SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ wાપિત આ / છે. 4 ૦ $ ૦ * કરી છે ૦ एकादश गुण वर्णन. દિલ હી તે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપ” અગીયારમા ગુણનું વર્ણન કરે છે. નવૃત્ત નહિં”—વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિદિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમી પુરૂષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશગહિત કર્મ આ પ્રમાણે છે. સૈવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશગહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લુણ, લાખ અને લેઢા વિગેરેનો વેપાર કરે એ જાતિની અપેક્ષાએ નિંદિત કર્મ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ લુકને મદિરાપાન કરવું તે કુળથી નિંદિત કર્મ છે. કાળની અપેક્ષાએ બ્રાહ્મણને નિદિત કર્મ આ પ્રમાણે છે – 'अग्निहोत्रं गवालम्नं, संन्यासं पनपैतृकम् । देवराच्च सुतोत्पत्तिं, कलौ पञ्च विवर्जयेत् ॥ १ ॥ શબ્દાર્થ –“હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરેલ વળી જ્ઞાનપૂર્વક જિન ધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્મદાનથી વેપાર કરવો, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કર્મ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજાં પણ ધર્મકાર્યો ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે“ अनुचितकारम्नः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युझाराणि चत्वारि ॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy