SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ એકે નવિશગુણ વર્ણન, ૧૫૯ विद्याःसन्ति चतुर्दशापि सकताः खेलंतु तास्ताः कलाः कामं कामितकामकामसुरनिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दण्मध्यमम्बरण तनुतामेकातपत्रां महीम् । नस्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचञ्चून चेत् ॥५॥ શબ્દાર્થ ભલે ચતુદશ વિદ્યાઓ હય, તેને સર્વ કલાઓ ક્રિીડા કરતી હોય, અત્યંત ઇચ્છિત કામનાને પૂરનારી કામધેનું હેય, નિરંતર લમી મંદિરને સેવતી હેય, અને બે ભુજા દંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હેય તેપણ જે પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તે તે પુરૂષ અવશ્ય કી. ત્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ હેટા ફળને માટે થાય છે. તે ઉપર જેમ લેકે માં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે. તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે. પ્રતિષ્ઠાન પુરમાં સાતવાહન–શાલિવાહન નામે રાજા હતે. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવીમાં આવી પડે. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા ભિદત્રની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા મહારે અતિથિ છે, એમ વિચારી ભિદ રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિમાં ઘણી શીત પડતાં ભિદ રાજાને પિતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પોતે ઘરની બાહાર સુતે. રાત્રિમાં તે ભિદત્ર શીતની અતિ પીડાથી મરણ પામે. તે જોઈ તેની ભાર્થી ભિલડી હાથમાં કાતિ ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ રાજાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સોનામહેર આપી ભિલડીને ખુશ કરી પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયો ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને ભિદત્રનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાનો સંભવ છે.” પછી રાજાએ પંડિતેને બોલાવીને પુછયું કે તમે મને દાનનું ફળ પ્રત્યક્ષ બતાવે, નહીંતે માનવયંત્રથી તમારે નાશ કરવામાં આવશે. તે પંડિતે રાજાને પ્રત્યુત્તર આપવાને “અસમર્થ થએલા આપસ આપસમાં વિચાર કરવા લાગ્યા. એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પંડિતમાં મુખ્ય એવા વરથિ નામના પંડિતે સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછયું. સંતુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામે એક વેપારી છે તેને ઘેર એક માસની અંતે પુત્ર ઉત્પન્ન થશે, તે બાલક જન્મતાંની સાથે તેને લાવશે તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy