________________
શ્રાદ્ધગુણ વિવરણ.
ને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આજ મેહેર કાગડો ભક્ષણ કરે છે પણ તેને દુઃસ્વર તેને તેજ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનાર ને કંટાલ આપે છે. મેહરમાં સ્વર સુધારવાની શક્તિ જગ જાહેર છે છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પારલૌકિક સુખ આપવાની શક્તિ છે તથાપિ અપાત્રમાં સ્થપાયેલે તે ધર્મ નિષ્ફળ જાય છે, તેથી પાત્રાપાત્ર વિચાર કરવો એ ખાસ જરૂરનું છે. યોગ્યયોગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજાં દષ્ટાંતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે.
ગ્યાતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. " आने निबेसुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवक्त्रे,
औषध्यादौ विषौ गुरुसरसि गिरौ पांमुन्नूकृष्णनूम्योः । कुक्षेत्रे कषायजुमवनगहने मेघमुक्तं यथांजस्तकृत्पात्रषु दानं गुरुवदननवं वाक्यमायाति पाकं” ॥ए॥ શબ્દાર્થ–જેમ વર્ષાદનું પાણું આંબામાં લીંબડામાં સારા તીર્થમાં કચરામાં, છીપમાં સપના મુખમાં એષધી વિગેરેમાં ઝેરી વૃક્ષમાં મેટા રેવરમાં પર્વતમાં પીલી તથા કાલી જમીનમાં સેલડીના ક્ષેત્રમાં કષાય વૃક્ષોના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરૂના મુખમાંથી નિકળેલું વાક્ય જેવા પા ત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. જે લો.
ભાવાર્થ–વષદનું પાણી એકજ સ્વભાવનું છે છતાં જુદા જુદા પાત્રમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિષ્ટ આમ્રરસ ઉત્પન્ન કરે છે. લીંબડાના વૃક્ષમાં પડવાથી કકરસ પેદા થાય છે. ઉત્તમ તીર્થમાં પડવાથી પવિત્રતાને પામે છે. કચરામાં પડવાથી નિંદનીક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૈક્તિક થાય છે. સર્ષના મુખમાં પડવાથી પ્રાણુ ઘાતક ઝેર નિવડે છે. ઔષધિમાં પડવાથી એષધિ રૂપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે. ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણુ નાશક ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયોગી સ્વચ્છ જલ થાય છે. પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીલી તથા કાળી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃદ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારું થાય છે. કષાય વૃક્ષોના ગહન વનમાં પડવાથી કષાય રસ ઊત્પાદક થાય છે. તેવી જ રીતે સદ્દગુરૂ મહારાજનાં વચનામૃત એકજ સ્વભાવ પરિણત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org