SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયશિત ગુણવર્ણન, ૨૧૯ તેની સઘળી આંગળીઓ બળી જવાને લીધે આ વખતે ઘણેજ બળે છે તે પણ અત્યંત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત ઔદાર્યતાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલો અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં કલ્પવૃક્ષ સમાન રામશેખરદેવ પ્રકટ થઈ કે–“હે પ્રજાપ્રિય! ઘણું કરીને છમહિના સુધી ઉપાસના કરનાર એવા કેઈએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગુટિકા આપતે જ નથી ત્યારે મેં તને એક દિવસમાં બે ગુટિકાઓ અર્પણ કરી પરંતુ હે ઉત્તમપુરૂષ! તે તો તે બે ગુટિકાઓ લીલા માત્રમાંજ બીજાઓને આપી દીધી, માટે હે ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! હારી ઔદાર્યતાની દોસ્તીને પ્રકાશ આશ્ચર્યજનક છે તેથી હું હારી ઉપર તુર્ણ થયે છું માટે જે તને ઈષ્ટ હોય તે કહી દે એટલે તે હું કરી દઉં.” દેવનાં આવા વચનો સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે—તું જગને પૂજનિક દેવ કયાં? અને તૃણ જે હું કયાં? અર્થાત્ હારી અને હારી બરોબરી થઈ શકે જ નહીં પરંતુ હારા દર્શને નથી મહારે આ જન્મ સફળ થયો છે તે પણ છે સ્વામિન્ ! હારી એક પ્રાર્થના સફળ કરવાને તું યેગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુષ્યનું મને વાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જેવો તુંજ પ્રસિદ્ધ થયેલો છે. તે માટે હે વિબુધ! જલદી પ્રસન્ન થઈ મ્હારી સેવાથી આ લેકેની કામના પૂર્ણ કર.” એવી રાજાની પ્રાર્થનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લોકોને અને રાજાઓને એકદમ ગુટિકાઓ આપિને વિસર્જન કર્યો. ભરતરાજા પણ દેવથી મેળવેલી ગુટિકાને લઈ વળી વિનયપૂર ર્વક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાર્થ થએલે, પવિત્ર મનવાળા અને વિશાળ બુદ્ધિવાળે રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલંકારરૂપરિષ્ટપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થશે. તે નગરના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણુઓના સમૂહને ધર્મમાર્ગ નો ઉપદેશ કરતા, આત્મરમણતમાં પ્રીતિ કરનારા મુનદ્રોથી સેવા કરાતા પ્રકાશ કરનાર ઉત્તમજ્ઞાન યુક્ત, રેગરહિત, સંપૂર્ણ પાપને નાશ કરનાર અને વેગળે રહેલા સૂરીશ્વરને તે ભરતરાજાએ હર્ષપૂર્વક જોયા. ત્યારબાદ કુતૂડળથી તે સ્થાનમાં જઈ પ્રાણીઓને આધારભૂત, સારે વિચાર કરનાર અને પ્રકૃતિથી ભદ્રકપરિણતિવાળા તે રાજાએ સૂરિને નમસ્કાર કરી ઉચિતસ્થાનમાં બેઠે. તે અવસરે વિસ્મય થએલા ઘણા લોકની લાઘા યુક્ત સૂરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપે તે આ પ્રમાણે છેचिन्तारत्नं मणीनामिव दिविजकरी सिन्धुराणां ग्रहाणा मिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy