^^ ^ ^^^^^ ^^^ ^^ ^ गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणगौरवं । अपूर्वज्ञानवानश्च, यत्र तत्र वसेत्सुधीः ॥२॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः। न च विद्यागमः कश्चिन्न तत्र निवसेदुधः॥३॥ अनायके न वास्तव्यं, न वास्यं बालनायके स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥४॥ बालराज्यं नवेद्यत्र, राज्यं यत्र वा नवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥ શબ્દાર્થ_શ્રેષ્ઠધર્મ, કિલ્લે, સારે સ્વામી, વેપાર, જળ, ઇધન, અને પિતાની જાતિના લકથી મનહર હોય એવા દેશમાં પ્રાયે કરી ધર્માથી પુરૂષ હમેશાં વાસ કરે જે દેશમાં ગુણિજને રહેતા હય, પુણ્યકાર્ય થતાં હેપ, પવિત્રતા હય, માન જળવાતું હોય, ગુણોનું ગેરવે થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતો હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે. . . જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધ અને કઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરૂષ વાસ કરે નહીં. ૩ / જે દેશમાં નાયક ન હય, બાળ નાયક હેય. સ્ત્રી નાયક હોય અને ઘણા નાયક હેય તેવા દેશમાં વાસ કરે નહીં. | ૪ | જે દેશમાં બાળકનું રાજ્ય હય, જ્યાં બે રાજાઓનું ભેગું રાજ્ય હેય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હોય તેવા દેશમાં વાસ કરે નહીં. પ . આ બીનાને શાસ્ત્રકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે તે આ પ્રમાણે છે. પદ્ધપુર નગરમાં નિર્વિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રી હતે. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીને રાજ્ય તરફ જતાં પદ્મપુરમાં આવી ચડે અને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. તે એક વખતે રાજસભામાં ગયે હિતો તે વખતે નિર્વિચાર રાજાની પાસે એક ચેરની માતા આ પ્રમાણે બોલી રહી હતી હે રાજન ? મ્હારો પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચોરી કરતે હતે. તેને ધન્યશ્રેણીના ઘરમાં ખાતર પાડતાં ત્રુટિ પડતી ભીંતે મારી નાખે છે. તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.' આ વાત સાંભળી રાજાએ શ્રેણીને બેલા અને ચાર માર્યા વિગેરેને વૃત્તાંત પુછયે. શ્રેણીએ કહ્યું કે “તેમાં મહારે શો દોષ? તે તે ભત ચણનારા મીસ્ત્રીઓ જાણે” રાજાએ તેમને પણ બોલાવ્યા. તેઓએ જવાબ આપ્યો કે “ઘર ચણતી વખતે એક વેશ્યા હમારા જોવામાં આવી અને તેના રૂપથી હમારે ચિતે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રાદ્ધ ગુણ વિવરણ. વિહવળ થવાને લીધે ભીંત બરાબર ચણી શક્યા નહીં તેમાં હમારે શ દેષ?” રાજાએ વેશ્યાને બેલાવી પુછયું. વેશ્યાએ જવાબ આપ્યો કે “રસ્તામાં જતાં મ્હારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરૂષ) આવ્યો તેની મને લજા આવવાથી તે માર્ગ છેડી જ્યાં ભીંત ચણાતી હતી તે માર્ગેથી હું ગઈ હતી. આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગંબરને બેલ અને તેને પુછયું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂણ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી તે પછી કોઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતો નથી. રાજાએ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવો આ પ્રમાણે આદેશ થતાં રાજાના શાળાને શૂળી ઉપર ચઢાવી દીધેકહ્યું છે કે – “ विचारयति कस्तत्त्वं, निर्विचारे नृपे सति। राजोक्त्या राजशालोऽषि, शूलायामधिरोपितः ॥६॥ શબ્દાર્થ:–“ જ્યાં રાજા નિર્વિચાર હોય ત્યાં તત્ત્વો વિચાર કેણ કરે? જુઓ રાજાની ઊંકિતથી રાજાના સાળાને પણ શી ઉપર ચડાવી દીધો / ૬ આ પ્રમાણે જોઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતો શ્રીવિકમરાજા પોતાના કાર્ય માટે ચાલ્યો ગયે, આવા નગરમાં વાસ કરે તે લાભકારક નથી. કહ્યું છે કે “ यदि वांच्चति मूर्खत्वं, बसेद्रामे दिनत्रयम् । __अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥७॥ તથા– जत्य पुरे जिणनवणं, समयविज साहुसावया जत्य । तत्य सया वसियव्वं, पनरजर्व इंधणं जत्थ ॥७॥ શબ્દાર્થ—જે મુખતા મેળવવાની ઇચ્છા હોય તે જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં શણ દિવસ વાસ કરે ૭ વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હય, જ્યાં સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે વસતા હેય, અને જ્યાં પ્રચુર જળ તથા ઇંધણ મળતાં હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. ૮. કદી સાધુજનના વિરહવાળે દેશ ઘણા ગુણવાળે હોય તે પણ ધર્માથી પુરૂ તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચકને ઉપદ્રવ, મરકી વિગેરેને સૂચવનારા અનેક ઉત્પાતોથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે તે આ પ્રમાણે Page #142 -------------------------------------------------------------------------- ________________ દશમ ગુણ વર્ણન. છે-જયાં દેવની મૂર્તિએ અને પર્વતે ક`પતા હાય, જ્યાં દેવની મૂર્તિએ પરસેવાવાળી થતી હાય અને હાસ્ય કરતી હોય, જયાં નદી કોઈક વખતે રૂધિર જેવા જળને વહન કરતી હેાય; તથા નિમિત્ત શિવાય વૃઢ્ઢા ઉપરથી રૂધિર અને ટ્રેન વિગેરેની વૃષ્ટિ થતી હાય, જયાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હાય, ત્યાં ધાર દુષ્કાળ અને પરચક્રના ઉપદ્રવ સાથે ચતુષ્પદ્મના નાશ થાય. જ્યાં બે માથાં ચાર કાન અને ચાર નેત્રવાળા બાળક ઉત્પન્ન થયેા હૈાય તેવા દેશમાં પરચક્રનુ આગમન થાય. અને દુર્ભિક્ષ પડે એમ સૂચવે છે. ઇત્યાદિ સવિસ્તર જણાવી દેશમા ગુણના ઉપસ’હાર કરતાં ગ્રંથકાર ટુકમાં સારાંશ બતાવે છે.~~ “ उपद्रुतं वैर विरोधमारि - स्वचक्रमुख्यैर्नगरादि यत्स्यात् । न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान् विदधीत વાલમ્ । U । તિ કરામાં ગુĪ:// શબ્દાર્થ—જે નગાદિક શત્રુ, વિરોધ રાખનાર, મક્કી અને સ્વચક્ર વિગેરેથી ઉપદ્રવ ચુક્ત હોય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુના યોગ ન હોય તેવા નગરતિકમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે નહિ ॥ ૯॥ ઇતિ દશમો ગુણ: ... ૧૦૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ wાપિત આ / છે. 4 ૦ $ ૦ * કરી છે ૦ एकादश गुण वर्णन. દિલ હી તે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપ” અગીયારમા ગુણનું વર્ણન કરે છે. નવૃત્ત નહિં”—વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિદિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમી પુરૂષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશગહિત કર્મ આ પ્રમાણે છે. સૈવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશગહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લુણ, લાખ અને લેઢા વિગેરેનો વેપાર કરે એ જાતિની અપેક્ષાએ નિંદિત કર્મ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ લુકને મદિરાપાન કરવું તે કુળથી નિંદિત કર્મ છે. કાળની અપેક્ષાએ બ્રાહ્મણને નિદિત કર્મ આ પ્રમાણે છે – 'अग्निहोत्रं गवालम्नं, संन्यासं पनपैतृकम् । देवराच्च सुतोत्पत्तिं, कलौ पञ्च विवर्जयेत् ॥ १ ॥ શબ્દાર્થ –“હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરેલ વળી જ્ઞાનપૂર્વક જિન ધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્મદાનથી વેપાર કરવો, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કર્મ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજાં પણ ધર્મકાર્યો ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે“ अनुचितकारम्नः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युझाराणि चत्वारि ॥२॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણ વર્ણન. ૧૦૫ | શબ્દાર્થ—અગ્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે. / ૧ ભાવાર્થ—“ગ્રવિકર્મા જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરે તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણાતિપાત, મૃષાવાદ, ચેરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલવગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર ઔષધિ કામણ, કુમણ, વશીકરણાદિકનું કરવું કરાવવું, ઈષ અહંકારને વશ થઈ પિતાના આત્મિક કર્તવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થને કરવા એગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઉભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કકે ખરો કરવા લેકેની ખુશામત કરી પોતે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરૂ ઉપર અસત્ય આક્ષેપો મુકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરે, ગુણીના ગુણે ઉપર દ્વેષ ધારણ કરી તેની નીંદા કરવામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટી કરી શ્રેતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રોતાઓને તમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પોતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં આવવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તના ફેસલા આપવા, રાજ વિરૂદ્ધ કાર્યને ઉત્તેજન આપવું, અને પોતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય છે. તેમજ ગૃહસ્થોએ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને વિચાર કરી પિતાની શક્તિ જોઈ જેમાં ખરેખર આત્મ લાભ સમાએલો હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તેજ કાર્ય અમુક સંગોમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સંગને વિચાર કરી કાર્યોને આરંભ કરે. ધર્મ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ, દેશ વિરૂદ્ધ, અને લેક વિરૂદ્ધ વિગેરે અને બીજા પણ આ લેક અને પરલોકને હાનિ પહોંચાડનાર કાર્યોને આરંભ કરતાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તો કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાનો પ્રસંગ આવે જ નહીં. આ શિવાયનાં ગૃહસ્થને બીજાં ક્યાં કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણામાં પ્રસંગેપાત જણાવ્યાં છે. તેથી અત્રે લખ્યાં નથી. પણ અનુચિત કાર્ય આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સબંધી તથા ભવાંતર સબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્ચથી તે દુર જ રહેવું જોઈએ. ૧૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. પ્રતિવિ –પ્રજા વર્ગની સાથે વિરોધ કરવો તે પણ ધમ પુરૂષને ઉચિત નથી. કારણ કે ગમે તેટલી સાવચેતી છતાં પણ માણસ જાતની ભુલ થયા શિવાય રહેતી નથી. કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિનો સંબંધ છે. અને તેને લઈને હમેશાં ભુલ થવા સંભવ છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઈને ભુલ થતાં વાર લાગતી નથી. શ્રતધરે જેવા મહા જ્ઞાની પુરૂષ જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસાથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપયોગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. છતાં પ્રમાદને વશ થઈ તેઓથી પણ ભુલ થઈ જાય છે. તે અલ્પની ભુલ થાય તેમાં નવાઈ જેવું નથી, તેથી આવી વખતે પ્રજા વર્ગવિધી હોવાથી તેઓ આવી ભુલને લાભ લઈધન, આબરૂ અને શરીરાફિકને અડચણ કરવા ચુકતા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભુલ કરનારને ખરાબ કરવા માટે બનતી કોશીસ કરી ખરાબ કરે છે. માટે પ્રજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે એગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવર્ગ કે સમુદાયની સાથેનો વિરોધ તે દૂર રહો પણ એક વ્યક્તિની સાથે પણ વૈર વિરોધ રાખવે ઉચિત નથી. શાસ્ત્રની દૃષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પક્ષના વિરેધને લઈને કેટલું સહન કરવું પડ્યું છે. આ પ્રસિદ્ધ બીના પ્રાયે કેઈથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરૂનાં ચરિત્રે ધ્યાનમાં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સંસારીક અને ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણ કરતા થતો નથી. વલી સ્પર્ધા–બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ યોગ્ય નથી. કદાચ કઈ કારણને લઈને હરીફાઈ થઈ જાય તે નિર્બળને પિતાને બચાવ કરતાં ઘણી અડચણ પડે છે. તેથી જાણી જોઈને બળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું ઘણું સારું છે. અને જે તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાયબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ, અને રાજગળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાંથી જે બળની સાથે સ્પદ્ધ કરીએ તેમાં સામે માણસ વિશેષ બળવાન હોય તે પાછું હઠવું પડે છે. અને તેની સાથે વિરોધ થાય છે. કદી કઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજ્ય કરી શકે છે. પણ પાછળથી તે પરાભવને બદલે લેવા ધનવાન પિતાના ધનબળથી શરીરબળવાળાને ભાડે રાખી અથવા તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતા ચૂકતો નથી. માટે પ્રથમ તે Page #146 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણ વર્ણન. ૧૦૭ કેઈની સાથે પણ સ્પર્ધા કરવી યોગ્ય નથી તેમાં પણ વિશેષ હોય તેની સાથે તે હરીફાઈમાં ઉતરવાથી ઘણું ખમવું પડે છે. કલાકાર વિશ્વાસ –-પ્રાયે સ્ત્રી વર્ગને કદી પણ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણકે સ્ત્રી ગમે તેવી બુદ્ધિશાળી હોય તે પણ તેનું મનઃ પુરૂષના જેટલું ગંભીર, વિચારશીળ અને સહનશીળતાવાળું હોવાનો સંભવ છેડે છે. તેથી ધૂર્ત પુરૂષે તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફેલાવી પટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત બીનાને સહેલાઈથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર થોડું પણ શારીરિક કષ્ટ આવી પડતાં પિતાના મન ઉપર કાબુ ગુમાવી દે છે અને પિતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હોય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં બીલકુલ વિચાર કરતી નથી. માટે અતિ ગૃહ્ય વાત કે જે પ્રગટ થવાથી પિતાને ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તો જેનાથી પિતાની આજીવિકા ચાલતી હોય તેવા વેપાર ઉદ્યોગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કરવી એગ્ય નથી. ઉપર જણાવેલી બીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓને એ સ્વભાવ હોવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તે ઈતિહાસિક નજરે જોતાં શીળવતી અને અને પદેવી જેવી અનેક સ્ત્રીઓ પિતાના પતિને રાજકાર્યમાં સલાહ આપનારીઓ અને ગંભીર, સહનશીલ અને વિચારશીળ વિગેરે ઉત્તમ ગુણવાળીઓ જવામાં આવે છે. ઉપરોક્ત બાબત માટેના ઉદાહરણો શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણે અત્રે લખ્યાં નથી. ઉપરોક્ત ગહિત કર્મો પ્રાયે કરી વિવેકી અને ધર્મની ગ્યતાવાળા પુરૂષો માટે છે. પણ અધમ માટે નથી. તેને માટે કહ્યું છે કે – “पौरोहत्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, मागपत्यं वितथवचनं साविवादः परान्नम्। धर्मिषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं, મા પૂર્વ અને પરૂપને સન્માન્તરેડ”િ મારૂ શબ્દાર્થ –પુરોહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ ) ભ્રમણ, ગામનું નાયકપણું, અધિકારીપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, સાક્ષિ આપવી, બીજાનું અન્ન ખાવું, ધર્મ ઉપર દ્વેષ રાખ, દુર્જન ઉપર પ્રેમ રાખે અને પ્રાણુઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ(શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. મારા વળી ખરાબ વેપાર કરનારને આશ્રિ કેઈ સ્થળે કહ્યું છે કે – Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાદ્ધ ગુણ વિવરણ. ( हस्तौ दान विवर्जितौ श्रुतिपुटौ सारखतको हिणौ, चाबुञ्चितवित्तपूर्णमुदरं गर्वेण तुडगं शिरः । चः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुक्कर मुञ्च मुञ्च सहसा निन्द्यस्य निन्द्यं वपुः ॥४॥ | " अधिकारात्रि निर्मासैर्मागपत्या त्रिनिर्दिनैः । शीघ्रं नरकवाञ्च्छा चेत् दिनमेकं पुरोहितः ॥ २ ॥ दश शूनासमश्चक्री, दश चक्रिसमो द्विजः । વા દિનસમા વેસ્યા, રૂા વેશ્યાસમ: નૃપ; ॥ ૬॥ ” શબ્દા:— દાનથી રહિત બે હાથ, શાસ્રદ્નેહી એ કાન, રૂસવતથી લુંટેલા દ્રવ્યે ભરેલુ પેટ, અહંકારથી ઉંચુ' થયેલુ મસ્તક, સાધુના દર્શનથી પરાક્ર્મુખ નેત્રા, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ હારા નિંઢનીકમાં પણ નિંદનીક શરીરના એકદમ ત્યાગ કર ॥ ૪ ॥ ” ત્રણ મહીનાના અધિકાર ભોગવવાથી અને ત્રણ દિવસ મહનું અધ્યક્ષપણુ કરવાથી દુર્ગાત થાય છે. જો આથી પણ શીઘ્ર નર્કમાં જવું હોય તે એક દિવસ પુરોહિત થા. ॥ ૫ ॥ દશ કસાઇ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક લાલ, દશ કલાલ સમાન એક વેસ્યા, અને દુશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. ॥ ૬ ॥ વળી કહ્યું છે કે— कर्त्तव्यं न कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि । ર્તવ્યમય વર્ણવ્યું, પ્રાણૈ: શનૈષિ॥૩॥ ” શબ્દા... કં સુધી પ્રાણ આવે તાપણ જે કરવા ચેાગ્ય નથી તે કરવુ નહીં અને ક’૪ સુધી પ્રાણ આવે તા પણ જે કરવા યોગ્ય છે, તે કરવુજ જોઇએ. ॥ ૭ ॥” ભાવા—પ્રાણિએ હમેશાં પેાતાના કર્ત્તવ્યના વિચાર કરવા યાગ્ય છે. જેમ અન્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનના નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પેાતાના ઇચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવીજ રીતે હું કાણુ, મારે શું કર્ત્તવ્ય છે, દેશ કાલ કયા છે. સાનુકૂળ કે પ્રતિકૂળ કાણુ છે, તથા મહારૂ કત્તવ્ય શું છે, મહારૂ કુળ અને જાતિ કેવી છે, કયું કાર્ય કરવાથી મહારા આત્માને લાભ થશે ઇત્યાદિ ખાળતાના વિચાર કરી પેાતાનું કર્ત્તવ્ય નક્કી કરે છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણ વર્ણન. ૧૯ અને જે પિતાના આરભેલા ઉત્તમ કાર્યને પ્રાણુતે પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્તવ્યને પણ કઈ પ્રકારે અંગીકાર કરતા નથી તે પોતાની ધારેલી નેમ શીધ્ર પાર પાડી શકે છે. હાલ તે કર્તવ્યને વિચાર કર્યા સિવાય અજ્ઞાનથી ગતાનગતિક પ્રવૃત્તિ કરવામાં પિતાનું કર્તવ્ય માને છે તેથી કર્તવ્યને બદલે અકર્તવ્યને કર્તવ્ય સમજી તેને આરંભ કરવામાં આવે છે, માટે પોતાની ધારેલી નેમ પાર પાડી શક્તા નથી; માટે પોતે આરંભેલા ગમે તેવા કાર્યને વચ્ચમાંજ મુકી દેવું પડે છે અને તેથી અતેભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરે અને પછી આરંભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરે નહીં. તેવી જ રીતે પિતાને, સ્વજનને, દેશને, જાતિ અને રાજને જે અહિતકારી કર્તવ્ય હેય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવો નહીં. આ ઠેકાણે આરોગ્ય બ્રિજનું ઉદાહરણ આ પ્રમાણે છે.– ઉણિ નગરીમાં બાલ અવસ્થાથી જ ઘણા રોગી હેવાથી રોગ એવા નામથી પ્રસિદ્ધ થએલે એક બ્રાહ્મણ હતા. તે સમ્યકત્વ પૂર્વક અનુવ્રત વિગેરે શ્રાવકના શુદ્ધ આચારેને પાલણ કરવામાં તત્પર હેવાને લઈને એક ઉત્તમ શ્રાવક હતું. તેણે રોગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રેગને સહન કરવાનેજ આશ્રય લીધે અને વિચાર કર્યો કે – “पुनरपि सहनीयो दुःखपाकस्त्वयायं, न खलु नवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यक् , सदसदिति विवेकोऽन्यत्र नूयः कुतस्ते ॥ ७ ॥ अवश्यमेव लोक्तव्यं कृतं कर्म शुनाशुनम् । નાગુ ફી જર્મ વાલ્પટિરાતિ િાણા” શબ્દાર્થ હે આત્મન ! લ્હારે આ દુ:ખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ સંચિત કરેલાં કમને ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતું નથી, તેથી કર્મો સાથે છે એમ ગણુને જે જે આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. બીજે ઠેકાણે બીજી વાર હે આત્મન ! તને સદસહિક કયાં મળવાને છે. ? ૮ કરેલું શુભ અથવા તે અશુભ કર્મ અવશ્ય ભેગવવુંજ પડે છે. કારણ તે કર્મ ભેગવ્યા સિવાય કલ્પની સેંકડો કેટિઓ થઈ જાય તે પણ નાશ થતું નથી. | ૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રાદ્ધ ગુણ વિવરણ. એવી રીતે સહન કરનાર તે રેગ બ્રિજની ઇંદ્ર આ પ્રમાણે પ્રશંસા કરી “હે આ રેગ દ્વિજ મહાસ વાળે છે. જેની પાસે રેગના અનેક પ્રત્યુપકારો પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રોગની પીડાને સહન કરે છે ” પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી બે દેવતાઓ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી બેલ્યા કે “હે રેગ બ્રાહ્મણ ! અમે તેને રોગમાંથી મુક્ત કરીએ પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણને ઉપભેગ કરે પડશે.” એવું વૈદ્યનું કહેવું સાંભળી, સુરેંદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળે રેગ બ્રાહ્મણ વિચાર કરવા લાગે “કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયે હોય તે પણ પુરૂષને લેક અને લકત્તરમાં નિંદિત કર્મને ત્યાગ કરવો તેજ પ્રતિછાને હેતુ છે.” કહ્યું છે કે-- " न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः । अन्त्येष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १०॥" શબ્દાર્થ –“સા આચરણથી રહિત એવા મનુષ્યનું કુલ ઉત્તમ હોય તે પણ તેવું કુળ કાંઈ પ્રમાણભુત થતું નથી એમ મહારું માનવું છે. કેમકે ચંડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હોય તે તે શ્રેષ્ઠ ગણાય છે. ૧૦ ” “વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની હારી તે વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણાં જૈનધર્મને અંગીકાર કરનાર મહારાથી આ નિંદિત કર્મ કરવું કેમ ઉચિત ગણાય ? ” વળી કહ્યું છે કે -- " निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, बदमीः समाविशतु गच्छतु वा यथेष्टं । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचनन्ति पदं न धीराः ॥११॥" શબ્દાર્થ – નીતિમાં નિપુણ એવા પુરૂષ નિંદા કરે અથવા તો સ્તુતિ કરે, લક્ષ્મી ઈચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાઓ અને આજેજ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી ૧૧ ” ઉપર પ્રમાણે વિચાર કરી રેગ બ્રાહ્મણ બે બહે વિદ્યા ! બીજા પણ પવિત્ર એવધાથી રોગને ઉપાય ઇચ્છતું નથી તે વળી સર્વ લેક અને શારથી નિંદિત અને ધમાં પુરૂષોને અયોગ્ય એવાં આ ઔષધોથી Page #150 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણ વર્ણન. મ્હારે શુ પ્રયોજન છે ?” વળી કહ્યું છે કે— " मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिनीं । નપદ્યન્તે ત્રિપદ્યન્તે, સસૂક્ષ્મા નન્તુરારાયઃ ॥ ર્ ॥ ” सप्तग्रामेषु यत्पापमग्निना नस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुविन्दुप्रात् ॥ १३ ॥ » यो ददाति मधु श्राद्धे, मोहितो धर्म लिप्सया । સ યાતિ નરવું ઘોર. વાઃ સત્ર ક્ષમ્પદૈઃ ॥ ૪॥ શબ્દાર્થ:-- મિત્રા, માંસ, મધ, અને છાશથી જુદા કરેલા માખણમાં સમ એવા જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે ॥ ૧૨ ॥ અગ્નિથી સાત ગામ ખાળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. । ૧૩ । જે પુરૂષ ધર્મની ઇચ્છાએ માહિત થયેલા શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરૂષ લાલુપ એવા ખાનારાઓની સાથે ધાર નરકમાં પડે છે, ॥ ૧૪ ॥ ” ઇત્યાદિ રોગબ્રાહ્મણ વેદ્યાને કહે છે, તે તે અને વેદ્યાએ રોગભ્રાહ્મણના સ્વજનાને તે સ્ત્રીના જણાવી દિધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાકિ સમુદાય ભેગા થયા અને અને તે રાગદ્વેજને શાબ્રુસ બધી વાર્તાલાપે કરી રોગના ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યો. તે આ પ્રમાણે છે:— " शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । શરીરાષ્ટ્રવતે ધર્મ:, પર્વતસલિલ થથા | ૫ | ઋ ૧૧૧ શબ્દાર્થ:— ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવુ જોઇએ. કારણકે જો શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તેમ શરીરમાંથી ધર્મ ખરી જશે. ॥ ૫ ॥ ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે. વળી કહ્યું છે કે— “ यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठाङ्गतो - यस्मिंश्चिन्तितवस्तु सिद्धिसुखद : सोऽर्थः समर्थः स्थितः । यस्मिन्काममहोदयौ शमरसीकारानिरामोदयौ सोऽयं सर्वगुणालय विजयते पिएम: करण्डो धियाम् ॥ १६॥” Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણ વિવરણુ. શબ્દાર્થ:- જે શરીરમાં સર્વ જનાને હિતકારી અને પુષ્ટ મહિમાવાળા ધર્મ પ્રતિષ્ઠાને પામ્યા છે, જે શરીરમાં મનવાંચ્છિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થ સમર્થપણે રહેલા છે, અને જે શરીરમાં શમસ અને આકૃતિથી સાતાના ઉદયવાળા કામ અને મેાક્ષ રહેલા છે તેવા સર્વ ગુણાનું સ્થાન રૂપ અને બુધ્ધિના કરડી રૂપ શરીર વિજય પામે છે. ॥ ૧૬ ॥ ', ૧૧૨ એવી રીતે રાજા વિગેરેએ રાગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મમાં દઢ હેાવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મેાક્ષના સુખનેાજ અભિલાષી થયે.. કહ્યું છે કેઃ— “ નું અાયુર્ં રવો, સંન્તરણીય તત્રં નવાં । મળંતિ નિવસનું, પ્રવચનમુદ્ર યુદ્દા તે” ॥ ૩ ॥ ” શબ્દાર્થ— ભવ્ય જીવોને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પડિત પુરૂષ ઉપદ્રવ રહિત માક્ષસુખની ગવેષણા કરે છે. ॥ ૧૭ ॥ ” ભાવાર્થ: નં પ્રમુદ્રાનિો-જે સુખ ભવ્ય પ્રાણીને આજ હાય છે તે સુખ આવતી કાલે માત્ર સભારવા રૂપજ થાય છે. એટલે કે સુખને અનુભવ કિંચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની બીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ૫છીથી માત્ર સ્મૃતિને વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઈને નથી પણ મનની માન્યતાને લઈને છે. જો વસ્તુને લઈને સુખ હાત તેા તે ચિરસ્થાઈ ગણાત. કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હાય છે, તેટલી સ્થિતિસુધી સુખ કાયમ રહેવું જોઈએ, પરંતુ તેમ દેખાતું નથી. જયારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનું આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનંદ ત્યારપછીના સમયમાં રહેતા નથી જુએ ? પુત્રરૂપ હર્ષનુ કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખામાં મેહ પામવા જેવું નથી. કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઇને તે સુખ દુઃખરૂપ થઇ જાય છે. માટે તત્ત્વાદિકના જાણુ એવા પડિત પુરૂષા હમેશાં અવ્યાબાધ અક્ષય એવા મેક્ષ સુખની ઈચ્છા રાખે છે. મેાક્ષનુ સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે. જ્યારે વિભાવને મુકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણુતા થાય છે, ત્યારે તે જીવનમુક્ત દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે માટે વિભાવ એટલે પુદ્ગલ ( વિષય ) જયસુખ તેવા સુખની કોઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણ્ણાને ગટ કરવા માટે Page #152 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણ વર્ણન. ૧૧૩ શાક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું. તે પછી રેગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કે" आपदर्थे धनं रकेदारान् रकेद्धनैरपि । ગ્રામ સતત રશિ ધનૈરપિ” ? | શબ્દાર્થ_ આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા સ્ત્રીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. તે ૧૮ છે. ” ભાવાર્થ–સાથે ધન ત ધર્મની સહાયથી ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે, ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભુલી જાય છે, અને વિચાર કરે છે કે આવીજ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કલ્પના કરી પ્રાપ્ત થયેલા ધનને આંખ મીચીને વ્યય કરે છે. વખતે લાભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રેકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પોતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિના બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસકારે પિતેજ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે-ભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સે અવશ્ય બચાવી રાખવો જોઈએ. પાન દનૈપિ” જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઉલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી ક્યા મળી શકે છે, તેઓ પિતાની સ્ત્રી ગાદિકથી પીડાતી હોય, તે પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથીલ બની ધન વ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પિતાના પતિ તરફની બેદરકારી ઈ રેગ ગ્રસ્ત સ્ત્રી હમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધી નાશ પામે છે. તેથી તેને આ ભવ શ્વસુર પક્ષને અનાદર જેઈ બેદરૂપ થાય છે, તેથી તેનું સમાધીથી મરણ થતું નથી પરભવ પણ પ્રાયે બગડે છે. તે હરેક રીતે સ્ત્રી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધન વ્યય ઉપર લક્ષ નહીં આપતાં બુદ્ધિમાન પુરૂએ તેના આત્માને શાન્તિ મળે તેવા ઉપાયો જવા જોઈએ. * માત્ર સાત ફેa આત્માનું અહિત ન થાય તેની હમેશાં કાળજી ૧૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રાદ્ધ ગુણવિવરણ. રાખવી એટલે કે સ્ત્રીને તથા ધનને પ્રતિબંધ નહીં રાખતાં એકતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યક્ત થવું. આત્માનું રક્ષણ થવાથી ધન અને સ્ત્રીનું તે રક્ષણ પિતાની મેળે જ થશે. કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાધિન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તે જે આત્માથી સ્વર્ગ અને મોક્ષ બન્ને સાધી શકાય છે, તે આત્માનું અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું યોગ્ય નથી. સ્ત્રીના વિયેગથી અથવા ધનને એકદમ નાશ થવાથી જાણે પિતે તે રૂપજ હોય નહીં! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા યુક્તા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા પોતેજ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તે તેનું અહિત આવા કારણે થવા દેવું એ બુદ્ધિમાન પુરૂષેનું કામ નથી, માટે ધન અને સ્ત્રીને ત્યાગર્વક પણ સંયમાદિક ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી યોગ્ય છે, તેમ સર્વથા ન બને તે દેશવિરતીપણું લઈને પણ અમુક અંશે સ્ત્રી ધનાદિકના ઉપરને મેહ એ છે કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે. વળી ધમી પુરૂને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ તે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઈએ. ઈત્યાદિ આ પ્રમાણે તે રેગ બ્રાહ્મણનું પિતાની પ્રતિજ્ઞામાં નિશ્ચિળપણું જાણવામાં આવવાથી તે બન્ને દેને મહાન હર્ષ થયે. અહે! આ બ્રાહ્મણ સાત્વિક પુરૂષમાં શિરામણી છે, અને શકે તેની સાચી પ્રશંસા કરી છે, એ વિચાર કરી તે પછી તે બને દેએ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું અને શકે કરેલી પ્રશંસા વિગેરે, વૃત્તાંત લેકમાં પ્રસિદ્ધ કર્યો, તથા દેવેએ તેને સર્વ રેગનું હરણ કર્યું અને રત્નથી તેનું ઘર ભરી દીધું. પછી સર્વ ઠેકાણે તે બ્રાહ્મણનું આરોગ્ય દ્વિજ એવું નામ રૂઢિમાં આવ્યું, અને તે સંપૂર્ણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને કામ)ને સાધવાવાળે થયો, અને દેએ પિતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિદિત કર્મને ત્યાગ કરતાં બીજા મનુષ્યને ધર્મમાં સ્થિરતા થાય છે, અને પિતાના આત્માનું સંસારથી તારવું કીર્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણે પ્રાપ્ત થાય છે, તથા નિંદિત કર્મના ત્યાગથી અનિદિત કર્મ પણ તેટલું જ કરવું જોઈએ કે જેથી અને સુખી થવાય. કહ્યું છે કે – “માલૈિરિશ્ન , પૂર્વે વથતાર્યુષા , - તન્ન, વિષાતવ્ય, અચાને સુવમેવ . दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीनवेत् । તાર્થમદર્તિલુ સાત મુવીરઃ ” Page #154 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુણુ વર્ણન. पूर्वे वयसि तत्कार्यं, येन वृद्धः सुखीजवेत् । सर्ववयसा च तकार्यं येन प्रेत्य सुखीजवेत् ” ॥ २१ ॥ ॥ રાજ્જા —. આ મહીનાએ, એક દિવસે, પ્રથમની અવસ્થાએ અને આયુષ્ય કરી મનુષ્યે તેવું કાર્ય કરવુ જોઇએ કે આઠ મહીનાની, એક દિવસની, પ્રથમ વયની અને આયુષ્યની અંતે સુખને પામે ॥ ૧૯ ॥ દિવસે તેવુ કાર્ય કર્યું કે જેથી રાત્રિએ સુખી થવાય. આ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષા - તુમાં સુખી થવાય ॥ ૨૦ । પ્રથમ વયમાં એવું કાય કરવુ કે જેથી વૃદ્ધાવસ્થામાં મુખી થવાય સપૂર્ણ વયથી એવું કાર્ય કરવુ કે જેથી પરલોકમાં સુખી થવાય ॥ ૨૩ ॥” ૧૧૫ ભાવાર્થ-કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્રે વિચાર કરવા જોઇએ કે આ‘ કા ર્યંનુ ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાંથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વર વિરાધ થતા નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચારે કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે. કેમકે એનું પરિણામ કયારે અને કેવુ' આવશે તે અનિશ્ચિત હાય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાના કે આ કાર્ય પ્રાયે આટલી મુદતમાં પુરૂં થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઇ પણ ઉપાધી થશે નહીં. એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત હાવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આઠ મા સમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધ સાધન વિગેરે ક્રિયામાં વિદ્મ આવી પડશે નહીં. એજ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મસાધન કરી શકાય, અને આખી જીંદગી એવી રીતે વ્યતીત કરવી જોઇએ કે જેથી આગામિ ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પિરણામ થાડા કાળમાં સમજાય તેવુ' ન હેાય એવાં તથા ખીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવાં નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કડી આવ્યા છીએ, માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઉભી થાય અને હંમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધર્મી પુરૂષોએ કિશ્ન કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છેજ નહીં, પણ કેવળ ભાવ ખ'ડી ધનની આપ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મન હંમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામવા. વળી ખરેખરી વસ્તુની આપ લેના વેપાર પણ પેતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઇ જાય છે, તેા ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતા નથી, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાદ્ધ ગુણ વિવરણ. માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચતુમસ સારી રીતે નિર્વિધપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામિક ભવ સુધરે એવાં કાર્યો કરવા જોઈએ. અગીયારમાં ગુણને સમાપ્ત કરતાં થકાર ધર્માધિકારી બતાવે છે. "देशजातिकुलगर्हितकर्माण्यादरात्परिहरन् गृहमेधी । आचरँश्च तदर्हितमार्धर्मकर्मणि नवेदधिकारी" ॥१॥ શબ્દાર્થ – હસ્થ દેશ, જાતિ અને કળથી નિંદિત કર્મોને આદર પૂર્વક ત્યાગ કરતે અને આર્ય લાકેથી અનિંદિત કર્મનું આચરણ કરતે ધર્મ કાર્યમાં અધિકારી થાય છે. રતિ ઇતિમ આ સમાસ | Page #156 -------------------------------------------------------------------------- ________________ વન. द्वादश गुण *& વે આવકના પ્રમાણમાં ખર્ચ રાખવારૂપ બારમાગુણુનુ વિવરણ કરે છે. તથા પોષ્ય વર્ગનું પોષણ કરવામાં, પેાતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયોજનથી દ્રવ્યને ખર્ચ કરવા તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણ કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલે દ્રવ્યના લાભ તેને બાય કહે છે. તે આવકને રીતસર બ કરતા ગૃહસ્થ ગૃહસ્થધર્મને યોગ્ય થાય છે, અર્થાત્ જે પુરૂષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે. તે પુરૂષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે “લાખોચિયાને, લાખોવિયોગે, લાખોર્નિયનિદ્ધિતિયા” ગૃહસ્થ નિર’તર આવકને અનુસાર દાનમાં તથા ભેાગમાં ખર્ચ કરે અને આવકન અનુસાર નિધાનમાં સ્થાપત કરે, અર્થાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને દિચત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનુ` કહે છે. તેમાં નિર્ધન પુરૂષોના ખર્ચના વિભાગ આ પ્રમાણે છે. “પારમાયાન્નિધિ ાત્, પાયું ચિત્તાય રોયેત્ । ધમાંનોળયો: વાતું, પાટ નર્સઅપોષો ॥ ? ॥ यादर्द्ध नियुंजीत, धर्मे यद्वाधिकं ततः । शेषेण शेषं कुर्वीत. यत्नतस्तुच्छ मैदिकम् ॥ २ ॥ યતઃ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રાદ્ધ ગુણ વિવરણ. चत्वारो धनदायादा, धर्मचौर्याग्निनूनृतः । ज्येष्ठेऽपमानिते पुसां, हरन्त्यन्ये बसाधनम् " ॥ ३ ॥ શબ્દા–નિર્ધન પુરૂષ આવકમાંથી ચેથે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચોથો ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રેકે, તેમજ ચે ભાગ ધર્મ તથા પિતાના ઉપભેગમાં ખર્ચ અને એથે ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧ ધનવાન પુરૂષને તે ખર્ચ કરવાને વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરૂષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવકથી અધિક ધર્મમાં વિનિગ કરે ( ખરચે ) પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ | વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે, તેમાંથી હટાભાગીદાર ધર્મનું અપમાન થએ તે પુરૂષના ધનને ચેર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારે બલાતકારે હરણ કરી લે છે. ૩ ભાવાર્થ–“પમાનિધિ ” દરેક ધમીદ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરૂષે પિતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ અને તેમાંથી ચતુર્થેશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધન પ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે. માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય પ્રાણી સામાન્ય પક્ષ વાળા પુરૂષે પણ આયતમાંથી ઓછામાં ઓછા ચતુર્થેશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચુકવું નહીં. આવકને ચે ભાગ વેપારમાં રોક તથા ચાળે ભાગ સાચવી રાખવે. અને ચોથા ભાગથી સ્વજન વર્ગનું પિષણ કરવું આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીને ભંગ થવાને પ્રસંગે કોઈ પણ વખતે ઘણું કરીને આવતું નથી. અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીક વખત આવકનો વિચાર કર્યા શિવાય ખર્ચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનીવડે સારાં કુટુંબ પણ છિન્નભિન્ન થએલાં જોઈએ છીએ. સામાન્ય લેકે આવકના પ્રમાણથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શોચનીય થાય તેમાં કાંઈ નવાઈ નથી. રાજાએ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પિતાની કીર્તિ જાહેરમાં લાવવા પોતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણાં ઉદાહરણે શાસ્ત્ર દષ્ટિથી તથા ઈતિહાસિક નજરે જોતાં માલમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવર્તિ કરવી. ઉપર જણાવેલી બીના સામાન્ય ધન વાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હોય અને આવકનું સારૂ સાધન હોય તેને તે આવકમાંથી અડધે. અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ, કારણકે ભવિષ્યની આપત્તિના બચાવ માટે Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ગુણ વર્ણન. ૧૧૯ જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પણ સારી છે તેથી ભવિષ્યની આપત્તિને સંભવ ઘણે ભાગે છેડે રહે છે તેવા પુરૂષે આ ભવની પેઠે આવતે ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાંથી અડધો અડધ ધન દર વર્ષે હીસાબ કરી ધર્મ કાર્યમાં ખરચવું જોઈએ તેથી પણ કોઈ અવસરે અધિક ખરચ કરે તે પણ તેને અડચણ આવી પડતી નથી. બાકી આલેકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્ન પૂર્વક કરવાં, વળી કહ્યું છે કે–દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જે મુખ્ય ભાગીદાર જે ધર્મ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવે તે બાકી રહેલા જે ત્રણ ભાગીદારે રાજા, ચાર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઈચ્છા વિના પણ તે ધનને બલાત્કારથી પણ નાશ કરે છે, માટે ધનવાન પુરૂએ ધર્મ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરે જોઈએ. જે આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતા રૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણો તે હમેશ પિષણ કરવા લાયક પિતાના આત્માને ઠગી દ્રવ્યનેજ ભેગું કરે છે, પરંતુ તે દ્રવ્યથી ધર્મને ઉપાર્જન કરતું નથી તે જ કારણથી કહ્યું છે કે – " नेह लोके नान्यलोके, न धर्मे नार्थकामयोः । નીપજે નારે, વાર્થ પતિ?” is શબ્દાર્થ–“કૃપણ પુરૂષ આલેકના, પરેલેકના, ધર્મના, અર્થ તથા કામના, ઉપકારના કાર્યમાં ઉભા રહેતા નથી.” I ૪ II ભાવાર્થ...આ સંબંધમાં સારા નિવાસી એક કડાકડી સુવર્ણના માલિક એક કૃપણ શ્રેષ્ઠીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે છે – ઉજજયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતે હતે. એક વખતે રાજસભામાં નટેએ અપૂર્વ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક વાળીઆએનને એક બીજે ભેટ આપ્યું. તે અવસરે નટેએ કહ્યું કે, “એક ગણું દાન અને સહસ ગણું પુણ્ય.” આ વાક્ય શ્રવણ કરી રાજાએ પુછયું કે આ કેમ સંભવે? ત્યારે નટેએ કહ્યું કે- પારક નગરમાં પણના ઘરે જઈને જુવે. પછી કેતુક જેવાની ઈચ્છાવાળો રાજા પારામાં ગયે, ત્યાં લેકે પાસે કૃપણુના ઘરની પૃચ્છા કરી. લેકેએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાખી તેનું નામ પણ લઈશ નહીં, આજ તને ભેજન મળશે કે નહીં? તેને પણ સંશય છે, એમ કહી લેકેએ તેને ત્યાં જતાં અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયે, ત્યાં પણને દેરડાં વણવા વિગેરે ખરાબ કામ કરતે અને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રાદ્ધ ગુણ વિવરણ. તેની નજીક રહીને રાજાએ તેનુ ભાજન તથા આચ્છાદન( કપડાં ) પ્રમુખ જોઈ લીધું પછી સાય’કાળે ઉતારે કરવાની ઈચ્છાવાળે અને માર્ગથી શ્રમિત થયેલેા રાજા કય ( કૃપણ ) ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળા ખલ્લાટ ( તાળીઓ ) એવુ ખીસ્તું નામ છેજેનું એવા ગોવીંદનામના બ્રાહ્મણની ઝુપડીમાં ગયા, ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદપ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસાડયા, અને ગોવીંદ રાજાના થાકને દુર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કાર્યની પાસે ગયેા અને તેલ માગ્યું. પણ તે આપતા નથી ઘણું કહ્યું ત્યારે તેલના પુણ્યના ચાથા ભાગ માગી લઇ એક કર્ષના ચાથા ભાગ (સેાળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યુ, તે તેલથી રાજાના શરીરે મન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું, તે પછી આપસ આપસમાં આવવા વિગેરેનું કારણ પુછતાં રાજાએગાદિને સવ વૃત્તાંત કહી સભળાવ્યેા. ગાવીદે પોતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પિરચયવાળી દેવીને પુછ્યુ, એટલે દેવીએ ખરી વાત કહી ખતાવી. પછી ગેાવિ દે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગાવાળીયાના “ એક ગણુ દાન અને સહસ્ર ગણું પુણ્ય ” વચનના` નિશ્ચય નવ મહીનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પેહારે મ્હારૂ સર્પના દશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કાર્યનું પણ મૃત્યુ થશે. આ વાતને નિર્ણય કરી તમારે ક્રાંતિ નગરીમાં આવવુ` પ્રભાતે તેજ પ્રમાણે અનાવ અન્ય તેથી ગાવીંદની કહેલી વાત ઉપર પ્રતિતિવાળા રાજા પણ કેાઇ એક વનની અંદર જતાં તેના રૂપથી પરાધીન થયેલી કાઇ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિનગરી પાસે મુકી દીધેા, ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કાઇ દરિદ્ર શ્રી પાતાની ખાલિકાનો ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પુછ્યું આ શુ ? તે સ્ત્રીએ કહ્યું કે પ્રથમ પણ મ્હારે દુગા એવી સાતકન્યાએ છે અને આ આઠમી કન્યા થઇ તેને ત્યાગ કરૂ છું, આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપીઆની કિંમતની પેાતાની મુદ્રિકા ( વીંટી ) આપી તે ખાલિકાની રક્ષા કરી, પછી રાજા નગરીની અંદર ગયા. ત્યાં રાજ માર્ગમાં પહેા વગડાવવામાં આવતા હતા “ રાજાને પુત્ર થયા. છે તે .સ્તનપાન કરતા નથો અને ખેલે છે કે તમે મને મિત્ર કરાવે. એ પ્રમાણે પડને સાંભળી વિક્રમ રાજા પડહાને વગડતાં અટકાવી રાજાના મ્હેલમાં રાજપુત્ર પાસે આવ્યા, તે વખતે વિક્રમ રાજાને જોઇ બાળક આવ્યે હું મિત્ર વિક્રમ ! પધારા તમારા સ ંદેહ ટળી ગયા ? ચિત્તમાં ચમત્કાર ( આશ્ચર્ય ) પામેલા રાજા પણ ખેલ્યું. હું મિત્ર બાળક ! જે કહેવાનુ હાય તે તમે કહેા, બાળકે કહ્યું કે હું ગોવીંદ બ્રાહ્મણ છું. અભ્યાગત થયેલા તમાને તેલ મર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાના પુત્ર થયા છું અને તે ચં Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ગુણ વર્ણન. ૧૨૧ દરિદ્ર સ્ત્રીની પુત્રી પણે થએલે છે. તેણે તેલના ચેથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દર્શન થવાથી તમે તેને સવાલાખ રૂપીયાની કિંમતની મુદ્રિકા અર્પણ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” એ વાક્યને નિશ્ચય થયો પછી તે બાળકને આલિંગન કરી હષિત થએલો રાજા પોતાના નગર તરફ ચાલી નિકળે. એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેકમાં શેભા, કીત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કદયની પેઠે સારું પરિણામ આવતું નથી. કહ્યું છે કે ત્યાનો ગુણ વિરવત, વિત્ત ત્યાગવત ગુ .. परस्परवियुक्तो तु, वित्तत्यागौ विमम्बना ॥५॥" શબ્દાર્થ દ્રવ્યવાન પુરૂષને ત્યાગ (દાન) હોય તે તે ગુણ છે. અને દાન કરવાવાળા પુરૂષને દ્રવ્ય હોય તો તે ગુણ છે. દ્રવ્ય અને ત્યાગ આ બને આપસ આપસમાં જુદા હોય તે એ બન્નેની વિડંબના થાય છે. પ (અર્થાત ધનાઢ્ય દાતા ન હોય અને દાતા ધનાઢ્ય ન હોય તે વિડંબના શિવાય બીજું શું છે?). | દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષાઋતુના મેઘની પેઠે જનસમૂહ ઉજજીવિત (આનંદિત ) થાય છે. વખતે વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા જેમ મહેટા હાથીની પેઠે નીચ પુરૂષેથી પરાભવ પામતા નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અંકુશથી ક્ષણવારમાં હાથીની માફક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદગલે પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુજ ન મનુષ્યનાં વચને પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયો હોય તો પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે? આગળ કુરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું ? કહ્યું છે કે " संपदि विपदि विवादे, धर्मे चार्थे परार्थसङ्घटनें । देवगुरुकृत्यजाते स्फुरत्युदारः परं लोके ॥६॥" શબ્દાર્થ આ લેકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં ધર્મમાં અને અર્થમાં બીજાના અર્થને સાધવામાં તથા દેવ અને ગુરૂ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં સ્કુરાયમાન થાય છે. એ ૬ આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હોય છે તે ખરચ જેમ રેગ શરીરને કશ કરી સંપૂર્ણ કાર્યમાં અશક્ત બને નાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કૃશ કરી પુરૂષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે, કહ્યું છે કે – ૧૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ગુણુ વિવરણુ. प्रायव्ययमनालोंच्य, यस्तु वैश्रमणायतें । चिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥ ७ ॥ " શબ્દા—જે પુરૂષ આવક અને ખરચતા વિચાર કર્યા શિવાય કુબેરભ’ડારીના જેવી આચરણા કરે છે, તે પુરૂષ ઘેાડાજ વખતમાં ખરેખર આ લાકમાં સાધુ જેવા મની જાય છે, ૫ ૭ ॥ ૧૨૨ 66 ભાવાઆવક અને ખરચના જે પુરૂષ! અરાબર વિચાર કરતા નથી તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પેાતાની આવકના પ્રમાણથી, ખીજાની દેખાદેખીથી અને સ્વાર્થીઓની ખેાટી પ્રશંસાથી ફુલાઇ જઇ ગજા ઉપરાંત દાન દે છે. અથવા ભેગાદિકમાં લક્ષ્મીને વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ચેાગ્ય થઇ જાય છે. માટે દાનભેાગાદ્યિકમાં લક્ષ્મીના વ્યય કરવા તે આવકને વિચાર કરી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ‘દ્રાચાય - ના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી ય કરવા ઉચિત છે. માત્ર ધન ખરચી કીર્ત્તિ સ`પાદન કરવાથી કિવા ભાગ ભાગવવાથી આ મનુષ્યજન્મનું સાક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે. તેા બીજાની ઇર્ષ્યા સ્પર્ધા નકરતાં પેટતાની શકિત અનુસાર દ્રવ્યના વ્યય કરવે. શિકત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધમધ્યાનાદિક કરવામાં વિઘ્ન આવતું નથી. આત્માની ઉચ્ચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરચ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ થાય છે. તેમજ કક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શીઘ્ર થઇ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથીજ ધમ થાય છે, એમ માનવું અયાગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થંકર ભગવાન એક વર્ષ સુધી હંમેશાં એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધી મેળવવામાં સાધનભૂત થયુ નહીં, પણ કમને સપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે આાર વર્ષ સુધી ઘાર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કાઇ જીવ ધમ કાયĆમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પેાતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવ પૂર્વક ધમ કાયમાં ખરચેલા ધનનુ ફળ કાંઇ જતું નથી. પણ તે ફળ અંતરાય કર્મના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પેાતાની પાસેના દ્રવ્યના વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દ્રારિદ્રને લઇને વખતે ધમ ઉપરથી પણ આસ્થા ઉડાવી નાખે છે. માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યના વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લ્લંધન કરવું નહીં, અને શાસ્ત્રકારની આજ્ઞાનું ઉલ્લ્લંધન કરનાર વખતે વૈશ્રમણ ( કુબેર ) જેવા હોય તાપણ પેાતાના ગજા ઉપરાંત ખરચ કરનાર વૈ મળાયતે એટલે ખરેખર તે સાધુ જેવા થઇ જાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ગુણ વર્ણન. ૧૨૩ વળી લક્ષ્મી પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે. એવો નિશ્ચય કરી કદી આવક થે હોય તે પણ ઘરના ખરચમાં સંકેચ કરી પુણ્ય કમમાં ખરચ કરજ જોઈએ. કારણુ થોડો પણ પુણ્ય કમમાં ખરચ કરવામાં આવ્યું હોય તો તે કાળે કરી એક કોડ દ્રવ્ય જેટલું થાય. જેમ શ્રી તેજપાલ મંત્રિના ઘર દેરાસરમાં ત્રણ વર્ષના પુણ્ય કાયને ખરચ છત્રીસ હજાર રૂપિયા પ્રમાણ થયે હતું, તે દ્રવ્યથી મંત્રીએ બાઉલૂ ગામમાં જિનમંદિર કરાવ્યું હતું. હવે ગ્રંથકાર બારમા ગુણની સમાપ્તિ કરતાં દ્રવ્યના પ્રમાણમાં વ્યય કરનાર ગૃહસ્થને શું ફળ થાય છે તે બતાવે છે– एवं गृहस्थों विनवानुरूपं, व्ययं वितन्वन् बनते प्रतिष्ठाम् । यशांसि पुण्यं सुखसंपदश्च, धर्मार्थकामानिमतोरुसिझम् ॥८॥ શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે વૈભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિકા, યશ, પુષ્ય, સુખ અને સંપત્તિને મેળવે છે. તથા ધર્મ, અર્થ અને કામને અભિમત મહટી સિદ્ધિને પણ મેળવે છે. ૮ પતિ દ્વારા ગુણ સમાત ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ( N AR त्रयोदश गुण वर्णन. UNetanyHDNEY વે કમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસાર વેષ રાખવારૂપ તેરમા ગુણનું વર્ણન કરે છે. मामा A %EO तमामानAIHI તથા વેષ એટલે વસ્ત્ર અલંકાર વિગેરે ભેગ્ય પદાર્થો. વિત્ત એટલે વૈભવ. ઉપલક્ષણથી, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ, પુરૂષ અને સ્ત્રી વિગેરેને સંગ્રહ તદનુસાર એટલે વૈભવના સરખે વેષ ધારણ કરતે ગૃહસ્થ ધામને અધિકારી થાચ છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેકમાં ઉપહાસ્યપણાને, તુછપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દેનું પાત્ર થાય છે. કહ્યું છે કે" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा। कार्यों वस्त्रादिशृङ्गारो, वयसश्चानुसारतः॥ १ ॥ अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैर्महझिरुपहस्यते ॥२॥ न धार्यमुत्तमैर्जीर्ण, वस्त्रं च न मलीमसम्। विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥३॥ आकाङ्क्षन्नात्मनो सदमी, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥४॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^ ^ ^ ત્રદ ગુણ વર્ણન. ૧૨૫ શબ્દાર્થ ચૂએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસારે વસ વિ. ગેરેને શૃંગાર કરવું જોઈએ૧દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં બળવાનની સાથે વૈર કરનાર એવા પુરૂષને મોટા પુરૂષ ઉપહાસ્ય કરે છે . ૨. તથા ઉત્તમ પુરૂષએ કદીપણુ જીર્ણ અને મલીન વસ ધારણ કરવું નહીં. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ પુષ્પ ધારણ કરવું નહી. ૩. જે પુરૂષ પિતાને માટે લક્ષ્મીની છે. ચ્છા રાખતા હોય, તે પુરૂષ બીજાએ ધારણ કરેલાં વસ્ત્ર, પુષો અને ઉપાહ,(૫. ગરખાં) ધારણ કરે નહી ૪ અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે, એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આ વક છતાં પણતાથી ખરચ કરતું નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વમવિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી તેમાં નિંદિત થએલો તેપુરૂષ ધર્મમાં પણ અધિકારી થતું નથી અને મમ્મણ શેઠની પેઠે કલેશને ભાગી થાય છે. તથા વૈભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિન મંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમોત્તમ વિષ અને અલંકારને ઉપભેગ કરે કહ્યું છે કે નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂત્તિ થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, તે આ બે શ્લોકેથી બતાવે છે – श्रीमङ्गलात् प्रनवति, प्रागल्याच्च प्रवर्षते । दादयात्तु कुरुते मूलं, सँय्यमात्प्रतितिष्ठति ॥ ५॥ शिरः सपुष्पं चरणौ सुपूजितो, निजागनासेवनमल्पनोजनम् । अनग्नशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥६॥ | શબ્દાર્થ–લક્ષ્મી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી ભૂલ કરે છે અને ઈદ્રિના નિગ્રહ વિગેરે નિયમથી સ્થિર થાય છે. ઘણા પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ સ્વચી સતિષ, કેવું ભેજન,વસ સહિત શયન અને પર્વ દિવસમાં મિથુનને ત્યાગ આ સર્વે ઘણા કાળથી નષ્ટ થયેલી લ. મીને પાછી લાવે છે.૬ આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે કર્ણદેવ રાજાને દેવ પૂજા વખતે અગ્નિથી એલાં છેતીયાં, ચંદ્રાદિત્ય નામે કુંડળે, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતું નહીં. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રાદ્ધ ગુણ વિવરણ, હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશદ્વારા ધર્મને એખ્ય કેણ હોય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે एवं वितन्वन् विनवानुसारिवेषोपचारं रुचिरं विवेकी । स्वधर्मशोनोन्नतिकृद् गृहस्थो, विशेषधार्हतया विनाति ॥७॥ શાઈ–ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનોહર એવા ભવને અનુસાર વેષને વ્યવહાર કરે છે તે પુરૂષ પોતાના ધર્મની રોભારૂપે ઉન્નતિ કરનાર થાય છે. અને તે વિશેષ ધર્મની પેચતાને મેળવી શેભાને પામે છે. પણ રૂતિ ગોરા છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ चतुर्थदश गुण वर्णन. હવે કમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણ મેળવવારૂપ ચ. દમાં ગુણનું વિવરણ આરભે છે. તથા બુદ્ધિના આઠ ગુણ છે. તે જે પુરુષમાં હોય તે પુરુષ ધર્મ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે. शुश्रुषा १ श्रवणं श् चैव, ग्रहणं ३ धारणं ४ तथा। ऊहो ए ऽपोहो ६ ऽर्थविज्ञानं, ७ तत्वज्ञानं च धीगुणाः ॥१॥ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અપોહા, અજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠગુણે જાણવા. ૧ તેમાં સાંભળવાની ઈચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. શુશ્રુષાની ઈચ્છા શિવાય શ્રવણાદિક ગુણની પ્રાપ્તિ નથી. ૧ શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મહેતા ગુણના સગને માટે થાય છે. ૨ તેને માટે કહ્યું છે કે क्षाराम्जस्त्यागतो यत्, मधुरोदकयोगतः। बीजं प्ररोहमादत्ते, तछत्तत्वश्रुतेर्नरः ॥२॥ काराम्नस्तुल्य इह च, भवयोगोऽखिसो मतः। मधुरोंदकयोगेन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળનો સંગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ દોષને ત્યાગ કરી ગુણને ગ્રહણ કરે છે. ૨ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન માન્ય છે, અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કર્યું છે. ૩ સાંભળવા પૂર્વક Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાદ્ધ ગુણુ વિવરણ. શાસ્ત્રાનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રને સ્મૃતિમાં રાખવાં તેને ધારણા કહે છે. ૪ જાણેલા પદાર્થનુ અવલખન કરી તેવા પ્રકારના બીજા પદાર્થીમાં વ્યાસિ વિગેરેના વિતર્ક કરવા તેને ઉહા કહે છે. ૫ અનુમાન અને ઉકિત ( કથન ) વડે વિરૂદ્ધ એવા હિંસાદિક પદાથથી પાપ લાગે છે. એમ જાણવાથી પાછા હઠવું તેને અપેાહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહુ કહે છે અને વિશેષ જ્ઞાનને અપેાહ કહે છે. ઉહાપેાહના યાગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાના ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અથ વિજ્ઞાન કહે છે. છ ઉહાપોહા અને અર્થ વિજ્ઞાનથી વિશુદ્ધ ( નિળ ) એટલે આ પ્રમાણે જ છે. એવા નિ શ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮આ બુદ્ધિના આઠ ગુણ્ણા યથા સંભવ જાણવા. આ શુશ્રુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કષવાળા પુરૂષ નિરંતર વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનાર હાય તે કદિપણ અકલ્યાણને પ્રાપ્ત થતા નથી. પરતુ સપૂર્ણ ધમ અને વ્યવહારના પરમાના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે— बुद्धिजु आलोय, धम्माणं जवादि परिसुद्धं । जोग त्तमप्पणोच्चिय. अणुबंधं चैव जन्तेां ॥ ४ ॥ બુદ્ધિમાન પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિળ એવા ધર્મસ્થાનના તથા પેાતાના ચેાગ્યપણાના અને ઉત્તસત્તર ફળરૂપ અનુખ ધને પણ મ્હોટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. બુદ્ધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળા પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણારૂપ ઉપાધિથી દોષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પોતાના આત્માની ચાગ્યતાનો પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનનીજ આલોચના કરે છે એમ નહી એ ના શબ્દનો અથ છે. જેમ કે કયા ધર્મસ્થાનને હું યોગ્ય છું. તેને માટે કહ્યું છે કે —— રુંઃ વ્હાલ; જાનિ મિત્રાળ. જોઢેરા જો વ્યયમો । कश्चादं का च मे शक्ति, रिति चिन्त्यं मुहुर्मुहुः ॥ ५ ॥ ॥ કયા કાળ વર્તે છે ? કોણ મિત્ર છે ? કયા દેશ છે? ખચ અને આવક કયાં છે ? હુ· કાણુ છું ? અને મ્હારી શકત શી છે ? એવી રીતે વારવાર ચિંતનવું ૫ તેવીજ રીતે ઉત્તરાત્તર ફળરૂપ અનુષધ ( ફળસાધન ) ના મ્હોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિ ક્રિયાપદના છેલ્લા પદની સાથે સંબંધ કર્યા છે. વળી કહ્યું છે કે-बुनश्य जहाविसयं सव्वं धम्मंति एत्युदाहरणं । વેવઘ્નયપરિ, નટુજુનું ગળથાયમિ ॥ ક્॥ " Page #168 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દ શ ગુણુ વણું ન. ૧૨૯ મેધ કરવાને ઇસ્કેલ એવા સ ધર્માદિક વસ્તુના આધ થાય છે. તે બધ જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાંના બે છાત્રાનુ બકરાને મારવા વિષે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.--ધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દોષના ત્યાગપૂર્વક બેધ થાય છે. સમ્યક્ અને તેનાથી વિપરિત અસમ્યક્ ધને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રાનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે:— શુક્તિમતી નામે નગરીમાં ક્ષીરક અક નામના ઉપાધ્યાય પાસે વસુ, પવત અને નારદ આ ત્રણ છાત્રો વેદોના અભ્યાસ કરતા હતા. એક વખતે એ જૈન મુનિએ ભિક્ષા લેવા માટે ક્ષીરકદ એક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતા છાત્રાને જોઈ તે બે મુનિએમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે, આ ત્રણ વિદ્યાર્થિઓમાંથી વસુ છે, તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રામાંથી એક નરકમાં અને બીજો સ્વગે જશે. એવી મુનિની આ વાર્તાને કોઇ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે સાંભળી લીધી. પછી ચિંતાયુકત એવા ક્ષીરકદ'ખક ઉપાધ્યાયે તે છાત્રાની પરીક્ષા કરવાના પ્રાર’ભ કર્યાં. કોઇક વખતે લાખના રસથી ભરેલું ખકરાતું ચામડું અકરાની આકૃતિ જેવુ કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ ઉપાધ્યાયે પર્વતને એલાવીને આપ્યુ... અને કહ્યું કે આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખવા કે જ્યાં કાઇપણ તેને જોઇ શકે નહિ. આમ કરવાથી વેદ સાંભળવાની ચાગ્યતા થાય છે. પછી તે મકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયા અને વિચાર વગરના તે પવ તે તેને મારી નાંખ્યા. તે પછી ખકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિજાએલે પર્વત આ રૂધિર છે, એમ માની સરેોવરમાં સ્નાન કરી ગુરૂપાસે આવ્યા અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધા. પછી તેના પિતા ક્ષીરક બક ઉપાધ્યાયે તેનેકહ્યું કે વ્હે' એ બકરાને કેમ માર્યાં? કારણ કે સવ ઠેકાણે ફરનારા તિયા ભક દેવતાઓ અને આકાશમાં તારાએ જીવે છે અને તેને તું પાતે પણ જોતા હતા. ત્યારે તું કેમ કહે છે કે કાઇ ન જાવે તેવી રીતે આ મકરાને મારી નાંખ્યા છે. અહા ? હારી કેવી મૂઢતા છે ? પછી કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે .પૂર્વોકત વિધિએ નારદને બકરા મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરૂના વાકયને બહુમાન કરતા વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે, ત્યાં ત્યાં આ નારદ વનસ્પતિ અને દેવતાઓ જીવે છે; એમ જાણી તેણે વિચાર કર્યાં કે કોઈપણ એવું સ્થાન નથી કે કોઇને કોઇ ન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરૂની આજ્ઞાજ નથી, એમ ધારી શુરૂપાસે આવી તેને પાતાના આત્માની સવ પરિણતિનુ નિવેદન કરી દીધું. પછી ઉપાધ્યાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતોષને પ્રાપ્ત થયા અને કહ્યું કેઃ— '' Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાદ્ધ ગુણ વિવરણ. नदीरितोऽर्थः पशुनापि गृह्यते, हयाश्चनागाश्चवहन्तिनोदिताः। अनुक्तमप्यूहति पएिकतोजनः, परेगितज्ञानफना हि बुद्धयः।७। પ્રેરણા કરી બેલા અને પશુ પણ ગ્રહણ કરે છે. અર્થાત સમજે છે. અને પ્રેરણા કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે. પરંતુ પંડિત પુરૂષ તે કથન નહી કરાએલા અર્થને પણ વિતકથી ગ્રહણ કરે છે. કારણકે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇંગિત જ્ઞાનના ફળવાળી હોય છે. કેળા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પતિને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યું અને નારદ ઉચિત બુદ્ધિવાળે છે, એમ જાણું તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુક્ત હોય તે ધર્મને ચગ્ય થાય છે. એમ બતાવે છે– इच्छं पुमर्थेषु विशुधबुद्धि, गुणैः समेतः सुविचारसारम् । प्रवर्त्तमानो बनते निजार्थ, सिद्धिं जनो धर्मरसोचितत्वम् ॥॥ इतिचतुर्दशः ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણોથી યુક્ત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરૂષ સારા વિચારના સારભૂત એવી પિતાના અર્થની સિદ્ધિને અને ધમરૂપ રસની ગ્યતાને પ્રાપ્ત કરે છે. ૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ पंदरमा गुणY विवरण. ( શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી ચદમા ગુણનું વર્ણન પુરૂં કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર કરતકફજન્મ ધર્મને શ્રવણ કરવારૂપ” પંદરમા ગુણનું વિવરણ કરવાને પ્રારંભ કરે છે. તથા હમેશાં ઉન્નતિ અને મોક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણ કરતે ગૃહસ્થ શ્રાવકધર્મને ગ્ય થાય છે. તથા પ્રતિદિન ધર્મ સાંભળવામાં તત્પર રહેનારે પુરૂષ મનના ખેદને દૂર કરવામાં સમર્થ થાય છે. તેને માટે કહ્યું છે કે – कान्तमिहो (अपो) प्रति खेदं, तप्तं निर्वाति बुध्यते खेदं (मूद) स्थिरतामेति व्याकुल, मुपयुक्त सुनाषितं चेतः ॥१॥ ભાવાર્થ–સારા કથનમાં ઉપયોગવાળું મન શ્રમિત થએલાના ભેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થએલાને બંધ કરે છે અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ હમેશાં ધમનું શ્રવણ કરવું એ ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિનું સાધન હોવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણથી બુદ્ધિના ગુણ માંહેલે શ્રવણ ગુણ જુદે છે, વળી નિરંતર ધમ સાંભળવાને અભાવ થતાં પ્રાપ્ત થએલે પણ ધમ મણિકાર શ્રેણીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેષ્ઠીનું ઉદાહરણ આપ્રમાણે છે – એક વખતે રાજગૃહિ નગરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન્ પધાર્યા હતા, તે વખતે ત્યાં સૈધમ દેવલોકનો રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓથી પરિવરેલે દુરાંક નામા દેવ સૂર્યાલ દેવની પેઠે ભગવાન્ મહાવીર સ્વામીની આગળ બત્રીશ પ્રકારનાં નાટકો કરી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. તે પછી શ્રી ૌતમસ્વામીએ ભગવાન્ મહાવીરસ્વામીને પુછયું કે હે ભગવન્ ? દુરાંક દેવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી? આ પ્રશ્ન થતાં ભગવાન્ મહાવીર સ્વામીએ જવાબ આપે કે, આજ નગરમાં હેટી રુદ્ધિવાળે મણિકાર નામે ઈભ્ય રહેતું હતું. તેણે એક વખતે હારા મુખથી ધમ શ્રવણ કરી, ધમને અંગી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાદ્ધ ગુણ વિવરણ. કાર કર્યો હતે અને તે ધમને ઘણું કાળસુધી પાળે, પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણ નહી કરવાથી તે મિચ્યા બુદ્ધિવાળે થયે. એક વખતે ગ્રિષ્મ ઋતુમાં તેણે અઠમ કરી ત્રણ દિવસને પૈષધ કર્યો હતે. ત્રીજા દિવસની રાત્રિમાં તૃષાથી પીડિત થએ અને આધ્યાનને પ્રાપ્ત થએલે તે શેઠીચો વિચાર કરવા લાગે કે જે પુરૂષે વાપી, કુપ વિગેરેને કરાવે છે, તે પુરૂષનેજ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઈત્યાદિચિંતવન કરી પ્રાતઃકાળે અઠમનું પારણું કરી પ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં ભોજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાને કરાવ્યાં. પછી ધમને ત્યાગ કરનારા તે શેઠીયાને સળ હેટા રેગો ઉત્પન્ન થયા. તેની પીડાથી દુધ્ધન કરી તે મૃત્યુ પામ્યું અને તેજ વપિકામાં દેડકો થયે. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પિતે ધર્મની વિરાધના કરી હતી તેનું આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થશે. હવેથી હાર છઠ તપ કરે અને તેના પારણામાં વાવીને કિનારે રહેલું નિર્દોષ લોકેના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું એ અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાપિકાની અંદર પ્રાપ્ત થએલા લેકે પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. તેમને વંદન કરવા જઈશું એવી જનેક્તિને શ્રવણ કરી તે દેડકે મને વંદન કરવા માટે ત્યાંથી નીકળે. રસ્તામાં ચાલતાં શ્રેણિક રાજાના ઘડાના ખુરથી ચગદાઈમરણ પામી, દેવ થયેલ છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય થઈમેક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગૌતમ? હમેશાં ધર્મનું શ્રવણ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણું, નિરંતર ધમનું શ્રવણ કરવામાં તત્પર થવું જોઈએ. કહ્યું છે કે – परमागम सुस्सूसा, अणुराज धम्मसाहणे परमो । जिणगुरु वेयावच्चे, नियमो समत्तत्रिंगाई ॥२॥ પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઈચ્છા, પરમાગમનું શ્રવણ ક્ય શિવાય સમિતિ અને વિવેકાદિકના ગુણનો સમૂહ પ્રાપ્ત થતું નથી. ૧ તથા ધર્મસાધનને વિષે ઉત્કૃષ્ટ અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરૂની વૈિયાવચ્ચ કરવાનો નિયમ આ ત્રણ સમ્યકત્વ પ્રાપ્તિના લિંગે છે. તેને માટે હરિભદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે – दारान्नस्त्यागतो यत्, मधुरोदकयोगतः बीजंप्ररोहमादत्ते, तत्तत्वश्रुतेनरः ॥३॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ પંદરમા ગુણનું વર્ણન. ૧૩૩ क्षाराम्नस्तुल्य श्व च, नवयोगोऽखिलोमतः । मधुरोदक योगेन, समा तत्व श्रुतिः स्मृता ॥४॥ વાજા થતા રોષ, તિરસુલ્યા હતાં તા अन्नावेऽस्याः श्रुतं व्यर्थ, मसिरावनि कूपवत् ॥ ५॥ ખારા જળને ત્યાગ થવાથી અને મધુર જળને સવેગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે, તેમ તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળની સમાન માને છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૪ આ શ્રુતિ બોધરૂપ જળના પ્રવાહની સિરા સમાન છે. તે સંપુરૂષોને માન્ય છે. તત્ત્વ કૃતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કુપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે. ૫ ઈતિ શુશ્રુષાનું લક્ષણ આ પ્રમાણે છે – तरुणो सुही वियको, रागी पिय पण इणी जुओ सोलं। श्व जह सुरगीयं, त हिया समय सुस्सूसा ॥६॥ વૈવન અવસ્થાવાળે, નિરંતર સુખી, નિપુણ વજાદિ રાગને જાણ અને વહાલી પ્રાણપ્રિયાથી યુક્ત એ કઈ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણ કરનારની ઇચ્છાવાળે હોય. ૬ સુંદર ધમરૂપ ગુણના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મુકવા. તે સુદર્શન શ્રેષ્ઠીને વૃત્તાંત આ પ્રમાણે છે – મગધ દેશમાં રાજગૃહ નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઈચ્છાવાળે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગતને વિષે વિદ્વાન બીજાને સમ્યકત્વની વૃદ્ધિને માટે દષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતે હતે. તેને રૂપની સંપત્તિ વડે પ્રશંસા કરવા લાયક બંધુમતી નામે ભાર્યા હતી. તે અજુન માળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતીહાય યુક્ત મુદ્રપાણિ નામે યક્ષનું હિમેશાં પુષ્પના સમૂહથી પૂજન કરતો હતો. એક દિવસે તે નગરમાં આણંદના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લેકે કઈક સારા મહોત્સવનો પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મ્હારાં પુષ્પો ઘણાં મેંઘા થશે એ વિચાર કરી તે અજુન માળી પોતાની ભાર્યાની સાથે પુષ્પના બગીચામાં ગયે. ત્યાં પુષ્પના સમૂ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાદ્ધ ગુણ વિવરણ. હિથી કરંડીયાને ભરી સાયંકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અજુન માળી યક્ષના મંદિરમાં આવ્યું. આ વખતે કઈ દુષ્ટ હદયવાળા છ ગોઠીલા પુરૂષોએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના દેખતાં ઈચ્છા પ્રમાણે ભોગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કોઈ ગુપ્ત પ્રદેશમાં તેઓ સંતાઈ રહ્યા હતા. અજુન માળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણ વાર એકચિત્તવાળ થઈ નિઃશંકપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ ગેઠીલા પુરૂષોએ બહાર નિકળી એકદમ તે માળીને દઢ બંધનથી બાંધી લીધો અને તેના દેખતાં તેની ભાર્યા સાથે સ્વેચ્છાથી તેઓ ભેગભેગવવા લાગ્યા. તેવા પ્રકારના તે આ કાર્યને જોઈ રોષથી ભયંકર બનેલે અજુન માળી મંત્રથી બંધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમર્થ હતો. તેને માટે કહ્યું છે કે – पितृघातादि मुःखानि, सहन्ते बनिनोऽपि हि । प्रिया घर्षण उखं, रोऽपि न तितिक्षति ॥ ७ ॥ ભાવાર્થ-બલવાન પુરૂષે પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે છે, પરતું પોતાની ભાર્યાના પરાભવથી થએલા દુઃખને રંક માણસ પણ સહન કરી શકતો નથી. ૭ પછી તે અર્જુન માળી દુર્વચનથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યું કે હે યક્ષ? ખરેખર તું પાષણને જ છે, પરંતુ ખરે દેવતા નથી. જો તું ખરે દેવતા હતા તે હારા દેખતાં આ પાપી અને અધમ ગઠીઆએ હારા મંદિરમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હે યક્ષ ? જો હારે કેઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હોત તે આ પ્રમાણે મ્હારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેનાં વચન સાંભળી કેપના આટોપથી વિકાળ થએલે યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેડી નાંખી યક્ષે લેઢાના મુરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગઠિઆઓને ચૂર્ણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલે તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથિવીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લેકેને પટોષણું પૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યા કે જ્યાં સુધી અર્જુન માળીએ સાત મનુષ્યને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહીં. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રાણીઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વદ્ધમાનસ્વામી પધાર્યા, તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અજુનમાળીના ભયથી તે ઉદ્યાનમાં કઈ પણ પુરૂષ Page #174 -------------------------------------------------------------------------- ________________ પદરમાં ગુણનું વર્ણન. ૧૩૫ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાન અને નિભિમાની સુદર્શન નામે શ્રેષ્ઠી રહે. હિતે. તે શ્રેષ્ઠી ભગવાન મહાવીરસ્વામીને વચનામૃતનું પાન કરવાની ઈચ્છાવાળે હતે, તેથી તે શ્રેષ્ઠીએ પિતાના માતા પિતાને ભગવંતને વંદન કરવા નિમિત્તે જવાની વિજ્ઞપ્તિ કરી; અર્થાત્ ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ? હાલ તે માર્ગમાં જતાં તેને અજુન માળીએ કરેલે મહાન ઉપસર્ગ થશે. તેથી હે વત્સ? આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કરે અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પિતાના માતા પિતાને કહ્યું કે જગદ્ગુરૂ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા શિવાય ભોજન કરવું તે પણ યોગ્ય નથી. મને અર્જુન માળીને કરેલ ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિદને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે – उपसर्गाः वयंयान्ति, बिद्यन्ते विघ्नवदनयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥ ७ सव्वेताह पसबा, सुमिणा सनणा गहाय नखत्ता । तिजयण मंगल नितयं, दियएण जिणं वहं तस्स ॥ ए જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે. વિનરૂપ વેલડીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૮ જે પુરૂષ ત્રણ જગતનાં મંગળના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષને સવ સ્વપ્ન, શકુને, ગ્રહો અને નક્ષત્ર પ્રશસ્ત થઈ જાય છે. ૯ આ પ્રમાણે પિતાના માતા પિતાને જૈનાગમનાં વચને સંભળાવી અને પિતે જૈનાગમને સાંભળવાની ઈચ્છામાં ઉત્સુક હૃદયવાળે તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયે. એવામાં તે ભાગમાં ચાલતું હતું, તેવામાં અજુનમાળી પોતે મુદ્રને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવ્યું, તેને તેવી રીતે આવતે જઈ સુદર્શન શ્રેષ્ઠી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તેજ ઠેકાણે કાત્સગ કરી ઉભું રહ્યું. તે વખતે તે પરમેષ્ઠી મહામંત્રના જાપથી અસહાતેજવાળા અને વિસ્તાયુકત ધર્યવાળાતે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલે, રોષ રહિત થએલે અને ભય પામેલે યક્ષ પિતાના મુકરને ગ્રહણ કરી, એક દમ અજુન માળીના શરીરને ત્યાગ કરી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયે. તેનાથી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રાદ્ધ ગુણ વિવરણ મુકત થએલે તે માળી છેદાએલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર પડી ગયે. ક્ષણવારમાં ચૈતન્ય આવ્યું. એટલે પિતાની આગળ ઉભા રહેલા સુદર્શનને જે તે અજુનમાળીએ સુદર્શનને પુછ્યું કે તમે કોણ છે ? અને કયાં જાઓ છો ? ત્યારે સુદર્શન તેના કણને અમૃત જેવી પ્રિય લાગે તેવી વાણી બોલ્યા. હું શ્રમણે પાસક છું અને ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા જાઉં છું. હે અર્જુન જે તમારી પણ સર્વજ્ઞાને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તો તમે પણ ચાલે. તે પછી ઉત્સુક થએલા તે બન્ને સસરણને વિષે આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરી ભગવાનની દેશનાને શ્રવણ કરે છે. તે દેશના આ પ્રમાણે છે. मानुष्यमार्य विषयः सुकुलप्रसूतिः, श्रधालुता गुरुवचः श्रवणं विवेकः मोहान्धिते जगति संप्रति सिधिसोध सोपान पञ्छतिरियं सुकृतोपलन्याः ॥ १० ॥ अथवा-तिकालं जिणवंदनं पदिणं पूआ जहासत्ति । सझाडं गुरुवंदनंच विहिणा दाणं तहावस्सयं । सत्तीए वयपालणं तह तवो अपुव्वनाणकणं । एसो सावयपुंगवाणनणि धम्मो जिणं दागमे ॥११॥ સાંપ્રતકાળમાં મોહથી અંધ બનેલા આ જગતને વિષે મનુષ્યજન્મ, આર્ય દેશ, સારા કુળમાં જન્મ, શ્રદ્ધાલતા, ગુરૂના વચનનું શ્રવણ અને વિવેક એ પુણ્યથી પ્રાપ્ત થએલી મેક્ષરૂપ પ્રાસાદમાં જવાની પગથીયાંની શ્રેણી છે. ૧૦ ત્રિકાળ જિનચંદન, નિરંતર યથાશકિત જિનપૂજા, સ્વાધ્યાય, વિધિપૂર્વક ગુરૂવંદન, દાન, પ્રતિકમણ, શકિત પ્રમાણે વ્રતનું પાલવું, તપસ્યા અને અપૂર્વ જ્ઞાનનું ઉપાર્જન આ ઉત્તમ શ્રાવકને ધર્મ જિનેશ્વર ભગવાનના આગમને વિષે કહેલ છે. ૧૧ આ પ્રમાણે જિનેશ્વરની હર્ષ પૂવક દેશના સાંભળી સુદર્શન શ્રેણીએ ભાવપૂર્વક શક્તિ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યા. તે પછી જિનેશ્વરને વંદન કરવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે ધર્મ સાંભળવાની ઈચ્છાના ઉદ્યમથી રંગાએ સુદર્શન પિતાને ઘરે આવ્યા. અજુને પણ અમૃત સમાન ઉજવળ એવી અરિહંતની દેશનાનું પાન કરી, વૈરાગ્યના રંગથી ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. મારે જઘન્યથી નિરંતર છઠની તપસ્યા કરવી. આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કરી પરીષહેને સહન કરતે અને સંલેખના કરવામાં તત્પર એવા અજુન માળી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫‘ચક્રેશ ગુણુ વધ્યું ન. ૧૩૭ મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યુ. તે પછી કર્મના ક્ષય થવાથી સુખના સ્થાન રૂપ મેાક્ષને પ્રાપ્ત થયા.સુદર્શનશ્રેષ્ઠી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવકધમને આરાધીદેવતાનું સુખ મેળવી કા ક્ષય થવાથી અનુક્રમે મોક્ષમાં જશે. હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણુનું વિવરણ પુરૂ કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધર્મ શ્રવણ કરવાની ભલામણ કરે છે— इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौ निभायां, धर्मश्रुतौ कुरुत नव्यजनाः प्रयत्नम् ॥ १२ ॥ શબ્દા ઉપર જણાવ્યા પ્રમાણે જૈનાગમને શ્રવણ કરવામાં સાર હૃદયવાળા આ સુદર્શન વિણકૂનુ વૃત્તાંત શ્રવણ કરી સ*સારરૂપ સમુદ્રને તરવામાં નાવ સમાન એવા ધમ શ્રવણમાં હું ભવિ પ્રાણીઓ નિર’તર પ્રયત્ન કરો. ૧રાતિ આગમની શુશ્રૂષારૂપ સમ્યકત્વના લિંગ વિષે સુદર્શન શ્રેષ્ઠિની કથા સમાપ્ત થઇ Page #177 -------------------------------------------------------------------------- ________________ षोमशगुणवर्णन. હું હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી પંદરમા ગુણનું વિવરણ પુરૂ કરી શકત્ર કમથી પ્રાપ્ત થએલ “અજીર્ણમાં ભોજનને ત્યાગ ક. રવારૂપ સેનમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે. તથા અજીર્ણ એટલે પ્રથમ કરેલા ભેજનનું પાચન ન થયું હોય ત્યાં સુધી અથવા પૂર્વભેજના પરિપાકને ન પામ્યું હોય ત્યાં સુધી નવા ભજનને ત્યાગ કરવાના સ્વભાવવાળે ગૃહસ્થ શ્રાદ્ધમને એગ્ય થાય છે. તથા અજીર્ણમાં ભેજન કરવામાં આવે તે સર્વ જાતના રેગેના મૂળરૂપ અજીણની વૃદ્ધિ કરેલી જ કહેવાય છે. કહ્યું છે કે—ગાળામવા રોગ ત ા સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે. અને તે અજીર્ણ શરીરના ચિનાથી જાણી લેવું. તે ચિન્હો આ પ્રમાણે છે – मनवातयोर्विगन्धो, विज्लेदो गात्रगौरवमरुच्यम् । अविशुधश्चोजारः, षड् जीणे व्यक्तलिङ्गानि ॥१॥ શબ્દાર્થ_વિષ્ટા તથા વાયુમાં દુર્ગધ છુટે વિઝામાં ફેરફાર થાય, શરીર ભારે થાય, ભેજન ઉપર અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે એ છ અજીર્ણ થ. વામાં સ્પષ્ટ ચિન્હ છે. ૧ ભાવાર્થ-વળી અજીર્ણમાં ગ્રહણ કરાએલે આહાર મનુષ્યના વાત, પિત્ત કફના દોષને એકદમ પ્રપ કરાવે છે. ખરેખર રેગની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે અને તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટાબ્દ, અને વિપકવ વિગેરેના ભેદથી ચાર પ્રકારે કહેલું છે. રસશેષ અજીર્ણમાં બગાસાં, આમ અજીર્ણમાં ઓડકાર, વિષાબ્ધ અછમાં અંગભંગ, અને વિપક્વ અજીર્ણથી ધૂમાડાના જે ઓડકાર થાય. તથા અજીર્ણના ઉપલક્ષણથી ગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ, અને ગુર્નાદિકના ઉપસર્ગમાં તથા દેવ ગુરૂના વંદનના અભાવમાં વિવેકી પુરૂષોને ભજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કે – Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ડશ ગુણ વર્ણન. देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति । ग्रहणे च न नोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥२॥ તથી પચ अहव न जमिज रोगे, मोहुदये सयणमाइ नस्सग्गे । पाणिदयातवहेलं, अंते तणुमायण च ॥३॥ શબ્દાર્થ–દેવ, સાધુ, નગરનાયક, અને સ્વજનેને કષ્ટ પ્રાપ્ત થયે છતે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરૂષ શકિત છતાં ભેજન કરવું નહીં. ૨ . ભાવાથ–તેવી જ રીતે આગમમાં પણ કહેવું છે કે–અથવા રેગમાં, મેહદયમાં સ્વજનાદિકને કણ થતાં પ્રાણીઓની દયાથી, તપસ્યાના કારણથી અને અંત વખતે શરીરને ત્યાગ કરવા માટે ભોજન કરવું નહીં. ૩ તથા વિશેષ પર્વોમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભજનો ત્યાગ કરે જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને એગ્ય બતાવે છે. विशेषकारणरेवमनोजनपरायणः। सदारोग्यगुणोद्धासी, धर्मयोग्यो गृही नवेत् ॥४॥ ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણથી ભેજનનો ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરોગ્યતાના ગુણથી ઉલાસ પામેલ પુરૂષ ગૃહસ્થ ધર્મને એગ્ય થાય છે Page #179 -------------------------------------------------------------------------- ________________ જિ . ' सप्तदशगुणवर्णन. વે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સેળમા ગુણનું વિવરણ પૂર્ણ કરી ક્રમથી આવેલા “કળે ભેજન કરવારૂપ સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે– તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાળે લુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણે પેત ભજન કરે. કહ્યું છે કે – कएवनाममितिक्रान्तं, सर्वं तदशनं समम् । क्षणमात्रसुखस्यार्थे, लौट्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिह्वे प्रमाणं जानीहि, नोजने वचने तथा । अतिनुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥२॥ શબ્દાર્થ કંઠનાડીનું ઊલંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે; તેથી પંડિત પુરૂષ ક્ષણમાત્રના સુખને અર્થે લોલુપતા કરતા નથી.વાહે જિહે? ભેજન કરવામાં તથા વચને બોલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભેજન કરેલું અને અતિ બેલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨ ભાવાથ–અધિક કરેલું ભેજન ખરેખર વમન, વિરેચન, અને મરણ વિગેરે કરનાર હોવાથી સારું નથી. જે પુરૂષ પ્રમાણે પેત ભેજન કરે છે, તે ઘણું ભેજન કરે છે. ક્ષુધા વગર ખાધેલું અમૃત પણ વિષરૂપ થાય છે તથા સુધાને કાળ ઉલંઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સીદાય છે. અગ્નિ બુઝી ગયા પછી ઇંધણ શું કરશે ? કહ્યું છે કે– पानाहारादयो यस्याविरुधाः प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥३॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ સપ્તદસ ગુણ વર્ણન. ૧૪૧ શબ્દાર્થ-જેની પ્રકૃતિને વિરૂદ્ધ એવાં આહાર પાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સામ્ય કહે છે. ૩ ભાવાર્થ –એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સામ્ય વડે ભજન કરેલું વિષ પણ પચ્ચ થાય છે. પરંતુ અસામ્ય હોય તે પણ જે પથ્ય હોય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપથ્ય હોય તે તે સેવવું નહી. બલવાન્ પુરૂષને બધુએ પથ્ય છે એમ માની કાળફૂટ વિષ ન ખાવું. વિષ તંત્ર (ઔષધી) ને જાણનારે સુશિક્ષિત હોય તેપણુ કદાચિત વિષથી જ મરણ પામે છે. એવી રીતે અજીર્ણમાં ભેજનને ત્યાગ ન કરે અને અસામ્યથી ભોજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલ વ્યાકુલ થનાર અને તેથી નિરંતર આધ્યાનમાં તત્પર રહેનાર પુરૂષને ધર્મની ચેગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરૂષે યથોકત ગુણવાળા થવું જોઈએ. ભજન કરવાની વિધિ આ પ્રમાણે છે ઉત્તમ પુરૂષોએ પિતાને,માતાને બાલકને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને, અને રેગિઆને પ્રથમ ભજન આપી પછી પિતે ભજન કરે,તથા ધમને જાણ પુરૂષ પિતાનાં રાખેલાં પશુઓની તથા નેકર વિગેરે મનુષ્યની ચિંતા કરી પોતે ભજન કરે તેમ કર્યા સિવાય ભજન કરે નહીં. તથા મૂળમાં લે એવું વાક્ય છે. તે ઉપરથી અકાળને ત્યાગ કરે એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળો અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભોજન કરવું સર્વ શાસામાં નિષિદ્ધ હોવાથી અને મહાન દેષ તથા મહાનું પાપનું કારણ હોવાથી ચુકત નથી તેને માટે કહ્યું છે કે – चत्वारो नरक घाराः, प्रथमं रात्रिभोजनम्। परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके શબ્દાર્થ–પહેલું સવિલેજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બળ અથાણું અને ચોથું અનંતકાયનું ભક્ષણ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. કા હે યુધિષ્ઠર? રાત્રિમાં પાણી પણ પીવું એગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્વી અને વિવેકી ગૃહસ્થને તે બિલકુલ યોગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરૂષે હમેશાં રાત્રિમાં આહારને ત્યાગ કરે છે તે પુરૂષોને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેકમાં કેઈએ કાળ છે કે જે કાળમાં ભેજન ન થાય તેથી જે પુરૂષ અકાળને ત્યાગ કરી કાળે ભેજન કરે છે, તેને ધમને જાણ સમજ. જે પુરૂષ હમેશાં રાત્રિભૂજનનું પચ્ચખાણ કરે છે તે પુરૂષને ધન્ય છે. કારણ લેકમાં આયુષ્ય સો વર્ષનું કહેવામાં આવે છે તેથી રાત્રિભેજનનું પચ્ચખાણ કરનાર પર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રાદ્ધગુણ વિવરણ. આયુષ્યના અડધા ભાગે ઉપષિત ગણાય છે. જે પુરૂષ અર્ધઘટી અથવા ફકત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરૂષ દેવલોકમાં દેવપણે ઉન્ન થાય છે. તે જેને ચાર પોહારનું વ્રત ધારણ કર્યું હોય તેની તે વાતજ શી? જે કારણેને લઈ પ્રાશુઓનું જીવિતવ્ય અનેક કષ્ટોથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથંચિત્ ભાગ્યને ગ થાય તે પ્રાણી રાત્રિમાં ભેજન કરનાર ન થાય તથા–રાત્રિભેજનના દેષને જાણનારો જે પુરૂષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં બે બે ઘીને ત્યાગ કરી જોજન કરે છે તે પુરૂષ પુણ્યના ભાજનરૂપ થાય છે. આ લેક સંબંધી રાત્રિભોજનના દે આ પ્રમાણે છે કીડી ખાવામાં આવે તે બુદ્ધિને નાશ કરે છે, કાંટે ખાવામાં આવે તે તાળવાને ભેદ કરે છે, ગળામાં વાળ લાગે હોય તે કંઠને બગાડે છે. સંસક્ત જંતુઓની સંતતિ અને સંપાતિમાં અનેક પ્રાણિઓના વિનાશને હેતુ હોવાથી રાત્રિ ભેજન મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવું એગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે – અતિ પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મુકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ ભેજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેભાગમાં અને તર્જની આંગળીને ઉંચી કરી કદિપણ ભેજન કરવું નહીં. મુખ, હાથ અને પગ ધોયા વિના, નગ્ન અવસ્થામાં, મલિનવસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાધને કદી પણ ભેજન કરવું નહીં. વિચક્ષણ મનુષ્ય એક વસ્ત્ર પહેરી, ભીનાવલ્સથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લોલુપ થઈ કદિ પણ ભેજન કરવું નહીં. પગરખાં સાથે, વ્યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગમાં રહી, અગ્નિ, નેત્રત, વાયવ્ય અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટૂંકા આસન ઉપર બેસી ભજન કરવું નહીં. આસન ઉપર પગ રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરૂષના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભેજન કરે નહીં. આ ભજન કોના તરફથી આવ્યું છે એમ જાણવામાં નહેય,અજાયું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દોએ સહિત અને મુખને વિકાર કરતે ભેજન કરે નહીં. જન નિમિત્તે આમંત્રણ કરવાથી પ્રીતિને ઉપ્તન્ન કરતે અને ભેજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સમરણ કરતે સરખા વિશાળ અને અતિ ઉંચું ન હોય તેવા સ્થિર આસન ઉપર બેસી જન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદર પૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થએલા પવિત્ર પુરૂષોએ પરસેલું અને સર્વ લેકે ભેજન કરી રહ્યા પછી પિતે ભેજન કરે. આ લેકમાં પોતાનું પેટ કેણ ભરતું નથી? માટે જે ઘણું જીવેને આધાર હેય તેજ પુરૂષ પુરૂષ ગણાય * * * * * * Page #182 -------------------------------------------------------------------------- ________________ સપ્તદશ ગુણુ વર્ણન, ૧૪૩ છે. તેથી ભાજન વખતે પ્રાપ્ત થએલા આંધવાદિકને ભોજન કરાવે. જે પુરૂષા સુપાત્રને દાન આપી અથવા તેા અધિક શ્રદ્ધાથી સુપાત્રનું સ્મરણ કરી ભાજન કરે છે, તે ધન્ય છે, તે શિવાયના કેવળ પેાતાનું પેટ ભરનારા નરાધમોથી શું ? અતિથિને ભકિતથી, અજિનાને શકિત અનુસારે અને દુઃખીજનાને અનુક‘પાથી ચેાગ્યતા પ્રમાણે કૃતાથ કરી પછી મહાત્મા પુરૂષોને ભાજન કરવું ચગ્ય છે. યાચના કરનારા સન્યાસી અને બ્રહ્મચારિઓને ભિક્ષા આપે. જે ગ્રાસ પ્રમાણ હોય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણેા ચાર અગ્રનેહું તકાર કહે છે. અથવાતા ભાજનને હડતકાર કહે છે અને ભિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન, જ્ઞાતિબંધુ અને અજિનાની પૂજા કરી પેાતાના વૈભવપ્રમાહું તેમને આપ્યા શિવાય ભોજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હોય તે વખતે માન કરી, શરીરને સિધુ રાખી, દરેક ખાવાની વસ્તુ સુધીને અને દષ્ટિદોષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સ પૂર્ણ આહારના ત્યાગ કરવાથી મનોહર એવા અન્નાદિકનુ` ભેજન કરવું જોઈએ. તથા ભાજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી, અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભોજનના અંતમાં ખાવી. મનુષ્યે ભાજન કરી રહ્યા પછી રસથી ખરડાએલા હાથે પાણીના એક કોગળા હંમેશાં પીવા. વળી ભાજન કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચક્ષુને સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણને માટે પેાતાના બે ઢીંચણે સ્પર્શ કરે. કહ્યું છે કેઃ मा करेला करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी । जानुनी स्पृश राजेन्द्र, नर्त्तव्या बहवो यदि ॥ ए ॥ શબ્દા હે યુધિષ્ઠિર રાજેંદ્ર ? જો હારે ઘણા માણસાન પાષણ કરવુ' હાય તા ભાજન કર્યા પછી ભીના હાથે બીજા હાથના એ ગાલના અને એ નેત્રના સ્પ કરીશ નહી પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે. ॥ ૫ ॥ હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભાજન કરનારને ફળ બતાવે છે. विधिनैवं विशुद्धात्मा, विदधानः सुनोजनम् । गृहिधर्मादतामात्म- न्यारोपयति सत्तमः ॥ ६ ॥ શબ્દાર્થ ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળા થઇ સારા ભા જનને કરતા અતિશય શ્રેષ્ઠ પુરૂષ પાતાના આત્મામાં ધર્મની ચગ્યતાનું આ રાયડુ કરે છે. ૫ માં Page #183 -------------------------------------------------------------------------- ________________ R अष्टादशगुणवर्णन. :::: :::: BEE ME વે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સત્તરમા ગુણનું વિવરણ =ી સમાપ્ત કરી કમથી પ્રાપ્ત થએલ “ત્રિવર્ગના સાધન કરવા રૂપ” અઢારમા ગુણનું વિવરણ કરે છે. હS તથા–ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીષ્ટકાર્યને ઉદય અને મેક્ષની સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુના કાર્યની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી સર્વ ઈદિને પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાને (ધર્મ અને કામને) વિઘાત (નાશ) અથવા તે બાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરૂષ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે. પરંતુ એકલા ધમને અથવા તે એકલા અર્થ કે કામને સાધે નહીં. કહ્યું છે કે – यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । सलाहकारजस्लेव, श्वसन्नपि न जीवति ॥१॥ શબ્દાર્થ–-જે પુરૂષના ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં, ૧ તેમાં ધર્મ અને અને વિનાશ થવાથી અવિચારણીય એવા ઉત્પન્ન થએલા પદાર્થને વ્યય કરવારૂપ તાદાત્વિક વિષય સુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે ક પુરૂષ આપત્તિના સ્થાનરૂપ થયા નથી ? જે પુરૂષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષને બ્રાદત્ત વિગેરેની પેઠે ધન, ધર્મ, અને શરીરને નાશ થાય છે. તથા ધર્મ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યને બીજાઓ અનુભવ કરે છે. અને પોતે તે હસ્તીને નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનું ભાજન થાય છે. તથા અર્થ અને કામનું ઉલ્લંઘન કરી Page #184 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદશ ગુણ વર્ણન. ૧૪૫ એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે. પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરે એ ગૃહસ્થને ધર્મ નથી. તથા બીજ ભેજન કરનાર કણબીની પેઠે ધમને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમિ પુરૂષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અવિરેધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અર્થને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાને અભાવ થાય છે. અર્થાત્ ગૃહધર્મ ચાલી શકતો નથી. આ પ્રમાણે તાદાવિક મૂળહર અને કદયને વિષે ધર્મ, અર્થ અને કામની પરસ્પર બધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે. જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાવિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અન્યાયથી ભક્ષણ કરે છે, અર્થાત્ ઉડાવે છે તે મૂળહર કહેવાય છે. અને જે પુરૂષ નોકરને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યને સંચય કરે છે, પરંતુ કોઈપણ વ્યય કરતા નથી તે કદય કહેવાય છે. તેમાં તાદાવિક અને મૂળહર આ બન્નેના દ્રવ્યને નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદયને દ્રવ્યસંગ્રહ તે રાજા, ભાગીદાર અને ચેર વિગેરેને ભંડાર કહેવાય છે તેથી તે દ્રવ્યને સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતો નથી. ઇત્યાદિ, આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના યોગથી ધર્મ, અર્થ અને કામમાંથી કેઈને બાધા થવાનો સંભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂવ ની બાધાનું રક્ષણ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રતિપાદન કરે છે.– જ્યારે કામને બાધ આવે, ત્યારે ધર્મ તથા અને બાધા થવા દેવી નહીં. કારણ ધર્મ તથા અર્થ અબાધિત હોય તે કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું. કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે – धर्मश्चेन्नावसीदेत, कपावेनापि जीवतः । आढ्योऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः॥२॥ तथा-त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफत्रं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यनवतोऽर्थ રામ છે રૂ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાદ્ધગુણ વિવરણ. | શબ્દાર્થ–હાથમાં કપાલ લઈ ભિક્ષાથી જીવનારા પુરૂષને જો ધર્મ સદાતે ન હોય તે હું ધનાઢ્ય છું એમ જાણવું કારણ સાધુ (શ્રેષ્ઠ) પુરૂષે ખરેખર ધર્મરૂપી પૈસાથી જ યુકત હોય છે. ૨ વળી કહ્યું છે કે ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, ધર્મઅર્થ અને કામરૂપ ત્રિવર્ગમાં પણ પંડિત પુરૂષો ધર્મને શ્રેષ્ઠ કહે છે, કારણ તે ધર્મ સિવાય અર્થ તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩ તથા ધર્મ ધાર્થિ પુરૂષને ધન આપનારે અને સર્વ કામાર્થિ પુરૂને કામિત આપનારે છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધર્મારાધનનું ફળ બતાવે છે – अन्योन्याबाधया, शुधोपधयाराधयन्सुधाः । त्रिवर्ग क्रमतः स्वर्गापवर्गसुखभाग नवेत् ॥॥ इति अष्टादशः॥ શબ્દાર્થ–સ બુદ્ધિવાળે પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું પરિશધન કરી અને પરસ્પર બાધા સિવાય ત્રિવર્ગનું સાધન કરતે અનુક્રમે દેવલેક તથા મેક્ષના સુખને ભાગી થાય છે. ૪ C) Page #186 -------------------------------------------------------------------------- ________________ एकोनविंशगुणवर्णन. રાપર : - ૦૦૦ * * * વે શ્રાવકના પાંત્રીશ ગણપૈકી અઢારમા ગુણનું વિવરણ પુરૂ કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની ભાકત કરવારૂપ” ગણશમાં ગુણના વિવરણને મા રંભ કરે છે. તથા હમેશાં અતિનિમેળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસોને વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે. तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथि तं विजानीयात्. शेषमन्यागतं विदुः॥ १ ॥ શબ્દાર્થ-જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવોને ત્યાગ કર્યો છે, તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા ? ભાવાર્થ-જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં, અને ધન તથા ધાન્યમાં લોભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા ધાતુ ક્ષય અર્થમાં હોવાથી સવ ધમ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણ હોય તે દીન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (રંક) પુરૂષને વિષે હિતશિક્ષા અને યોગ્ય અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાયોગ ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય પ્રતિપત્તિ (ગરવ) કરનાર હોય તે પુરૂષ ધર્મના અધિકારી થાય છે. આચિયતાને માટે કહ્યું છે કે – औचित्यमेकमेकत्र, गुणानां कोटिरकतः । विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥२॥ શબ્દાર્થ_એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણેની કેટી હેય તોપણ ઉચિતતાથી રહિત એ ગુણેને સમૂહ વિષરૂપ ગણાય છે. ૨ વળી કહ્યું છે કે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રાદ્ધગુણ વિવરણ. અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરૂષને શું નથી કરતે? તે ઉચિતરૂપ ચિંતામણિ અપરિચિત લેમાં પણ એકદમ આદેયપણાને વિસ્તારે છે. ખરાબ આચરણવાળા અને નાશ કરવાને ઉદ્દત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે. તેથી આ લેકમાં તથા પરકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વ વિરતિ ગ્રહણ કરનાર મુનિઓ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પિતાના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવાને માટે અને કર્મોને નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરૂષે હમેશાં સંવિભાગ કરવો જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે “જ્યાં સાધુઓનું ભાગમન હય, જ્યાં જિનેશ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદગ્ધ-ડાહ્યા સાધમિક વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે”પ્રથમ પ્રાતઃકાલે જયાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણ પીવું કપે નહીં. મશ્વાહ કાળે બીજીવાર મધ્યાન્હ પણ દેવગુરૂને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાલે પણ તેમને વંદન કરી શયન કરવું જોઈએ. ભજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે. એમ જાણી, ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિપતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળો અને મહાન સંવેગથી પુલકિત ( વિકસ્વર) શરીરવાળે શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે:-“પોતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે છતે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દોષ રહિત દાન આપ્યું નથી, તે પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય?”નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલ અને શ્રદ્ધાથી વિકસ્વર થએલા રેમ રૂપે કંચુકને ધારણ કરતે શ્રમણોપાસક કર્મોને નાશ કરવામાં હેતુરૂપ દાન અવ શ્ય સુપાત્રરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં ૧ણ વેલા વિધિ વડે મેક્ષનું કારણ ભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરેએ કોઈ ઠેકાણે નિદ્ધ ક્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે. અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયેગ કરે તે છે. તેમા અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહ્ય, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગ રૂપ ઘમ થાય તે શું પ્રાપ્ત થયું નથી ? દેવ ગુરૂને સંવિભાગ કરી દુઃખી પુરૂષે તથા બંધુવર્ગને આપી જે ભેગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે – Page #188 -------------------------------------------------------------------------- ________________ એકે નવિચ મુણ વર્ણન. ૧૪૯ अत्न्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गायच, प्राप्ताय प्रविनागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातसधर्मचारिजिरवं साधं च काले यथा । नुञ्जोतेति सुन्नोजनं गृहवतां पुण्यं जनै षितं ॥३॥ શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત નિવેદ ધરાવી પછી પ્રાપ્ત થએલા સાધુવર્ગને વિધિ પૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સધમીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભેજન કરે એ ગુસ્થાને પવિત્ર ભેજન છે, એમ જિનેશ્વરેએ કથેલું છે. આ અતિથિદાન શેડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણું ફળને આપનારું થાય છે, તે વિષે એક દષ્ટાંન્ત આ પ્રમાણે છે. કઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળ સુધન નામે શેઠ હતો તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પિતાના સ્વામિના સમાન સ્વભાવવાળી હતી. એક વખતે કે જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમાણે ધમ દેશના સાંભળી. દેવની ભક્તિથી, ગુરૂની ઉપાસનાથી, સર્વ પ્રાણઓ ઉપર અનુકંપા કરવાથી, સત્ પુરૂષોની સંગતિથી, અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લેકે, મનુષ્ય જન્મનું ફળ ગ્રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષ્મીનું આભૂષણ છે. વિરતિ (પરચ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીરનું આભૂષણ છે અને કેવળ સત્ય જ બેલવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરૂષે છે. પુરૂષનું આભૂષણ અતિઉત્તમ લક્ષમી છે. લક્ષ્મીનું આભૂષણ દાન છે. અને દાનનું આભૂષણ સુપાત્ર છે, તેમાં સર્વ દાનમાં અનુદાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે કે- તીર્થકર જેવા લોકેત્તર પુરૂષે પણ અન્ન દાતાના હાથની નીચે પોતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણા ફળવાળું થાય છે. તેને માટે અન્યદર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત્ અન્નથી ધારણ કરાએલું છે.”ઈતિહાસ પુરાણમાં પણ કહેવું છે કે-“હે, પુરૂષ શ્રેણ–રાજનું સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરૂએ અન્નદાતા પુરૂષને પ્રાણદાતા કહે છે”પુરૂષ શ્રેષ્ટ વૈવસ્વત નામે રાજાએ સ્વર્ગ લોકમાંથી ચવતા એવા તે કેસરિધ્વજ રાજાને કરૂણાથી કાં કે, “હે રાજન? કમ ભમિમાં જઈ છે ત્યારે બીજી વાર સર્મમાં આવવાની ઈચ્છ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાદ્ધગુણ વિવરણુ. હોય તે તું અન્ન આપજે. અન્ન આપજે, અન્ન આપજે.” એમ પદ્મપુરાણમાં કહેલુ છે, ત્યાં તે સુધન શ્રેષ્ઠીએ મુનિનીપાસે શ્રાવકનાંખાર ત્રતાના અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઈત્યાદિ અભિગ્રહા ગ્રહણ કર્યાં, પછી ઘેર આવીને પેાતાની ભાર્યાને પાતે ધર્મ અંગીકાર કર્યાંનુ જણાવ્યું. એવી રીતે બન્ને સ્ત્રી પુરૂષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકર્મના ઉદયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઇ ગયુ અને પોતે નિર્ધન થઈ ગયા. આ અરસામાં સુધનને તેની ભાર્યોએ પ્રેરણા કરી કે મ્હારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરા, પર`તુ શ્રેષ્ઠી લેાકાની ઉપહાસ્ય અને લજ્જા વિગેરેના કારણેાથી પેાતાના સસરાના ઘેર જવાને ઇચ્છતા નથી તેપણ હમેશાં ભાર્યાંની પ્રેરણાથી ઉદ્વેગ પામેલા સસરાના ઘર તરફ જવા નિકળ્યા. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લિધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયા, ખીજે દિવસે એ પાહાર સુધી વિલંબ કરી ત્રિજા પાહારે એક મહીનાના ઉપવાસી સાધુને સાથવા વેહારાવી તેણે પારણું કર્યું; ત્રિજે દિવસે વળી ઉપવાસ કર્યાં અને ચાથા દિવસે સસરાના ઘેર આવી પહોં ચા. સસરા વિગેરેએ તેના સત્કાર કર્યાં, પરંતુ કાંઇ પણ દ્રવ્ય આપ્યું નહીં કારણકે નિર્ધનતાને લઇ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછુ મળવાની આશાના અભાવથી ફ્રાઇપણુ આદર કરતું નથી. કહ્યું છે કેઃ— धनमर्जय काकुस्थ धनमूलमिदंजगत् । अन्तरंनैवपश्यामि, निर्धनस्य मृतस्य च ॥ ४ ॥ શબ્દાર્થ:-હે કાકુસ્થ, તુ દ્રવ્યને ઉપાર્જન કર. આ જગનું મૂળદ્રવ્ય છે. કારણ કે નિર્ધન પુરૂષ અને મૃત્યુ પામેલા પુરૂષમાં હું કાંઇ પણ તાવત જોતા નથી. ૪. ભાવાર્થ :—“જાતિ, વિદ્યા અને રૂપ એત્રણે પણ ગુહાના વિવરમાં પડા અને એક દ્રવ્યને જ વધારો. કારણકે જેનાથી ગુણે પ્રગટ થાય છે.” પછી નિરાશ થએલા સુધન પાછા વળ્યેા, અનુક્રમે પેાતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યું કે “ મ્હારી ભાર્યાએ મ્હોટા મનાથથી મને માકલ્યા હતા પરંતુ મને ખાલી આવેલા જાણી તેણીને મ્હાટુ દુઃખ થશે.” એવા મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગાળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પોટલુ આંધ્યું, તે પાટલાને ઉપાડી પેાતાને ઘેર આબ્યા, તેની ભાર્યો પણ ગાંસડીના અનુસારે આ મ્હારી સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઇને આવ્યે છે, એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઇ ગઇ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવા પૂવક ભાજન કરવાના અભિગ્રહથી સતુષ્ઠ થએલી શાસનદેવીએ તે સ પાષાણના કાંકરાએને રત્ના બનાવી દીધાં, તેમાંથી એક રત્ન લઇ તેની ભાર્યાએ ભેાજન Page #190 -------------------------------------------------------------------------- ________________ એકાવિ’શ ગુણવણું ન. ૧૫૧ અને વસ્ત્રાદિકની ગોઠવણ કરી, પછી તે રત્નાથી સુધન શેઠ પાછે બીજીવાર પ્રખ્યા ત વેપારી થયા. આ લાકમાં પણ સત્પાત્રના દાનનુ ફળ જોઇ સુધન શેઠ હંમેશાં અતિથિઓના સત્કાર કરવામાં તત્પુર થયેા. તથા સવ વિશિષ્ટ લેક, સ'મત થએલા-માનેલા, પિતામાતા અને સહૈાદર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુઓને વિષે પણ ચાગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય, કહ્યું છે કે—“ પુરૂષે ઘણાં ગુણા પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરૂષ સમ્યક્ પ્રકારે ચોગ્ય આચરણાને જાણતા નથી તે પુરૂષ લેાકમાં શ્લાઘાને પ્રાસ થતા નથી એમ જાણી ચત આચરણા કરો. ઉચિત આચરણથી શું થાય છે? એવી કોઈ શંકા કરે તેને માટે કહ્યું છે કે— “મનુષ્યપણું સર્વને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરૂષો આ લેાકમાં કીત્તિને પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણાનું માહાત્મ્ય જાણા.” તે ઉચિતપણું નવ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છેઃ-~~ तं पुण पिय१ माइ‍ सहोयरेसु३ प इणि४ प्रवच्च ५ सय @મુક્ । गुरुजण नायर० परतिच्चिएसुए पूरिसेण कायव्वं ॥ ५ ॥ શબ્દા—વળી તે ઉચિત આચરણા પિતા, માતા, સહાદર-માંધવ,’ભાર્યા, સં તાન, સ્વજન, ગુરૂજન, નગરલાક અને અન્યદશનીઓને વિષે ધર્માર્થી પુરૂષે ક વી જોઇએ. ॥ ૫ ॥ ભાષા——તેમાં પ્રથમ પિતા સબંધી ઉચિત આચરણા કહે છે. પુત્ર પાતે જ વિનય પૂર્વક પિતાના શરીરની શુશ્રૂષા કિકરની પેઠે કરે તથા પિતાના વાકયને મુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ ધોવા, શરીરનું મન કરવું અને તેમને ઉઠાડવા–બેસાડવા વગેરે કરવા રૂપ અથવા દેશકાળ વિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થે કરવારૂપ સાત્મ્યની ચર્ચાગ્યતાથી ભાજન, શય્યા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તુરી પ્રમુખ શરીરના વિલેપન વિગેરેને સપાદ કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે પર`તુ ખીજાના આગ્રહને લઈ અવજ્ઞાથી અથવા નાકરાથી પિતાની સેવા કરાવે નહીં. આ પ્રમાણે કાચા સંબધી પિતાની ઉચિત આચરણા જાણવી. વચન સંબંધી ઉચિત આચરણા તા પિતાના મુખથી નિકળતા પહેલાં અર્થાત્ ખેલાતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે. પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સંબંધી ઉચિત આચરણા કહે છે. સવ` પ્રકારના પ્રયત્નથી સવ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાદ્ધગુણુ વિવરણું. કાર્યોંની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણ્ણાના નિર્વાહ કરે અને નિયમના સદ્ભાવને પ્રકાશ કરે તથા પિતાને પુછીને કરવા ચેાગ્ય કાર્યાંની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષદ્ધ કરેલા તે કાય કરતા અટકી જાય. કાય માં સ્ખલિત થતાં કઠોર વચના કહેવામાં આવે તે પણ વિનયને લેપ કરે નહીં. વળી તે પિતાને ધમ` સંબધી થએલા મનેરથાને વિશેષપણે પરિપૂર્ણ કરે ઇત્યાદિ પિતાનુ ઉચિત આચરણ જેમ કરવાનુ છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે, તે પિતાને ધમ સંબધી એટલે દેવની પૂજા, ગુરૂની સુશ્રુષા, ધર્મનું શ્રવણ, વિરતિ તથા આવશ્યક-પ્રતિક્રમણને અગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીયાત્રા વિગેરે ધર્મ સંખ'ધી મનેરથાને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લાકમાં હિર્ષણ, મહાપદ્મ વિગેરે ચક્રવર્તીની પેઠે લેકમાં ગુરૂ સમાન પેાતાના માતા પિતાને વિષે ઉચિત આચરણા કરવી તે ઉત્તમ સતાનાનુ કર્તવ્ય છે. કારણ કે અત્યંત દુઃખે કરીને જેમના ઉપકારના બદલા ન આપી શકાય તેવા માતા પિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારના બદલા આપવાને ખો ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવુ છે કે— તિન્દ્ર દુપ્પડિયાર સમળાતો ફત્યાદ્દિ આ વાકયનુ સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખિ આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સખી ઉચિત આચરણ બતાવ્યુ છે, તેવીજ રીતે માતા સંબંધી પણ તે સઘળુ ઉચિત આચરણ જાણી લેવુ'. પરંતુ પિતા કરતાં માતામાં જે વિશેષ કરવાનુ છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત્ માતાની ઇચ્છાનુસાર વત્તન કરે, કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી, એ હેતુથી માતાનું મન કોઇ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વત્તન કરે. હવે સહેાદર સંબધી ઉચિત આચરણ કહે છે. સહેાદરને વિષે ઉચિત આચરણ આ પ્રમાણે છે. પેાતાના સહાદર-ભાઇને પોતાના આત્માને સદશ જીવે અને સ` કાડૅમાં જ્યેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ટ મધુ હોય તે પણ બહુ માન કરે, જુદાઇ દર્શાવે નહીં, યથાર્થ અભિપ્રાયને જણાવે, સહેાદરને યથાર્થ અભિપ્રાય પુચ્છે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સહેાદરથી થોડુ પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણુ વિનીત સહેાદર . સ'ખ'ધી છે. વળી કદાચિત્ સહેાદર ખરાય આચરણવાળા અને જાર પુરૂષા વિગેરેના સ‘સગ્રંથી અવિનીત પણ થાય, આવા કારણથી તે કાય માં જે કરવું જોઇએ તે બતાવે છે. અવિનીત સહેાદરને અનુકુળ વર્તન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલભ અપાવે અને સ્વજન વર્ગો પાસે ખીજાના વ્યપદેશથી શિખામણ અપાવે. પેાતે હૃદયમાં સ્નેહયુક્ત હોય તો પણ તે અવિનીત સહેાદરની ઉપર કુપિત થએલાની પેઠે Page #192 -------------------------------------------------------------------------- ________________ એકેનેવિશ ગુણવર્ણન. ૧૫૩ પિતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે, ત્યારે કપટ રહિત સ્નેહ પૂર્વક તેને બેલાવે. તેની ભાર્યા અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાન દષ્ટિ થાય. ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણને સમાપ્તિ કરી ભાર્યા સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે બ્રાતૃ સંબંધી ઉચિત આચરણ કહી કાંઈક ભાયંસંબંધી ઉચિત આચરણ કહું છું. સ્નેહ સહિત વચનથી સન્માન કરી તેને ણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુશ્રુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણું વિગેરેને ચોગ્યતા પ્રમાણે આપે. અને જ્યાં લેકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાને માંજવાને નિષેધ કરે. રાત્રિમાં ઘરથી બહાર ફરવાને પ્રચાર અટકાવે, ખરાબ શીળવાળા અને પાખંડી લેકેના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાચેમાં જોડી દે અને પિતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “રાજમાર્ગ અથવા બીજાને ઘેર ગમનાગમનાદિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધમ તથા પ્રતિકમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, બહેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થએલી હોય તો અટકાવ કરે નહીં. તથા દાન, સ્વજનને સત્કાર અને રસેઈવિગેરેને પ્રયોગ કરવારૂપ ઘરકામાં સ્ત્રીને અવશ્ય જોડી દે. જે ગૃહકાર્યમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને સ્ત્રી ઉદાસ રહે તે ઘર સંબંધી કાર્યોને બગાડ થાય છે. તથા સ્ત્રીનું અપમાન થાય તેમ બોલાવે નહીં. કેઈ કાર્યમાં ખલાયમાન થાય તે શિક્ષા કરે, કુપિત થઈ હેય તે મનાવે. અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઈ હોય તે તથા ઘર સંબંધી ગુપ્ત વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં.” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધર્મમાં તત્પર રહેનારી અને સમાન ધમવાળી એવી સ્વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સારા કુળની સ્ત્રીઓને હીનકુળની સ્ત્રીઓ સાથે સંસર્ગ થવે તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચિત આચરણ સેવનાર ધર્માર્થ પુરૂષે સારા કુળમાં ઉત્પન્ન થએલી, એક ગુરૂએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધમવાળી અને બંધુઓની સ્ત્રીઓની સાથે પોતાની ભાર્યાની પ્રીતિ કરાવે. વળી રેગાદિકમાં તેની ઉપેક્ષા કરે નહીં, અને તેણીના ધમકાને વિષે પિતે સારી રીતે સાહા કરવાવાળો થાય. ઈત્યાદિક પ્રાચે કરી પુરૂષનું ભાર્યા સંબંધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સંબંધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરે. જ્યારે બુદ્વિને ગુણ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ બનાવે. તેમજ હમેશાં દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર અને સ્વજન' વર્ગની સાથે પરિચય કરાવે. અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્તમ પુરૂષની સાથે મૈત્રીભાવ કરાવે. આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ગુરૂએ એટલે ધર્માચાર્યો, યથાર્થ સ્વરૂપવાળા દેવ તથા ધર્મો, પ્રિય અને હિતેપદેશ આપનારા મિત્ર, અને પિતરાઈ તથા માતુલ વિગેરેની સાથે પુત્રને પરિચય કરાવે. એવી રીતે પરિચય કરાવે છતે આ હમારા દેવ ગુરૂઓ વિગેરે છે એવા પ્રકારની સારી વાસનાથી વાસિત થાય છે, તેથી પુત્રની સાથે ઉચિત આચરણ કરનાર પિતાએ દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન વિગેરેની સાથે પરિચય કરાવે તે ઉચિત છે. તથા કુલ જાતિ અને વર્તન શુકથી ઉત્તમ એવા લોકોની સાથે પુત્રને મિત્રતા કરાવે.” જે કદિ ઉત્તમ પુરૂની મિત્રતાથી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય તે પણ અનર્થને પરિહાર તે અવશ્ય થાય.” વળી સમાન કુળમાં જન્મેલી રૂપવતી કન્યાની સાથે પાણીગ્રહણ કરાવે, ઘર સંબંધી કાર્યભારમાં નિયુક્ત કરે અને અનુક્રમે ઘરનું સ્વામીપણું અર્પણ કરે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સરખા વંશની શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એગ્ય વયવાળી અને સુંદર શરીરના અવયવવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું હોય તે ચિતમાં રતિ-પ્રીતિ થવાનો સંભવ છે. અને જે વિપરીત ગુણવાળી કન્યાની સાથે સંબંધ કરવામાં આવે તે ગ્રહવાસ વિડંબનારૂપ થાય છે. તેથી એગ્ય કન્યા સાથે પાણિગ્રહણ કરાવવું ઉચિત છે. તથા ખરીદ વેચાણુ, આવક અને ખર્ચના ઉપગ રૂપ લક્ષણવાળા ઘરના બેજાને ઉપાડવાની યેગ્યતાને જાણી તેને ઘરકાર્યમાં નિ. યુક્ત કરે. તેમ કરવાથી હંમેશાં તે કાર્યો કરવાની ચિંતાથી વ્યગ્ર ચિત્તવાળે છેવાથી તથા પિતામાં સ્વાતંત્ર્યપણાના અને ઉન્માદ વિગેરેના અભાવથી તે ગ્યતા પ્રમાણે ખર્ચ વિગેરે કરે છે. પછી અનુક્રમે અહંકાર વિગેરે દેને તિરસ્કાર કરનાર તે પુત્રને ગૃહસ્વામિત્વ અર્પણ કરે. જેથી તે પોતાના સમાન મનુષ્યથી પરાભવને પામે નહીં.” વળી તેના પ્રત્યક્ષમાં તેની પ્રશંસા કરે નહીં. દુવ્યસનથી નાશ થએલાની દુર્દશા કહી સંભળાવે અને આવક અને ખર્ચમાંથી બાકી રહેલા દ્રવ્યને પોતે જ તપાસ કરે. વ્યાખ્યા–“પૂર્વભવમાં કરેલા સુકૃત-પુણ્યના ઉ. દયથી પિતાની સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા તે પુત્રની પ્રશંસા તેના પ્રત્યક્ષમાં કરે નહીં તથા દુવ્યસનથી નાશ થએલાનું નિધનપણું તિરસ્કાર અને તાડના વિગેરે દુર્દશાને અભિપ્રાય પૂર્વક પુત્રને કહી સંભળાવે, જેથી તેવા પ્રકારના દુવ્યસનેમાં પ્રવૃત્ત કરે નહીં. તથા ખરચ અને આવકમાંથી બાકી રહેલા દ્રવ્યને પિતે જ તપાસ રાખે, જેથી પુત્રને આડા માર્ગે જવાને અવકાશ મળે નહિ, તથા પુત્રને રાજાની સભા દેખાડે અને દેશાંતરની અવસ્થાઓને પ્રગટ કરે. ઇત્યાદિ પિતાનું પુત્ર પ્રત્યેનું ઉચિત આચરણ જાણવું.” હવે સ્વજન સંબંધી ઉચિત આચ• રણ કહે છે. “સ્વજન સંબંધી ઉચિત આચરણ એ છે કે, પિતાના ઘરની વૃદ્ધિના Page #194 -------------------------------------------------------------------------- ________________ એકેવિશ ગુણ વર્ણન. ૧૫૫ કાર્યોમાં હમેશાં સ્વજનેનું અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સંબંધી કાર્યમાં પણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા-“પિતા માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા સ્વજનેને પુત્રના જન્મમહત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોમાં ભેજન, વસ્ત્ર અને તાંબૂલાદિક શુભ વસ્તુઓથી સત્કાર કરે. તેમજ પોતાના કુટુંબમાં મરણ થયું હોય તેવા કાર્યોમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોમાં પણ તેમને સાથે રાખી કાર્ય કરે. તથા પિતાને પણ સ્વજનના કષ્ટ તથા મહોત્સવ વિગેરે કાર્યોમાં હંમેશાં તેમની સમીપમાં રહેવું, તેમજ નિધન થઈ ગએલા અને રોગથી આકુળવ્યાકુળ થએલા સ્વજને ઉદ્ધાર કરે. તેમની પુંઠ પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરે નહીં, તેમના શત્રુઓની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હોય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સંબંધી સંસગને ત્યાગ કરે અને ગુરૂ, દેવ તથા ધર્મ સંબંધી કાર્યોમાં તેમની સાથે એક ચિત્તવાળા થવું.” સ્વજન સંબંધી ઉચિત આચરણ સમાપ્ત કરી ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણ કહ્યું. હવે ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ કહીએ છીએ. “ધર્માચાર્યોને ભકિત અને બહમાન પૂર્વક ત્રિકાળ પ્રણામ કરે. તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યો કરે અને તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ શ્રવણ કરે. તેમના આદેશને બહુમાન આપે, મનથી પણ તેમને અવર્ણવાદ ચિંતવે નહિ. તેમનાં અવર્ણવાદ બોલનારને અટકાવે અને હંમેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે, તેમના છિદ્રો જુવે નહિ, તેમના સુખ દુઃખમાં મિત્રની પિઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિરેાધીઓના વિદનને સર્વ પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્મકાર્યમાં ખલિત થતાં ધર્માચાર્યો પ્રેરણા કરે તે તે સર્વ તથતિ કહી માન્ય કરે પ્રમાદથી અલિત થએલા પોતાના ધર્માચાર્યને પણ એકાંતમાં પ્રેરણા કરે. સમયને એગ્ય તેમને ભકિતથી સવ વિનયપચાર કરે. ધમંચાયના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પિતાના હૃદયમાં ધારણ કરે. તે ધર્માચાર્ય દેશાંતરમાં હોય તે પણ તેમના ભાપચારને હમેશાં યાદ કરે. ઈત્યાદિક ધર્માચાર્ય સંબંધી ઉચિત આચરણ જાગવું.” નાગર શબ્દની વ્યુત્પત્તિ પૂર્વક તેનું ઉચિત આચરણ કહે છે. જે નગરમાં પોતે વસતે હેય તેજ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરૂષ વસે છે તે નગરજનેને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે. કેવળ વ્યાપાર વૃત્તિથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળે કહે છે. તે નાગરિકનું ઉચિત આચરણ એ છે કે, “તેમના તરફ હમેશાં એક ચિત્તવાળા સમાન સુખ દુઃખ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાદ્ધગુણ વિવરણ. પપપપ વાળા અને વ્યસન તથા મહેત્સવમાં સમાન સમાગમવાળા થવું. વ્યાખ્યા–“ચિત્તના એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહોત્સવ વિગેરેને વિષે તુલ્ય કિયાવાળા થવું. જે નાગરિકે એક સરખા અભિપ્રાયવાળા ન હોય તે રાજા અને નેકરોથી હમેશાં પરાભવ થવાને સંભવ છે. સામુદાયિ કાર્યમાં પણ રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મસલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય (ચાડીયા) પણું છેડી દેવું. વ્યાખ્યા–“ જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દશન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાઓને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણું સ્વામિવાળો સમુદાય હોય તે અવશ્ય સીદાય છે કહ્યું છે કે – सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिगन्ति, तवृन्दमवसीदति ॥ ६ ॥ શબ્દાર્થ જે સમુદાયમાં સઘળા નાયક હય, સઘળા પિતાને પંડિત માન નારા હેય, અને સઘળા મહત્તાને ઇચ્છનાર હોય તે સમુદાય સીદાય છે. અર્થાત નાશ પામે છે. ૬ વળી આપમ્સ આપસના ગુપ્ત વિચારોને ભેદ કર, ચાડી ખાવી અને કેઈને રૂસવત આપવી વિગેરે કાર્યો કરવાં નહિ. વળી કહ્યું છે કે, જે બે પક્ષમાં તકરાર ઉભી થઈ હોય તે પિતે ત્રાજવાની સમાન મધ્યસ્થ થવું. પરંતુ રૂસવત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉદ્ઘઘન કરવું નહિ. વ્યાખ્યા–“ધન ધાન્ય અને ભૂમિ વિગેરેના સંબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ હોય તે મધ્યસ્થ થવું જોઈએ. પરંતુ સ્વજન સંબંધી રૂસવતને ઉપચાર (ભક્તિ) કરવા વિગેરેથી નીતિમાગને ત્યાગ કરે નહિ. દાન, કર વિગેરે વધારી બળવાન પુરૂષ દુર્બલ પુરૂષને પરાભવ કરે નહિ. અને સ્વ૫ અપરાધમાં ન્યાયની કેટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“સ્વ૯૫ અપરાધ છતાં પણ દંડ અપાવવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે. અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જયારે સમુદાયમાં ફાટફુટ થાય ત્યારે સમુદાયને પરાભવ જ થાય છે. તેથી ઐક્યતા જાળવવા માટે નાગરિકે એ વિચાર પુર:સર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાનો વખત આવે નહિ. કહ્યું છે કે – संहतिः श्रेयसी पुंसां, स्वपळेतु विशेषतः । तुषैरपि परिज्रष्टा, न प्ररोहन्ति तन्दुलाः ॥७॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ એકેવિશ ગુણુ વર્ણન ૧૫૭ શબ્દાર્થ પુરૂષાને એયતારૂપ સમુદાય છે. તેજ કલ્યાણકારી છે. તેમાં પણ પોતાના પક્ષમાં તા સ’ક્રુતિ-વિશેષપણે શ્રેયષ્કર છે. જેમ ત્વચા (ફાતરા ) થી ભ્રષ્ટ થએલા ત’તુલા ( ચાખા ) અંકુરિત થતા નથી, તેવીજ રીતે સદ્ઘતિસમુદાય થી ભ્રષ્ટ થએલા પુરૂષ ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭ ભાવા—વળી પેાતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂષોએ કારણિક પુરૂષાની સાથે દ્રબ્ય સંબંધી વહિવટ કરવા નહિ તેા રવામીની સાથે દ્રવ્યના વહિવટ કેમ થાય ? વ્યાખ્યા— પેાતાના હિતને ઇચ્છનાર પુરૂષોએ લક્ષ્મી ચયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષાની સાથે પણ અ સંબધી-દ્રવ્ય સ’બધી વહિવટ કદિપણ કરવા નહિ. કારણકે તે પુરૂષો દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે. પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાને વખત આવે, ત્યારે પાતાના આવેલા દ્રવ્યની ઉઘરાણી કરાએલા તે પુરૂષો પોતાના તિલના તુષ જેટલા ઉપકારને પ્રગટ કરી તેજ વખતે દાક્ષિણ્યતાના ત્યાગ કરે છે. તેથી નાગર કાએ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સબધી વહિવટ કરતાં વિચાર કરવા. કારણ કે તેમ ની સાથે દ્રવ્ય સબ ંધી વહિવટ કરવામાં લક્ષ્મીના વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાના પ્રસંગ આવી પડે છે, માટે નાગરિકાએ વિચાર કરી તેમની સાથે વન કરવું. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાના પ્રસંગ આવે નહિ. કહ્યુ છે કેઃ— ટ્વિનન્મનઃનામાત્તુ, દૈવજ્ઞીતિ: વહ્રિયઃ । नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् । ८ શબ્દા—બ્રાહ્મણાની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દાક્ષિણ્યતા રાખવી એ ચાર અશુભનાં કારણુ છે. ૮ ભાવા ——વળી પ્રભુની સાથે તેા વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવડદેવડ કરવીજ નહીં. કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછુ મેળવવુ તે દૂર રહ્યું પરંતુ પોતાના જાનમાલને પણ નાશ થવાના વખત આવે છે તેથી નાગારકોએ દ્રવ્ય વ્યવહારમાં વિચાર પુરસ્સર પ્રવત્તન કરવુ જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીથિક સંબધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકોની પરસ્પર ઉચિત આચરણનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું, હવે પરતીથિક પ્રત્યેનુ ઉચિત આચરણ કાંઇક સંક્ષેપથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાદ્ધગુણ વિવરણ. વણુંન કરૂ છું. તેમાં પ્રથમ પરતીથિકાને નામ માત્રથી ઓળખાવે છે. ઐદ્ધ, વૈષ્ણવ અને શેવ એ દરેકના ચાર ચાર ભેદો છે, અને કપિલ મતાવલ`બી તથા કાલમતાવલખી ( વામી ) ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદ છે. હવે ઉપરોકત પરતીથિઓ પ્રત્યેનું કત્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતી પોતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તો તેમનુ ઉચિત કાય કરવું. તેમાં પણ રાજાના પૂજનિકાનું તે વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કોઇ શંકા કરે કે અસયતી એવા પરતીથિઓનું ઉચિત આચરણ શા માટે કરવુ' જોઇએ ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે યદ્યપિ ચિત્તમાં ભકિત ન હેાય, તેમનામાં રહેલા ગુણ્ણાની અંદર પક્ષપાત ન હોય તાપણુ પોતાને ઘેર આવેલા પરતીથિઓનું ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થાના ધર્મ છે. આ વ્યવહાર એક દ નવાળાએજ અનુસરેલા છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સર્વાં દશનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઓના ઉદ્ધાર કરવા અને દુઃખી થએલા પરતી િઆના ઉપર દયા લાવવી એ ધમ સવ મતાવલ'બીઓને સમ્મત છે. વ્યાખ્યા- પુરૂષની અપેક્ષાએ ઘેર આવેલા પરતીથિંઆને મીઠા વચનથી ખેલાવવા, આસન આપવું, આમંત્રણ કરવું અને તેમનુ' કા કરી આપવું, વિગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીના અર્થ સ્પષ્ટ છે. ” હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી ચુકિતથી પિતા અને માતાનું ઉચિત આચરણ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષો જૈનધમના અધિકારી થાય છે. અર્થાત્ સમકિત, દેશવિરતિ અને સર્વ વિરતિરૂપ જૈનધર્મને ચેાગ્ય થાય છે. જે પુરૂષા ઉપર જણાવેલા નવ પ્રકારના લોકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાર્યને વિષે તત્પર થતા નથી, તે પુરૂષો લેાકેાત્તર પુરૂષની તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધમને વિષે કેવી રીતે પ્રવીણ થાય ? તેથી સર્વ ગુણાની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રથમ ધર્મોથી પુરૂષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવુ જોઇએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હાય છે, તે દેખાડે છે. “ જેમ સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી, પવતા પોતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષ કદિપણ ઉચિત આચરણનું ઉલ્લ‘ઘન કરતા નથી,” તેજ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે, જગના ગુરૂ તીથ"કરા પણ ગૃહસ્થાવસ્થામાં પેાતાના માતા પિતાનુ` અભ્યુત્થાનાદિક ઉચિત આચરણ અવશ્ય કરે છે. વ્યાખ્યા—“ જેણે ત્રણ જગના લેાકેાની કાંઈપણ પરવા નથી તેવા, જગદ્ગુરૂતીકરાએ પણ જ્યારે ઉપરોકત રીતિ એ પેાતાના માતા પિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે, ત્યારે બીજા સામાન્ય પુરૂષાએ તે અવશ્ય વિશેષપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરવા જોઈએ. જેથી વિશેષ ધમને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કેઃ Page #198 -------------------------------------------------------------------------- ________________ એકે નવિશગુણ વર્ણન, ૧૫૯ विद्याःसन्ति चतुर्दशापि सकताः खेलंतु तास्ताः कलाः कामं कामितकामकामसुरनिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दण्मध्यमम्बरण तनुतामेकातपत्रां महीम् । नस्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचञ्चून चेत् ॥५॥ શબ્દાર્થ ભલે ચતુદશ વિદ્યાઓ હય, તેને સર્વ કલાઓ ક્રિીડા કરતી હોય, અત્યંત ઇચ્છિત કામનાને પૂરનારી કામધેનું હેય, નિરંતર લમી મંદિરને સેવતી હેય, અને બે ભુજા દંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હેય તેપણ જે પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તે તે પુરૂષ અવશ્ય કી. ત્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ હેટા ફળને માટે થાય છે. તે ઉપર જેમ લેકે માં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે. તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે. પ્રતિષ્ઠાન પુરમાં સાતવાહન–શાલિવાહન નામે રાજા હતે. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવીમાં આવી પડે. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા ભિદત્રની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા મહારે અતિથિ છે, એમ વિચારી ભિદ રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિમાં ઘણી શીત પડતાં ભિદ રાજાને પિતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પોતે ઘરની બાહાર સુતે. રાત્રિમાં તે ભિદત્ર શીતની અતિ પીડાથી મરણ પામે. તે જોઈ તેની ભાર્થી ભિલડી હાથમાં કાતિ ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ રાજાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સોનામહેર આપી ભિલડીને ખુશ કરી પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયો ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને ભિદત્રનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાનો સંભવ છે.” પછી રાજાએ પંડિતેને બોલાવીને પુછયું કે તમે મને દાનનું ફળ પ્રત્યક્ષ બતાવે, નહીંતે માનવયંત્રથી તમારે નાશ કરવામાં આવશે. તે પંડિતે રાજાને પ્રત્યુત્તર આપવાને “અસમર્થ થએલા આપસ આપસમાં વિચાર કરવા લાગ્યા. એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પંડિતમાં મુખ્ય એવા વરથિ નામના પંડિતે સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછયું. સંતુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામે એક વેપારી છે તેને ઘેર એક માસની અંતે પુત્ર ઉત્પન્ન થશે, તે બાલક જન્મતાંની સાથે તેને લાવશે તે વખતે Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. ત્યારે રાજાને સાથે લઈ ત્યાં જવું તે બાલક દાનનું પ્રત્યક્ષ ફળ બતાવશે. તે પછી એક મહીનાની અંતે તે શેઠને ત્યાં પુત્ર થયે, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વર રૂચીને બોલાવ્યું તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયે તે બન્નેની આગળ બાલક બોલ્યા કે “હે મહારાજ? તમે જય પામે.જે ભિદàવનમાં તમને સાથવાનું દાન આપ્યું હતું, તે હું છું અને નવી કેડ સુવર્ણના સ્વામી ધનપતિને હું પુત્ર થયે છું તેથી દાનનું ફળ આ લોકમાં પણ છે.” આ વાતને સાંભળી રાજા વિગેરે ચમકાર પામ્યા અને તે દિવસથી રાજા વિગેરે લોકે દાન આપવામાં તત્પર થયા. તથા દીન અનાથને દુઃખી વિગેરેને વિષે તે દયાથી દાન આપવું જોઈએ તેને માટે કહ્યું છે કે મેક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલોચના કરવાની છે, પરંતુ જે દયા દાન છે તેને કઈ પણ ઠેકાણે તત્ત્વજ્ઞોએ નિષેધ કરેલ નથી. હવે ગ્રંથકર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સદ્દબુદ્ધિ વાળે ગૃહસ્થ પિતાના આત્માને વિષે ગૃહસ્થ ધર્મની ગ્યતાને આરેપણુ કરે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ विंशतितमः गुणवर्णन. નાન હું હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી એગણીશમા ગુણનુ' વિવર્ ણુ સમાપ્ત કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ (મિહું એ યાગ્રહ) ના ત્યાગ કરવારૂપ” વીશમા ગુણના વિવરણના પ્રારભ કરે છે. જે પુરૂષ આગ્રહરહિત હોય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે અને નીતિમાર્ગને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ ખીજાથી મ્હારા પરાભવ થશે એવા પિરણામથી કાર્યના આરભ કરવા તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષાને જ હોય છે. કહ્યું છે કેઃ-દુરાગ્રહ નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આભા કરાવી નીચ લેાકાને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા મચ્છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે. શઠતાને લઇને નીચ પુરૂષોને પણ કોઇક વખતના અભિનિવેશપણાને સભવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહ રહિત હોય તે પુરૂષ ધર્માધિકારી થાય છે. અને આગ્રહવાળા પુરૂષ પ્રાચે કરીને તત્વાદિકના વિચારની માહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પેાતાના અંગીકાર કરેલાને જ પ્રતિપાદન કરે છે. કરાતું અને કરેલુ એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક્ ભાવજ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યુ` છે કેઃ-~~ જેમ અજીથી જવરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અધકાર થાય છે. તેમ નૃશ’સ એટલે આત્માના ગુણના ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ) થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવુ. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળા અભિનિવેશ રૂપી વિષના વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મત્રને પ્રયુક્ત કર્યાં હોય તે પણ સંક્રમણ થતા નથી. જેમ રાવણ અને દુૉંધનને ૨૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રાદ્ધગુણ વિવરણુ. વિષે અનુક્રમે વિભીષણ અને ભીષ્મપિતામહના ઉપદેશો સ`ક્રમણ થયા ન હતા. કહ્યું છે કેઃ~~ आग्रही बत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धिर्यत्र तत्र सुखमेति निवेशम् ॥ १ ॥ શબ્દા – જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાથ માં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ ચુક્તિને લઇ જવા ઇચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની તિ તા જ્યાં ચુક્તિ હેાય ત્યાં પ્રવેશ કરે છે, હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે. અભિ ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષો દુઃખના સ્થાનભૃત નિવેશ ( આગ્રહ ) ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂષો ગૃહસ્થધમને ચેાગ્ય થાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ - - - - एकविंशतितमः गुणवर्णन. હવે માર્ગનુંસારીના પાંત્રીશ ગુણ પૈકી વશમાં ગુણનું વર્ણન પુરૂ 6 કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એકવીશમાં '' ગુણના વિવરણને પ્રારંભ કરે છે. સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા વિનય અને પ્રેમ પૂર્વક પ્રથમ બેલાવવાપણું વિગેરે તથા પિતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધર્મરૂપ ગુણ કહેવાય છે. તે ગુણોને વિખે પક્ષપાત કરનાર હેય. પક્ષપાત એ છે કે ગુણેને વિષે બહુમાન, તે ગુણોની પ્રશંસા અને સહાચ્ય આપવા વિગેરેથી અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણેને પક્ષપાત કરનારા પુરૂષે ખરેખર ફળવાળા પુણ્યરૂપ બીજને સિંચન કરવાથી આ લોક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષ્મણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવ દેશના અધિપતિ સિંહદર રાજાની સાથે યુદ્ધમાં ગુરૂ પાસે જિનેશ્વર શિવાય બીજાને મહારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વાકણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લક્ષ્મણે સિંહદર રાજાને નિગ્રહ કરી વાકણ રાજાને મદદ કરી, કહ્યું છે કે – ना गुणी गुणिनं वेत्ति, गुणो गुणिषु मत्सरी । गुणी च गुणरागी च, विरतः सरतो जनः ॥१॥ ભાવાર્થજે ગુણ વગરનો છે, તે ગુણિ પુરૂષને જાણ નથી, અને જે ગુણ વાન હોય છે, તે બીજા ગુણિ પુરૂષ ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી પોતે ગુણવાન હોય અને બીજાના ગુણની અંદર રોગ કરનાર સરળ મનુષ્ય તે કઈ વિરલે જ હોય છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણું, ભાવાં—હે ભાઇ ! તુ પૂર્ણ લક્ષ્મીવાળા હોય તે પણ ગુણાને વિષે અનાદર કરીશ નહિ. ઘડા સંપૂર્ણ હોય તો પણ ગુણ ( દોરી ) છેદાઇ જવાથી કંપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણાને ધારણ કરનારા પુરૂષ! જ અન્ય પુરૂષાના હૃદયમાં સ્થિર થાય છે ( વાસ કરે છે. ) એ સમગ્ર અને પુષ્પાની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પોની માળાઓ પોતાની અંદર ગુણ ( દોરી ) ને ધારણ કરે છે તેથી તે ખીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમથ થાય છે, તેમજ જે પુરૂષા પેાતાના હૃદયમાં આદાર્યાદિક ગુણાને ધારણ કરે છે, તે પુરૂષો અવશ્ય અન્ય પુરૂષોનાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણિ પુરૂષો તે દૂર રહેા, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણાની અંદર અનુરાગ છે, તેવા પુરૂષો પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સગ્રામમાં શત્રુના સૈનિકાની શ્રેણિઓને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વક્રતાને ધારણ કરે છે, અને જે કઠોર ધનુષ્ય સંગ્રામમાં કનિ ધ્વનિને ફૂંકે છે, તે તેવા પ્રકારના દોષને ભજનાર ધનુષ્યના ગુણ ( પણચ ) ને ગ્રહણને કરતા આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલા ગુણગ્રાહીની સીમારૂપ છે. ગુણુની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનથ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન્ પુરૂષના અન્ય પુરૂષોના સદ્ગુણાને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષો સદ્ધના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર આરેપણુ કરે છે, ૧૬૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ द्वाविंशतितमः गुणवर्णन. વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણ્. નું વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્ચાના ત્યાગ કરવારૂપ” આવીશમા ગુણુના વિવરણને પ્રારભ કરે છે. દેશ અને કાળ એટલે નિષદ્ધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્ચાગમનનો ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થધમને ચાગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરણ કરનાર પુરૂષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે, નિષિદ્ધ કરેલ દેશેા નીચે પ્રમાણે છેઃ— કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેરમાં જવું નહીં. ખરાબ સ્થાનમાં, મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય તેવા સ્થાનમાં, ધાન્યના ફોતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચાતરામાં, રસ્તામાં અને ચાર વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન્ પુરૂષ ગમન કરે નહીં, તથા કુખડાની, ખરાબ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષ્ટી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન દિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને જ્યારે સ શયન કરે ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અન અથવા તો મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “ વખત વગરની ચર્ચા, અશદેશની સાથે ગેષ્ઠી અને મિત્રની સેવા કદિ પણ કરવી નહીં, જીએ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છુટા પડેલા ખાણું માર્યું હતું. તેજ વૃત્તાંતને પ્રતિપાદન કરે છેઃ કેાઇ વનમાં સરેાવરની સમીપમાં મદરરક્ત નામે હુસ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આવ્યા. હસે તેને ખેલાબ્યા કે, તું કાણુ છે ? Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. v ^^^^^ અને આ વનમાં તું કયાંથી આવ્યું છે? એમ હંસના પુછવાથી તે ઘુવડ પક્ષીઓ કહ્યું કે, હું તમારા ગુણોનું શ્રવણ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું, તે પછી હંસ અને ઘુવડની આપસ આપસમાં મૈત્રી થઈ અને તે બન્ને પક્ષીઓ સાથે કીડા કરે છે. એક વખતે હંસની આગળ ઘુવડે કહ્યું કે એક વાર તમારે પણ મહારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હંસની રજા લઈ ઘુવડ પક્ષી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. પછી કોઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગમે ત્યાં ઘણાં સ્થાને માં જે પણ ઘુવડ જોવામાં આવ્યું નહીં, પછી કઈ વૃક્ષની બખેલમાં પેઠેલા ઘુવડને જોયો ત્યારે હંસે કહ્યું કે “હે ભદ્ર? તું બખોલમાંથી બહાર આવ. હું હંસ છું અને તને મળવા માટે આવ્યો છું.” ત્યારે ઘુવડે કહ્યું કે, “હે ભાઈ? દિવસમાં હું બહાર નિકળવાને સમર્થ નથી તેથી તમે અહીં રહો. રાત્રિમાં તમારી સાથે ગણી કરીશ.” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પરસ્પર કુશળ વાર્તાઓ વર્તી ગેછી સમાપ્ત થતાં હંસ ત્યાંજ સુઈ ગયે, તે વખતે તે વનમાં રાત્રિમાં કઈ સાથે પડાવ નાંખીને રહે છે, રાત્રિના પાછલા પહેરે સાર્થને ચાલવાના વખતમાં ઘુવડે ખરાબ સ્વરવાળા શબ્દ કર્યો અને પિતે નદીના વિવરમાં પ્રવેશ કરી ગયે અને હંસને તે ત્યાંજ સુતે મુક્યો. તે પછી તે ઘુવડનઃ. શબ્દને સાંભળી કેયુક્ત થએલા સાથે પતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી બાણથી હંસને મારી નાંખે. .. કારણથીજ અકાળ ચર્ચા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યું છે.-હવે ગ્રંથકાર મહારાજ બાવીશમાં ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ધમને અર્થે પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છનાર અને હમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણ પુરૂષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યાને અવશ્ય ત્યાગ કરે જોઈએ. હS:/ક ૧૯૪S, Page #206 -------------------------------------------------------------------------- ________________ त्रयोविंशतितमःगुणवर्णन. g:-* * N ::: * * : : ર ) : : : : વે માર્ગનુસારીના પાંત્રીશ ગુણપિકી બાવાશમા ગુણનું વ ન પુરૂ કરી કમથી પ્રાપ્ત થયેલ “પિતાના અથવા પરના બળાબળને જાણુવારૂપ ત્રેવીસમા ગુણના વિવરણને BJP MY પ્રારંભ કરે છે. પિતાની અથવા બીજાની શકિતને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેથી કરેલા સામાથ્યને જાતે અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણતે એ પુરૂષ ધર્મને યુગ્ય થાય છે. પિતાના અને બીજાના બેલાબલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળો આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળે આરંભ નિફળ છે. કહ્યું છે કે – स्थाने शमवतां शक्त्या, व्यायामे वृधिरङ्गिनाम् । अयथावनमारंनो, निदानं दयसम्पदः ॥ १ ॥ શબ્દાર્થ –શકિતની યોગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તે ઉપશમવાળા પ્રાણિઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શક્તિનું ઉલ્લંઘન કરી જે આરભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે. ૧ ભાવાર્થ—અનુચિત કાયને આરંભ કરે, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન્ પુરૂષની સાથે સ્પર્ધા કરવી અને સ્ત્રી જનને વિશ્વાસ કરે એ ચારે મૃત્યુ નાં દ્વાર છે. સ્વ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાન પૂવક કાયને આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણાવતી નગરીને અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તેજ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે. લક્ષણાવતી નગરીને વિષે લક્ષણસેન નામે રાજા રાજ્ય કરતા હતા અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તે જ સમયમાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાદ્ધગુણ વિવરણ. વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અને અધિપતિ જયંતચંદ્ર નામે રાજા રાજ્ય કરતું હતું અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેશ્વર વિદ્યાધર નામે મંત્રી હતું. એક વખતે યંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીને કીલે મુશીબતથી લઈ શકાય તેવે છે. અને તે નગરીને રાજા પણ બળવાન છે, એમ એ વાતને ધારણ કરી કાશીના અધીપતિ જયંત પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તેજ કીલે કબજે લેવો. જે હું તે કીટ્ટાને કબજે ન લઈ શકું તે જેટલા દિવસ સુધી હું કીલ્લાની નજીકમાં રહું તેટલા લક્ષ સુવર્ણ દંડમાં ગ્રહણ કરીશ અન્યથા હું પાછો ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળે અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યું. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યા. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકને સંગ્રહ કરેલો નહીં હોવાથી સર્વ વસ્તુઓને સંકોચ થઈ પ. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવર્તે. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રિઓની આગળ કહ્યું કે, “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવ્યું નહીં તે ઘણું બેટું કર્યું. હમણાં કિલ્લે ઘેરાએલે હોવાથી નગરીના લેકે દુઃખી થાય છે. તેથી પ્રાતઃકાળે નગરીથી બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશજ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને કરાવે છે, તેજ રાત્રિને વિષે કુમારદેવ નામના મંત્રિએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાત્ સૈન્યથી યુકત છે અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને હમારે રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શુરવીર છે તો પણ તેવા પ્રકારની સેનાથી યુકત નથી. “શકિતનું ઉલ્લંઘન કરી આરંભ કર છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે ” તેથી હમણાં જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવ. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયો અને તેને નમસ્કાર કરી તેને મેળામાં પત્રિકા મુકી તેની આગળ ઉભે રહ્યા. પછી વિદ્યાધર મંત્રીએ પુછયું કે“તમે કેણ છે? અને શા માટે આવ્યા છે?” તેણે કહ્યું કે “હું લક્ષણસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કાંઈક કહેવાનું છે. પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું. તેથી આ પત્રિકા કહેશે.” પછી વિદ્યાધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઈ વાંચી લીધી તેમાં આ લેક જોવામાં આવ્યું. उपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः। . मूर्त्या यामार्त्तिमाचष्टे, न तां कृपणया गिरा ॥॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ વિશગુણવર્ણન. શબ્દાર્થ–ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરાવવાને આતુર થએલે પુરૂષ ઉભે રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપણ વાણથી કહેતા નથી. ૨ એ શ્લેકના અર્થને વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન પુરૂષ હારી પાસે આવે છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછા ફરે એમ એ ઈચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઈચ્છતો નથી. વળી આ ભાર હારા ઉપરજ આપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કણરૂપ સમુદ્રમાંથી વિસ્તાર કરે જોઈએ. કહ્યું છે કે-જે પુરૂષનો આશ્રય લઈ સર્વ પ્રાણીઓ નિર્ભયતાથી સુઈ રહે છે, તેજ પુરૂષ લેકને વિષે પુરૂષ કહેવાય છે અને તેજ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે. એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે, તમે ભય રાખશે નહીં. તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારું સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે જ નહીં. તેથી તમે પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેને સત્કાર કરી વિદાય કર્યો પછી કુમારદેવ મંત્રી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. વિદ્યાધર મંત્રીએ પણ યંતચંદ્ર પાસે જઈ કહ્યું કે હે રાજેન્દ્ર? આજે આપણા અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પોતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ દંડના સ્થાનમાં આપી ગયે છે. તેથી તેમને અભય આપે. આ૫ પ્રસન્ન થાવ અને આપ પિતાના સ્થાન પ્રત્યે પધારે. તેમને કિલ્લે લેવે મુસીબત ભરેલો છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ જયંતચંદ્ર તત્કાળ રાત્રિને વિષેજ પ્રયાણ કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીને રાજા ખુશી થયે. તેણે પોતાના મંત્રી કુમારદેવને પુછયું કે, જયંતચંદ્ર કેમ ચાલે ગ? મંત્રીએ જવાબ આપે કે તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલો તે પાછો ચાલ્યો ગયો. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયું તે વખતે યંતચંદ્ર મંત્રીને આદેશ કર્યો કે લક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલું દંડ સંબંધી સુવર્ણ યાચકને આપી દે, જેથી મહારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે કુમારદેવ મંત્રીએ એકજ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે કલેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વૃત્તાંતને જાણ જયંતચંદ્ર રાજાએ કહ્યું કે, હે મંત્રી વિદ્યાધર? આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેઓની ઉપર હેટી કૃપા કરી. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વર્ગને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણુસેન રાજાને તથા અઢાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મેકલી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રાદ્ધગુણ વિવરણ આપ્યું; પછી પિતે કાશીમાં ગયે. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણસેન રાજાએ કહ્યું કે, હે મંત્રી ? આ સુવર્ણ શેનું આવ્યું ? કુમારદેવે કહ્યું કે હે દેવ? તમને યંતચંદ્ર રાજાએ દંડ તરીકે ભેટ મેકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયા અને સર્વ લોકોને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથીજ સ્વ અને પરના બળાબળને જાણનાર હોય એમ કહ્યું છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમામ્ પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળ હોવાથી ધમરૂપ કમને માટે અધિકારી થાય છે. ૨૩ કરી) Page #210 -------------------------------------------------------------------------- ________________ , જ છે चतुर्विशगुणवर्णन. * * * * વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પિકી વીશમા ગુણની સમાપ્તિ કરી કમથી પ્રાપ્ત થએલ “વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃધ્ધાની પૂજા કરવારૂપ” એવી શમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે. તથા અનાચારને ત્યાગ કરે અથવા સારી રીતે આચારનું પાલન કરવું, તેને વૃત્ત કહે છે. તે વૃત્તને વિષે રહેનારા હોય તેને વૃત્તસ્થ કહે છે અર્થાત તે વૃત્તમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુને નિશ્ચય કરે તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેઓ વૃદ્ધ-હેટા હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધોની પૂજા કરનાર થવું જોઈએ, કહ્યું છે કે – तप:श्रुतधृतिध्यान-विवेकयमसंय्यमैः । ये वृक्षास्तेऽत्र शस्यन्ते, न पुनः पत्रिताकुरैः ॥१॥ શબ્દા—તપસ્યા, શાસની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અનુવ્રત્ત કે મહાવ્રત રૂ૫યમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધા છે તે આ લોકમાં વૃદ્ધ કહેવાય છે. પરંતુ પળીયાના અંકથી કોઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧ ભાવાર્થ –વૃત્તસ્થ જ્ઞાન વૃધ્ધની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વૃત્તમાં રહેલા જ્ઞાનવંત પુરૂની પૂજા કરવામાં આવી હોય તે કલ્પ વૃક્ષની પેઠે સારા ઉપદેશ રૂપ ફળેથી સફળ છે અર્થાત્ ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કે નિર્દોષ ઉપદેશ, હમેશાં ધમને ધારણ કરનારાઓનું દર્શન અને રીતે વિનય એ સાધુની સેવાનું હોટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે મહાન પુરૂની સેવા-ઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષને સંગ કરવો તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, કોષરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુ પુરૂષ છે, તે મહાન પુરૂ કહેવાય છે. તેમની પૂજા Page #211 -------------------------------------------------------------------------- ________________ •wyfvvvvvvvvvvv૧- ૧૧, ૧૭ર શ્રાદ્ધગુણ વિવરણ. અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમરાજાને શ્રીમદ્ બપ્પભટ આચાર્યથી પાપની નિવૃત્તિ, પોતાના જીવનું સંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી અથવા શ્રી હેમચંદ્રાચાર્યથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તેજ શેઠનું વૃત્તાંત બતાવે છે. શ્રી પત્તન (પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અંદર કપર્દી નામે એક નિર્ધન શ્રાવક રહેતું હતું. તે શ્રાવક દિવસમાં પિતાની આજીવિકાના કાયમાં આકુળ વ્યાકુળ હોવાથી રાત્રિને વિષે પિષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતે અને રાત્રિમાં ત્યાં જ સુઈ રહે તે સંથારાપરષી ભણાવ્યા પછી શ્રી હેમચંદ્રાચાર્યની વિશ્રામણા–ભક્તિ કરતે હતે. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભકિતથી શ્રી હેમચંદ્રાચાર્ય તેના ઉપર સંતુષ્ટ થયા. અને કહ્યું કે ત્યારે નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પિોટલું લઈ ફેરી કરવાથી મહારે નિર્વાહ થાય છે. તે સાંભળી દયાથી આ થએલા ગુરૂ મહારાજે તે કપ શેઠને દpભવનન્ત ઈત્યાદિ ભકતામર સ્તોત્રના અગીયાર મા કાવ્યને આમ્નાય–ગુરૂગમ આપે. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત ભેજન વિગેરે કરવામાં તત્પર થઈ તેને ત્રિકાળ એક આઠ વખત સ્મરણ કરે છે એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રિને વિષે કામધેનુના રૂપથી ચકેશ્વરી દેવીએ પ્રગટ થઈ કહ્યું કે પ્રાતઃકાળે કેરા ઘડાએ તૈયાર કરી રાખવા. તેની અંદર હારું દુધ નાંખવાથી તે ઘડાઓ સુવર્ણના થઈ જશે. બીજે દિવસે સોળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કદી શ્રેષ્ઠીએ કામધેનુને દહી એક ઘડો સ્થાપન કર્યો. પ્રાતઃકાળે સવે ઘડાઓ સુવર્ણથી ભરાઈ ગયા. ત્રીજે દિવસે તેણે રાજા વગેરેને ભજન કરવા માટે આમંત્રણ કર્યું. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાત્રથી રાજા વિગેરેને ભોજન કરાવ્યું પછી ગુરુવર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને લાવ્યા અને તે ઘડાઓ બતાવ્યા, તે જોઈને સર્વેને વિસ્મય થયું. તે પછી તે કપર્દી મહેકી ત્રાદ્ધિવાળે વ્યવહારી–શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઈત્યાદિ, અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદિલિતાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે. સારા વૃત્તમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષે જે કારણથી સદ્દબુદ્ધિને આપનારા થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધર્મને કઈ સિવાય પ્રાપ્ત કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ पंचविंशगुणवर्णन. 1°es: = હા હું માનસારીના પાંત્રીશ ગુણ પિકી ચેવોશમા ગુણની પર સમાપ્તિ કરી અનુકમે પ્રાપ્ત થએલપષ્ય વગરનું પોષણ ફો કરવા રૂપ પચીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે. વ્યવહારથી અવશ્ય ભરણ પોષણ કરવા લાયક એવા માતા-પિતા, ભાર્યા અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે. અને તેમને એગ તથા ક્ષેમ કરવાથી (નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પોષણ કરે તે પિષક કહેવાય છે. તેથી ગૃહસ્થાએ પિષ્ય વર્ગનું પોષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતા પિતાઓનું, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકનું સેંકડે ઉપાય કરીને પણ પિષણ કરવું જોઈએ એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે -- चत्वारि ते तात गृहे वसन्तु, श्रियानिजुष्ठस्य गृहस्थधर्मे । નવા રિકો નિની વ્યવસ્થા, જ્ઞાતિવૃષ્ટ વિષનઃ પુલીન શા શબ્દાર્થ – હે તાત? ગૃહસ્થ ધર્મની અંદર લક્ષ્મીથી સેવાએલા હારા ઘરને વિષે દરિદ્રી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિર્ધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે? ભાવાર્થ –જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારના રહિત પણથી ખરેખર ગૃહસ્થને અપયશ થાય છે અને શુંભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વર્ગનું બરાબર યુકિતથી પિષણ ન કર્યું હોય, તે ચેરી રૂપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થન આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુએ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાદ્ધગુણ વિવરણ. ચંપાપુરીમાં સાગર નામે એક શેડ હતું. તેને ચાર પુત્ર અને તેમની ચાર વહૂઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી. પિતે કુપણ હેવાથી તૃઘણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળે સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતા હતે. જે ઘરનું કેઈપણ માણસ તેની દષ્ટિએ મનહર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે સ્નાન દાન વિગેરે કરે તે તેની સાથે તે અહેનિશ કછ કરતે. વધારે તે શું પણ કેઈ અનાજની કણવૃત્તિ પણ આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠીયાને સઘળો પરિવાર હેરાન થવા લાગે. પછી શેઠના પુત્રની ચારે વહૂઓ જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ભેજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી અને સવ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહૂઓને એક ચેગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ચોગિનીએ તે વહુએને આકાશગામીની વિદ્યા આપી તે પછી પશુને બાંધવાના સ્થાનમાં રહેલા એક હેટા કાષ્ટ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સવ ઠેકાણે કીડા કરી પાછલી રાત્રે આવી તે કાષ્ટને જ્યાં ત્યાં નાંખી સુઈ ગઈ એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દોહવાની ફિકર કરનાર અને કાષ્ટનું જ્યાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નેકરે રાત્રિમાં ગુપ્ત ગતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેના જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે આવતી કાલે હું તપાસ કરીશ કે આ વહઓ ક્યાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સર્વ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરીને બેસી રહે. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાષ્ટ આકાશમાં ચાલ્યું અને અનુકમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડા ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નકર પણ કાષ્ટથી બહાર નીકળી અને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે, તે જોઈ વિસ્મય પામ્યું. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવણ ગ્રહણ કરી તે નકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાષ્ટ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ ક્ષણમાત્રમાં પોતાના સ્થાનમાં આવી કાષ્ટને ત્યાગ કરી પોતપોતાની શય્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલે એક કાળ વ્યતીત થએ છતે તે નેકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતું નથી અને સાગર શેઠની સામું બોલવા લાગ્યું. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે, આ સેવકને કાંઈપણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કેમળ વચનથી એવી રીતે કહ્યું કે જેથી તે નેકરે વહુઓને તમામ વૃત્તાંત પેટમાં નહી જ્યથી પ્રગટ કરી દીધા. પછી આજે હું તપાસ કરીશ ત્યારે કેને કહેવું નહીં, એમ શેઠે નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાષ્ટના પોલાણમાં રહ્યા. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પિલાણમાંથી Page #214 -------------------------------------------------------------------------- ________________ પ’ચમત’શગુણુવ ન. ૧૭૫ મે ખાહાર નીકળ્યા, ત્યાં તેણે સ` ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લાભાકુળ શ્રેષ્ઠીએ તે કાષ્ટના પાલાણને સુવર્ણ થી ભર્યું અને પોતે સંકોચ કરી પેાલાણમાં રહ્યા. શેઠે કેટલુ’એક સુવર્ણ પેાતાના ખોળામાં ગ્રહણ કર્યું. એ વહુએ કાષ્ઠ ઉપર બેસે છે અને એ વહુએ વહન કરે છે એવી વ્યવસ્થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે. આજે તે પાછી આવતી વહુઓમાંથી વહન કરવાવાળી વહુઓને ઘણા ભાર લાચે. જેવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઇ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ટના ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાં ભળી કાષ્ટના પાલાણમાં રહેલે શેઠ બેલ્યા કે હે વહુઆ ? હું કાષ્ટની અંદર છુ તેથી આ કાષ્ટના ત્યાગ કરશેા નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ એલી કે આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘા, એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફૂંકી દીધો. પછી વહુએ પાતાને ઘેર પાછી આવી અને સુખી થઇ. એવી રીતે પાષ્ય વર્ગનુ પાષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થાને પરિવાર પેાતાના થતા નથી અને ધની ચેાગ્યતા પણ થતી નથી, પાષ્ય વ તુ પાષણ કરવાથી ગૃહસ્થાના પરિવાર સુખી થાય છે તેમને સુખ થવાથી ધર્મકાર્યાં સુસાધ્ય થાય છે. પોષ્ય વર્ગના પાષણના વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે. નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ જ પોષણ કરવા લાયક છે. કહ્યું છે કેઃ— જગતના નાથ-તીર્થંકર સદ્દગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ પોષણ કરવાં, ખીજાતુ પાષણ કરવાથી શુ પ્રયાજન છે ? ઉત્કૃષ્ટા નિશ્ચયથી તા પોતાના આત્મા જ પાષણ કરવા લાયક છે. કારણ કે તેનું પોષણ કરવામાં ન આવે તેા ખીજાતુ પાષણ કરવુ તે પાષણ જ નથી. કહ્યુ છે કેઃ— परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् । आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मैस्यात्कथं दितः ॥ १ ॥ ભાવા —પરલેાક સંબંધી વિરૂદ્ધ કાર્યા કરનારના વેગળેથી જ ત્યાગ કરવા અને જે પેાતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરૂષ બીજાના હિતને માટે કેવી રીતે થાય ! હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ મતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે પુરૂષ પાથ્યજનાનુ પોષણ કરે તે પ્રશંસા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઇ સારા ધરૂપ કમને ચાગ્ય થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ '> ) षडूविंशगुणवर्णन. વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી પચીસમા ગુણનો સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અનર્થાર્દિકના વિચાર કરવારૂપ” છવોસમા ગુણુના વિવર ણુના પ્રારભ કરે છે. લાંબા કાળે થનાર હાવાથી દ્વીધ એવા અ કે અનને જોનાર અર્થાત્ પર્યાલાચન કરવાના સ્વભાવવાળા દીદી કહેવાય છે. કહ્યુ છે કેઃ व दोहदंसी, सयलं परिणामसुंदरं करूं । बहुलाभमप्प केलं, सलाद णिजं बहुजणाणं ॥ १ ॥ શબ્દા..દીદી પુરૂષ પરિણામે સુંદર, ઘણા લાભ અને અલ્પ કલેશવાળું તથા ઘણા લોકોને પ્રશંસા કરવા લાયક એવા સવ કાના આરંભ કરે છે. જેમકે ધન શ્રેણી, તેની કથા આ પ્રમાણે છે. વસતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઇ, વ્હેન વિગેરે ઘણા કુટુ બની સપત્તિવાળા અને મ્હાટી ઋદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતા હતા. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેષ્ઠીના ઘરની નજીકમાં એક દેવનુ મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરૈના સમૂહથી યુક્ત એવા ગધા પ્રાતઃકાળે અને સાયકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા, તે સાંભળવાના રસથી પરાધીન હૃદયવાળા ધન શ્રેષ્ઠીના મહિલાદિ વર્ગ ઘરના ધંધાના ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તા શરમયુક્ત હાવાથી અપેક્ષા પૂર્વક સાંભળતે હતા, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયા. તેમનુ તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેષિએ વિચાર કર્યો કે આ સારૂં થતુ નથી. કહ્યું છે કેઃ चवला मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेइ । दीवयसिदव्व महिला बद्धप्पसरा भयंदे ॥ २ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ પડ્યે શિત ગુણ વર્ણ ન ૧૭૭ -- રાજ્જા ૯ ચપલ, મલીન સ્વભાવવાળી અને સ્નેહથી પરિપૂર્ણ ભરેલી હાય તેપણ સ્વછંદ્ર વત્તન કરનારી શ્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે ારા ” તેથી જ્યાંસુધી ચદ્રમા જેવા મ્હારા નિર્માંળકુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનાથી સમજાવવા રૂપ સામે ઉપાયથીજ મ્હારા કુટુંબને અટકાવું એમ વિચાર કરી ધનશ્રેષ્ટિએ પાતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યુ અને તેમાં ધનદ યક્ષની મૂત્તિ સ્થાપન કરી. જે વખતે તે ગધાઁ રાજાના મંદિરમાં ગાનાદિકના અભ્યાસ કરે છે તેજ વખતે તે શ્રેષ્ઠિ યક્ષની આગળ મૃદંગ, વાંશની આદિ વાજિંત્રના શબ્દમય કરાવવા લાગ્યા. આથી ગંધ વિગેરેના ગીત નૃત્યાદ્રિકમાં વ્યાઘાત થવા લાગ્યા. તેથી કાઇ કાંઇ પણ સાંભળી શકતા નથી એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધવોં રાજા પાસે ગયા અને જણાવ્યું કે હે દેવ ! ધનશ્રેણી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેષ્ઠિને એલાવી કહ્યું કે હું શેઠ ! શા માટે તેને અડચણ થાય તેમ વા છે ? ધનશ્રેષ્ટિએ જણાવ્યું કે હે દેવ ? શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે સંસાર અસાર છે, ચાવન ચપળ છે, લક્ષ્મી નાશવંત છે, પ્રિયના સમાગમ સ્વપ્ન સરખા છે, પાપના પરિણામ દુ:સહુ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલેાકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાના અવસર પ્રાપ્ત થયા છે. તેને માટે કહ્યું છે કે— " जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइकं । पुरिसस्स महिलियाए इक्कं धम्मं पमुत्तूणम् ॥३॥ " શબ્દાર્થ “ પુરૂષ અને સ્ત્રીના યાવન અવસ્થાનુ ઉલ્લંઘન થયા પછી એક ધર્મ કાર્ય શિવાય ( અવસ્થાઅનુચિત ) જે કાર્ય કરવામાં આવે છે, તે શાભતાં નથી પ્રા આ હેતુથી હે રાજન ? મ્હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મદ્વિર મંધાવ્યું અને તે મંદિરમાં મારા ઇષ્ટદેવની પૂજા વખતે અનતાલને આપનારી નાદ પૂજા ( સંગીત પૂજા ) કરાવું છું, શ્રેષ્ઠિનાં આવાં વચન સાંભળી રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી જો તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તેા તમારે વનવાસ કરવા યોગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મ કરી શકાય ? તે માટે કહ્યું છે કે~-~ ૨૩ पुत्तनियलाई जंमि य आसपिसाई विनिच्छयं छलइ । तत्थ य धण ? गिवासे सुमिणेवि न जाउ धम्मगुणो ॥ ४ ॥ '' Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ “જ્યાં પુત્રકલત્રાનિ (વાસ છે) ત્યાં આશા રૂપ પિશાચની અવશ્ય છલે છે. તે તેવા ગૃહથાવાસમાં હે ધનશ્રેષ્ટિને સ્વપ્નમાં પણ કદી ધર્મ થત નથી. ૪' આ સાંભળી ધનશ્રેષિએ કહ્યું કે હે રાજન્ ? આપનું કહેવું સત્ય છે, પરંતુ લોક કહે છે કે “ गृहाश्रम समो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीबाः पाषण्डमाश्रिताः॥५॥" શબ્દાર્થ—ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયું નથી. અને થવાનું નથી. શરા પુરૂપ તેને પાળે છે. અને કાયર પુરૂષ પાખડનો આશ્રય લે છે. ૫ ” પછી રાજાએ કહ્યું કે, હે ઉત્તમ વણિક? ગૃહસ્થાશ્રમ સંબંધી દાનાદિક ધર્મ ગુરૂઓના ઉપદેશથી જાણવામાં આવે છે તેથી તે ( વાનપ્રસ્થ ) આશ્રમની તમે અવગણના ન કરે” ધન શ્રેષ્ટિએ કહ્યું કે હે રાજન ? લેકવાક્ય તે આ પ્રમાણે છે-જે બ્રાહ્મણ કહે તે કરવું જે કરે તે ન કરવું.” ઈત્યાદિ પ્રત્યુત્તર આપવામાં તત્પર એવા શ્રેષ્ઠિને રાજાએ કહ્યું કે-“હે વિશેષજ્ઞ ? આવી રીતે વચનના વિસ્તાર કરવાથી શું ફળ છે ? આ બાબતમાં જે પરમાર્થ હોય તે નિવેદન કરે તે પછી હાથ જોડી ધનશ્રેષ્ટિએ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રજાવત્સલ! અમે તમારી છત્ર છાયામાં વસીએ છીએ, મહારૂં કુળ નિર્મળ છે, કુળને કલંક ન આવે તેવી વૃત્તિથી આટલો વખત નિર્ગમા છે, મ્હારા ઘરમાં સ્ત્રીઓ ઘણું છે.-- " चवलाइं इंदियाइं वियार बहुलं च जुव्वणं देव ! । सच्छन्द गई कामो अविवेओ फुरइ पाणीणम् ॥६' " શબ્દાર્થ––“હે રાજન ઈતિએ ચપલ છે, વન ઘણા વિકારવાળું છે, કામદેવ સ્વતંત્ર ગતિ કરનાર છે. પ્રાણીઓને અવિવેક સ્કુરિ રહે છે. દા તેથી હે મહારાજ ! આ ગંધના ગીત, વિનેદ અને હાશ્યાદિક અઘટિત ચેષ્ટાઓ વિગેરેને જેવાથી હારે પરિવાર સ્વચ્છેદ થઈ વિનાશ ન પામે, એ હેતુથી દેવમંદિર કરાવવા રૂપ અનાગત ( સ્વચ્છેદ થતા પહેલાં) ઉપાય ચે છે. કહ્યું છે કે-ઘર સળગે ત્યારે કુવો ખોદવે, સંગ્રામ જાગે ત્યારે ઘડાને શિક્ષણ આપવું અને નદીમાં પુર આવે ત્યારે પાળ બાંધવી જેમ સહેલાઈથી થતું નથી, તેમ પરિવારનો નાશ થયા પછી સુધારે સહેલાઈથી થઈ શક નથી. તે પછી રાજાએ સભા સમક્ષ ધનશ્રેષિને કહ્યું કે હે શ્રેષ્ઠિ મુખ્ય! તમારી બુદ્ધિની નિપુણતા શ્રેષ્ઠ છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ પવિંશતિ ગુણ વર્ણન. ૧૭૯ સદુપાયને પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશીપણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂં છે. ઇત્યાદિ પ્રશંસા પૂર્વક રાજાએ શ્રેષ્ટિને મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એજ ગુણ વડે જૈનધર્મ પામી સુખી થયા. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે– सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।। स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥ શબ્દાર્થ –જે પુરૂષ ધન શ્રેષ્ટિની પિઠ સર્વ કાર્યોમાં દીર્ઘદશ હોય તે પુરૂષ ભાગ્યથી નિર્દોષ ધર્મકાર્યમાં યોગ્ય થાય છે .ગા | નિ પર્વિરિત પુનઃ | Page #219 -------------------------------------------------------------------------- ________________ सप्तविंशगुणविवरण. કમાવાલા TE: : A વે માગનુસારીના પાંવિશ ગુણ પૈકી છવીસમા ગુણનું વિવરણ પુરૂ કરી કમથી પ્રાપ્ત થએલ “વિશેષ જાણવા : ] રૂપ” સતાવીમાં ગુણુને પ્રારંભ કરે છે. વિપજ્ઞ–એટલે વસ્તુ તથા અગસ્તના, કાર્ય અને અકાર્યના, પિતાના અથવા પરના વિશેષને અર્થત આંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરુષ વિશેષજ્ઞ નથી તે પુરૂષ ખરેખર પથી વધી જતા નથી. અથવા તો બીજી રીતે પોતાના આત્માનેજ ગુણ દેષથી ઉપર ચઢવા રૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યું છે. કે– "प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः વિનુ મેં શુમિતુલ્ય વિતુ તપુરતિશ” શબ્દાર્થ:-- પુરૂષ પોતાનું કર્તવ્ય હમેશાં જોયા કરે કે શું મહારૂં ચરિત્ર પશુના જેવું છે કે પુરૂષના જેવું છે? તે વળી કહ્યું છે કે" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा अगुणेसु य न हु खलिओ कह सो अ करिज्ज अप्पहियं ॥२॥"। શબ્દાર્થ આજે કેટલા ગુણે ઉપાર્જન કર્યા એવી સંકળના જે પુરૂષ હમેશાં કરતો નથી. અને અવગુણો મેળવવામાં ઉઘુકત હોય છે, તે પુરૂષ પોતાનું આત્મહિત કેવી રીતે કરી શકે ? ૨ ” વળી કહ્યું છે કે – " वत्थूणं गुणदोसे लक्खेइ अपक्खवायभावेण । पाएण विसेसन्नू उत्तम धम्मारिहो तेण ॥३॥" Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સવિશતિ ગુણ વર્ણન શબ્દાર્થ–પક્ષપાત શિવાય વસ્તુના ગુરુષોને જે ઓળખે છે, તે પ્રાય કરી વિશેષજ્ઞ કહેવાય છે. અને તેથી તે ઉત્તમ ધમને એગ્ય થાય છે. મા તે વિષે ખાઇના પાણીને સુગધીવાળું કરનાર સુબુદ્ધિ માંત્રિનું દષ્ટાંત છે તે આ પ્રમાણે ચંપાનગરીમાં જિતશત્રુનામે રાજા છે. તેને સારી રીતે જિનમતને જાણ સુબુદ્ધિ નામે મંત્રિ છે. એક વખત રાજાએ રયુક્ત સુંદર રસેઈ કરાવી ઘણું સામંત અને મંત્રિની સાથે રાજાએ ભેજન કર્યું. આ રસમાં આસકત થયેલ રાજા અને સામંત વિગેરેએ પણ અહો ? રસ અહે? ગંધ ઈત્યાદિ બોલી રઇની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મંત્રિત મન રહે તેથી રાજાએ પુછયું કેહે મંત્રિન ! તમે કેમ પ્રશંસા કરતા નથી ? મંત્રિએ જવાબ આપે કે હે રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનેજ્ઞ અને અમનેજ્ઞ પદાર્થોમાં મને વિસ્મય થતો નથી. કેમકે સુંગંધીવાળા પુદગલ દુર્ગધયુક્ત અને રસયુકત પુદગલો પણ રસ વિનાનાં થઈ જાય છે. તેથી નિંદા કે પ્રશંસા કરવી યુક્ત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કઇ દિવસે રાજપાટિકામાં જતાં માર્ગમાં ઘણા નિર્જીવ કલેવરેથી દુર્ગધવાળું, ખરાબ વર્ણવાળું, મલીન અને સૂર્યના તાપથી ઉકળેલું ખાઈનું પાણી જોઈ રાજાએ વસ્ત્રથી નાશિકા ઢાંકી બોલે કે અહે? આ જળ કેવું દુર્ગધયુક્ત અને બિભત્સ છે? સુબુદ્ધિએ કહ્યું કે હે રાજન ? તમે આ જળની નિંદા ન કરે. કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ઠ પદાર્થપણે અને શ્રેષ્ઠ પદાર્થો ખરાબ પદાર્થપણે પરિણમે છે. તેથી મહાન પુરૂષને જુગુપ્સા કરવી - ગ્ય નથી. પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મંત્રિએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુપ્ત રીતે પોતાના પ્રમાણેક પુરૂ પાસે વસ્ત્રથી ગળેલું તે ખાઈનું પાશું મંગાવ્યું અને પોતાના ઘરમાં લાવી, કોરા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતફળના ચૂર્ણ વિગેરેથી નિર્મળ બનાવ્યું. વળી તેને બીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દિવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઈ ગયું. પછી તે જળને સુગંધી દ્રવ્યોથી વાસિત કરી રાજાના રસોઇયાઓને આપ્યું. ભેજન વખતે તેઓએ રાજા પાસે મૂક્યું. તે જળનો લકેત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણોને પ્રાપ્ત કરી ખુશી થયેલે રાજા રઈયાઓને કહે છે કે આ જળ ક્યાંથી પ્રાપ્ત થયું ? તેઓએ જવાબ આપે કે અમને મંત્રિએ આપ્યું છે. રાજાએ મંત્રિને પુછયું. મંત્રિએ કહ્યું કે હે રાજન ? જે તમે મને અભયદાન આપે, તો હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મંત્રિએ તેને યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યો, પણ રાજા શ્રદ્ધા કરતો નથી. તેથી મંત્રિએ પૂર્વોક્ત વિધિએ ખાઈનું જળ મંગાવી તેવીજ રીતે તે જળને જળ રત્ન જેવું કરી બતાવ્યું. તે જોઈ વિસ્મય થએલા રાજાએ મંત્રિને પુછયું તમે આ કેવી રીતે જાણું ? મંત્રિએ જવાબ આપે કે “પુદગલેને પરિણામ” Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાદ્ધગુણ વિવરણ. થયા કરે છે ઈત્યાદિ ગુરૂના વચનથી, તે પછી રાજા પણ સંપૂર્ણ પદાર્થોના અંતરની અભિલાષા કરતો ગુરૂની સેવામાં તત્પર એવો શ્રાવક થયે. અનુકમે તે બન્ને દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયા. કહ્યું છે કે, સુબુદ્ધિના વચનથી પાણીના દ્રષ્ટાંત વડે જિતશત્રુ રાજા પ્રતિબંધ પામ્યો અને અગીયાર અંગને ધારણ કરનારા તે બન્ને શ્રમણ સિંહ સિદ્ધ થયા. અથવા આત્માના ગમન અને આગમનાદિકને જાણવારૂપ લક્ષણને વિશેષ કહે છે. કહ્યું છે કે – " इहोपपत्तिर्मम केन कर्मणा, कुतः प्रयातव्यमिता भवादिति। विचारणा यस्य न जायते हृदि,कथं स धर्मप्रवणो भविष्यति॥४॥' શબ્દાર્થ –ક્યા કર્મના ઉદયથી આ ઠેકાણે હારી ઉત્પત્તિ થઈ છે અને આ ભવથી મહારે ક્યાં જવાનું છે એવી સમાલોચના જે પુરૂષના અંત:કરણમાં થતી નથી તે ધર્મમાં તત્પર કેવી રીતે થઈ શકે ? ” અથવા તે સમયને ઉચિત જે અંગીકાર કરવારૂપ હોય, તેને વિશેષ કહે છે. જેમ કે જે કાળે જે પદાર્થ ત્યાગ કરવાને અથવા ગ્રહણ કરવાને લાયક હોય, તે પદાર્થનું નિપુણ વૃત્તિથી વિચાર કરી ગ્રહણ કરવું જોઈએ. આ કર્તવ્ય નિપુણનું લક્ષણ હોવાથી અને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરાવવામાં હેતુ હોવાથીજ લેકમાં કહેવાય " यः काकणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्त्रतुल्याम्। कालेन काटिष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः॥५॥ શબ્દાર્થ ––ખરાબ માર્ગમાં પ્રાપ્ત થએલી એક કેડીને પણ જે પુરૂષ હજાર સોનામહેર ગણી ગણના કરે છે, પરંતુ અવસર આવે કટિદ્રવ્ય ખરચવામાં પણ હાથ ખુલે મુકે છે, તેવા પુરૂષના સંબંધને લક્ષમી ત્યાગ કરતી નથી. પા. આ ઠેકાણે વહુની જઠરા સંબંધી પીડાને દૂર કરનાર મોતી અને પ્રવાળના ચૂર્ણને રેટલ કરનાર શ્રેષ્ટિનું દ્રષ્ટાંત છે તે બીજા ગ્રંથથી જાણી લેવું. અથવા સર્વ ઠેકાણે આ લેક અને પરલેક સંબંધી હિતને અનુસરનાર એવા વ્યાપાર તથા ધર્મ વિગેરેના વિધાનમાં વિદ્યમાન ફળના ઉદેશને જે નિર્દોષ એવો ઉત્તરોત્તર નિશ્ચય તેને વિશેષ કહે છે. અને તેને જે જાણે તે વિશેષજ્ઞ કહેવાય છે. એવા પ્રકારના ગુણયુક્ત પુરૂષની દરેક ક્રિયાઓ ફળશૂન્ય થતી નથી. જેમ સાગરદત્ત નામના શ્રેષ્ટિની વિશેષજ્ઞપણાને લીધે સર્વ કિયાએ ફળવતી થઈ, તે દ્રષ્ટાંત નીચે મુજબ છે-- Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સવિશતિ ગુણ વર્ણન. તામ્રલિમી નામની નગરીમાં સાગરદત્ત નામને તમામ વિષયમાં ઉડે ઉતરી વિશેષ નિશ્ચય કરનાર એક વણિક વસતે હતો. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હોવાથી પરણવા ઈચ્છતું ન હતું. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતે. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી મૂછિત થએલાને આ મરી ગયું છે, એમ ધારી તે કુલટાએ બહાર ફેંકી દીધે, પરંતુ કોઈ ગોવાલણીએ રહેમ લાવી તેને જીવાડશે. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઈ તાપસ થઈ મરણ પામે અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયો. તે ગોવાલણી પણ લૌકિક ધર્મ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થૂલ ધર્મના નિયમમાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. એક વખત માર્ગમાં તેણીને જોઈ સાગરદત્તની દ્રષ્ટિને કાંઇક આનંદ થયે. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઈ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યા. પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હર્ષને સ્થાન મળ્યું નહીં. તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના બળથી કલ્પી લીધું કે આ મહારે સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કોઈ સ્ત્રીથી કદર્થના પામેલો છે, એ અર્ધ નિશ્ચય થયા બાદ તે વિચક્ષણાએ એક વખત આ ગાથા લખી મેકલાવીदहस्स पायसेणं जुत्तं दाहियंपि किमिह परिहरिउं। तुच्छोदयसंभविणो नहु दुद्धे पूयरा हुँति ॥६॥ શબ્દાર્થ:--દુધથી દાઝેલા મનુષ્યને દહીને ત્યાગ કરે શું યોગ્ય છે? ચેડા જલમાં થનારા પેરાઓ શું દુધમાં હેઈ શકે ? દા તાત્પર્ય કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી. તેથી શું સઘળી તેવીજ છે એમ સંભવ થાય ? નહીં જ ઉપરની ગાથાને ભાવાર્થ ધારણ કરી સાગરદત્તે પણ એક લેક ઉત્તરરૂપે લખી મોકલ્યો-- कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥७॥ શબ્દાર્થ -સ્ત્રી નીચેની સાથે રમણ કરે છે. વર્ષાદિ (જરૂરીઆત શિવાયના) પર્વત ઉપર વધે છે અને ઘણે ભાગે પંડિત પુરૂષ નિધન હોય છે હા તેણુએ ફરીથી એક ગાથા લખી મેકલાવી કે – पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। अणुरपि हु संज्झं किं दिवसयरो न भासेइ ॥८॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાદ્ધગુણ વિવરણ, શબ્દા :સ્વાભાવિક દ્વાષ કર્યાં નથી હોતા? માટે એટલા માત્રથી પરિત્યાગ કરવા ઘટતા નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શુ` સૂર્ય પ્રકાશિત નથી કરતા ડ આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનદ થયા. આ અરસામાં સાગરદત્તના શ્વસુરવર્ગ પાટલીપુત્ર નગરમાં ગયા. સાગરદત્ત પણ વહાણુદ્વારા વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરતાં સાત વખત વહાણેા ભાગ્યાં અને સઘળુ ધન ચાલ્યું ગયું. એ વખત કૂવામાંથી પાણી કાઢનાર પુરૂષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલ જોઇ શુકનગ્રંથી ખાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબલ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને અલે રત્નદ્વીપમાં પ્રાપ્ત કર્યું . આ વખતે તેને સાર વિનાના કરીયાણાના ત્યાગ કરી વહાણને રત્નાથી ભરી લીધું. અને ત્યાંથી પાછા ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નાના લાભથી તેને સમુદ્રમાં ફેંકી દીધા. પ્રથમ ભાંગેલા વહાણુનું પાટીયુ મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવર્ગને મળ્યા. અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળાળ્યા. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથીજ જણાવી દીધી. ભાગ્યયેાગે તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નાના ભેદ સ ંખ્યા અને સ્વામી વિગેરેના પ્રશ્ન થતાં તેમનું સઘળું પાગળ ખુલ્લુ થયું. રાજાએ તે રત્ના સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદત્ત કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયા. ત્યાં તેણે વિચાર કર્યો કે ઉપાર્જન કરેલું દ્રવ્ય કાઇ સારા સ્થાનમાં ન ખરચાય, તે તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળનેજ આપનાર થાય છે. તેને માટે કહ્યુ છે કે:लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी संसर्गादिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा धर्मस्थाननियोजनेन गुणिभिर्ग्राह्यं तदस्याः फलम् ॥९॥ શબ્દાર્થ:--સમુદ્રજળના સંગથીજ જાણે લક્ષ્મીને નીચ પાસે જવાની ટેવ પડી ન હેાય ? કુલિનીના સ’સર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઊત્પન્ન થતી વ્યથાને લઇનેજ જાણે સર્વત્ર અસ્થિર ન હોય ? હલાહલ વિધની પાસે રહેવાથીજ જાણે મનુચેની સમજ શક્તિને લક્ષ્મી નાશ પમાડતો ન હેાય ? તેટલા માટે વિવેકી પુરૂષાએ ધર્મસ્થાનમાં ઉપયોગ કરી લક્ષ્મીને સફ્ળ કરવી જોઇએ કા ત્યારબાદ મ્હોટા દાનની શરૂઆત કરી ક્યા દેવને સ્થાપન કરવા ઇત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પુછ્યું પણ કાઇ સ્થળે એક મત થયા નહીં. તેટલામાં કાઇ પ્રમાણિક માણસે જણાવ્યું કે હે ભદ્ર? દેવતાઓ ભાવથી વશ કરી Page #224 -------------------------------------------------------------------------- ________________ સપ્તવિંશતિગુણ વર્ણન. ૧૮૫ શકાય છે. માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પોતે જ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત પણ ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયે. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપના કરવા માટે કહ્યું. હર્ષ પૂર્વક સાગરદત્તે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાર્શ્વ નાથ સ્વામિની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિને ચેગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કોની છે? મુનિ તરફથી જ્વાબ મળ્યો કે વિતરાગની પ્રતિમા છે. સાગરદત્તે ફરી પૂછ્યું કે તે ક્યાં છે? મુનિઓએ જણાવ્યું કે તે પંડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયે. તે વખતે કેવળજ્ઞાનના પ્રકાશથી સાક્ષાત્ સૂર્ય રૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સમવસરણમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી. તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ દ્વારા ભગવાન જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચચમાં પરાયણ થઈ તેણે વિતરાગને દેવપણે જાણ્યા, અને તત્ત્વવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ. लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण । पडिभासते सम्मं, इब्भाण व जच्चरयणगुणे ॥१०॥ શબ્દાર્થ –જેમ જાતિવાળા રત્નના ગુણોની પરિક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે અસાધારણ ગુણ લેકોત્તર પદાર્થો હોય છે તેનું લેકેત્તર પ્રાણીઓને સમ્યક પ્રકારે ભાન થાય છે. ત્યારબાદ તેણે રત્નોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. હમેશાં ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મ રાશી નાશ પામ્યો. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવા રૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ કિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયે. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે– एवविधान् विशेषान् यो विज्ञायात्र प्रवर्तते । स धर्म योग्यतामात्मन्यारोपयति सत्तमः ॥११॥ શબ્દાર્થ:–ઉપર જણાવેલા વિશે જાણી જે પુરૂષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે; તે જનશિમણી પિતાના આત્મામાં ધર્મની ગ્યતાને આરેપણ કરે છે. ૧૧ | | તિ શર્વિતિતમ પુનઃ | Page #225 -------------------------------------------------------------------------- ________________ अथ अष्टविंशतिगुण वर्णन. ને સતાવીશમા ગુણનુ' વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થ એલ “ કૃતજ્ઞ ” ગુણના વિવરણના પ્રારભ કરે છે. શ્રુતજ્ઞ —તેમજ કરેલું એટલે ખીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ આળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વન કરનારને ખરેખર કલ્યાણના લાભ થાય છે. કેમકે કૃતજ્ઞ પુરૂષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે કહ્યું છે કે-लग्भइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मन्नइ उवयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥ १ ॥ उत्तम अहमवियारे वीमंसह किं मुहा बुहा तुब्भे । अहमो न कयग्धाओ कयन्नुणो उत्तमो नन्नो ॥ २ ॥ શબ્દાર્થ:—આ લાકમાં પ્રથમતા હજાર મનુષ્યને વિષે પણ ઉપકાર કરનાર મળી આવવા દુધટ છે, પરંતુ પેાતાનાઉપર થયેલા ઉપકારને માનનાર તા લાખામાં પણ મળવા મુશ્કેલ છે. ૫ ૧ ૫ હું પડતા તમેા ઉત્તમ અને અધમના વિચાર કરવા શ્યા માટે તર્કવિતર્ક કરો છે ? કારણ કે ધૃતા કરતાં બીજો કોઈ અધમ નથી અને કૃતજ્ઞથી બીજો કાઇ ઉત્તમ નથી. ॥ ૨ ॥ જે કરેલા ઉપકારને આળવે છે, તે ખરેખર કુતરાની બરાબરી કરી શકતા નથી તે બદલ કહ્યુ` છે કે~~ अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपिबहूपकृते सखिता खले न खलु खेलति स्वे लतिका यथा ॥३॥ શબ્દા :—ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભોજનના ઉપકારને નહીં ભુલનાર કુતરાની પણ મરોબરી કરી શકતા નથી. વળી જેમ આકા Page #226 -------------------------------------------------------------------------- ________________ જ અષ્ટવિંશતિગુણ વર્ણન. ૧૮૭ શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણે ઉપકાર કર્યા છતાં પણ ખલ પુરૂષમાં મિત્રતા ટકી શકતી નથી. ૩ અહીં તાત્પર્ય એ છે કે, કૃતનને ઘણી પ્રકારની આપત્તિમાંથી બચાવ્યો હોય, પૈસાની મદદ કરી હોય આ લોક અને પરલેકના હિત માટે હિતશિક્ષા આપી હાય, એ સિવાય ઘણો ઉપકાર કર્યો હોય, છતાં ઉપકાર કરનારને બદલે વાળ તે દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઈ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચુકતો નથી. કૂતરે તો એક વખત જેનું અન્ન ખાય છે તેના ઘરની ચોકી ભરે છે, કેઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતું નથી, ચેરેથી પણ બચાવ કરે છે તેથી જ ગ્રંથકારે કૃતગ્નને કૂતરાની બબરી કરવાને લાયક પણ ગણ્યો નથી અને તે વાસ્તવીક છે. આ લોકમાં ઉપકારને એળવનાર, ઉપકારને જાણનાર, ઉપકારનો બદલો વાળનાર અને કારણ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરૂષ હોય છે. તે માટે કહ્યું છે કે-- अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः । તોપરિ સ્તવ દિત્રા નીવરિટ છા नहि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतनाश्च महाभारा भारा विश्वासघातकाः ॥५॥ इहोषरक्षेत्र शरीर शैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुतशुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥६॥ શબ્દાર્થ –કૃતને ગણત્રી વિનાના, કૃત ગણત્રીમાં આવી શકે તેટલા, ઉપકારને બદલે વાળનારા થડા અને પોતાની મેળે ઉપકાર કરનારા બે ત્રણ હેય. છે. છે ક પૃથિવી કહે છે કે, મને પર્વતો કે સમુદ્રને બેજે નથી, પરંતુકૃતને અને વિશ્વાસઘાતકે મહેટા બોજારૂપ છે. તે પો આ દુનીયામાં કૃતને હમેશાં ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની બરાબરીમાં મુકાય છે અને કૃતજ્ઞ શ્રેષ્ટક્ષેત્ર, ચક્ષુ, આશ્ચર્યકારી છીપ અને તત્કાળ પ્રસૂતિ ગાય જેવા દુનીયામાં પ્રસિદ્ધ છે. તે ૬ આલોકને તાત્પર્ય એ છે કે, જેમ પાણી પવન તાપ વિગેરે અનુકુળ સામગ્રીને જેગ મળ્યા છતાં ઉમરભૂમિમાં વાવેલું ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરવા રૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી તેમ કૃતધ્ધ પુરૂષને સંપુર્ણ સામગ્રી મળ્યાં છતાં હિત બુદ્ધિથી તેનામાં આરોપણ કરેલા તત્ત્વાદિ વિચારે નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રાદ્ધગુણ વિવરણ. પિષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી. તેમ કૃતધ્ધ પુરૂષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પુરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તે પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારને બદલે આપ તે દૂર રહ્યો, પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતો નથી. વળી જેમ પર્વત પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ કુર પ્રાણીઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતન પુરૂષ ઉપકાર કરનારને તમેએ અમુક કાર્ય રાજવિરૂદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખતો નથી. આથી વિપરીત સ્વભાવવાળે કૃતજ્ઞ પુરૂષ તો કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભૂલતો નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળનેજ આપનારે થાય છે. જેની ઉપકાર કરવામાં હંમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભુલતા નથી એવા આ બન્ને પુરૂષને પૃથિવી ધારણ કરે છે, અથવા તે આ બે પુરૂષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરૂષે થોડા ઉપકારને પણ ઘણો કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતો, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે. વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતા. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે હે રાજન? બહુ દૂર દેશથી આવેલો સુવર્ણની છડી જેના હાથમાં છે એ એક ઘેડાને વેપારી દરવાજા ઉપર ઉો છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બેલાવ્યો. તે સોદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞામળતાં આસન ઉપર બેઠે. એટલે રાજાએ પુછયું કે હે ભદ્ર? કયા ક્યા દેશના કયા કયા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા કયા ઘેડા લાગે છે તે કહી બતાવ. ઘોડાના વેપારીએ જણાવ્યું કે-કેબેજ, સિંધુ, પારસ અને વાલ્હીક વિગેરે દેશના અને કર્ક, શ્રીવત્સ, ખુંગાહ, સેરહ, કિયાહ, હરિત, દુદવાહ, કુલાઈ, નીલ, હલાહ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરેનામવાળા ઘડાઓ છે. હે રાજન વિશેષ શું કહું? એકેક જાતિના સો સો ઘડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણે થી શાભિત તેમજ કેળવાએલા છે. ત્યાર બાદ રાજા મંત્રીવિગેરેની સાથે જોવા માટે ઘોડાઓની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘડાઓ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘડા ઉપર પરીક્ષા કરવા માટે પોતે જ સ્વાર થયે, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે હો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યા કે એક પ્રહરમાં બાર જન નિકળી ગયે. આ ઘોડે વિપરીત શિક્ષા પામેલ હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘેડે ત્યાંજ Page #228 -------------------------------------------------------------------------- ________________ અવિ‘તિગુણ વર્ણન. ૧૮૯ ઉભા રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. ખરાખર મધ્યાન્હ વખતે તૃષાથી પિડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિટ્ટને જોઇ મદ્ય સ્વરથી કહ્યું કે હું ભિલ્લુ ! તૃષાથી પિડિત થએલા મને પાણી દેખાડ. ભિટ્ટ પણ રાજાની આકૃતિથી વિસ્મય પામેલા પ્રણામ કરી ખેલ્યા કે હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવુ છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખો. એમ કહી પાતે પાણી લેવા ગયા. રાજા પણ એક વૃક્ષની છાયાના આશ્રય લઇ વિચાર કરવા લાગ્યા કે આ ભિટ્ટનું મ્હાટુ પરોપકારપણુ કેવુ આશ્ચર્યજનક છે ? આ ઉપકાર કરનાર ભિટ્ટનું શું કાર્ય કરી તેમજ શુ આપીને એના કરજથી મુક્ત થઈશ; એવા વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લુ કમલિનીના પડીયામાં પાણી લઇને આવી પહોંચ્યા અને તેણે હાથ પગ અને મુખનુ શાચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્માળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલ્લુને કાંઇક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જોઇ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયા. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીકત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની અોખરી કરવામાં મ્હારૂં સપ્તાંગ રાજ્ય પશુ સમર્થ નથી, તે પણ હાથી ઉપર બેસાડી આ ભિલ્લુને નગરમાં પહોંચાડા. રાજા પણ મ્હોટા મહાત્સવ પૂર્વક નગરમાં પ્રાપ્ત થયા, ત્યાં તે ભિટ્ટના તેલમર્દન, સ્નાન, વિલેપન વિગેરેથી ઘણા સત્કાર કર્યાં. અને ઘણા કાળ સુધી પેાતાની પાસે સુખમાં રાખ્યા. કાઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણુ થવાથી તે ભટ્ટ ત્યાં જવા ઉત્સુક થયા. તેણે અનેકવાર સમજાવ્યા પણુ જ્યારે તે રહેવાને કબુલ ન થયા ત્યારે રાજાએ સાથે જઇ ભિલ્લુનું નગર સ્થાપન કરી રાજ્યાભિષેક પૂર્વક તે ભટ્ટને રાજગાદી ઉપર બેસાડયા. અને પ્રથમ આપેલા હાથી ઘેાડા વિગેરે સઘળુ તેને અર્પણ કર્યું, એ પ્રમાણે કૃતાર્થ થઇ રાજા પોતાના નગરમાં પ્રાપ્ત થયા. કેટલાક કાળે તે ભિન્ન રાજા પણ મહા પ્રતાપી થયા. આ દુનિયામાં ઉત્તમ પુરૂષોના ઉપકારનું માહાત્મ્ય કયા પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે ? કાઇ પણ નહીં. ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધર્મ પ્રત્યે ઉપકારક છે. ધર્મ પ્રત્યેના ઉપકાર તેા ધર્મ સંબંધી વિરૂદ્ધોના ત્યાગ કરવાથી થાય છે. તે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધર્મકાર્ય કરવામાં અનાદર, મુનિઓ ઉપર દ્વેષ, દેવદ્રવ્યના ઉપભાગ, જિનશાસનું ઉપહાસ, સાધ્વીઓના સંગ કરવામાં સાહિસકપણુ, કૌલાચાર્ય ( શાતિક ) ના ઉપદેશમાં રૂચી, વિરતિના ત્યાગ, ગુરૂ, સ્વામી, ધાર્મિક સુખી, સ્વજન, યુવતિ અને વિશ્વાસીને ઠગવાના પ્રયત્ન, બીજાની સમૃદ્ધિ જોઇ અ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાદ્ધગુણ વિવરણ, દેખાઈ કરવી, હદ વિનાને લેભ કરે, કુળ અને દેશને અનુચિત વસ્તુને હમેશાં ક્રયવિક્રય કરે, હૃદયની નિર્દયતા અને ખર કર્મમાં પ્રવૃત્તિ. વળી શા માટે અહીં આટલો બધો આગ્રહ કર જોઈએ. એવું કહેનારને માટે કહ્યું છે કે-- कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् । धम्मस्स तस्स जुज्जइ कह नाम विरुद्धमायरिउम् ॥७॥ શબ્દાર્થ –જે ધમે પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવી છે તેવા ધર્મથી વિરૂદ્ધ આચરણ કરવું તે કેવી રીતે યોગ્ય કહી શકાય? ન જ કહેવાય. ૭ તે માટે કેઈએ કહ્યું છે કેयेनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं श्लाघ्यं जन्म श्रियमुदयिनी बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवतीं प्रेत्य च स्वःसमृद्धिं धर्म नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८॥ શબ્દાર્થ –જે ધર્મ નિર્મળ કુળ, સુંદર રૂપ, પ્રશંસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધિ, પવિત્ર પુત્ર અને પરલોકમાં ઉત્કૃષ્ટ સ્વર્ગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધર્મને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ શેને કહેવાય ? ન જ કહેવાય છે? આ હેતુથી જે ધમને ઉપકાર કરનાર હેય છે, તેજ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે – विद्वांसः शतशः स्फुरन्ति भुवने सन्त्येव भूमिभृतो- વૃત્તિ વૈનથી ર વિરતિ વતિ નિત વાભિઃ પરા दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि कचित् कल्पोर्वीरुहवद्वनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥९॥ શબ્દાર્થ –આ દુનિયામાં સેંકડો વિદ્વાને ફરાયમાન છે, કેટલાએક રાજાઓ છે. કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણુ વડે ખુશી કરનાર છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં કલ્પવૃક્ષની જેમ કેઈક ઠેકાણે દાતા પણ હોય છે, પરંતુ પ્રા: કરીને કૃતજ્ઞ પુરૂષ મળો દુલભ હોય છે. જે લો હેતુથી જે ઉપર જિક જી કા Page #230 -------------------------------------------------------------------------- ________________ અષ્ટવિંશતિગુણ વર્ણન ૧૯૧ હવે પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે– मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः। कृतज्ञचूडामणयो गृहस्थधर्माहतामात्मनि योजयन्ति ॥१०॥ શબ્દાર્થ ––એક ઉપકાર કરનારને લાખગુણે પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતમાં મુકુટ સમાન પુરૂષે પોતાના આત્મામાં ગૃહસ્થ ધર્મની લાયકાત સંપાદન કરે છે, જે ૧૦ ॥ इत्यष्टाविंशतितमो गुणः Page #231 -------------------------------------------------------------------------- ________________ एकोनत्रिंशत्गुण वर्णन. • વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લાક વલ્લભ” નામના આગણત્રીશમા ગુણનુ વર્ણન કરે છે— 46 હોવમા—વળી લોકોને એટલે શ્રેષ્ઠ પુરૂષોને દાન અને વિનય વિગેરે ગુણાથી જે વલ્લભ હાય, તે લેાકવલ્લભ કહેવાય છે. આ લાકમાં કયા પુરૂષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળા નથી હાતા ? જનવલ્લભપણુ છે તેજ સમ્યકત્વ વિગેરેના સાધનમાં પ્રધાન અંગ ગણાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ કહે છે કેઃ— સન્નનળ વહાં, બદિગંમ્પ ધીયા વમળે” સર્વજન વલ્રભપણું, અનિદિત કર્મ અને કષ્ટમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલુ છે. વળી જે લેાકપ્રિય નથી હોતા તે ફકત પેાતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણભૂત છે એમ નહીં પરંતુ બીજાએથી પોતાની ધર્મક્રિયાને દૂષિત કરાવતા ખીજાએના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લેાકવદ્યભપણાને ઇચ્છા રાખનાર મનુષ્ય આ લેાક, પરલેાક અને ઉભયલાકના વિરૂદ્ધ કાર્યોના પરિત્યા ગ કરવા જોઇએ. આ લેાક વિરૂદ્ધ બીજાની નિદા વિગેરેને કહે છે. તેમાટે કહ્યુ છે કે:सव्वस्त चैव निंदा विसेसओ तह य गुणसमिद्वाणम् । उजुधम्मकरणहसणं रीढा जणपूअणिजाणम् ॥ १ ॥ શબ્દા:—સઘળાની નિંદા, અથવા તેા વિશેષે કરી ગુણવાન પુરૂષાની નિંદા, સરલ મનુષ્યની ધર્મકરણીના ઉપહાસ અને લેાકમાં પૂજ્ય એવા મહાત્માઆની અવજ્ઞા કરવી. આ સઘળાં આ લાક વિરૂદ્ધ ગણાય છે. શા પરલેાક સંબંધી વિરૂધ્ા આ પ્રમાણે છે-પુરાહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) ભ્રમણુ કરવું, ગામનું નાયકપણું, અધિકારપણું, મઢનું અધ્યક્ષપણુ, અસત્ય વચન, Page #232 -------------------------------------------------------------------------- ________________ એકેનિત્રિશતગુણ વર્ણન. ૧૯૩ સાક્ષી આપવી, બીજાનું અન્ન ખાવું, ધમી ઉપર દ્વેષ રાખ, દુર્જન ઉપર પ્રેમ રાખ અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સવે હે મહાદેવ (શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. ઉભય લેક વિરૂદ્ધ નીચે પ્રમાણે છે– द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥२॥ इहैव निन्द्यते शिष्टैर्व्यसनासक्तमानसः । मृतस्तु दुर्गतिं याति गतत्राणो नराधमः ॥३॥ શબ્દાર્થ-જૂગાર ખેલ, માંસનું ખાવું, મદિરાનું પાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર કરે, ચોરી કરવી, અને પરસ્ત્રીગમન કરવું એ સાત લેકમાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યને ખેંચી જાય છે. છે ૨ બસનેમાં આસકિત રાખનાર આ લોકમાંજ શ્રેષ્ઠ પુરૂષથી નિંદાય છે. અને શરણ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. ૩ અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લેકેને પરા.મુખ કરવામાં કારણભૂત આ લોક, પરલોક અને ઉભય લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારાજ લોકપ્રિય થાય છે. અને વિશેષધર્મને (ગૃહસ્થને ) અધિકારી પણ તેજ થઈ શકે છે. અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લોક તેને જે વલ્લભ એટલે માન્ય હોય તે લેક વલૂભ કહેવાય છે. તે પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય (નિષ્કપટપ્રેમ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સર્વ ઠેકાણે રક્ષા કરનાર, ગુરૂની પેઠે સર્વકાર્યમાં પુછવા લાયક, આફત આવી પડતાં યાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વકાર્યોમાં સુખ અને દુઃખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયોગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને બીજાના કાર્યોનું કરવાપણું વિગેરે ગુણો વડે પ્રાપ્ત થનાર ધર્મની યોગ્યતાનું મુખ્ય સાધન જનવલૂભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મંત્રિનું ઉદાહરણ નીચે લખી બતાવવામાં આવે છે – નવલાખ ગામેથી મનહર એવા મગધદેશમાં રાજગૃહ નામનું નગર છે ત્યાં સભ્યપ્રકારે સમ્યકત્ત્વને ધારણ કરનાર શ્રેણિક નામનો રાજા હતા. વિનયવાન, વિવેકી, ત્યાગી, કૃતજ્ઞ, કૃપાળુ, અને નીતિ, પરાક્રમ અને ધર્મને મૂર્તિમાન ૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ. સમુદાય જાણે ન હોય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સોંપી શ્રેણિકરાજા ચેલણા દેવીની સાથે વિલાસમાં નિમગ્ન થયે. એટલામાં હેમંતરત શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા. કઈ વખતે મધ્યાન્હ પછી ચેલણ સહિત શ્રેણિક રાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાનને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વસ્ત્રરહિત અને કાર્યોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલૂણાની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કયો અને પછી પોતાને સ્થાને પ્રાપ્ત થયા. ત્યાં સાયંકાળનું આવશ્યક કામ કરી વાસભુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયો. આ અવસરે નિદ્રાને આધિન થએલી ચેલૂણ રાણીને હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગયા અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયો. તેથી જાગેલી ચેલૂણારાએ નદીના કિનારા ઉપર કાર્યોત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બોલી કે તે કેવી હાલતમાં હશે? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાક્યને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે ખરેખર આ રાણી વ્યભિચારણી છે. તેથી સંકેત કરનાર કેઈપણ યારને સ્મરણમાં લાવી આ પ્રમાણે બેલે છે. એ પ્રમાણે કે ધાયમાન થયેલા રાજાએ જાગરૂક અવસ્થામાં જ બાકી રહેલી રાત્રિને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેલૂણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે–અરે અભયકુમાર ! અંતેઉરનો નાશ થયો છે. તે માટે અંતેઉરના દ્વારેને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે. પરંતુ માતાના સ્નેહથી મહિત હૃદયવાળો થઈ હારી આજ્ઞાનું ઉલ્લઘંન કરતો નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતાઓ સતીમાં તિલ સમાન છે. તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે. તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુનિવાર્ય છે. એ વગર વિચારે કરેલું કાર્ય દુ:ખદાયક થાય છે. તે માટે કહ્યું છે કે-- सगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः gueતેના अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतु ત્યો વિપવ છે કે આ Page #234 -------------------------------------------------------------------------- ________________ wwww એકેનિત્રિશતગુણ વર્ણન. ૧૫ શબ્દાથે ગુણવાળું અથવાતે ગુણવગરનું કાર્ય કરનાર પંડિતે પ્રથમ યત્ન પૂર્વક પરિણતિ (વિપાક)ને વિચાર કરવો જોઇએ ઘણી ઉતાવળથી કરેલા કાર્યને વિપાક વિપત્તિ પર્યત શલ્ય પઠે હૃદયને દાહ કરનાર થાય છે. જો તેથી હાલ આ અશુભકાર્ય કરવામાં કાળ વિલંબ કરીશ. એ પ્રમાણે વિચાર કરી અભયકુમારે એક જુની હસ્તિશાળા સળગાવી અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે અંતેઉર સળગ્યું છે. તે પછી તેણે ભગવાન મહાવીર સ્વામી તરફ પ્રયાણ કર્યું એટલામાં સમવસરણમાં ધર્મકથા પૂર્ણ થતાં રાજાએ સર્વને વિજ્ઞપ્તિ કરીકે હે ભગવાન? ચેલૂણાદેવી એક પતિ વાળી છે કે અનેક પતિ વાળી છે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે ચેડારાજાની પુત્રી આ ચેલ્લણદેવી શીલરૂપ અલંકારને ધારણ કરનારી છે તેથી હે પાર્થિવ? આ વિષયમાં મન થકી પણ તમે ખરાબ વિચાર કરતા નહીં. આ બીના સાંભળી ભગવાનને નમસ્કાર કરી પશ્ચાતાપ કરતે રાજા એકદમ નગરની સન્મુખ ચાલ્યું. માર્ગમાં તેને અભયકુમાર મલ્યો. તેને પુછયું કે તે અંતેઉર બન્યું કે નહીં? અભયકુમારે વિનંતિ કરી કે હે રાજન્ ? આ દુનિયાની અંદર જીવવાને અથી કયો પુરૂષ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે ! તે પછી શ્રેષયુક્ત થયેલે રાજા બોલ્યા કે, “રે દુષ્ટ ! માતાના સમુહને બાળી તેમાં તેં પણ કેમ ન પ્રવેશ કર્યો?” અભયકુમારે જવાબ આપ્યો કે-“હે તાત? જિન વચન શ્રવણ કરનાર એવા તમારા પુત્રનું આવા પ્રકારનું મરણ ન થાય. જે તે વખતે આપ પિતાશ્રીએ તેવી આજ્ઞા કરી હતી તે તે પણ હું કરત.” પરસ્પર આવી વાત ચાલે છે એટલામાં રાજાને દુખે કરી મૂર્છા આવી તેને ચંદન વિગેરેથી સ્વસ્થ કરી અભયકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! અતઉરમાં અગ્નિ નાખ્યો હતો પણ મહારી માતાના શીળરૂપ જળથી ઓલવાઈ ગયે. અશુભ મૂહુર્તના સંગથી આપનું ફરમાવેલું કાર્ય નિષ્ફળ થયું.” એવું નિવેદન કર્યા બાદ જીર્ણ હસ્તિશાળા બાળવા વિગેરેને વ્યતિકર કહી સંભળાવ્યો તેથી ખુશી થએલા રાજાએ આલિંગન કરી કહ્યું કે “વર માગ ઉત્તરમાં અભયકુમારે જણાવ્યું કે-“તમારા પુત્રપણે અને મહાવીર સ્વામીના સુશ્રાવકપણાને પ્રાપ્ત થએ છતે હવે મ્હારે બીજું શું બાકી છે? કે જેને આપવા માટે પિતા અભિલાષા રાખે છે. તે પણ અવસર આવે સાધુધર્મને અંગીકાર કરું તે વખતે આપે મને અનુમતિ આપવી” શ્રેણીક રાજાએ એ વાતને સ્વીકાર કરી ચેત્રુણાના ભવનમાં પ્રાપ્ત થયો. તે પછી રાજા વિચાર કરવા લાગે કે-“પહેલાં પણ લૂણ મહારા હૃદયની વલ્લભા હતી. હમણાં તો શ્રી મહાવીરસ્વામીએ તેના શીલનું વર્ણન કરવાથી વિશેષ પ્રકારે મને પ્રિય થઈ પડી છે. તેથી જ્યાં સુધી હારી બીજી રાણુઓથી ચેલૂણા માટે કાંઈ પણ વિશેષ ન કરી શકાય ત્યાંસુધી મ્હારા મનને નિવૃત્તિ નહીં થાય.” આ પ્રમાણે વિચાર કરી અભકુમારને કહ્યું Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રાદ્ગુણ વિવરણ, કે“ હે વત્સ ! તુ જાણે છે કે મ્હારા ચેલ્રણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે માટે મ્હારી પ્રસન્નતાનો સૂચક એક સ્થંભીએ મહેલ આ ચેલણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે હું દેવ ! આ કાર્ય થએલુંજ છે” એમ કહી હુશીયાર સુથારને વનમાં જવાના આદેશ આપ્યા વનમાં પરિભ્રમણ કરતા સુથારે એક લક્ષણવાળું વૃક્ષ જોયુ અને વિચાર કર્યો કે–આ વૃક્ષ પ્રસ્તુત્ત કાર્ય ને યોગ્ય છે. પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાન પૂર્ણાંક આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે. તેથી સુત્રધારે ઉપવાસકરી ઉત્તમ ગંધ, પુષ્પ અને નૈવેદ્ય વિગેરેથી પૂજા કરી ખેલ્યા કે રાજાના આદેશથી આ વૃક્ષને હુ પ્રાત:કાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કાઈ રાક્ષસ અથવા તેા યક્ષ ગંધવ કે ગણુ વસતા હાય તેા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને છેદવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાર્થના કરી સુત્રધાર સુઇ ગયા એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે—અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સુત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું હોત તેા મ્હારા કોપરૂપ પ્રક્રીપમાં પતંગીયાપણાને પ્રાપ્ત થયા હોત પરંતુ ઉત્તમ પુરૂષો વગર વિચાર્યું કરનારા હોતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્યરાત્રીમાં જઇ અભયકુ મારને કહ્યું કે-વિનય અને પૂજા વિગેરેથી હું તુષ્ટ થયા છું. તેથી સર્વ રૂતુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશોભિત એક સ્થંભીયા મહેલ હુંજ બનાવીશ માટે સુત્રધારાને આડ કાપવાના કામથી એકદમ નિવર્તન કરો. અભયકુમારે પણ વ્યંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થભીયા મહેલ તૈયાર કર્યો. અભયકુમારે પણ શ્રેણીકને વિનંતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલને જોઇ આશ્ચર્ય થી વિકસિત વદનવાળા શ્રેણિક રાજા અભયકુમારને પુછ્યું કે આવા પ્રકારના મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળે યથાર્થ વૃત્તાંત કહી સ ંભળાવ્યા. તે પછી ચેલ્રણા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યુ કે–વિદ્યાધરીની પેઠે મરજી મુજબ વિલાસ કરતી હૈ સુદરી ! આ ઠેકાણે રહી તુ ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થ વડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અભયકુમાર પણ ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થધર્મનુ પાલન કરે છે. કોઈ અવસરે રાજાએ રાજ્ય આપવા માંડયુ. પણ સ ંતાષપરાયણ અભયકુમારે તેના સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યા કે જો હું ચરમ ( છેલ્લા ) રાજિષ થઉં તેા રાજ્યને ગ્રહણ કરૂ પરંતુ આ વાતના નિશ્ચય તે ભગવાનને પુછવાથી થઈ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીર સ્વામી પશ્ચિમ દેશથી વીતભયપત્તનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજગૃહમાં પધાર્યાં. અલયકુમાર પણ પેાતાના પરિવાર સાથે જિનેશ્વરને વંદન કરવા માટે ગચા અને ત્યાં અવસર મળતાં ભગવાન Page #236 -------------------------------------------------------------------------- ________________ એકેનિત્રિશતગુણ વર્ણન મહાવીર સ્વામીને પુછયું કે હે ભગવન! આ ભરત ક્ષેત્રમાં છેલ્લો રાજર્ષિ કેણ થશે? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મોટા કે તેના સરખા રાજાઓ દુઃષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં, આ વાત સાંભળી સંસારના ભયથી ભયપામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માંગ્યું. હે તાત ! આટલા દિવસ સુધી ચરમ રાજર્ષિપણાની ઈચ્છારાખનાર હાર વડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયું નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી. માટે જે આપ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાંજ ભગવાન્ મહાવીરસ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરૂં. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષને એમ કરવું એગ્ય છે. પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાજ્યકાર્ય કરવામાં તુજ પ્રભુ હતો. આટલા દિવસમાં હારી બીજી પ્રાર્થના ઓ મેં નિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિજ્ઞ શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડયું પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બેલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યો. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચે. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદાએ પણ તેની સાથેજ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયો, પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રત્રજ્યા પાળી સવૉર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ચવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી) મોક્ષમાં જશે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે-- नयविनयविवेकच्छेकताद्यैर्गुणौधैः सकलजनमनांसि प्रोणयन्तो महान्तः । अभयवदिति लोके वल्लभत्वं दधाना निरुपमजिनधर्मे योग्यतां संश्रयन्ते ॥५॥ શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લેકમાં સમગ્ર લકેના અંત:કરણને સંતોષ પમાડના મહાન પુરૂષે જનવલભપણને ધારણ કરી સર્વોત્તમ જિનધમની - ગ્યતાને મેળવે છે ૫ ) શોત્રરત્તમ કુળ છે ૨૫ II Page #237 -------------------------------------------------------------------------- ________________ SATIBE GS, त्रिंशत् गुण वर्णन. ]] * * ]e * * & * વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા સલ નામના ત્રીશમા ગુણનું વિવરણ કરે છે– * * * * * સજીન્ન-નિર્લજજાના અભાવ રૂપ લજજાએ કરીને જે યુક્ત હોય તે લજજાવાન કહેવાય છે. ખરેખર જે લજજાવાન હોય છે તે પિતાના પ્રાણેને નાશ થતાં પણ અંગીકાર કરેલાને કદી ત્યાગ કરતા નથી અને અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ પણ કરતા નથી. કેઈ વખત દૈવયોગથી અકાર્યમાં પ્રવૃત્તિ થઈ ગઈ હોય તોપણ પ્રાયે કરી પાછો ઠેકાણેજ આવે છે. તે માટે કહ્યું છે કે -- लज्जया कार्यनिर्वाहो, मृत्युयुद्धेषु लज्जया । लज्जयैव नये वृत्तिर्लज्जा सर्वस्य कारणम् ॥ १॥ लज्जां गुणौधजननी जननीमिवार्या मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः। तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥२॥ શબ્દાર્થ – લજજાએ કરી કાર્યને નિર્વાહ, લજજાએ કરી યુદ્ધમાં સુભટેનું મૃત્યુ અને લજજાએ કરીને જ નીતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી સર્વ આવશ્યક બાબતેનું મૂળ કારણ લજજાજ છે. જે શ્રેષ્ઠ અને અત્યંત શુદ્ધ હૃદયવાળી માતાની પેઠે અનેક ગુણને ઉત્પન્ન કરનારી લજાને અનુસરનારા તેજસ્વી પરાક્રમી ) અને સત્યની સીમામાં રહેવાની ટેવવાળા પુરૂષ સુખેથી પ્રાણ ત્યાગ કરે છે, Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્રિશતગુણ વર્ણન. પરંતુ કદી પણ પેાતાની પ્રતિજ્ઞાના ભગ કરતા નથી. !! ૨ ! વળી કહ્યું છે કે लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुअंपि । आयरइ सयायारं न मुयइ अंगीकयं कह वि ॥ ३ ॥ શબ્દાર્થ :--આ હેતુથી લજ્જાળુ પુરૂષ અતિ સ્વરૂપ અકાચના પણ દૂરથીજ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કાઇ પણ પ્રકારે અંગીકાર કરેલુ છેડતા નથી. ॥ ૩॥ તે માટે કહ્યું છે કે— दूरे ता अन्नजणो अंगे च्चिय जाई पंच भूयाई । तेसिंपि य लज्जिज्जइ पारद्धं परिहरंतेहिं ॥ ४ ॥ ૧૯૯ શબ્દા ——અન્ય પુરૂષથી શરમાવું તે। દૂર રહ્યું, પણ શરીરમાંજ જે પાંચ ભૃતા છે તેનાથી પણ પ્રારંભ કરેલાના ત્યાગ કરનાર લજ્જાળુ પુરૂષ લજ્જા પામે છે. ।। ૪ । જેમ શ્રીમાન્ આમ્બડ દેવને લજ્જા પ્રાપ્ત થઇ હતી તેનુ ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે. અણહિલ્લપુર પાટણમાં સર્વ કાર્યોનો અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા ચાલુક્ય ચક્રવત્તી શ્રીકુમારપાળ રાજાએ કાઈવખત કોંકુણુદેશના મટ્ટિકાજીનરાજાનું ભાટ દ્વારા કહેવાતુ ‘રાજપિતામહ ’ એવુ બીરૂદ સાંભળ્યુ અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજના અંત:કરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસ'પુટને જોઇ ચમત્કાર પામેલા રાજાએ સભાવિસર્જન કર્યાબાદ અંજલિખંધ કરવાનુ કારણ પુછતાં મત્રિએ વિજ્ઞપ્તિ કરી કે—આ સભામાં કાઇ તેવા પ્રકારનો સુભટ છે કે જેને મોકલી આ મિથ્યાભિમાની અને નૃપાભાસ રાજાનો ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હુકમને ઉડાવવા સમર્થ હોવાથી મેં અજલિબંધ કર્યા હતા. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરતજ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનાને નાયક કરી અને પાંચઅંગને પહેરામણી આપી સમસ્ત સામતાની સાથે આમડદુંવને વિસર્જન કર્યા. પછી તે આંખડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુકણુદેશને પ્રાપ્ત થઈ દુર પાણીના પૂરવાળી કામણી નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાંખે છે અને હજુસુધી તે આંખડદેવ લડવાને સજ્જ થયા નથી. એમ વિચાર કરી મલ્લિકાર્જુ ને તેના ઉપર એકદમ ઓચિંતા હલ્લા લાવી તેના સૈન્યને નસાડી મુક્યું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળુ છત્ર, કાળા અલંકાર અને કાળા મુકટને ધારણ કરનાર તે આંખડદેવ નામના સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણગૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રાદ્ધગુણ વિવરણ. વાટિકામાં નીકળેલા ચેલુક્ય શિરોમણી કુમારપાળે તે પડાવ જોઈ પુછયું કે આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કોઈ ઉતાવળાએ જણાવ્યું કે-મલિલકાર્જીનથી પરાભવ પામેલા અને કુંકણદેશથી પાછા ફરેલા આંબડદેવ મંત્રીને આ સેનાનિવેસ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મનહર દ્રષ્ટિથી મંત્રિને સત્કાર કરી બીજા બળવાનું સામંતો સાથે મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કોલંબિ નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પુલ જે માર્ગ તૈયાર કરી તેજ માર્ગ દ્વારા અનુક્રમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદુરીથી હસ્તિના સ્કંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનનેજ ચેષ્ટારહિત કરતે તે આંબડદેવ નામનો સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણ રસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તો ઈષ્ટદેવનું સ્મરણ કર એ પ્રમાણે બોલી અને તીક્ષ્ણ ધારવાળા ખડ્ઝના પ્રહારથી મલ્લિકાર્જુન નને પૃથ્વી ઉપર પાડી નાખી અને મહિલકાજુનના નગરને લુટવામાં જ્યારે સામતો રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પેઠે આંબડદેવે સહેજમાંજ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટીલઈ તે કુંકણદેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તનમાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહેતર સામંતોની હાજરી હતી તે વખતે કંકણદેશના રાજા મહિલકાર્જુનના મસ્તકની સાથે શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામને પેટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સેનાના બત્રીશ કળશ, મોતિના છો મૂઠા, ચાર દાંત વાળ સેટક નામનો એક હાથી, એકવીસ પાત્રો અને ચઉદ કોડ સેના મહાર વિગેરે વસ્તુઓથી પોતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પોતાનાજ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બીરૂદ આપ્યું. હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશ દ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે–– संकटेऽपि महति प्रतिपन्नं लज्जया त्यजति यन्न मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतःशुभविधावधिकारी ॥५॥ શબ્દાર્થ:-મહેોટું સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરૂષ અંગીકાર કરેલું લજજાથી ત્યાગ કરતે નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજાવાન પુરૂષ ધર્મ કાર્યમાં અધિકારી ગણાય છે. એ ૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ મરની વીજ एकत्रिंशत् गुणवर्णन. દિલ હ ! વે કમથી પ્રાપ્ત થએલા સ દય નામના એક્ટીશમા ગુણનું જ વર્ણન કરે છે – સતય–દુ:ખિત પ્રાણિઓનું રક્ષણ કરવાની અભિલાષા રૂપ દયાએ કરી જે યુક્ત હોય તે સદય કહેવાય છે. અને દયાજ ધર્મનું મૂળ છે તેથી દયાળુ જ ધર્મ ને યોગ્ય છે. કહ્યું છે કે देहिनः सुखमीहन्ते, विना धर्म कुतः सुखम् ? । दयां विना कुतो धर्मस्ततस्तस्यां रतो भव ॥१॥ શબ્દાર્થ –પ્રાણીઓ સુખની ઇચ્છા કરે છે, પરંતુ ધર્મ વિના સુખ કયાંથી હોઈ શકે? તેમજ દયા વિના ધર્મ ક્યાંથી હોય? તે માટે હે ભવ્ય! છેનું રક્ષણ કરવામાં તત્પર થા. {૧ ભાવાર્થ –આ જગમાં ઇદ્રથી માંડી કુંથુ પર્યત તમામ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે. પરંતુ કષાય, અવિરતિ, પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વિગેરે પ્રબળ કારણોને લીધે સુખનું ખરેખરૂં કારણ જે ધર્મ છે તેવા જિક્ત ધર્મનું યથાર્થ આરાધન કર્યા સિવાય ધર્મથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા રાખનારને સ્વનમાં પણ સુખ કેવી રીતે મળી શકે! માટે સુખની ઈચ્છા રાખનાર પુરૂષે યથાશક્તિ ભાવપૂર્વક ધર્મ કરવા તત્પર થવું જોઈએ. ધર્મની ઉપાસના કરનારને કેવળ સંસારનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ ઉત્તરોત્તર મેક્ષના અનંત સુખને પણ મેળવી શકે છે. ધર્મ પણ અહિંસા રૂપ હોવો જોઈએ. કારણકે અહિંસા ધર્મનું મૂળ છે. દરેક પ્રાણુને જીવવાની આશા હોય છે, મરણની વાત કાને પડતાં ભયબ્રાંત થઈ જાય છે. એવા અનાથ પ્રાણુઓને પ્રાણ લઈ ધર્મની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રાધગુણ વિવરણ. ઈચ્છા કરે છે તે હાલહલ ઝેર ખાઈ જીવવાની ઈચ્છા બરોબર છે. વખતે નિકાચિત આયુષ્ય હોવાથી ઝેર જીવિતને નાશ ન કરી શકે એ કદાચિત્ બનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને હિંસાથી ધર્મ થે તો દૂર રહ્યો પણ નારકીનાં અતિ ભયંકર દુઃખનો અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાશુઓએ તત્પર થવું જોઈએ. એકલા જેનેજ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવર્તના તમામ દર્શનવાળા “હિંસા પરમો ધર્ષઃ ” આ મહા વાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કે – ददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु । देवादिकं ध्यायतु सन्ततं वा न चेद्दया निष्फलमेव सर्वम् ॥२॥ શબ્દાર્થ – દાન આપે,મન ધારણ કરો, વેદાદિક અથવા તો બીજા ગમે તે શાને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જો એક દયા નથી તો ઉપર ખતવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. ૨ વિવેકી પુરૂષ દયા પણ પોતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે – प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥३॥ શબ્દાર્થ –જેમ પોતાના પ્રાણે અભીષ્ટ છે, તેમ પ્રાણી માત્રને પણ પિતાના પ્રાણ અભીષ્ટ છે. માટે ધર્મજ્ઞ પુરૂષે પિતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત પિતાના પ્રાણે જેવા બીજાના પ્રાણ ગણું તેનું રક્ષણ કરવું જોઈએ. | ૩ | कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः । तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો એકરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકુરા કેટલા કાળ સુધી ટકી શકવાના ? અર્થાત જ્યાં બીલકુલ દયાને છાંટે પણ નથી તે દયાના આધારે રહેનાર ધર્મનું અસ્તિત્વ ક્યાંથી હોય? | ૪ | निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वलाः । द्वित्रास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ॥५॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ એકત્રિશતગુણ વર્ણન. ૨૦૩ શબ્દાર્થ-જે દયાળુ પુરૂષ પોતાના પ્રાણેએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરે છે તેવા દુર્લભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષે બે ત્રણ અર્થાત ગણ્યા ગાંઠ્યા હોય છે. તે એ છે જેમ વિક્રમાદિત્ય નામનો રાજા હતો. તેની કથા આ પ્રમાણે છે – એક વખતે અધથી હરણ કરાએલે અને તૃષાથી પીડિત થએલે વિક્રમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતા હતા. તેટલામાં કોઈએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુર્બળ એવી એક ગાય તેના જેવામાં આવી. આ સુથી ખરડાએલી આંખોવાળી ગાયે પણ રાજાને જેઈ બરાડા પાડ્યા. તે સાંભળી દુ:ખિ થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાંજ ધ્યાન આપનાર રાજાએ પણ તેને બેહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયે કર્યો પરંતુ કોઈ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈ ગઈ. તેટલામાં કોઈ પણ સ્થળથી એચિતે એક ભૂખે સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવ્યા અને સિંહનાદ કરવા લાગ્યું. તે જોઈ દયાથી સ્નિગ્ધ હદયવાળો વિક્રમરાજા વિચાર કરવા લાગે કે–જે આ દુર્બળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યા જઈશ તે આ ગાથને સિંહ જલદી મારી નાંખશે. દુર્બળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને બીજાઓથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓને આશ્રય પાર્થિવ જ હોય છે. તે હેતુથી મહારા પ્રાણીને નાશ થાય તે પણ મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઉભો રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પોતાના વસ્ત્રોએ કરી તેણને ઢાંકી દીધી. આ તરફ સિંહ ગાયની સામે ફાળો મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારનો વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલો એક પોપટ બોલે છે કે-હે માલવેશ્વર ! પિતાના સ્વભાવેજ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે હારા પિતાનાં પ્રાણોને ક્યા માટે અર્પણ કરે છે? હારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યા જા અથવા તો આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઈએ. કેમકે--બીજાના પ્રાણાએ કરી પોતાના પ્રાણોનું રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે. પરંતુ પિવાના પ્રાણીએ કરી બીજાના પ્રાણોનું રક્ષણ કરનાર એક જીમૂતવાહન જ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીઓ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથીજ સત્ય વિગેરે તમામ ગુણો ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂર્યકાંત મણીઓ સૂર્યના અસ્તિત્વ સિવાય પિતાના ગુણોને પ્રકાશમાં લાવી શકતી નથી તેવી રીતે સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભેગવનારી દયા શિવાય સત્ય પ્રમુખ ગુણો સ્કુરાયમાન થતા નથી. તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું બીજ; સમગ્ર જગતના પ્રાણીઓને સુખ આપનાર અને અનંત દુઃખને નાશ કરનાર જે કઈ હોય તો તે એક દયાજ છે. એક નાયક વગરનું સૈન્ય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાદ્ધગુણ વિવરણ. નકામું ગણાય છે, તેમ દેવગુરૂની ચરણપાસના, તપસ્યા, ઇન્દ્રિયોને નિગ્રહ, દાન આપવું અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક દયા વિના નિષ્ફળ ગણાય છે. જે આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનું છે એ નિશ્ચય જ છે તો પછી એક હારા પિતાને નાશ થયાથી ઘણા પ્રાણીઓના પ્રાણનું રક્ષણ થતું હોય તે શું એટલાથી બસ નથી? આ હેતુથી હારા પ્રાણને પણ અર્પણ કરી આ ગાયને બચાવવી ગ્ય છે. એ નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાત:કાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પિપટને દેખ્યા નહીં. કેવળ પિતાને જોઈ મનની અંદર આશ્ચર્ય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં બે દેવોને પોતાની આગળ જોયા. વિસ્મય હદયવાળા તે બે દેવે પણ આ પ્રમાણે બેલ્યા–સાંપ્રત કાળમાં પૃથવી ઉપર સખાવત કરનાર અને જાગરૂક એવી દયા પ્રમુખગુણએ કરી શુદ્ધિ કરનાર વિક્રમ રાજાના જેવો કઈ બીજે પુરૂષ નથી. એ પ્રમાણે દેવની સભામાં હર્ષિત થએલો સાક્ષાત્ ઈંદ્ર પોતે જ તમારી કીર્તિની પ્રશંસા કરે છે. માટે હે નરદેવ ! તને ધન્ય છે. ત્યારી પરીક્ષા કરવા માટે સિંહ, ગાય અને પિપટનાં રૂપ કરી અમે બન્ને દેએ દેવમાયા દેખાડી હતી. તારી દયા રસિકતા ઈદ્રિના વર્ણનથી પણ હજાર ગણું અમેએ જોઈ માટે વર માગો. રાજા કંઈપણ ઈચ્છતો નથી. તે પછી તે બન્ને દે રાજાને કામધેનુ ગાય આપી પોતાના સ્થાને ચાલ્યા ગયા. ખુશી થએલો રાજા પણ કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવે છે તેવામાં રસ્તાની અંદર એક બાળકવાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે-હે દુ:ખી પ્રાણીઓના દુ:ખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ બાલક દુધ વગર રહી શકતા નથી. ઘરમાં લક્ષ્મીને અભાવ હોવાથી હું ગાય મેળવી શકતો નથી. તેથી હું દુઃખી છું. આ બીના સાંભળી દયાથી સ્નિગ્ધ હદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પોતાના સ્થાનને ભૂષિત કર્યું. હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે– एवं दयारसोल्लासि धर्म साम्राज्यशालिनः। संपदः सर्वतोवक्ष्यि सदा भाव्यं दयालुना ॥ ६ ॥ શબ્દાર્થ –એ પ્રમાણે સવ ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધર્મરૂપ મહાન રાજ્યને શોભાવનારી સંપદાઓને જોઈ હે ભવ્ય લેકે! તમારે નિરંતર દયાળુ થવું જોઇએ. . ૬. | તિ પામી ગુરુ ને રૂ?.. Page #244 -------------------------------------------------------------------------- ________________ '? द्वात्रिंशत् गुणवर्णन. ૯ વે કમથી પ્રાપ્ત થએલા સૌમ્ય નામના બત્રીશમા ગુણનું વવાણન કરે છે– E સૌપ્પા–મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સિામ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધર્મને યોગ્ય હોઈ શકે છે. તેથી વિપરિત જે કુર આકૃતિવાળે મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયેકરી લેકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધર્મને પ્ય થઈ શકતો નથી. ખરેખર સામ્યતા સર્વને પિતાના તરફ ખેંચનારી હોય છે. જેમકે – अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं रसराजः प्रयच्छति ॥ १ ॥ શબ્દાર્થ –જેમ પારે પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનહર આકૃતિવાળા અથવા તે સુકુમાર સ્વભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપરે પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત આવા સ્વભાવવાળા પુરૂષો દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કોઈ નવાઈ નથી.. ૧ અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સામ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળો દુરારાધ્ધ પુરૂષ તો તીવ્ર સ્વભાવને લીધે પિતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળો સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હોવાને લીધે શત્રુપક્ષના લેકેથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુખ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રાદ્ધગુણ વિવરણ. સિદ્ધ છે. રામચંદ્રજી પેાતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારો વિભીષણ, સુગ્રીવ હનુમત વિગેરેથી સેવાયા હતા, તેનું કારણુ રામચંદ્રજીના સુકુમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતુ. તે માટે કહ્યું છે કે चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुर्भ्राम्यत्येको दुरालोकः ॥ २ ॥ શબ્દાર્થ:- ચન્દ્રમા નક્ષત્રાને સ્વામી છે તે પણ અમૃતમય હેાવાથી અર્થાત્ સામ્ય પ્રકૃતિને લઈ ગ્રહેાના સમૂહથી સેવાય છે. અર્થાત્ હેાને સમુદાય ચદ્રના આશ્રય કરે છે, અને દુ:ખથી જોઇ શકાય એવા સૂર્ય ગ્રહોના સમુદાયનો સ્વામી છે તે। પણ પેાતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એકલા પરિભ્રમણ કરે છે. ર અથવા જેનુ હૃદય દૂર ન હેાય તેવા પુરૂષને સામ્ય કહે છે. અને તેવા પુરૂષને કાઇએ મ્હોટા અપરાધ કર્યા છતાં પણ તેને ખરામ કરતા નથી. જેમ વીરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દૃષ્ટાંત જાણવા જેવું હાવાથી નીચે ખતાવવામાં આવે છે. કોઇક વખતે દિવસમાં વીરધવલરાજા ચંદ્રશાળામાં સુતા હતા. તે અવસરે વસ્ત્રથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઉંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કાઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અશુઢી લઇને મેઢામાં મુકી, પણ રાણાએ જાણતાં છતાં કંઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડારમાંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછે ત્યાંજ સુઇ ગયા, પગચ’પી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે આ અશુઢી લઇ લેતા નહીં. જે ગઇ કાલે લીધી છે તે તનેજ આપવામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલા ખવાસ રાજાના પગમાં પડયા. તેટલામાં કાઈ એક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રિએ તે ખવાસને હુકાયે તે વખતે રાજાએ કહ્યું કે–હે મંત્રિન્! આ દોષ આ ખવાસના નથી,પરંતુ અમારી કૃપણતાના આ દોષ છે. એમ ખેાલી હાય પામેલા ખવાસને કહ્યું કે, હે વત્સ ! ડરીશ નહીં. હું જાણું છું કે ઘેાડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી. માટે આજથી લઇને અડધા લાખ ત્હારી આજીવિકા માટે અને આ ઘેાડા તને આરોહણ કરવા માટે અર્પણ કરૂ છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લેાકમાં સેવકસદાફળ ’ એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યુ. " પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળા એટલે કઠાર પ્રકૃતિવાળા મનુષ્ય તેા હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી ખતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ ખાખતમાં લક્ષ્મણુસેન રાજાનુ ઉદાહરણ નીચે પ્રમાણે છે— Page #246 -------------------------------------------------------------------------- ________________ ઢાત્રિશતગુણ વર્ણન ૨૦૭ ગડદેશમાં લક્ષણાવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રિથી જેના રાજ્યની ચિંતા કરાય છે એવી લક્ષ્મણુસેન નામને રાજા ઘણું કાળ સુધી રાજ્ય કરતો હતો. જેમ મદાબ્ધ થયેલે હાથી હાથણુને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદોન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય? તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયો હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયે હતું. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું. પરંતુ પોતાના સ્વામિની કૂર પ્રકૃતિ હોવાથી સાક્ષાત્પણે પ્રતિબધ કર અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબધ કરવા માટે સભા મંડપના પાટડા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યકિતગર્ભિત કાવ્યો લખ્યાં-- शैत्यं नाम गुणस्तवैव तदनु स्वभाविकी स्वच्छता किं ब्रुमः शुचितां वजन्त्यशुचयः स्पत्तिवैवापरे । किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोध्धुं क्षमः ॥३॥ શબ્દાર્થ – જળ! મુખ્યપણે શીતલતા ગુણ તારાજ છે. તો પછી તાહરી સ્વાભાવિક રવચ્છતા માટે અમો કાંઇ વર્ણન કરી શકતા નથી, કારણ કે તારા સ્પર્શ માત્રથી જ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે. અને તું પ્રાણી માત્રનું જીવિતવ્ય છે આથી વધારે તારી સ્તુતિ શું હોઈ શકે ? આ પ્રમાણે હારમાં ગુણે. હેવા છતાં તું નીચ માર્ગે જતું હોય તે તને ક્યા કેણ સમર્થ થાય ? હા આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપે છે. त्वं चेत्संचरसे वृषण लघुता का नाम दिग्दन्तिनां व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेनामपि । मूर्द्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयीदीपस्याम्बुजबान्धवस्य जगतामीशोऽसि किं महे॥४॥ શબ્દાર્થ-હે શકર? જે વૃષભ (બળદ ) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી? વળી જો તુ વડે કંકણરૂપ આભૂષણોને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતનો ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ ? અર્થાત હસ્તિ સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધનો હેવા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાદ્ધગુણ વિવરણ. છતાં તું નીચને આશ્રય લે તેમાં હારી હલકાઈ છે. એ જ આ કાવ્યમાં પણ શંકરને ઉદશી રાજાને પ્રતિબંધ કર્યો છે. छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीबः क्रीडति मातृभिर्यदि रतिं धत्ते श्मशाने यदि। सृष्ट्रा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मनस्तं सेवे करवाणि किं त्रिजगती शून्या स एवेश्वरः ॥ ५॥ શબ્દાર્થ – ઘપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને છેદે છે, પિશાચની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઈ માતા સાથે ક્રીડા કરે છે, મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાઓને બનાવી સહાર કરે છે તો પણ નિરૂપાયે કરવું શું? ઇશ્વર તેજ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપના કરી હું તે મહાદેવની સેવા કરૂં છું. અર્થાત ઉપર જણાવેલા અપવાદોથી પરિપૂર્ણ હોવા છતાં જગતને ઇશ્વર હેવાને લીધે મહારે નાઈલાજે આદર કરે પડે છે. પ આ કાવ્યમાં પણ શંકરને ઉદ્દેશી રાજાને બોધ કર્યો છે. सद्वत्तसद्गुणमहार्हमहर्यमूल्य कान्ताघनस्तनतटो વિત ચામૂ! I आः पामरीकठिनकण्ठविलग्न भग्न! हा हार! हा રિતમહો ! માતા ત્વમ્ | ૬ | શબ્દાર્થ – શ્રેષ્ઠ ગોળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણ (ર) વાળા, લાયકાતવાળા, મેટી કિંમતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર એગ્ય રીતે રહેલી મનહર મૂત્તિવાળા હે હાર ! મને આશ્ચર્યજનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠોર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હારું ગુણિપણું ગુમાવી દીધું છે. તે ૬ આ કા. વ્યમાં તો હારને ઉદ્દેશી રાજાને બંધ કર્યો છે. કોઈ એક પ્રસંગે સભામાં તે ને જોઈ અને તેના અર્થનો બોધ થવાથી રાજામંત્રિ ઉપર અંતરંગમાં દ્વેષ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् । विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७ ॥ શબ્દાર્થ-જેમ નાટ્ટાને પણ દેખાડવું તે ઘણું કરી કેપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માને ઉપદેશ આપે તે પણ ઘણું કરીને કેપ માટેજ થાય છે. જે ૭ છે Page #248 -------------------------------------------------------------------------- ________________ દ્વાત્રિ‘શત ગુણવણ ન ૨૦૯ તે પછી ઇર્ષાવાળા રાજાએ તે મત્રિને પદભ્રષ્ટ કર્યાં. ત્યારબાદ કોઈ વખતે રાજપાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળા એકાકી અને ઉપાયરહિત એવા મંત્રિને જોઇ ગુસ્સાથી તેના વધ કરવા માટે મહાવત દ્વારા તેની તરફ હાથીને પ્રેયો, તે જોઇ મ ંત્રિએ કહ્યું કે જ્યાંસુધી હું કાંઇક બેાલુ છું ત્યાંસુધી મહારા તરફ આવતા હાથીને રોકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રિએ કહ્યું કે— नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्टिमारोहति, व्यालैः क्रीडति नृत्यति स्रवदसृग् चर्मोद्वहन् दन्तिनः । आचाराइहिरेवमादिचरितैराबद्धरागो हरः, सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥ ८ ॥ શબ્દા :-મહાદેવ નગ્નપણે રહ્યું છે, ધૂળથી મિલન શરીરવાળા વૃષભ આરોહન કરે છે, સર્પા સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચામડાને ધારણ કરી નાચે છે, ઇત્યાદ્રિ રત્રાએ કરી આચારથી બહાર થયેલા અને રાગમાં આસક્ત રહે છે તે ખરેખર સત્ય છે. કારણકે જેને ગુરૂએ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવુ જ હાય છે. ૫ ૮ ૫ એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પેાતાના ચિરત્રાથી કાંઈક પશ્ચાતાપ કરતા અને પોતાના આત્માની ઘણી નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનના ત્યાગ કરી તે ઉમાપતિધરને રિથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો. હવે કારી કહે છે— ગ્રંથકાર પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં સામ્ય પુરૂષનેજ ધર્મીના અધિ एवं सौम्यः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च । यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः ॥ ९ ॥ શબ્દા :—ઉપર જણાવેલાં અને ઉદાહરણાથી સ્પષ્ટ સમજી શકાય છે કે સામ્ય પુરૂષ સુખેથી સેવા કરવા લાયક અને મુખેથી પ્રતિબેાધ કરવા લાયક હાય છે, તેથી પંડિત પુરૂષાએ સામ્ય પુરૂષનેજ વિશેષ ધર્મના અધિકારી ગણ્યા છે. ાના // રૂતિ દ્વાત્રિશત્તનો મુળ || ૨૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ त्रयस्त्रिंशत् गुणवर्णन. દ એ ૯ વે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થએલા પરોપકાર કરવા રૂપ” હું તેત્રીશમા ગુણનું વર્ણન કરે છે– vોપતિ -પપકાર કરવામાં કર્મઠ એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની યોગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરૂષ પપકારપરાયણ હોય છે તે સમસ્ત લોકનાં નેત્રને અમૃતના અંજનરૂપ ગણાય છે. અર્થાત્ સમગ્ર પ્રાણુંઓને આનંદ આપનાર હોય છે. અને જે નિરૂપકારી હોય છે તે તૃણથી પણ હલકે ગણાય છે. કહ્યું છે કે क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणान् नरेण किं निरुपकारेण ॥ १ ॥ શબ્દાર્થ –ચંચા પુરૂષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલો ઘાસનો મનુષ્ય) ક્ષેત્રનું, ચપલ વિજા પ્રાસાદનું રાખ (ભીમ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ પ્રાણનું રક્ષણ કરે છે. અર્થાત જ્યારે આવા અચેતન પદાર્થો પ્રાણીઓને ઉપકાર કરનાર હોય છે ત્યારે બાજાને ઉપકાર નહીં કરનાર સચેતન પુરૂષ તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ૧ પોપકાર કરે તે મોટા પુરૂષોનો સ્વભાવસિદ્ધ ધર્મ છે. કહ્યું છે કે उपकर्तुं प्रियं वक्तुं कर्तुं स्नेहमकृत्रिमम् । सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः॥२॥ कस्यादेशात् क्षिपयति तमः सप्तसप्तिः प्रजानां छायां कर्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः। Page #250 -------------------------------------------------------------------------- ________________ ત્રયચિંશત ગુણવર્ણન. ૨૩૧ अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः॥३॥ શબ્દાથ–પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બોલવાને અને વાસ્તવિક સ્નેહ કરવાને સજ્જન પુરૂષોને આ સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઇએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવજ છે. ૨સૂર્ય જગતના અંધકારને શું કેઇના હુકમથી દૂર કરે છે? વૃક્ષને માર્ગમાં છાયા કરવા માટે શું કેઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘો વૃષ્ટિ માટે શું કેઈએ અભ્યર્થના કરી છે? કેઈએજ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરૂષ પરનું હિત કરવામાં તત્પર થાય છે. ૩ અહીંયા ચાર પ્રકારના મનુષ્યો હોય છે. તેમાંથી કેટલાક પ્રયજન શિવાય પપકાર કરનારા અને કેટલાએક પરોપકાર કરનારને બદલો આપનાર આ બન્ને પુરૂષે ધર્મને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છેते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः। तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ ४॥ શબ્દાર્થ –જેઓ પિતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સપુરૂષો કહેવાય છે. વળી જેઓ પોતાના અને પરના સ્વાર્થને સાધવાવાળા હોય છે, તે પુરૂષો મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાર્થને લીધે બીજાના હિતનો નાશ કરે છે, તે પુરૂષ મનુષ્યરૂપ રાક્ષસ ગણાય છે. અર્થાત આવા પુરૂષોને કનિષ્ઠ કહેવામાં આવે . અને જેઓ પિતાના મતલબ શિવાય પરના હિતને નાશ કરે છે, તેઓને કેવા કહેવા તે અમે જાણતા નથી? અર્થાત તેવા પુરૂષોને મધમાખધમ કહેવા જોઈએ. ૪ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः स्वार्थों यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥ ५॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૧ર શ્રાદ્ધગુણ વિવરણુ, શબ્દાર્થ –આ દુનીયામાં પિતાનું પિષણ કરવા રૂપ વ્યાપારમાં ઉદ્યમ કરનારે ક્ષુદ્ર પુરૂષે હજારે છે. પરંતુ જેને બીજાના પ્રયોજનમાં જ પિતાનું પ્રયોજન જણાય છે તે સજજન શિરોમણિ પુરૂષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂરતી માટે જ્યારે વડવાનળ સમુદ્રનું પાન કરે છે, ત્યારે મેઘ તે ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલો જગતને સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે શુદ્ર અને મહાન પુરૂષના ઓળખાણ માટે બસ છે. कए वि अन्नस्सुवयारजाए कुणति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमलो वि चंदोन चेव भाणू न य देवराया ॥६॥ શબ્દાર્થ –જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તો પણ જે પુરૂષો ઉપકાર કરનારને એગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત બદલી આપે છે. તેની બરાબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇદ્ધ પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરૂષો કરતાં પ્રત્યુપકાર કરનારા પુરૂષે આ દુનીઆમાં ઉત્તમોત્તમ ગણાય છે. અને તે ઘણાં થોડા હેય છે. ૬ ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે તે આ પ્રમાણે છે–અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણો અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કોઈ પણ કારણ શિવાય પોતાના આત્માને અને પરને સમ્યજ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થકર ભાવ ઉપકાર કહે છે. જે કઈ પુરૂષસિંહો આ જગમાં પરોપકાર કરે છે, તેઓના યશ: રૂપ પટહને વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. તેટલા માટે સામચ્યું હોય તો મનુષ્ય પોપકાર કરવાને ઉદ્યમ કરવો જોઈએ. કારણકે પપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિકમરાજાની કીર્તિ ફેલાઈ હતી. આ ઠેકાણે વિકમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે– એક વખત વિકમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વિણવામાં તત્પર થએલા એક દરિદ્રને જોઈ બોલ્યા કે—“જેઓ પિતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?' આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બોલી ઉઠ્યો કે જેઓ સારી રીતે સમર્થ છે છતાં પરેપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરૂપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારાજા વિક્રમરાજાએ તે ભિક્ષુને સે હસ્તી અને બે કેડ સોનામહોર બક્ષીસ કરી. વળી પોપકારને વિચાર કરતાં કેઈએ કહ્યું છે કે Page #252 -------------------------------------------------------------------------- ________________ રાયશિત ગુણવર્ણન. ૨૧૩ येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकारः। ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥७॥ શબ્દાર્થ –જે પુરૂષને વિદ્યા તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હોત નથી તે પુરૂષે આ મનુષ્ય લેકમાં પૃથિવીને ભારભૂત થઈ મનુષ્યના રૂપને ધારણ કરી મૃગપણે પરિભ્રમણ કરે છે. છે ૭. આ પ્રમાણે કોઈ કહે છતે હરિણે ઉત્તર આપે કેखरे शीर्ष जने मांसं त्वचं च ब्रह्मचारिषु । शृङ्गे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलोचने ॥८॥ શબ્દાર્થ:--હરિણ સ્વરને માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મચારીઓને ચર્મ, ગીશ્વને શીંગડાઓ અને સ્ત્રીઓને પિતાના લોચન આપે છે. અર્થાત હિરણને કહેવાનો આશય એ છે કે મહારા શરીરના સઘળા અવયવે પરોપકારને માટે છે. અને મનુષ્યનો તો એક પણ અવયવ ઉપયોગમાં આવતો નથી તે મારી સાથે મને નુષ્યની બબરી કરવી તે ઠીક નથી. ૮ વળી અહીંઆ પરંપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે એક વખતે નદીના કિનારા ઉપર વીરવૃત્તિથી આમ તેમ ફરતા વિકમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમાં ખેંચાતો જોઈ પપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાંથી બહાર કાઢયે. તેના બદલામાં બ્રાહ્મણે શ્રી ગિરિનામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થએલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી તે લઇ ઉજયિની તરફ પાછા ફરતા માર્ગમાં દ્રરિદીને જેઈકૃપાપરાયણ થએલા રાજાએ તે ભિક્ષને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે–“જે રહેમદિલના રાજાએ દુખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રરિદીને આપી દીધી તેવા હે વિક્રમાદિત્ય? પપકાર કરવામાં હારી બબરી કરનાર આ પૃથ્વિી ઉપર બીજે કેણ હોઈ શકે ? ” કેઈજ નહીં. જુવો અચેત પદાર્થો પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारण शुष्यत्पांशुनिवेशपादहननक्लेशभ्रमाद्याः क्रियाः । धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युऽर्वीभवत्वादियं पात्रीभूय परोपकारकृतिभूर्युक्तं कुलीने ह्यदः ॥९॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવષ્ણુ, શબ્દા :- પાતાના સ્થાનથી બીજા સ્થાનમાં લઇ જવું, ખર ઉપર ચઢાવવું, ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનુ સ્થાપન કલુ, પગથી તાડન કરવુ, કલેશનુ આપ્લુ, ચાક ઉપર ભમાવવુ વિગેરે ક્રિયાએ જો કે કુંભકાર માટી ઉપર કરે તે પણ આ માટી પૃથિવીથી ઉત્પન્ન હેાવાને લીધે વાસણરૂપ થઈ પરોપકારજ કરે છે. કુલીનને આમ કરવું' ચુક્તજ છે, અર્થાત્ માટીની પેઠે ગમે તેવી આફત આવે તે પણ કુલીન પુરૂષા પેાતાના અપકારી ઉપર પણ ઉપકારજ કરે છે. ૫ ૯ ૫ धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरो हस्फुर- लोहोनपिनादिविविधक्लेशान् सहित्वाऽन्वहम् । जज्ञे यः परगुगुप्तिकृदिह श्रिवा गुणल्लासितां कर्पासः स परोपकाररसिकेष्वाद्यः कथं नो भवेत् ॥१०॥ ૨૧૪ શબ્દા :---સ્થૂળમાં પડવું, નખાથી છેદાવું, ડાટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઉતરવુ', તીક્ષ્ણ લાઢના ચરામાં પીલાલુ અને પિંજાવુ વિગેરે નાના પ્રકારના કલેશાને નિરંતર સહન કરી સુતરરૂપે થઇ જે કપાસ આ લેાકમાં બીજાનાં ગુહસ્થાને ગેાપાવનારો થયા છે, તે કપાસ પરોપકાર પ્રત્યે પ્રેમ રાખનારાઓની અંદર અગ્રગામી કેમ ન થઇ શકે? ૫ ૧૦ ॥ જ્યારે માટી વિગેરે અચેતન પદાથા બીજાના ઉપકાર માટે થાય છે, ત્યારે ચેતનયુક્ત પ્રાણીઓનુ તા કહેવુજ શુ' ? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મેાક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરોપકારને જિનેશ્વર ભગવાને સમસ્ત ધમેમાં ઉત્કૃષ્ટ ધર્મ કહ્યા છે. તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારના હોય છે, એમ જાણી ધીરપુરૂષોએ તે ઉપકાર સઘળા પ્રાણીઓ ઉપર યથાયાગ્ય કરવા જોઇએ. ગરીબ, અનાથ, સંપત્તિહીન, ભૂખ્યા અને તરસ્યા પ્રાણીઓ ઉપર અનુકપા લાવી તેમજ તપ, નિયમ જ્ઞાન અને દર્શનના ગુણ્ણાના પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટિ ભક્તિએ - તાથી શિકત મુજબ અન્નાદિકના આપવાથી ઉપકાર કરવા તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. દુ:ખથી રીમાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમાત્તમ ઉપકાર કરવામાં આવે તેા તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા, ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલ્યાણને મેળવનારા અને મહા સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓજ બીજાને ઉપકાર કરવા માટે સમર્થ થાય છે. ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેાક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી ( આ લેાક અને પરલેાક સંબંધી ) તુળ ફળની પ્રાપ્તિ થાય છે. દ્રબ્યાપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યા મુજબ છે.-~~ Page #254 -------------------------------------------------------------------------- ________________ ત્રયગ્નિ શત્ ગુણવર્ણ ન. ૨૧૫ આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષો રૂપ રત્નાના સમૂહથી શેાલતી લક્ષ્મીથી ૫રિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભાગવતી નામે નગરી હતી. જે નગરીમાં સજ્જનના સમૂહને આકષ કરનાર નિરંતર લક્ષ્મીથી અવિયુકત અને દાનની વાસનાવાળા સમગ્ર નાગરિક લેાક ઘણું કરી પુરૂષોત્તમ (વિષ્ણુ ) જેવા હતા. તે નગરીમાં પાતાની કીર્ત્તિથી સમગ્ર ભારતવર્ષ ને ભરી દેનાર મ્હાટી રાજ્ય લક્ષ્મીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં સિક, અત્યંત ઉદારતાથી કલ્પવૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધૈર્ય તેમજ અભ્યુદયથી સમગ્ર મહીમડળને ઉજ્વલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પોતાના રૂપથી દેવાંગનાઓના તિરસ્કાર કરનારી અને સઘળા અંતેઉરમાં શ્રેષ્ઠતા ભાગવનારી સુલાચના નામની પ્રિયા ( ભાર્યા ) હતી. તે દ ંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસ ંપન્ન અને વિનયવાન્ મહીચદ્ર નામે પુત્ર હતા. કેટલેાએક કાળ ગયા પછી એક વખત ષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂયલ પ્રમુખ કા દક્ષ મંત્રિઓને મેલાવીને કહ્યું કે- હમારે હમેશાં ચિરજીવી મહીચદ્ર નામના આ મ્હારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણ તરીકે સ્વીકારવા. અર્થાત્ તેની સલાહ શિવાય કાઇ પણ રાજ્યકાર્ય કરવુ નહીં. તેમજ અસાધારણ પરાક્રમવાળા આપ લોકાએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળા રાજ્યકારભાર ચલાવવા. હું પાતે ઘણી સંપત્તિવાળા હાવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને ૫રોપકાર કરતા હમેશાં સુખપૂર્ણાંક રહીશ. ' કહ્યું છે કે— याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य ! तेन भूमिरिह भारवतीयं न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः ॥ ११ ॥ શબ્દાર્થ :---ખેદ છે કે જેનુ જન્મ યાચક લાકોની મનેાવૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે. પરતુ વૃક્ષા, પર્વતે કે સમુદ્ર તેણીને બેજારૂપ નથી. અર્થાત્ સામર્થ્ય છતાં યાચકવર્ગના મનારથે પૂર્ણ નહીં કરનાર મનુબ્યા તેણીને ઓજારૂપ થાય છે. ૫ ૧૬ ॥ પૈસાથી અથવા તેા પ્રાણાથી પણ પરને ઉપકાર કરવાજ જોઇએ. પરાકારથી ઉપાર્જન કરેલુ પુણ્ય સેંકડા યજ્ઞાથી પણ થઇ શકતુ નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજ્યની ધુરા પુત્ર ઉપર મુકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયા. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યુરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યાને જોઇ હૃદયની અંદર સંક્રમણુ થએલા તેમના દુ:ખથી દુઃખી થએલે તે કૃપાળુ રાજા મનમાં આ પ્રમાણે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રાદ્ધગુણ વિવરણ. વિચાર કરવા લાગ્યો કે-હું પૂર્વે ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા ગજ અને અવની શ્રેણથી વિલાસવાળી રાજ્યસંપથી વૃદ્ધિ પામેલે આ લેકમાં નરપતિ થયે છું, છતાં અત્યંત દુ:ખથી પીડાતા પ્રાણુઓનું રક્ષણ કરવા માટે હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે હારી ત્રણ વર્ગની લક્ષ્મી નિષ્ફળ જેવી જ છે. કારણ કે દુઃખથી પીડાતા પ્રાણુઓના દુ:ખને દૂર કર્યા સિવાય માનિ પુરૂષ સામ્રાજ્યના મ્હોટા વિલાસને પણ નકામા ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર ચંચા પુરૂષથી પણ હલકાઈને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં બીલકુલ ગર્વરહિત થયેલ તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પિતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરૂષને જોયે. તેમજ ઉંચા સુવર્ણની અને તિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જોવામાં આવી. તે જોતાં જ આશ્ચર્ય પામેલો અને નિર્મળ હૃદયવાળો રાજા વાસભુવનમાં સુતેલા પુરૂષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એકદમ જાગી ઉઠેલો તે પુરૂષ સંભ્રમથી ઊંચે આકાશમાં ઉડી તરતજ પાછો પડ્યો અને ભયભીત થએલો ક્ષણવાર ઉભો રહ્યો. તે પછી પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરૂષને પૂછ્યું કે-“તું કેણ છે! ક્યાંથી આવ્યું છે? હારું આચરણ આવું કેમ છે?” તેના ઉત્તરમાં તે સાહસિક પુરૂષે જણાવ્યું કે-“હે સ્વામિન્ ? કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાત દયા કરવા લાયક હું અનંગકેતુ નામને પુરૂષ ગુટિકાની સિદ્ધિ થવાથી ઘણું વેગળા આકાશમાર્ગથી શ્રી પર્વત પ્રત્યે જતાં હે રાજન ! બુદ્ધિહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશયા જોઈ માર્ગને ખેદ દૂર કરવા માટે આ શયામાં વિશ્રામ લેતાં જેટલામાં હું નિદ્રાવશ થઉં છું તેટલામાં તમારું આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ” ત્યાર બાદ નરપતિએ જેને સુખ આપનારી વાણીને ઉચ્ચાર કર્યો કે-“હે મહાભાગ્યશાળી! તું નિશ્ચિત હૃદયવાળા થઈ સુખેથી નિદ્રા લે, જેથી હું હારી પાસે રહે દાણુ કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાખું” એ પ્રમાણે નરપતિના બલવાથી ખુશી થએલે રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરૂષ બે લ્યો કે-“હે વિશ્વને આધારભૂત ! તું દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણેમાં શિરોમણું ગણાય છે તે ઉપકાર હારામાં સીમારૂપે પ્રાપ્ત થઈ ત્રણ જગતની અંદર જાગરૂક થયે છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યત જીવિતદાન આપનાર હારા ઋણથી આ તૃણ જે મનુષ્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ શિત ગુણવર્ણન. ૨૧૭ કેવી રીતે મુક્ત થવાને?' તે પછી તેના વિનયગર્ભિત વચનેથી સ્નેહયુક્ત હદયવાળા રાજાએ અસાધારણ આશ્ચર્ય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન ર્યાની સાથેજહે રાજન!હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરે એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે છેલ્ય-“હે કૃતજ્ઞશિરેમણિ! હું કેઈનું કંઈપણ ગ્રહણ કરતો નથી તે હે સિદ્ધપુરૂષ! હારી આ ગુટિકા મહારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય? પરંતુ હે પંડિતપુરૂષ! ઘણા હોટા મહિને માથી આશ્ચર્ય આપનારી અને દુઃખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કક્યાંથી મેળવી શકાય છે. તે હકીકત છે ડાહ્યાપુરષ! મને કહી સંભળાવ્ય” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે સિદ્ધપુરૂષ બોલ્યા કે–“હે રાજાઓના મસ્તકથી મુકુટાયમાન ચરણ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અસ્તિ ધરાવતે મલયાચલ નામે એક પર્વત છે તેના અતિ ઉંચા અને સર્વ વડતુમાં પ્રકૃદ્વિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખરદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મંદિર છે. ત્યાં ખાળમાંથી પડતું અને બળતા અશ્ચિના જેવું દેવતાનું સ્નાનજળ જે સાહસિક પુરૂષ પોતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિનો જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન ! આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યાપુરૂષે તે ઠેકાણે આવે છે પરંતુ કેઈએક પુણ્યાત્મા મહાશય તેને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનહર વચન સાંભળી દયમાં વિસ્મય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણુ માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેજ શામાં પવિત્ર અને નિશ્ચિત હૃદયવાળે રાજા સુખરૂપ નિદ્રાથી અર્ધરાત્રિનું ઉલ્લંઘન કરી શય્યામાંથી ઉઠી તરતજ વેશ બદલાવી અત્યંત પરાક્રમી, હાથમાં તરવાર ધારણ કરનાર, કલ્યાણ કરનાર, મહાન પુરૂની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલ તેમજ રાજાઓની અંદર હસ્તિસમાન તે ભરતરાજા પિતાના દેદીપ્યમાન રાજભવનમાંથી બહાર નિકળી ગયે. ત્યારબાદ અત્યંત ઉત્સાહ અને નિરંતર ગતિથી માર્ગમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિર્વિધનપણે ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કર્યું, તેમ કરતાં કેટલાક દિવસો પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શોભનાર એવા રામશેખરદેવના મંદિરને પ્રાપ્ત થયો. ત્યાં પુષ્કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલે, સજ્જનને પ્રીતિ ઉત્પાદક અને ઈદ્રિયને વશ કરનાર તે રાજાએ કમળને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખરદેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનું પાણી ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા, ૨૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ શ્રાદ્ધગુણ વિવરણ. કેલાહલ કરતા અને માર્ગનું અવલોકન કરનારા ઘણુ મનુબે તેને જોવામાં આવ્યા. તે પછી કુતુહલથી રાજાએ “તમે કેટલા છેએ પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચો કરી જણાવ્યું કે-“અમે એક સે અને આઠ છીએ... આવી રીતે વાત કરવાથી કાંઈ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી બેલતા રાજાએ એકદમ અશ્ચિના જેવું ઉષ્ણ સ્નાત્રનું પાણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતરા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનું એક રેમ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિઃસીમ પરાક્રમથી અંતઃકરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારત્ન રાજાને અર્પણ કર્યું. તે માટે કહ્યું છે કેरथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो मार्गश्चरणविकलः सारथिरपि । रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ १२ ॥ શબ્દાર્થ:–એક પૈડાનો રથ, સર્ષથી વસ કરેલા સાત ઘોડાઓ, આલબમ વગરને રસ્તો અને પગ વિનાને સારથી છે તે પણ સૂર્ય હમેશાં મર્યાદા વગરના આકાશને છેડે લાવે છે. તેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે મહાન પુરૂની કાર્યસિદ્ધિ, પરાકમમાં વાસ કરે છે ને કે સાધનમાં. અર્થાત જે કે સૂર્યનાં સાધન નિબલ છે તો પણ પિતાના પરાક્રમથી સૂર્ય આકાશને અંત લાવે છે. તેમ સત્ત્વવાળા પુરૂષોએ પિતાના સત્વથીજ ધારેલા કાર્યની સિદ્ધિ કરવી જોઇએ. સાધને તો કેવળ નિમિત્ત માત્રજ હોય છે. સર્વ વિનાને પુરૂષ ગમે તેટલા સાધનયુક્ત હેય, તે પણ જ્યારે કાર્ય આવી પડે છે ત્યારે તે સાધને તેને બેજારૂપ થઈ પડે છે. અને કાર્યસિદ્ધિ કરી શકતો નથી. ખરી રીતે વિચાર કરીએ તે કાર્યસિદ્ધિ સત્તવમાંજ રહેલી છે. જે ૧ વળી ગુટિકા માટે આવેલા આ લોકોના મનોરથ અધુરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગુટિકાને ગ્રહણ કરી હું કેવી રીતે ચાલ્યો જઉં એ પ્રમાણે વિચાર કરી પરોપકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે ગુટિકા તેમાંના કેઈએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પિતાના માટે પૂર્વની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન રાજાએ તેવી બીજી ગુટિકા પુણ્યથી પ્રાપ્ત કરીકે તરતજ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કે પુરૂષને તે ગુટિકા આપી દીધી. હવે તે સઘળા મનુથોની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઈચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ બે વખત ઉષ્ણ જળ ધારણ કરવાથી Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રયશિત ગુણવર્ણન, ૨૧૯ તેની સઘળી આંગળીઓ બળી જવાને લીધે આ વખતે ઘણેજ બળે છે તે પણ અત્યંત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત ઔદાર્યતાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલો અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં કલ્પવૃક્ષ સમાન રામશેખરદેવ પ્રકટ થઈ કે–“હે પ્રજાપ્રિય! ઘણું કરીને છમહિના સુધી ઉપાસના કરનાર એવા કેઈએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગુટિકા આપતે જ નથી ત્યારે મેં તને એક દિવસમાં બે ગુટિકાઓ અર્પણ કરી પરંતુ હે ઉત્તમપુરૂષ! તે તો તે બે ગુટિકાઓ લીલા માત્રમાંજ બીજાઓને આપી દીધી, માટે હે ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! હારી ઔદાર્યતાની દોસ્તીને પ્રકાશ આશ્ચર્યજનક છે તેથી હું હારી ઉપર તુર્ણ થયે છું માટે જે તને ઈષ્ટ હોય તે કહી દે એટલે તે હું કરી દઉં.” દેવનાં આવા વચનો સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે—તું જગને પૂજનિક દેવ કયાં? અને તૃણ જે હું કયાં? અર્થાત્ હારી અને હારી બરોબરી થઈ શકે જ નહીં પરંતુ હારા દર્શને નથી મહારે આ જન્મ સફળ થયો છે તે પણ છે સ્વામિન્ ! હારી એક પ્રાર્થના સફળ કરવાને તું યેગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુષ્યનું મને વાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જેવો તુંજ પ્રસિદ્ધ થયેલો છે. તે માટે હે વિબુધ! જલદી પ્રસન્ન થઈ મ્હારી સેવાથી આ લેકેની કામના પૂર્ણ કર.” એવી રાજાની પ્રાર્થનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લોકોને અને રાજાઓને એકદમ ગુટિકાઓ આપિને વિસર્જન કર્યો. ભરતરાજા પણ દેવથી મેળવેલી ગુટિકાને લઈ વળી વિનયપૂર ર્વક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાર્થ થએલે, પવિત્ર મનવાળા અને વિશાળ બુદ્ધિવાળે રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલંકારરૂપરિષ્ટપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થશે. તે નગરના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણુઓના સમૂહને ધર્મમાર્ગ નો ઉપદેશ કરતા, આત્મરમણતમાં પ્રીતિ કરનારા મુનદ્રોથી સેવા કરાતા પ્રકાશ કરનાર ઉત્તમજ્ઞાન યુક્ત, રેગરહિત, સંપૂર્ણ પાપને નાશ કરનાર અને વેગળે રહેલા સૂરીશ્વરને તે ભરતરાજાએ હર્ષપૂર્વક જોયા. ત્યારબાદ કુતૂડળથી તે સ્થાનમાં જઈ પ્રાણીઓને આધારભૂત, સારે વિચાર કરનાર અને પ્રકૃતિથી ભદ્રકપરિણતિવાળા તે રાજાએ સૂરિને નમસ્કાર કરી ઉચિતસ્થાનમાં બેઠે. તે અવસરે વિસ્મય થએલા ઘણા લોકની લાઘા યુક્ત સૂરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપે તે આ પ્રમાણે છેचिन्तारत्नं मणीनामिव दिविजकरी सिन्धुराणां ग्रहाणा मिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्। Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધણું વિવરણ. कल्पद्रः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम्, धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ॥ १३ ॥ શબ્દા :—મણીમાં ચિતામણિરત્ન, હાથીઓમાં એરાવણહાથી, ગ્રહેામાં ચક્રમા, નદીઓમાં ગંગાનદી, પર્વતામાં મેરૂપર્વત, વૃક્ષામાં કલ્પવૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્ચામાં ચક્રવત્તી જેમ ઉત્તમપણે શાલે છે તેમ સમગ્રધર્મમાં પરોપકાર ધમ પણ ખરેખર ઉત્તમાત્તમ પણે શાલે છે. ॥ 3 ॥ એ પ્રમાણે આચાર્ય ના ઇષ્ટઉપદેશ શ્રવણકરી પ્રસન્ન મનવાલા રાજાએ આગ્રહ પૂર્ણાંક યથેાચિત ઉપકાર કરવા રૂપ ધર્માંને ગ્રહણ કર્યો. તે પછી અરિષ્ટપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમશરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી વધ્યભૂમિ પ્રત્યે લઈજવાતા એક મનુષ્યને જોઇ વિચાર કર્યાં કે ખરેખર ખેદ કરવા જેવુ છે કે મ્હારા જોતાં આ પુરૂષને નિયપણે કેવીરીતે મારે છે ? એ મ્હારે જોવાનું છે. એમ વિચાર કરતાં અત્યંત કરૂણા યુક્ત થએલા રાજાએ તે સઘળા સુભટાના દેખતાંજ તે પુરૂષને પ્રબળ હાથથી ઉપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યા ગયા અને બીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાર્થના કરાય છે તેવા રાજાએ ક્ષણવારમાં સાતમાળવાળુ પેાતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી રાજાનું આગમન થએલું જાણી ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલા રાજા જેટલામાં સભાભાજન વિગેરે ક્રિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગાથએલા સઘળા સાંમતે અને જાણે હર્ષ થી ઉચ્છ્વાસપામેલા સમુદ્રો ન હેાય ? તેવા નગરના લેાકેાએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યા અને બહુમાન પૂર્ણાંક કુશળવાર્તા પુછી. આ પ્રમાણે આનદોત્સવ થઇ રહ્યો છે તે વખતે અવસરપામી પવિત્ર વત્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કે હે દેવ ! કયા કાર્ય માટે આટલાકાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે હમારા આનંદની વૃદ્ઘિમાટે પ્રસન્નથઈ હમાને કહી સંભલાવેશ ’ આ સાંભળી મ્હારે આત્માનાગુણ ગ્રહણ કરવા રૂપ પાપ કેમ કરવું જોઇએ ? એમ વિચાર કરી લજ્જાવાળા રાજા જેટલામાં સૈાન ધારણ કરે છે તેટલામાં રાજાની આગળ ઉભેલા કાઈ એક રૂપવાન્ પુરૂષ પ્રધાન કાન્તિવાળા મેાતીના હાર રાજાને અણુ કર્યો. એટલે રાજાએ પુછ્યુ કે તુ કાણુ છે ? મને હાર આપવામાં શુ કારણ છે? તે એકદમ પ્રગટ પણે કહીદે ’ આપ્રમાણે આદેશથતાં તે પુરૂષે જણાવ્યું કે- હું મહારાજ ? ગુણરૂપલક્ષ્મીથી શાલનારા આ હારને અર્પણ કવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરો. એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું. -: ૨૨૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ ત્રયશિશત ગુણવર્ણન. સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજ્યાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રત્નને ધારણ કરનારી પાર્વતીના જેવી રત્નાવતી નામે ભાર્યા છે, કેમળ હૃદયવાળી તેણુએ કેઈએક અવસરે હર્ષ પૂર્વક ગુરૂ મહારાજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાને મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે એના જેવી, જિને ને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રવતીએ જ્યાંસુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભેજનમાં સારભૂત ઘી વિગેરે વિગય નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરે અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારિ મનુબેની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ઘણી મુશ્કેલ છે. એમ અંત:કરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બેલવા લાગી કે–આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યારે અને દેવતાઓને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થ યાત્રાએ કરી પિતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થ યાત્રાર્યા સિવાય મહારે આત્મા તે અકૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુ:ખી થયેલે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે, હારી પ્રિયા રત્નવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે? એવી રાજાની ચિતાને જાણી લઈ મંત્રીઓએ કહ્યું કે-“હે રાજન? આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા Vદવાળો ન થા.” તે પછી મંત્રિઓએ કહેલું રામશેખર દેવની ગુટિકાનું આશ્ચર્યજનક માહામ્ય સાંભળી મુખ્ય મંત્રિ ઉપર રાજ્યભાર આરોપણ કરી ગુટિકા માટે ઉત્સુક થયેલ અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યા ગયે, તેટલામાં હે પ્રજાપતિ? પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થયેલ કેઈએક પુરૂષ ત્યાં આવી પહોંચ્યું. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણ પરાકમરૂપ કીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષે એકજ દિવસમાં તે ગુટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભેગવતા તે મહાન પુરૂષે હમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલે હમારે સ્વામી પોતાના નગર પ્રત્યે પાછો આવ્યો કેમકે કાર્યની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળો પુરૂષ ખરેખર કેઈપણ ઠેકાણે વિલંબ કરી શકતો નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મરથ પરિપૂર્ણ થયું. તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતો તે નગરીને સઘળો જનસમુદાય આનંદિત થયે, અને તે માટે નિષ્કપટ મનવૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશ માર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણો મુશ્કેલ છે એ પ્રમાણે રત્નવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વાર Page #261 -------------------------------------------------------------------------- ________________ ય શ્રાદ્ધગુણ વિવરણુ વાળા, રંગ અને પ્રમાણ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમાએથી ભૂષિત, અત્યંત ઉંચા અને જગન્ના લેાકેાને આન ંદદાયક અષ્ટાપદ્ય અવતાર નામના એક પ્રાસાદ મનુષ્યાની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યે. કાઇએક દ્વિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણુ સાધુએ તે અષ્ટાપદમાં દેવાને વંદન કરવાની ઇચ્છાવાળા નિચે ઉતર્યાં. પ્રાણીઓને હિત કરનારા તે મુનિયાને મ્હારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછયા કે—હે મુનીશ્વર ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કર્યા ઉત્તમ પુરૂષ કારણુ શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશ માગે ગમન કરવામાં અસાધારણ શક્તિને પ્રગટ કરનારી શુટિકા મને અર્પણ કરી. ’ આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક, આનંદજનક અને યથાર્થ એવું હું ભરતભૂપતિ! હારૂં ચરિત્ર મુનીશ્વરાએ કહી સંભળાવ્યું તે સત્કારપૂર્વક હમારા રાજાએ સાંભળીને હું રાજેંદ્ર ! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટા તરીકે આનંદપૂર્વક મેાકલાળ્યા છે. તેથી હે જગન્ના પ્રાણીઓને આનંદ આપનાર ! હે મહારાજ ! પ્રસન્ન થઇ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરો. ભરતરાજા તેનું વિનયયુક્ત વચન સાંભળી સભાની અંદર બહુ માનપૂર્વક આ પ્રમાણે એણ્યા કે-અહા ! તે રાજાની કૃતજ્ઞતા અહા ! તેની લેાકેાત્તર સ્થિતિ ! જે મ્હારા સ્વલ્પ પરાપકારને મેરૂપર્વતથી પણ મોટો માની તે ડાહ્યા અને શિષ્ટ શિરોમણિ રાજાએ મહિમાના સ્થાનભૂત આ હારને પોતે માકલાન્યા છે, પરંતુ જે પુરૂષ બીજાને ઉપકાર કરી તેના પ્રત્યકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પાતાના આત્માને નિ:સત્ત્વ પુરૂષાની પક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કે— इयमुच्चधियामलौकिकी महती काऽपि कठोरचित्तता । उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया ॥ १४ ॥ શબ્દાર્થ:—ઉન્નત બુદ્ધિવાળા પુરૂષાની આ ચિત્ત કઠારતા હેાટી અને કાંઇ વિલક્ષણજ જણાય છે કેમકે પાતે ઉપકાર કરી બીજાના પ્રત્યુષકારની શંકાથી દૂર થય જાય છે. અર્થાત્ મેં જેના ઉપર ઉપકાર કર્યા છે, તે પુરૂષ અને તેના બદલે આપી એવા ભયથી ફરીથી તેના સેમાગમમાં આવતા નથી. ॥ ૧૪ ॥ તે કારણથી હું ઉત્તમ પુરૂષ ! આ હારને હું ગ્રહણ નહી કરૂં. એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી અને સતાષ પમાડી તે પુરૂષને રાજાએ પાછા મેાકલ્યા. કાઇએક વખત અરિષ્ટપુરથી જે પુરૂષને ઉપાડી લાવ્યા હતા હતા તે પુરૂષને પોતે રાજાએ પુછ્યુ એટલે તેણે પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યુ તે આ પ્રમાણે છે— Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્રયશિત ગુણવર્ણન ૨૨૩ કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસ્ત્રને જાણ કાર પારાશર નામને પ્રસિદ્ધિ પામેલો હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આશ્ચર્યકરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત્ સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રોગગ્રસ્ત થએલા રાજપુત્રના આરોગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હોવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામે તેથી લોકોમાં મહારે અપવાદ થયે. તે સાંભળી આ પુરૂષેજ કુમારને મારી નાંખ્યા છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સોંપી દીધો. આપ કૃપાળુ તે સુભટેથી છોડાવી મને અહિં લાવ્યા છો તે હવે પછી હારૂં જીવિત તમારા સ્વાધીન છે. એ પ્રમાણે બોલી તે મન થતાં રાજાએ ગૈરવપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્યજનક કથાનક મને કહી સંભળાવ. રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામના પુરૂષે સાવધાન થઈ રાજા પાસે યથાર્થ કથાને કહેવા લાગ્યા તે કથા નીચે પ્રમાણે છે– લક્ષ્મીને આધારભૂત ગાંધારદેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધારનામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કઈક કુલપુત્ર હત તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપસ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધીન વૃત્તિવાળા તે બન્નેને કેટલાએક કાળ વ્યતીત થયો. કેઈ એક વખતે વિરેચનને ચરેએ મારી નાંખે, જેથી તે મનહર નંદિગ્રામમાં દામોદર નામના બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે કે એક દિવસે તે દામોદરને જોઈ દેવાનો મહોત્સવ થઈ રહ્યા છે તેવામાં તેના પૂર્વભવની ભાયો શંબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરાવી ભજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દેવગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણીએ બ્રાહ્મશથી મંગળભૂત બનાવેલા દાદરને જે, દાદરે પણ તેવી જ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખ્ખલિત પ્રેમ ઉલ્લાસ પામ્યો. તે માટે કહ્યું છે કે यं दृष्ट्रावर्द्धते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શબ્દાર્થ –જેને દેખીને સનેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરૂષને મનુષ્ય જાણ જઈએ કે એ મહારે પૂર્વભવને સંબંધી છે અગર સ્વજન છે. ૧ વળી ઊહાપોહ કરવાથી અર્થાત્ વિચાર કરવાથી દામોદરને જાતિસ્મૃતિજ્ઞાન Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એક ચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાહ્મણે મુકાવે છે પણ મૂકતો નથી. આ સ્ત્રીને સંસર્ગ દાદરના કુળને કલંકભૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણોએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેના વિયાગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલ અને ઉગ પામેલો દાદર પણ મરણ પામી કોઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે, તે વનમાં તેવી જ અવસ્થાવાળી શંબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ, ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવીજ પ્રીતિ પ્રગટ થઈ આવી, તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરિણને કૂરપણે મારવાથી દુઃખ ભેગવી મરણ પામી વાંદરે થયો, તે ઠેકાણે પણ તે શબાને જોઈ પૂર્વની પેઠે સ્નેહ ઉત્પન્ન થયે તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થયો. તે પછી વાણુંરસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિદ્યામાં નિપુણ દિવ નામે બ્રાહ્મણને પુત્ર છે. તેને કેઈએક દિવસે દક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શંબાને જે તે દિત્ર બ્રાહ્મણે કહ્યું કે હે ભદ્ર! તું કેણ છે? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણીએ પણ પ્રથમનું સઘળું પિતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણીએ કહેલું તેવા પ્રકારનું પિતાનું વૃત્તાંત જાણે પ્રથમ સાંભળ્યું ન હોય તેમ તે દિ નામના બ્રાહ્મણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પિતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉત્પન્ન થઈ તે પછી સંસારથી ભય પામેલા, ઉત્તમ વિચાર કરનારા અને સ્વજનથી નહી પામનાર તે દિ નામના બ્રાહ્મણે તેજ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે પારાશરના કહેલા પિતાના પૂર્વભવ સંબંધી વિસ્મયને આપનારા સઘળા ભવ રાજાના સ્મરણમાં આવ્યા. અર્થાત્ જાતિસ્મૃતિ જ્ઞાનથી સાક્ષાતપણે જોયા. તે પછી સંસારની અસારતા જોતાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ઘર્મ કરવા માટે ઉઘુકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રાજાએ પિતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિન મંદિરેથી ભૂષિત કર્યો, તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાંતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને મેગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહા દાનથી દુઃખી, અનાથ, અને દીન પુરૂના દુ:ખને દુર કરી, પરમાર્થથી ગુરુરૂપ પારાશર નામના કથક પંગવને ઘણુ માન પૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને હેટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર સ્થાપન કરી યુગધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસરી, કરણસત્તરી અને મન, વચન, કાયાના વેગથી આ ત્મસ્વરૂપને સાધના કરતાં સમાધિપૂર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત Page #264 -------------------------------------------------------------------------- ________________ ત્રયશ્વિશત ગુણવર્ણન. ૨૨૫ રાજર્ષિ ઇંદ્રના સમાન ત્રાદ્ધિવાળો થઈ દેવતા સંબંધી સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરી ત્યાંથી ચવી બે પ્રકારે મોટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષમીને અથવા તે સાધુઓની ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ હોટી લક્ષ્મીને પ્રાપ્ત કરી અનુકમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મીવાળો મોક્ષરૂપ વધુને સ્વામી થશે. + તિ શ્રીમ નમૂતિ થી II હવે પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર પોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પોપકારી પુરૂષ વિશેષ ધર્મ કરવાને એગ્ય છે એમ બતાવે છે– ज्येष्ठः पुमर्थेषु सदैव धर्मो धर्मे प्रकृष्टश्च परोपकारः। करोति यश्चैनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥१॥ શબ્દાર્થ—ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધર્મરૂપ પુરૂષાર્થ જ હમેશાં માટે ગણાય છે. તેમાં પણ પોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તે પિકાર એક ચિત્તવાળે થઈ જે પુરૂષ કરે છે, તે પુરૂષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. ૧ | | ત દ્વિરામો પુન: ૫. RA& RIDGી * ર Page #265 -------------------------------------------------------------------------- ________________ GES ગ , રાગ चतुस्त्रिंशत् गुणवर्णन. Tr: ::: ] Eી હુ વે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થયેલા અંતરેગારિ પદ્ધ ને ત્યાગ કરવા રૂપ ચેત્રીશમા ગુણના વિવરણને પ્રા • • • - - - - 01 સન્ત રિપરિહારપરાવળ–અંતરંગારિ ષવર્ગ એટલે કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ રૂપ આ છ ભાવ શત્રુઓને પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હોય તે પુરૂષ ગૃહસ્થ ધર્મને એગ્ય થાય છે. તેમાં યુતિ વગર જાયેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ, અને હર્ષ સારા ગૃહસ્થને અંતરંગારિષવર્ગ (છ ભાવશત્રુઓ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે कामः क्रोधस्तथा लोभो हर्षोमानो मदस्तथा। षड्वर्गमुत्सृजेदेनं तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ १॥ શબ્દાર્થ –કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ આ પવગને. ત્યાગ કરે છે તે પ્રાણી સુખી થાય છે. અર્થાત કામ વિગેરે ભાવ શત્રુએજ પ્રાણી માત્રને ચતુગતિ સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભયંકર દુ:ખોનું ભજન કરે છે માટે વિચારવંત પુરૂષે ઉપરના છ શત્રુઓના સંસર્ગથી બથવા બનતા પ્રયાસ કર. ૧ તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વર્ણવે છે–બીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યને નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે – तावन्महत्वं पाण्डित्यं कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति चित्तान्तर्न पापः कामपावकः ॥२॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૭ - * * *, * * ચતુસિંત ગુણવણન. શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું, કલીનપણું અને વિવેક ત્યાં સુધી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંત:કરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયે નવી. અર્થાત અંત:કરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણને બાળીને ભસ્મ કરે છે માટે આવા શત્રને હદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમ રૂપ જલના પ્રવાહથી તેને શાંત કરે જોઈએ. ૨ दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्र कलशश्रीमल्लतापल्लवा नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥ ३॥ શબ્દાર્થ જગતની અંદર અંધ પુરૂષ પિતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતા નથી, જ્યારે કામાંધ પુરૂષ તે જે વસ્તુ હોય છે તેને ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે. જેમકે કામાંધપુરૂષ અશુચિને ઢગલા રૂપ પિતાની ભાર્યાના શરીરની અંદર મેઘરાનું ફુલ, કમળ, પુર્ણચંદ્ર, કળશ અને શેભાવાળી લતાઓના પાંદડાઓને આરોપ કરી ખુશી થાય છે. ૩. ભાવાર્થ –યથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કર્મના દેષથી ચક્ષુને વિષય નહીં હોવાને લીધે પિતાની પાસે રહેલી વસ્તુઓને ન જોઈ શકે એ બનવાજોગ છે. અને તે નહીં જોએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ તે હસીને પાત્ર થતું નથી. કામાંધ પુરૂષ તે પિતાની ચક્ષુઇદ્રિયદ્વારા દરેક વસ્તુઓને તેના ગુણ દેની સાથે જોઈ શકે છે. છતાં જેના શરીરના બાર દ્વારથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હેવાથી હમેશાં અપવિત્ર છે તેને પવિત્રપણે દેખનારા કામાંધ પુરૂષે જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં સ્ત્રીઓના નેત્રને કમળની, મુખને પૂર્ણ ચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનુષ્યની, મુખના શ્વાસને કમળની સુગધીની, વાણીને અમૃતની, સ્તનને કળશની, જે. ઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણેને લેશ પણ સ્ત્રીઓના અવયમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરૂષે તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્ર માની આનંદ માનનારાઓને જન્માંધથી પણ ઉતરતા દરજજાના માનવામાં કાંઈ પણ દેષ નથી, કારણ કે જેઓ અનંતા આત્મિક સુખને ભુલી જઈ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શ્રાદ્ધગુણ વિવરણ છેડા સુખને માટે અસત્કલ્પનાઓ કરી પોતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલીને કરે છે, તેવા કામાંધથી બીજે વધારે અંધ કેણ હોઈ શકે ! - નાન્યઃ યુકતનયાવાર્થોધનન્યઃ ક્ષયામય ! नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धलः ॥४॥ શબ્દાર્થ:–ખરાબ વર્તનવાળા પુત્ર જે બીજો આધિ (માનસિક પીડા ) નથી, ક્ષયરોગ જે બીજો રોગ નથી, સેવકના જે બીજે દુ:ખી નથી અને કામી પુરૂષના જે બીજો અંધ નથી.૪ - હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તો પિતાના કદને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને કેધ કહે છે અને તે ચંડશિક વિગેરેની પેઠે દુર્ગતિને હેતુ હેવાથી મહાત્મા પુરૂષને ક્રોધ કર યુક્ત નથી. તે માટે કહ્યું છે કે – सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥५॥ શબ્દાર્થ-જે કે સંતાપને વિરતારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દુર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે, તે દોષયુક્ત ક્રોધ પુરૂષને ત્યાગ કરવા લાયક છે. ૫ ___अपनेयमुदेतुमिच्छता तिमिरं रोषमयं धियापुरः । आविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥ શબ્દાર્થ –પોતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરૂષે પ્રથમ ક્રોધરૂપ અંધકારને બુદ્ધિએ કરી દુર કરે જોઈએ. કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતો નથી. અર્થાત જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ ક્રોધરૂપ અંધકારથી છવાયેલો છે તે પુરૂષ કઈ વખત પણ પિતાના ગુણે અથવા તો પિતાને પ્રકાશમાં લાવવા શતિમાન થઈ શકતો નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઇચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તે પણ કેપના ભયંકર વિપાકને વિચાર કરી ક્ષતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદો ખરી જવાથી પવિત્ર આભગુણે સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ચતુચિત ગુણવર્ણન, जितरोषरया महाधियः सपदि क्रोधजितो लघुर्जनः विजितेन जितस्य दुर्मतेर्मतिमद्भिः सह का विरोधिता॥७॥ શબ્દાર્થ –જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરૂષ એકદમ કેપના વેગને જિતી લે છે, અર્થાત કેપને પિતાની બુદ્ધિ બળવડે દબાવી દે છે, ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત નિર્બળ બુદ્ધિના મનુષ્યને કોધ જિતી લે છે અર્થાત પરાભવ કરે છે. ખરું છે કે વિજેતા એટલે બળવાન સાથે મદમતિને એટલે નિબલ હૃદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇંદ્રિય ઉપર કાબુ રાખી શકનારાઓ સાથે પરભવ પામેલાને એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે? તાત્પર્ય કે-ધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શક્તો નથી. પરાભવજ પામે છે, જ્યારે તેજ ધનિબળા મનના માણસ સામે ફાવી જાય છે. વિરે તે સરખા બળવાળાનો ટકી શકે. ન્યૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિબળ હારી જાય. છા વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્પથી પેદા થયેલું ઝેર સર્પને નાશ કરતું નથી. પરંતુ આ કેધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાંખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે? - હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણ શિવાય બીજાના ધનને લઈ લેવું તેને લેભ કહે છે. વળી પાપનું મૂળ પણ લેભજ ગણાય છે. લેભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લેભજ થયો હતો. એ પ્રમાણે સાંભળી લોભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લેભથી ગાભરા બનેલા મનુષ્ય આ પ્રમાણે ચેષ્ટા કરે છે— લભ હમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લેભી પુરૂષથી તે સર્વકાળમાં ભય દેખાય છે. કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂષમાં કાર્યકાર્યને વિવેક હોજ નથી તેથી લોભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અપલાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભજ છે. લેવડદેવડમાં બેટાં ત્રાજવાં, લાઘવ કિયા, ફેકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરે આ વાણીઆઓ મહાજન છતાં પણ ચેરી કરે છે. અનેક પ્રકારનાં વચની રચનાથી આખા દિવસમાં લેકના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણકેડીઓ સુશ્કેલથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હવાથી હમેશાં પવિત્ર પુસ્તક સાંભળવા જાય છે, પરંતુ કાળા સર્ષથી ડંખાર્યલાની પેઠે દાનધર્મથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મન ધારણ કરનાર તે ધૂર્ત વાણુઓ કેઈને ઉત્તર Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ શ્રાદ્ધગુણ વિવરણ, આપતું નથી, પરંતુ થાપણુ મુકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસંલાપ કરે છે, ઉભું થાય છે, પ્રણામ કરે છે, કુશળ પુછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવળ થાપણને જેઈ વાણુઓ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે સ્વાધીન છે, પરંતુ ઘણુ કાળ સુધી થાપણનું પાલન કરવું મુશ્કેલ છે; દેશકાળ વિષમ છે તેપણ હે શ્રેષ્ઠ પુરૂષ! ત્યારે હું દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કેઈ વખત કલંકીત થઈ નથી, એ પ્રમાણે કાર્યના જાણુ પુરૂએ ઘણુ વખત અનુભવ કર્યો છે એ વાત તું જાણતા નથી, એ વિગેરે મંદમતિની પાસે પરસ્પર અસમંજસ વર્ણન કરી આંતરિક મનોરથી ખુશી થતા તે પાપી સુવર્ણના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણ પચાવવાથી ઉત્પન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે, અને સંસારરૂપ જીર્ણ મંદિરમાં ઉત્પન્ન થએલા ભયંકર મહટા ઉંદરે જેવા તે કૃપણુપુરૂષો દાન તથા ઉપભેગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હમેશાં આનંદ માને છે. હવે તે થાપણ મૂકનાર પુરૂષ દિશાઓમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના રોગથી કઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલે ઘણુ લાંબા કાલે પિતાના દેશને પ્રાપ્ત થયે. ત્યાં શંકાયુક્ત થયેલા તે પણ પુરૂષે કઈને પુછયું કે તે મહાપુરૂષ ક્યાં ગયો? તે સાંભળી કેઈ એક પુરૂષ તેની પાસે આવી બે કે તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઈક જુદી જ દેખાય છે. આ પ્રમા ણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને ધુણાવતે તે તેના ઘર પ્રત્યે ગયે, ત્યાં દ્વારમાં રેકાયેલ તે નિબુદ્ધિ અને જીણું કપડાંવાળો ઘણા કાળ સુધી ત્યાંજ બેસી રહ્યા. પછી કઈ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઈ એકાંત મળતાં નામ, નિશાની પ્રકટ કરી તે પુરૂષે પિતાનું થાપણુ મૂકેલું દ્રવ્ય તે શેઠીઆ પાસે માગ્યું એટલે તે શેઠીયે ભ્રભંગ પૂર્વક હાથને કંપાવતે બીજાના ઉપર દષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યો કે ઠગ, પાપી અને આજીવિકા રહિત આ પુરૂષ કયાંથી આવ્યા છે. તું કેણું છે? અથવા કેને પુત્ર છે? લ્હારૂં દર્શન પણ યાદ આવતું નથી તો બોલવાની વાતજ શી? અહે! ઘણે ખેદ છે કે ક્યારે? કયા સ્થાનમાં ? કેવી રીતે ? ક્યા પુરૂછે કેણે શું આપ્યું હતું તે તું કહી દે? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરુષે મોટા પુરૂષની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે ચેપડામાં લખેલું સઘળું તું પિતે જોઈ લે! હું વૃદ્ધ થયો છું. દુકાનને બે પુત્ર ઉપર નાંખે છે, માટે મહારૂં લખેલું સઘળું તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસર્જન કરેલો તે ધીરજ વગરને પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ચતુશિત ગુણવર્ણન, મળે છે કે ધનની વાત પિતા જાણે. પુત્ર તે સઘળું લખેલું જાણે. એ પ્રમાણે તે પુરૂષનું દડાની પેઠે ઘણું કાળ સુધી ગમનાગમન થાય છે. આ પ્રમાણે રાજકુળમાં અને વ્યાપારમાં વાણીએ મરણ પામે છે, પરંતુ ધનને લેશ પણ આપતું નથી, તેમજ નીચે લખ્યા પ્રમાણે વિચાર પણ કરતે નથી. દ્રવ્ય કોને પ્રિય હેતું નથી ? દ્રવ્યથી કેનું હૃદય લેભાતું નથી પરંતુ યશરૂપ ધનમાં લુબ્ધ થયેલા પુરૂષે દુષ્ટ કાર્યોથી દ્રવ્યની ઈચ્છા રાખતા નથી. જે પુરૂષ પિતાના શ્રેષ્ઠ આચારને ત્યાગ કરી, કુટિલ બુદ્ધિથી બીજાને ઠગે છે તે મૂઢમતિએ પુણ્ય વગરના પિતાના આત્માને જ ઠગ્યો છે. ઘણે ખેદ છે કે દ્રવ્યના અથી ડાહ્યા પુરૂષે પણ શું કરતા નથી? અર્થાત્ ન કરવાનાં સઘળાં કાર્યો કરે છે. નીચ પુરૂષની ઘણું કાળ સુધી ખુશામત કરે છે. શત્રુને પણ પ્રણામ કરે છે. નિર્ગુણી પુરૂષનું ઉચ્ચ ગુણગાન કરે છે. પરોપકારને ભૂલી જનાર કૃતજ્ઞ પુરૂષની સેવા કરવામાં પણ લેશ માત્ર ખેદ અનુભવ નથી. દ્રવ્યના ખરચની શંકાથી મિત્રને વિષે પ્રીતિ પ્રગટ કરતો નથી. બદલે આપ પડશે એવા કારણથી ભય પામેલ સેવાથી ગ્રહણ થતું નથી. અર્થાત્ સેવા કરાવતે નથી, મહારી પાસે દ્રવ્ય માગશે એવી બુદ્ધિથી અસત્ય ભાષણ કરે છે અને સ્તુતિ કરવાથી પણ ખુશી થતો નથી, તે લક્ષ્મીનો ખરચ કરવાના વ્યતિકરથી ત્રાસ પામેલો કૃપણ કેવી રીતે જીવિ શકે? મોટા લાભથી પણ લાભ પરાભવ પામતો નથી, કારણ કે જે માત્રાથી અધિક હેાય તે માત્રાહિનથી કેવી રીતે જીતી શકાય? અત્યંત આગ્રહને ત્યાગ નહી કરે અથવા તો વ્યાજબી કહેલું ગ્રહણ ન કરવું તેને માન કહે છે. તત્ત્વાતત્ત્વને વિચાર નહી કરનાર કદાગ્રહી પુરૂષની દુર્યોધન વિગેરેની પેઠે આ માન ઘણી ખરાબી કરે છે માટે માન શત્રુના સંસર્ગથી દૂર રહેવું જોઈએ. કહ્યું છે કે– आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥ શબ્દાર્થ – જે આગ્રહી પુરૂષની મતિ જે ઠેકાણે રહેલી હોય તે ઠેકાણે આગ્રહી પુરૂષ યુકિતને લઈ જવાને ઇચ્છે છે, પરંતુ પક્ષપાત રહિત પુરૂષની મતિ તો જે ઠેકાણે યુતિ હોય છે તે ઠેકાણે વાસ કરે છે. અર્થાત આગ્રહી પુરૂષને જે પદાર્થમાં આગ્રહ થયો હોય, ત્યાં યુતિને બલાત્કારથી પણ બંધ બેસાડે છે. અને અપક્ષપાતી પુરૂષ તે જે વસ્તુ સ્વરૂપ યુકિત પુરસ્સર હોય ત્યાં મતિને લઈ જાય છે. મારા વળી– Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ, औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्वानिव, प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्त्ति कैरविण मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा, मानो नीच इवोपकारनिवहं हन्ति त्रिवर्गं नृणाम् ॥ २ ॥ ॥ ૨૩૨ શબ્દા : અહુકાર પવનની પેઠે મેઘરૂ ૫ ઉચિત આચરણાના લાપ કરે છે. સપની પેઠે પ્રાણીઓના જીવિતરૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની પેઠે કીર્તિરૂપ કમલનીને એકદમ મૂળથી ઉખાડી નાંખે છે. અને નીચની પેઠે મનુષ્યાના ત્રિવરૂપ ઉપકારના સમુહનો નાશ કરે છે. અર્થાત્ અહંકાર રૂપ કા શત્રુ જેના અંત:કરણમાં નિર’તર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના હૃદયમાંથી વિનય પ્રમુખ ગુણા પલાયન કરી જાય છે. એ મીના વાસ્તવિક છે. કારણકે એક સ્થાન માટે હુમેશાં જ્યાં કટાકટી થઇ હોય તેવા સ્થાનના સજ્જન પુરૂષો પણ ક્ષણવારમાં ત્યાગ કરી નિરૂપાધિસ્થાનના આશ્રય લે છે. ॥ ૨ ॥ विलोकते नोर्ध्वं सप्ताङ्गैश्व प्रतिष्ठितः । स्तब्धदेहः सदा सोष्मा मान एव महागजः ॥ ३ ॥ શબ્દાર્થ :—સાતે અગાથી સ્થિર થયેલા, અક્કડ શરીરવાળા અને હમેશાં ગરમીથી ભરેલા અહુંકાર રૂપ મદેાન્મત્ત હાથી નેત્રા વધુ ઉંચુ પણ જોઇ શકતા નથી. અર્થાત્ જેમ હાથી પગ છાતી વગેરે સાત અંગાથી સ્થિરથયેલા હોવાથી તેમજ અક્કડ શરીર હોવાને લીધે ઉચુ જોઇ શક્તા નથી, તેમ માની પુરૂષ પણ જાતિ, કુળ, રૂપ, એન્થય વિગેરે મઢાથી ઘેરાએલા હોવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનની ગરમીને લઇને દૃષ્ટિ વડે ઉંચુ જોઇ શક્તા નથી. ૫ ૩૫ માનના ત્યાગ થવાથી જ ખાહુબલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરૂષે માનના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. હવે મદનુ વર્ણન કરે છે—મળ, કુળ, એશ્વર્ય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવા અથવા બીજાને દબાવવાને કારણભૂત હોય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કેઃ— સઘળા મનુષ્યેાના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે. કારણ કે જેનાથી આવેશવાળા થયેલા મનુષ્ય સાંભળી શક્તા નથી જોઇ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી ખીના સાંભળવામાં અને યથાર્થ વસ્તુ જોવામાં પ્રતિબંધક હાવાથી મનુષ્ય જાતિ માટે ખરો દુશ્મન માનજ છે, માન ધારણ કરવું, Page #272 -------------------------------------------------------------------------- ________________ ચતુસિાત્ ગુણવણ ન ૨૩૩ મુખને બીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવુ, નેત્રાનુ બંધ કરવું, શરીરનું મરડવું અને વીંટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાઓથી અભિમાની મનુષ્ય એકદમ ઓળખાઇ આવે છે. શો મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉંચકુળના મદ આ સઘળા મદરૂપ વૃક્ષેા મનુષ્યાના વિભવ રૂપ મથીજ ઉત્પન્ન થએલાં છે. શો મદ ભુજાને, રૂપમદ આરિસા વગેરેને અને કામમદ સ્ત્રીને જીવે છે. પરંતુ આ વિભવમદ તા જાત્યધ હાવાથી કાંઇ જોઈ શકતા નથી. અર્થાત્ પ્રથમના મો જ્યારે અકેક વસ્તુ તરફ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે, ત્યારે ધનમદ તા મનુષ્યાને તદન આંધળેાજ અનાવી દે છે. મનુષ્યોના ધનમદ તા કાંઇ આત્મારામ ( આત્માનંદ ) જેવાજ જણાય છે. કારણ કે જેમ આ ત્માનંદથી મનુષ્ય આંતરિક સુખના આન ંદથી નેત્રા મધ કરી લે છે અને ધ્યાનારૂઢ થઈ જાય છે તેમ ધનમથી પણ આંખ્યા મીચે છે અને જાણે એકાગ્રતાપૂર્ણાંક સમાધી ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઇ જાય છે. મનુષ્યેાના અધિકારમદ હંમેશાં ભ્રકૂટી ચઢાવવાવાળા હોવાથી વિકાળ, કંઠાર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સર્વ ભક્ષણ કરનાર કર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષષના એક કુળમઢ તા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હોટી વાતા કરનાર, પેાતાનાં બીજાં કાચીને ભૂલી જનાર, દી દેશી પણાના અને જ્ઞાનના નાશ કરનાર હોય છે. સઘળા મો અવધિવાળા હોવાથી પોતપાતાનાં કારણાને અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ મેાટાઈના મદ સર્પના જેવા વાંકા અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ઘણા લાંબા કાળ સુધી રહી શકે છે. સામતાના મૈાન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ ઢષ્ટિમાં, ધનવાળાને ભ્રભંગ અને સુખના વિકારમાં વિટ વિગેરેના એ ભ્રમરામાં, દૂત અને પડિતાના જિવામાં, રૂપવાળાઓના દાંત, કેશ અને વેષમાં, વૈદ્યાના હાટમાં, મ્હોટા અધિકારીઓ અને જ્યેાતિષિઓના ગળામાં, સુભટાના સ્કંધમાં, વાણીઆઓના હૃદયમાં, કારિગરાના હાથેામાં, તરૂણુ સ્ત્રીઓના સ્તનતટમાં, બ્રાહ્મણાના ઉદરમાં, ચતુર કાદુઆઓને જંઘામાં, હાથીઓના ગડસ્થળમાં, મયૂરાના પિચ્છામાં અને હુ ંસાના ગતિની અંદર મદ (અહંકાર) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સર્વથા આવે! મદ કરવા યોગ્ય નથી. કહ્યું છે કેઃ— नो निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं, नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्यतो मोचितं, किं माद्यन्ति विपश्चितोऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः ॥४॥ . Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ-જ્યારે વિદ્વાન પુરૂષએ ઘડપણને છતી સ્વભાવથી મનહર વનને આસ્વાદ પ્રાપ્ત કર્યો નથી, યમને છતિ લઈ પોતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું નથી અને પોતાના વૈભવથી આ જગતને દરિદ્રરૂપ સપના મુખમાંથી પણ છોડાવ્યું નથી, ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્થ૯૫ ગુણેથી શા માટે અહંકાર કરતા હશે તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાર્ય કરી શક્તા નથી, છતાં લેકે મિથ્યાભિમાન કરે છે. પા. दिग्वासाश्चन्द्रमौलिवहति रविरयं वाहवैषम्यकष्टं राहोरिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलोकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्ततेऽद्यापि मेरुः, किं दत्तं? रक्षितं किं ? ननु किमिह जगार्जितं येन गर्वः॥५॥ શબ્દાર્થ–મહાદેવ દિશારૂપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અને વિષમ (એકીને વિષમ કહે છે) પણાનું દુઃખ ભેગવે છે, ચંદ્ર રાહુની શંકાને વહન કરે છે, નાગલેક ગરૂડથી ભય પામે છે, સમુદ્ર રત્નનું ગૃહ છે, અને આ મેરૂપર્વત પણ હજુ સુધી સેનાના પર્વતરૂપવિદ્યમાન છે તો પછી તે મનુષ્યતાએ શું કાંઇ દાન આપ્યું છે? શું કેઈનું રક્ષણ કર્યું છે? શુ આ જગતમાં કોઇ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. પા વળી ભર્તુહરિએ કહ્યું છે કે – पातालान्न समुद्धृतो बत ? बलिनीतो न मृत्युः क्षयं, नोन्मृष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम् , चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लज्जसे ॥ ६ ॥ શબ્દાર્થ એ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછન ભૂક્યું નથી, રેગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો નથી. તે હે ચિત્ત! તું સપુરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. તે ૬ ફતિ મહંR / હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રયજન વિના બીજાને દુ:ખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંત:કરણમાં પ્રમોદ ઉ. ત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આ હર્ષ દુર્ગાનયુક્ત હૃદયવાળા અધમ પુરૂષોનેજ સુલભ હોય છે, અર્થાત ઉત્તમ પુરૂષએ તે કર્મબંધનને કારણભૂત Page #274 -------------------------------------------------------------------------- ________________ ચતુસિંગત ગુણવર્ણન. ૨૩૫ કાર્યમાં કઈ વખત પણ હર્ષ કર યોગ્ય નથી, પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મને બંધ થાય છે અને તેનું ફળ ભેગવ્યા વિના છુટકારો થતો નથી. અનાચારમાં આનંદ માનવો એ અધમ પુરૂષનું જ કામ છે તેમાટે કહ્યું છે કે परवसणं अभिनंदइ निरवक्खो निदओ निरणुतावो । हरिसिज्जइ कयपावो रुद्दज्झाणोवगयचित्तो ॥१॥ શબ્દાથ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાતાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કષ્ટને સારું માને છે અને રૈદ્રધ્યાન યુક્ત ચિત્તવાળો પાપ કરીને ખુશી થાય છે. ૧ तुष्यन्ति भोजनैर्विप्राः, मयूरा घनगर्जितैः। साधवः परकल्याणैः खलाः परविपत्तिभिः॥२॥ શબ્દાર્થ:--શ્રાહાણે ભોજન વડે, મયુરો મેઘની ગજેનાથી, સજન પુરૂષ બીજાના કલ્યાણથી અને દુર્જને (નાલાયક) બીજાની આપત્તિ (દુ:ખ) થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુ:ખી દેખી આનંદ માને છે. જે આ લેકમાં વિવેકી પુરૂષને નિંદનીક હોવાથી, અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતું હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગ શત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે. હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરનારને મુખ્ય ફળ દેખાડે છે-- आन्तरं षडरिवर्गमुदग्रं, यस्त्यजेदिह विवेकमहीयान् । धर्मकर्मसुयशः सुखशोभाः, सोऽधिगच्छति गृहाश्रमसंस्थः શબ્દાર્થ:--જે મોટા વિવેકવાળો પુરૂષ પ્રચંડ આંતરિક પરિવર્ગને આ લેકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધર્મકાર્ય, સુકીતિ, સુખ અને શોભા પ્રાપ્ત કરે છે. અર્થાત જે માનસિક દુર્ઘત્તિઓથી બચે છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે. | તિ શ્રી વઢિરારામ ગુનઃ .. Page #275 -------------------------------------------------------------------------- ________________ पंचत्रिंशत् गुणवर्णन. 683 વે થકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું જ ન ૩ વર્ણન કરે છે. “વરીન્દ્રિયગ્રા –વળી જેણે ઇદ્રિના સમૂહને વશ કર્યો છે એ ટલે ઇન્દ્રિયને સ્વચ્છંદપણે પ્રવૃત્તિ કરતાં રેકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિને પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિયના વિકારોને ધ કરનાર હોય છે અને તેજ ગૃહસ્થ ધર્મને લાયક ગણાય છે. ખરેખર ઇદ્રિને જય કર, તેજ પુરૂષને ઉત્કૃષ્ટિ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યું છે કે – आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥१॥ શબ્દાર્થ:--ઈદ્રિનું સ્વતંત્રપણું તે આપત્તિને માગે છે અને ઈદ્ધિનો જય કરવો તે સંપત્તિને માગ છે એમ વિદ્વાનેનું કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવું. ૧ इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ। निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय प ॥२॥ શબ્દાર્થ –સ્વર્ગ અને નરક એ બન્ને જે કહેવાય છે, તે સર્વ ઇંદ્રિજ છે. કારણ કે દ્વિ વશ કરવાથી અને છુટી મુકવાથી અનુક્રમે સ્વર્ગ અને નરકને માટે થાય છે. અર્થાત જે જિતેન્દ્રિય હોય છે, તે પુરૂષ અવશ્ય સ્વર્ગમાં જાય છે અને જે ઇંદ્રિયાને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણ પામી નરકમાં જાય છે. અને ત્યાં ભયંકર દુઓને ભેગવે છે. ૨. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ‘ત્રિશત્ ગુણવર્ણન. ૨૩૭ जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणप्रकर्षो विनयादवाप्यते । गुणानुरागेण जनोऽनुरज्यते जनानुरागः प्रभवा हि संपदः ॥३॥ શબ્દા:જિત દ્રિયપણું' વિનયનુ કારણ છે, વિનયથી ચુણાને પ્રક પ્રાપ્ત કરાય છે. ગુણાનુરાગથી લાક રાગી થાય છે અને લેાકેાના અનુરાગથી ઉત્પન્ન થનારી સપઢાઓ પ્રાપ્ત થાય છે. ।। ૩ । સંગ્રામમાં મેળવેલા જયથી પણ ઇંદ્રિયાના જય મ્હોટા ગણાય છે, એટલે ઈંદ્વિચાના જય મેળવવા ઘણા મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે— સેા મનુષ્યેામાં એક શૂરવીર, હજારમાં એક પંડિત અને લાખામાં એક વક્તા હાય છે, પરંતુ દાનેશ્વરી તે હાય ખરા અથવા ન પણુ હાય; અર્થાત્ દાનેશ્વરી ૬ર્લભ હાય છે, યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાક્ચાતુર્ય થી વક્તા અને ધન દેવાથી કાંઇ દાતાર કહેવાતા નથી, પરંતુ ઇંદ્રિચાને જિતવાથી શૂરવીર, ધર્મનું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જં તુઓને અભયદાન આપનાર દાનેશ્વરી, ગણાય છે. ઇંદ્રિયાના પ્રસંગથીજ મનુષ્ય અવશ્ય દોષ સેવે છે. અને તેજ ઇંદ્રિયાને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનું બનાવેલુ શરીર તે રથ છે, આત્મા નિયંતા ( સારથી ) છે. આ રથના ઘેાડા ઇંદ્રિયા છે તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેાડાઓને સાવધાન થઇ દમનાર પુરૂષ સુખેથી ધીર પુરૂષની પેઠે ઇચ્છિત સ્થાનમાં પહોંચે છે. ચક્ષુદ્રિના વિજય મેળવવામાં લક્ષ્મણના હૃષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણુ વગેરે છે ઈત્યાદિ પ્રશ્ન થતાં લક્ષ્મણે જવાબ આપ્યા કે તું કુંડલાને કે કાંકણુને જાગુતા નથી પરંતુ હમેશાં તેણીના ચરણકમળમાં વંદન કરતા હોવાથી ઝરા છે, તે હું જાણું છું. વળી સંપૂર્ણ ઇંદ્રિયાના જયનું મૂળ કારણ જીન્હા ઇંદ્રિયના જય છે અને તે જીન્હા ઇંદ્રિયના જય કરવા તે તેા તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવા જોઇએ. નિંદા નહીં કરવા લાયક કર્માંથી પ્રાપ્ત થએલા તેમજ પ્રમાણેા પેત અને શ્રેષ્ઠ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટેજ આહાર કરવા ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે— आहारार्थं कर्म कुर्यादनिंयं भोज्यं कार्यं प्राणसंधारणाय । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनाय तत्त्वं ज्ञेयं येन भूयो न भूयात् ॥४॥ શબ્દા :આહાર માટે અનિંદ્ય કર્મ કરવું, પ્રાણાને ધારણ કરી રાખવા માટે લેાજન કરવુ, તત્ત્વાની જિજ્ઞાસા માટેજ પ્રાણાને ધારણ કરી રાખવા અને તત્ત્વને જાણવુ` કે જેથી ફરી જન્મ લેવાજ ન પડે. ૫ ૪ ૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાદ્ધગુણ વિવરણ, પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મનેરની વૃદ્ધિ, પ્રબળ નિદ્રાને ઉદય, નિરંતર અશુચિપણું, શરીરના અવયમાં ગુરૂતા, સઘળી ક્રિયાઓને ત્યાગ અને ઘણું કરી રોગોથી પીડિત થાય છે, તેટલા માટે હમેશાં રસનેંદ્રિયને અતૃપ્તજ રાખવી. રસનાઈદ્રિય અતૃપ્ત હોય તે બીજી સઘળી ઇંદ્રિયે પિતાપિતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલીજ ગણાય છે. તે માટે કહ્યું છે કે – यत्तक्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते । गीतं च स्त्रीविलासेन स्त्रीविलासो बुभुक्षया ॥ ५ ॥ શબ્દાથ-જે તે કિયા કાવ્યથી, કવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓને વિલાસથી અને સ્ત્રીઓને વિલાસ ભૂખથી દબાઈ જાય છે. અર્થાત ઉત્તરોત્તર એક એકથી બલવંત હેવાથી પુવનું બળ નકામું થાય છે. જહુવેન્દ્રિય તૃપ્ત હોય તો બીજી સઘળી ઇંદ્રિયે પિતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્તજ ગણાય છે. વચનની વ્યવસ્થાનું પણ નિયમિતપણું હોવું જોઈએ તે માટે કહ્યું છે કે महरं निउणं थोवं कज्जावडियं अगब्वियमतुच्छं । पुत्वमइसंकलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६॥ શબ્દાર્થ:–મધુર, નિપુણતાવાળું, થોડું, કાયને લગતું, અહંકાર વગરનું, તુચ્છતા વિનાનું. અને પ્રથમ વિચાર કરેલું જે બોલાય છે, તેજ ધમયુક્ત ગણાય છે. ૬ ઇત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે. કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહારતે ઔષધાદિકના પ્રયોગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનને વિકાર તે આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતું નથી. તેને માટે છે, આ ઠેકાણે કહ્યું છે કે— जिह्वां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं प्राणिनां प्राणनाशकम् ॥ ७॥ શબ્દાર્થ ––ભેજન કરવામાં અને બોલવામાં જીભનેજ પ્રમાણ જાણવી. કારણકે અત્યંત ખાધેલું અને અત્યંત બેલાયેલું પ્રાણીઓના પ્રાણોને નાશ કરનારું થાય છે. ૭ ખરેખર જિતેંદ્રિય પુરૂષ કેઈથી પણ ભય પામતું નથી. કહ્યું છે કે છે વો રા અમર ચંદ જ શરાજ છે ભાવનગર - ઘર દેરાસરજી 8 જ્ઞાન ભંડાર તરફથી પ્રેમ ભેટ ! Page #278 -------------------------------------------------------------------------- ________________ પંચત્રિત ગુણવર્ણન. ૨૩, यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता । इन्द्रियाणि मुगुप्तानि रुष्टो राजा करोति किम् ॥ ८ ॥ શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે. તેમજ ઈદ્રિયે કાબુમાં છે તેને કુપિત થએલો રાજા પણ શું કરી શકવાને? ૮ હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે – एवं जितेन्द्रियो मर्यो मान्यो मानवतां भवेत् । सर्वत्रास्वलितो धर्मकर्मणे चापि कल्पते ॥ ९ ॥ શબ્દાર્થ –-ઉપર પ્રમાણે જિતેંદ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યોને પણ માનનીક થાય છે અને સર્વત્ર ખલના પામ્યા સિવાય ધર્મકાર્યમાં પણ પ્ય થાય છે. જેના ! રૂતિ વંશ પુન: . હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથને ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે– સર્વ પ્રકારે ઇન્દ્રિયનો નિરોધ કરવો તે તે યતિ (મુનિ) એને ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપનો અધિકાર હેવાથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શેભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણ (ન્યાયસંપન્ન વિભવાદિ) થી વધેલો મનુષ્ય અવશ્ય ગ્રહસ્થધર્મને એટલે સમ્યકત્વ મૂળ બાર વ્રતરૂપ વિશેષ ધર્મને માટે કપાય છે. અર્થાત્ અધિકારી ગણાય છે. (“ધિય પતિ’ આ પદ દરેક ગુણની સાથે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જોડી લેવું.) य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, विशेषश्रीधर्माभ्युदयदमिमं सद्गुणगणम् । ससम्यक्त्वं धर्म व्रतपरिगतं प्राप्य विशदं श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यसुभगाः ॥१॥ શબ્દાર્થ –-પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધમના અભ્યદયને દેનારઆ (ઉપર જણાવેલા ૩૫)શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અભ્યદય આપનાર એશ્વર્યથી સારા નશીબવાળા પુરૂષે સમ્યકત્વ સહિત નિર્મળ બાર વ્રતરૂ૫ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે છે. આ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધગુણ વિવરણ, કા સથ બારિત્ત. ઇન્ટ. . કે તપાગચ્છની આદિમાં ત્રણ જગના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા કિયાવાળાદરજી એની મથે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. છે ૧ છે તેમની પાટ ઉપર ગૌતમસ્વામિના જેવા પ્રભાવવાળા શ્રીદેવેંદ્રસુરિ થયા, તેમના પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરૂ પ્રગટ થયા. છે ૨ છે ત્યારબાદ જગતને વિસ્મય પમાડનાર શ્રી ધર્મષસૂરિ થયા, તેમની પછવાડે સૂરિવરમાં પ્રધાન શ્રી સોમપ્રભસૂરિ થયા. એ ૩ . તે પછી સત્પુરૂષને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષ્મીવાળા શ્રી મતિલક ગુરૂ થયા, ત્યારબાદ ઘણી કીર્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. ૪ તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા અને જગત્માં અત્યંત સિભાગ્યવાળા શ્રી સોમસુંદરસૂરિ થયા. પ છે તેમના આત્મજ્ઞશિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રુતની ભક્તિથી શ્રાવકના ગુણોની શ્રેણિના સંગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. તે ૬ અણહિલ્લપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોને સાર ગ્રહણ કરી ચદશઅદ્વાણું (૧૪૮) ની સાલમાં બનાવેલ આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામે. છા - -જૈ ~~- ~~ ~-~ ~- ~~- इतिश्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिशिष्य श्रीजिनमंडनगणिमहोपाध्यायविरचित ! श्राद्धगुणविवरणभाषांतर સમાસ, Page #280 -------------------------------------------------------------------------- ________________ ખાસ ખરીદવા લાયક ગ્રંથા. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના અપૂર્વ ગ્રંથ, “ આત્મપ્રબોધ.” (ભાષાંતર ) આત્મજ્ઞાન એ મેાક્ષને પ્રાપ્ત કરાવનાર હોવાથી સંતુ ઉપકારક છે. જેથી આ ગ્રંથનું ઉપર મુજબનું નામ આપી અતિ શુદ્ધ આત્મજ્ઞાનના માર્ગ અભિધેય રૂપે આ ગ્રંથના કોં મહાન આચાર્ય શ્રીનલાભસૂરિએ નિરૂપણ કરેલ છે. આ ગ્રં થમાં ચાર પ્રકાશ (પ્રકરણ ) આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ પ્રકાશમાં સમ્યક્ ત્ત્વનું સ્વરૂપ, તેના ભેદ વીગેરેનુ એટલા બધા વિસ્તારથી અને ઐતિહાસિક દષ્ટાંતાથી ફ્રૂટ સરળ રીતે નિરૂપણ કરવામાં આવેલ છે કે, અત્યાર સુધીમાં આ વિષયના પ્રસિદ્ધ પામેલ પ્રથામાં આ ગ્રંથ એક ઉચ્ચ પ્રતિષ્ઠા મેળવવા સાથે ઉત્તમ નમુના રૂપે થયેલ છે. ખીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુ નિવ્રતનું સ્વરૂપ અને ચેાથા પ્રકાશમાં પરમાત્મ ભાવનું સ્વરૂપ દર્શાવેલ છે. આ આખા ગ્રંથના દરેક વિષય માટે અનેક કથાઓ, ઉપનયા અને આગમ પ્રકરણા વિગેરેની પ્રસ ંગે પ્રસંગે અનેક સાદતા આપી ગ્રંથકર્તાએ ભવિ જીવાના લાભાથે ઉત્તમ મહદ્ પ્રયાસ કર્યા છે. આ ગ્રંથ અતિ ઉપયોગી અને દરેક મુનિ મહારાજાએ અને જૈન બંધુએને શ્રવણ, મનન નિદધ્યાસન કરવા જેવા છે. આ ગ્રંથના વિશેષ વખાણ કરવા કરતાં તે ખાસ વાંચી જવા વિનતિ કરીએ છીએ. આ ગ્રંથ ઉંચા સીતેર રતલી ડેારલીંગ ગ્લેઝ કાગળા ઉપર રાયલ આપેછ સુદર જૈની (શાસ્ત્રી ખાસ) ટાઈપમાં છપાવવામાં આવેલ છે. લગભગ ૬૦ કારમ ૫૦૦ પાનાના સુંદર ખાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. પેાસ્ટ ખર્ચ જુદો. કિંમત રૂા.૨-૮-૦ તૈયાર છે. તૈયાર છે. જલદી મગાવા. तपोरत्न महोदधि. ( તપાવલી ભાગ ૧-૨ ) અનેક ગ્રંથામાંથી તમામ પ્રકારના તાના કરેલા સંગ્રહ, શ્રી પ્રવકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના અપૂર્વ પ્રયાસનું આ ફળ છે. કે જે તે એ વિભાગમાં પ્રગટ કરવામાં આવેલ છે. પ્રથમ વિભાગમાં ૮૮ પ્રકારના આચારદિનકરમાં જણાવેલા તપાનું તથા બીજા વિભાગમાં ૭૩ પ્રકારના અન્ય ગ્રંથાદિમાં કહેલા તાનું વર્ણન આ ગ્રંથમાં વિધિ-વિધાન સહિત ઘણી ઉંચી અને સરલ શૈલીથી આપવામાં આવેલુ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ બંને વિભાગમાં તપ અને તેના ગુણણા વિગેરે બહુજ વિસ્તારથી આપવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર અનેક ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે, તે ગ્રંથના નામનું લીસ્ટ પણ સાથે આપવામાં આવેલ છે. વળી દરેક તપનો મહિમા વાંચવાથી હદયમાં આલ્હાદ ઉત્પન્ન થાય છે. વળી તપને લગતા પ્રનત્તરે દાખલ કરી તેને ખાસ ઉપયોગી બનાવવામાં આવેલ છે. અનેક ગ્રંથ, બુકે, તપના ટીપણાઓ અને છુટક પ્રતો તેમજ ચાલુ પ્રચારથી જે જે તપ જાણવામાં આવ્યા તે તમામને સંગ્રહ કરે લો છે જે આ ગ્રંથ સાવંત વાંચવા વિચારવાથીજ તેની અપૂર્વ કિંમત થઈ શકે તેવું છે. ઉંચા એન્ટ્રીક ઈંગ્લીશ પેપર ઉપર સુંદર શાસ્ત્રી ટાઈપથી પ્રતના આકારે માટે ખર્ચ કરી છપાવવામાં આવેલ છે. બાવીશ ફોરમને માટે ગ્રંથ છતાં માત્ર તેની કિંમત રૂા. ૦–૮–૦ આઠ આના રાખવામાં આવેલ છે. પિસ્ટેજ જુદું. વિવિધ પ્રકા સંગ્રહ (શ્રીમદ વિજયાનંદ સૂરિ (આત્મારામજી મહારાજ તથા મુનિરાજ શ્રી - વલ્લભવિજયજી મહારાજ વિરચિત ચાર પૂજાઓને સંગ્રહ) મહોપકારી શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વર રચિત પૂજાઓ કે જેને માટે સંગીતના પ્રોફેસરે અને પૂજાના જાણકાર રસિકો તેમની રચનાના સંબંધમાં અનેક વિધ પ્રશંસા કરે છે, તે પાંચ પૂજાઓ તથા તેમને પગલે ચાલનારા પ્રસિદ્ધ વક્તા શ્રીમાનુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની બનાવેલી ૯ પૂજા કે જે વર્તમાન સમયને અનુસરતા રાગરાગણીથી ભરપુર હોઈ આકર્ષક છે. ગયા અને તેની પહેલાના વર્ષમાં મુંબઈ નગરીમાં તેઓશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેઓની છેલ્લી બનાવેલી શ્રી પંચપરમેષિની પૂજા મુંબઈની જેન પ્રજાએ વારંવાર ભણાવી, સાંભળી તેની અપૂર્વ રસિકતા જાણુ અપૂર્વ આનંદ અનેકવાર લીધેલ છે, અને તેની ઉપગિતા, કૃતિની રસિક્તા એકમતે સિદ્ધ થઈ ચુકી છે, તેની વારંવાર માગણી થવાથી ઉક્ત બંને મહાત્માઓની કૃતિની તમામ પૂજાઓ સાથે છપાવી છે. પૂજા શોધવામાં મુનિરાજ શ્રી વિઠ્ઠભવિજયજી મહારાજે કૃપા કરેલી હેવાથી તદન શુદ્ધ છપાયેલ છે. ઉંચા ઈગ્લીશ ગ્લેજ કાગળ ઉપર સુંદર શાસ્ત્રી મેટા ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી તેનું એટલું બધું સુંદર બાઈડીંગ કરાવવામાં આવેલ છે કે તે જોતાં તરતજ ગ્રહણ કરવાની ઈચ્છા થાય. જેને માટે ઘણું મટે ખર્ચ કરવામાં આવેલ છે, જે શુમારે ત્રીસ ફોરમ સવાચારશે પાનાને દળદાર ગ્રંથ છતાં તેને બહોળો પ્રચાર થવા માટે મુદલથી ઓછી કિંમતે એટલે માત્ર રૂ. ૦–૮–૦ આઠ આના (પિસ્ટેજ જુદું) ની કિંમત રાખવામાં આવેલ છે, માત્ર જુજ નકલો બાકી છે, જેથી નીચેના સરનામે લખી જલદીથી મંગાવે. શ્રી જેને આત્માનંદ સભા–ભાવનગર. છે વોરા અ મરચું જ શ . જ છે - ભાવનગર – ઘર દેરાસંછ 0 - ભાર તરફથી પ્રેમ ભેટ છે Page #282 -------------------------------------------------------------------------- ________________ 012