SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રાદ્ગુણ વિવરણ, કે“ હે વત્સ ! તુ જાણે છે કે મ્હારા ચેલ્રણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે માટે મ્હારી પ્રસન્નતાનો સૂચક એક સ્થંભીએ મહેલ આ ચેલણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે હું દેવ ! આ કાર્ય થએલુંજ છે” એમ કહી હુશીયાર સુથારને વનમાં જવાના આદેશ આપ્યા વનમાં પરિભ્રમણ કરતા સુથારે એક લક્ષણવાળું વૃક્ષ જોયુ અને વિચાર કર્યો કે–આ વૃક્ષ પ્રસ્તુત્ત કાર્ય ને યોગ્ય છે. પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાન પૂર્ણાંક આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે. તેથી સુત્રધારે ઉપવાસકરી ઉત્તમ ગંધ, પુષ્પ અને નૈવેદ્ય વિગેરેથી પૂજા કરી ખેલ્યા કે રાજાના આદેશથી આ વૃક્ષને હુ પ્રાત:કાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કાઈ રાક્ષસ અથવા તેા યક્ષ ગંધવ કે ગણુ વસતા હાય તેા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને છેદવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાર્થના કરી સુત્રધાર સુઇ ગયા એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે—અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સુત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું હોત તેા મ્હારા કોપરૂપ પ્રક્રીપમાં પતંગીયાપણાને પ્રાપ્ત થયા હોત પરંતુ ઉત્તમ પુરૂષો વગર વિચાર્યું કરનારા હોતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્યરાત્રીમાં જઇ અભયકુ મારને કહ્યું કે-વિનય અને પૂજા વિગેરેથી હું તુષ્ટ થયા છું. તેથી સર્વ રૂતુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશોભિત એક સ્થંભીયા મહેલ હુંજ બનાવીશ માટે સુત્રધારાને આડ કાપવાના કામથી એકદમ નિવર્તન કરો. અભયકુમારે પણ વ્યંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થભીયા મહેલ તૈયાર કર્યો. અભયકુમારે પણ શ્રેણીકને વિનંતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલને જોઇ આશ્ચર્ય થી વિકસિત વદનવાળા શ્રેણિક રાજા અભયકુમારને પુછ્યું કે આવા પ્રકારના મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળે યથાર્થ વૃત્તાંત કહી સ ંભળાવ્યા. તે પછી ચેલ્રણા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યુ કે–વિદ્યાધરીની પેઠે મરજી મુજબ વિલાસ કરતી હૈ સુદરી ! આ ઠેકાણે રહી તુ ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થ વડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અભયકુમાર પણ ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થધર્મનુ પાલન કરે છે. કોઈ અવસરે રાજાએ રાજ્ય આપવા માંડયુ. પણ સ ંતાષપરાયણ અભયકુમારે તેના સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યા કે જો હું ચરમ ( છેલ્લા ) રાજિષ થઉં તેા રાજ્યને ગ્રહણ કરૂ પરંતુ આ વાતના નિશ્ચય તે ભગવાનને પુછવાથી થઈ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીર સ્વામી પશ્ચિમ દેશથી વીતભયપત્તનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજગૃહમાં પધાર્યાં. અલયકુમાર પણ પેાતાના પરિવાર સાથે જિનેશ્વરને વંદન કરવા માટે ગચા અને ત્યાં અવસર મળતાં ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy