SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ-જ્યારે વિદ્વાન પુરૂષએ ઘડપણને છતી સ્વભાવથી મનહર વનને આસ્વાદ પ્રાપ્ત કર્યો નથી, યમને છતિ લઈ પોતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું નથી અને પોતાના વૈભવથી આ જગતને દરિદ્રરૂપ સપના મુખમાંથી પણ છોડાવ્યું નથી, ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્થ૯૫ ગુણેથી શા માટે અહંકાર કરતા હશે તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાર્ય કરી શક્તા નથી, છતાં લેકે મિથ્યાભિમાન કરે છે. પા. दिग्वासाश्चन्द्रमौलिवहति रविरयं वाहवैषम्यकष्टं राहोरिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलोकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्ततेऽद्यापि मेरुः, किं दत्तं? रक्षितं किं ? ननु किमिह जगार्जितं येन गर्वः॥५॥ શબ્દાર્થ–મહાદેવ દિશારૂપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અને વિષમ (એકીને વિષમ કહે છે) પણાનું દુઃખ ભેગવે છે, ચંદ્ર રાહુની શંકાને વહન કરે છે, નાગલેક ગરૂડથી ભય પામે છે, સમુદ્ર રત્નનું ગૃહ છે, અને આ મેરૂપર્વત પણ હજુ સુધી સેનાના પર્વતરૂપવિદ્યમાન છે તો પછી તે મનુષ્યતાએ શું કાંઇ દાન આપ્યું છે? શું કેઈનું રક્ષણ કર્યું છે? શુ આ જગતમાં કોઇ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. પા વળી ભર્તુહરિએ કહ્યું છે કે – पातालान्न समुद्धृतो बत ? बलिनीतो न मृत्युः क्षयं, नोन्मृष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम् , चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लज्जसे ॥ ६ ॥ શબ્દાર્થ એ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછન ભૂક્યું નથી, રેગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો નથી. તે હે ચિત્ત! તું સપુરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. તે ૬ ફતિ મહંR / હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રયજન વિના બીજાને દુ:ખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંત:કરણમાં પ્રમોદ ઉ. ત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આ હર્ષ દુર્ગાનયુક્ત હૃદયવાળા અધમ પુરૂષોનેજ સુલભ હોય છે, અર્થાત ઉત્તમ પુરૂષએ તે કર્મબંધનને કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy