SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રાદ્ધગુણ વિવરણ. ચંપાપુરીમાં સાગર નામે એક શેડ હતું. તેને ચાર પુત્ર અને તેમની ચાર વહૂઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી. પિતે કુપણ હેવાથી તૃઘણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળે સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતા હતે. જે ઘરનું કેઈપણ માણસ તેની દષ્ટિએ મનહર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે સ્નાન દાન વિગેરે કરે તે તેની સાથે તે અહેનિશ કછ કરતે. વધારે તે શું પણ કેઈ અનાજની કણવૃત્તિ પણ આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠીયાને સઘળો પરિવાર હેરાન થવા લાગે. પછી શેઠના પુત્રની ચારે વહૂઓ જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ભેજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી અને સવ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહૂઓને એક ચેગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ચોગિનીએ તે વહુએને આકાશગામીની વિદ્યા આપી તે પછી પશુને બાંધવાના સ્થાનમાં રહેલા એક હેટા કાષ્ટ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સવ ઠેકાણે કીડા કરી પાછલી રાત્રે આવી તે કાષ્ટને જ્યાં ત્યાં નાંખી સુઈ ગઈ એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દોહવાની ફિકર કરનાર અને કાષ્ટનું જ્યાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નેકરે રાત્રિમાં ગુપ્ત ગતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેના જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે આવતી કાલે હું તપાસ કરીશ કે આ વહઓ ક્યાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સર્વ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરીને બેસી રહે. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાષ્ટ આકાશમાં ચાલ્યું અને અનુકમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડા ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નકર પણ કાષ્ટથી બહાર નીકળી અને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે, તે જોઈ વિસ્મય પામ્યું. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવણ ગ્રહણ કરી તે નકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાષ્ટ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ ક્ષણમાત્રમાં પોતાના સ્થાનમાં આવી કાષ્ટને ત્યાગ કરી પોતપોતાની શય્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલે એક કાળ વ્યતીત થએ છતે તે નેકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતું નથી અને સાગર શેઠની સામું બોલવા લાગ્યું. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે, આ સેવકને કાંઈપણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કેમળ વચનથી એવી રીતે કહ્યું કે જેથી તે નેકરે વહુઓને તમામ વૃત્તાંત પેટમાં નહી જ્યથી પ્રગટ કરી દીધા. પછી આજે હું તપાસ કરીશ ત્યારે કેને કહેવું નહીં, એમ શેઠે નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાષ્ટના પોલાણમાં રહ્યા. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પિલાણમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy