________________
૧૫૦
શ્રાદ્ધગુણ વિવરણ.
વણુંન કરૂ છું. તેમાં પ્રથમ પરતીથિકાને નામ માત્રથી ઓળખાવે છે. ઐદ્ધ, વૈષ્ણવ અને શેવ એ દરેકના ચાર ચાર ભેદો છે, અને કપિલ મતાવલ`બી તથા કાલમતાવલખી ( વામી ) ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદ છે. હવે ઉપરોકત પરતીથિઓ પ્રત્યેનું કત્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતી પોતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તો તેમનુ ઉચિત કાય કરવું. તેમાં પણ રાજાના પૂજનિકાનું તે વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કોઇ શંકા કરે કે અસયતી એવા પરતીથિઓનું ઉચિત આચરણ શા માટે કરવુ' જોઇએ ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે યદ્યપિ ચિત્તમાં ભકિત ન હેાય, તેમનામાં રહેલા ગુણ્ણાની અંદર પક્ષપાત ન હોય તાપણુ પોતાને ઘેર આવેલા પરતીથિઓનું ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થાના ધર્મ છે. આ વ્યવહાર એક દ નવાળાએજ અનુસરેલા છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સર્વાં દશનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઓના ઉદ્ધાર કરવા અને દુઃખી થએલા પરતી િઆના ઉપર દયા લાવવી એ ધમ સવ મતાવલ'બીઓને સમ્મત છે. વ્યાખ્યા- પુરૂષની અપેક્ષાએ ઘેર આવેલા પરતીથિંઆને મીઠા વચનથી ખેલાવવા, આસન આપવું, આમંત્રણ કરવું અને તેમનુ' કા કરી આપવું, વિગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીના અર્થ સ્પષ્ટ છે. ” હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી ચુકિતથી પિતા અને માતાનું ઉચિત આચરણ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષો જૈનધમના અધિકારી થાય છે. અર્થાત્ સમકિત, દેશવિરતિ અને સર્વ વિરતિરૂપ જૈનધર્મને ચેાગ્ય થાય છે. જે પુરૂષા ઉપર જણાવેલા નવ પ્રકારના લોકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાર્યને વિષે તત્પર થતા નથી, તે પુરૂષો લેાકેાત્તર પુરૂષની તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધમને વિષે કેવી રીતે પ્રવીણ થાય ? તેથી સર્વ ગુણાની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રથમ ધર્મોથી પુરૂષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવુ જોઇએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હાય છે, તે દેખાડે છે. “ જેમ સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી, પવતા પોતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષ કદિપણ ઉચિત આચરણનું ઉલ્લ‘ઘન કરતા નથી,” તેજ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે, જગના ગુરૂ તીથ"કરા પણ ગૃહસ્થાવસ્થામાં પેાતાના માતા પિતાનુ` અભ્યુત્થાનાદિક ઉચિત આચરણ અવશ્ય કરે છે. વ્યાખ્યા—“ જેણે ત્રણ જગના લેાકેાની કાંઈપણ પરવા નથી તેવા, જગદ્ગુરૂતીકરાએ પણ જ્યારે ઉપરોકત રીતિ એ પેાતાના માતા પિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે, ત્યારે બીજા સામાન્ય પુરૂષાએ તે અવશ્ય વિશેષપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરવા જોઈએ. જેથી વિશેષ ધમને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org