________________
સપ્તમ ગુણ વર્ણન,
(મધ્યમ) ભૂમિ સમજવી. જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં, પાંચ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે જમીન દિમૃઢ કરનારી ન હોય, અર્થાત્ જે જમીનમાં ઉભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હોય, ચારે બાજુ સરખી હોય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉગાડવાવાલી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હોય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઈત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રથી જાણું લેવું. સ્થાનના ગુણદેનું જ્ઞાન તે શકુન, સ્વમ, દૈવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે.
જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પાર શિવાયની બીજા અને ત્રીજા પહેરની છાયા પડતી હોય તે તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બેરડી અને બીજેરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરને મૂળથી નાશ થાય છે. ઘરમાં દુધવાળું વૃક્ષ હોય તે તે લક્ષ્મીને નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હેય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હાય તે સંતાનને નાશ કરનાર થાય છે. તેથી આવૃક્ષના કાષ્ટને પણ ત્યાગ ક. કોઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડો, પશ્ચિમ દિશાએ પીંપળે અને ઉત્તર તરફ પીંપર હોય તે પ્રશંસનીય છે. ગૃહસ્થ તીર્થકરની પીઠ, શંકર તથા સૂર્યની દષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી મકાન બંધાવે ” બીજે સ્થળે પણ કહેલું છે કે, “જિનેશ્વરની પીડ, સૂર્ય તથા શંકરની દષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કર જોઈએ. ચંડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. અરિહંતની દૃષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશાએ હાયતે ઘણું દુઃખ આપનાર થાય છે. પરંતુ જો વચમાં માર્ગ હેયતે કાંઈ પણ દેષ લાગુ થતું નથી. સ્થાન સારૂં હોય તે પણ ઘર નિર્દેષ કરવું જોઈએ.” કહ્યું છે કે
"पुरिसव्व गिहस्संगं, हीणं अहिअं न पावए सोहं ।
तम्हा सुद्धं कीर, जेण गिहं हवा रिधिकरं ॥॥". શબ્દાર્થ–ચૂનાધિક શરીરવાળા પુરૂષની પિડે ઘરનું શરીર જૂનાધિક હેયતે શોભા પામતું નથી. તેથી જો ઘર નિર્દોષ કર્યું હોય તે તે ઋદ્ધિ કરનાર થાય છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org