SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રાદ્દગુણ વિવરણ તેના હાથમાં એક પાટીયું આવ્યું. તે પાટીયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યું અને ફરી હિસાબ જોતાં પણ નવાણું લાખજ રહ્યા. કારણકે જંઘાની અંદર છુપાવેલા કેડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનું તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રવ્ય જેટલી કિંમત ઓછી થઈ ગઈ. પછી તે શ્રમિત થએલે ધનશ્રેષ્ઠિ પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્મકાર્ય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયો. તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારો થવાથી કેટલાક દિવસે તેને કેટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મંદિરના જીર્ણોદ્ધાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે હેટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેષિને એક કટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણ ઓછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે, એવી ઉક્તિ છે.અનુક્રમે ધનશ્રેષ્ટિપિતાના સુપુત્રને વિષે ઘરને ભાર આપણું કરી પિતે ચારિત્રી (સાધુ) થયે. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાની થયે, અને મોક્ષપદને પામ્યા. એવી જ રીતે અત્યંત કલેશ વિગેરેને ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાયે કરી દ્રવ્યવૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણુમાં “ન્યાય સંપન્ન વિભવની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે થકાર મહારાજ પ્રથમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ ચગ્ય પુરૂષને ઓળખાવે છે. "इच्छं न्यायोपगतविनवः पुण्यकार्याएयनेकान्यातन्वानो विशद विधिना प्राप्तकीर्तिप्रतिष्ठः। मोके श्लाघापदमधिगतः शुधगाईस्थधर्म, योग्यः प्रोक्तो मुनिनिरुदयत् सहिवेकिप्रवेकः।१।" इति न्यायसंपन्न विनवनामा प्रथमो गुणः समाप्तः ॥१॥ ' ' શબ્દાર્થ –“ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભાવવાળે, નિર્મળ વિધિથી અનેક પુન્ય કાર્યો કરનાર, કીર્તિ તથા પ્રતિષ્ઠા પામેલો,લોકમાં પ્રશંસા પાત્ર થયેલા અને વિવેકની શ્રેષતાને પ્રગટ કરનાર પુરૂષને મુનિઓએ શુદ્ધ હરય ધર્મને પાગ્ય કહે છે. ૧” ન્યાય સંપન્ન વિભવ યુક્ત હોય તે ધર્મને રેગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણનું વર્ણન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy