________________
શ્રાદ્ધગુણ વિવરણ. છે તથાપિ પાત્રતાની ગ્યાયોગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશયપણે પરિણમે છે, તેથી જેને જે ગ્યા હોય તેને તે ઉપદેશ આપે એ ગ્રંથકાર મહારાજને ઉદ્દેશ છે.
સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાને કમ પ્રાયે બદલાયેલો લાગે છે. શ્રેતાઓને વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પિતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથો સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પણ જેને બરાબર ખબર ન હોય તેવાઓની સમક્ષ આચારાંગાદિ અતિ કડિન ગ્રંથ વાંચવામાં આવે છે આથી રોતાવક્તાના કાલને જોઈએ તે ઉપયોગ થતું નથી, તેથી દેશ કાળ અને શ્રોતાઓને વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણ થઈ પડે.
હવે બીજી રીતે બતાવે છે. गिरिसिर १ पणालश्मरुथन ३ कसिणावनि जल हिसुत्ति एमणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीव दिलुता ॥१॥
શબ્દાર્થ—અથવા જેમ પર્વતનું શિખર, પરાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણિઓની ખાણ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં ની પેગ્યતા ઉપર આધાર રહે છે. ૧૦
ભાવાર્થ—વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રેતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાયાંતરથી વ્યગ્ર ચિત્તવાળા કેઈ બરોબર વ્યાખ્યાન શ્રવણ કરી વિચાર કરતા નથી. રૂડી સાચવવાને સારૂ વ્યાખ્યાન શ્રવણ કરનાર અથવા માનની કે પ્રભાવનાની ઈચ્છાથી ઉપાશ્રયે જઈ કાળ ગાળનાર શ્રેતાઓ પર્વતના શિખર જેવા છે. જેમ પર્વતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણ લાભકારી થતું નથી તેમ પૂર્વોક્ત લક્ષણવાળ શ્રેતાઓને ઉપદેશ રૂપી જળ લાભકારી થતું નથી. ૧
બીજા છે પરણાળ જેવા છે; પરશુળ જેમ જળને ઝીલીને પિતાની પાસે ન રાખતાં જમીન વાસણ અગર ટાંકામાં નાંખે છે પરંતુ પરણાલને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરૂ મહારાજથી ઉપદેશ શ્રવણ કરીને ઉપદેશ બીજાઓને સંભળાવી પિતાનું પંડિતપણું જાહેર કરે છે, પરંતુ પિતાના આત્માનું કઈ પણ પ્રકારે હિત સાધી શક્તા નથી, તેથી આવા પ્રકારના છે પણ ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org