SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને પિગ્ય થાય છે, તેમ આ શુદ્ધ દેહવાળે છવ ધર્મ રૂપી અલંકારને યોગ્ય થાય છે, અને પછી દેવપૂજા તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે સ્વર્ગ અને મેક્ષના ફળનેજ આપનારું થાય છે. ભાવાર્થઅહિં જીનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહાર શુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું વધારે લેવું, માપવાનાં કાટલાં પ્રમાણુથી વધારે ઓછાં રાખવાં, તાજવામાં ધડે વિગેરે રાખવે, સારે માલ દેખાડી ખરાબ આપ, સારે પદાર્થ નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના પિસા લેવા, દેવદ્રવ્ય વિગેરે ઉચાપત કરવું, લાંચ ખાવી, વિશ્વાસઘાત કરે એ વિગેરે અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું ગૃહસ્થને ગ્ય નથી, કારણ કે શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અર્થશુદ્ધિ છે, અને તથા પ્રકારને જે શુદ્ધ અર્થ (દ્રવ્ય) હોય તેજ તેનાથી ખરીદેલે આહાર શુદ્ધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનારે થઈ શકે છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર એટલે જો ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરેલું હોય અને તેને આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુદ્ધિથી અર્થની પ્રાપ્તિ થઈ ગણાય છે, અને તે દ્રવ્યને સત્પાત્ર, દીન, અનાથ વિગેરે ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યો હોય તે તે અત્યંત આનંદ આપનારે થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિકર્તા થાય છે, અને તે દ્રવ્ય જેના ઉપભેગમાં આવ્યું હોય તેના વિચારે પણ વ્યવહાર શુદ્ધિમાં પ્રવર્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિગેરેને વધારનાર વિચારેને લય થાય છે, તેથી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા સતત્ પ્રયાસ કરે જેથી તે ઉત્તરોત્તર ઉત્તમ ફળને આપનારૂં થાય. આ શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુઓ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુઓ શુદ્ધ થવાથી જીનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાથી કર્મબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ દશાને પામી પિતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે, અને એગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકુળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણને અંગીકાર કરી અને પછી સર્વ વિરતિ પણનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાને પ્રાપ્ત કરી,ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અંતે મોક્ષપદને પામે છે. હવે ઉપર કહેલી બીના વ્યતિરેકથી દર્શાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy