SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દાક્ષિણ્યતા રાખવી, કાઇની નિંદા કરવી નહિં, સત્પુરૂષોની પ્રશ'સા કરવી, વિપત્તિમાં ધૈય રાખવું, સંપત્તિમાં નમ્ર થવુ, પ્રસંગે ઘેાડું ખેલવું, કાઇ સાથે વિરોધ કરવા નહિં, અંગીકાર કરેલુ` કા` પુરૂં કરવું, નકામા ખર્ચ કરવા નહિં, હ ંમેશા યોગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાનો આગ્રહ રાખવા, પ્રમાદ છેડી દેવા, લાકાચારને અનુસરવું, અને જમાના પ્રમાણે ચાલવું, આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણા બતાવી તે ઉપર કૌશાંબી નગરીના ધર્મપાળ અને વસુપાળ શ્રેષ્ટીનું અસરકારક દૃષ્ટાંત આપી એ બીજા ગુણના વર્ણનની સમાપ્તિ કરવામાં આવી છે. ગૃહસ્થ શિષ્ટાચાર પાળનારા હોય પણ જો તે વિવાહ સંબંધમાં અવિચારી થ્યની જાય તે તેની કુલ વ્યવસ્થાના ભંગ થઈ જાય, તેથી તે પછી “ સમાન કુલ તથા શીલવાલા અન્ય ગાત્રી સાથે વિવાહ સબંધ જોડવાના ” ત્રીજો ગુણ આપવામાં આવ્યા છે. આ ગુણના વિવેચનમાં ધમ્મ અને અધર્માં મળી આ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસંગે કુલીન કન્યાના લક્ષણા તથા વિવાહને ચાગ્ય વયનુ સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બંધારણુ સબંધે સારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈતે ધર્મ, શેાભા, કીત્તિ અને આ લેાકના સર્વ સુખા પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઇને કલહ કલેશ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનુ દૃષ્ટાંત આપી તે દોષના છે ચિતાર આપેલા છે. આ પ્રસંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રાથી રહે છે, તે વાત દાઁવાને સુજાત, અતિજાત, કુન્નત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રાના લક્ષણા આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્ત્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઇએ, એ વાત સૂચવી તે સાથે યથાથ ગૃહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી ખતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શે!ભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્નભિન્ન કરી નાંખે છે. તે વિષય ચર્ચા સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુખાધક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણુરૂપે આ ત્રીજો ગુણુ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યા છે. '' કદિ શ્રાવક ગૃહસ્થ સુનુ સ્ત્રીના યાગથી યુક્ત થયા હાય, પરંતુ જે તે પાપથી ડરતા ન હાય તે। તે યોગ્ય ગણાતા નથી, તેથી તે પછી “ પાપભીરૂ ” નામના ચોથા ગુણુનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરૂ ન હોય તે તેને અન”ના કારણ રૂપ અનેક દુસનેા લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભા થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વમળ તથા સહુદેવ નામના એ શ્રેષ્ટિકુમારાનું દૃષ્ટાંત આપી એ ચેાથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યા છે. "" કદિ ગૃહસ્થ પાપભીરૂ હોય પણ જો પ્રસિદ્ધ દેશાચારથી ઉલટી રીતે વર્ત્તતા હોય તે તે ગૃહસ્થ ધર્માંને યાગ્ય ગણાતા નથી, તેથી હું પ્રસિદ્ધ દેશાચાર ” નામના પાંચમા ગુણુનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જૈન ગૃહસ્થે લેાક વિરૂદ્ધ કે ધર્મ વિરૂદ્ધ આચારના ત્યાગ કરવા જોઇએ. અન્યથા તે પુરૂષ લોકમાન્ય, યશસ્વી અને સિકા થઇ શકતા નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા યાગ્ય કેટલાએક લોક વિરૂદ્ધ કાર્યો ગણાવી તેમાંથી દૂર રહેવા સારા ઉપદેશ આપેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy