SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ, તેને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં. કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વધરોને પણ છેક નિગદ સુધી પહોંચાડનાર તેજ છે. કહ્યું છે કે – " मज्ज विसयकसाया, निदा विगहा य पंचमीनाणया । एए पंच पमाया, जीवं पागंति संसारे ॥ १ ॥" તાત્પર્ય –“આઠ મદ, પાંચ ઇન્દ્રિયના ત્રેવશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ જવને સંસારમાં પાડે છે. આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કઈ ભવ્ય પ્રાણી સંસારા કાર્યમાંથી અવકાશ મેળવી ધમ કરવાને તત્પર થાય છે, તેટલામાં ઉપરોકત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે તે તેનાથી પાછા નહીં હડતાં આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજયકરી, ધર્મ કરવામાં તત્પર થવું અને જે કાર્ય આજે કરવાનું હોય તેને આ વતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં. કહ્યું છે કે – " कनकरणसो आज कर, आजकरणसो अब । अवसर बिता जातहै, फिर करेगा कब ॥" આ કવિતાને વિચાર કરી જે શુભકાર્ય કરવાનું હોય તે શીશ કરવું જોઈએ. કેમકે –“શાંતિ રૂવિજ્ઞાનિ” શુભ કાર્યમાં ઘણાં વિદ્ધ આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરે નહીં. વળી કહ્યું છે કે –“પપા ત્વરિતા તિ– ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધર્મકરણી કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધીદેવ મહાવીર સ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગાતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે –“સમાં મા ઘણા – હે તેમ ? સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાકય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. માટે હું સુશ્રાવક છું અથવા સવે ત્તમ સાધુ છું એ નકામે અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંગ્વાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy