________________
પણ ગુણ વર્ણન.
ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને નિરાસ કરવા માટે સરૂની છઠ્ઠા જડ બની જાય છે, અર્થાત્ આવા પ્રસંગે સત્પરૂ માનજ ધારણ કરે છે. કારણ કે પરની નિંદા કરવી એ એક મહાનું પાપ છે. વળી વધારે આશ્ચર્ય તે એ છે કે પિતે નહીં કરેલાં પણ બીજાના પાપ,નિંદા કરનારી વૃદ્ધ બ્રાહ્મણીની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણીનું દષ્ટાંત આ પ્રમાણે છે
કોઈ સારા ગામમાં દાનેશ્વરી અને લોકપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતો. કહ્યું છે કે- “પ્રજાને દાતાજ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઇચ્છે છે, પણ સમુદ્રને કોઈ ઇચ્છતું નથી;” અર્થાત્ જેમ વર્ષાદ જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લોકો તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ, અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કોઈના ઉપગમાં આવતું નથી, તેથી લોકે આ બન્નેને ઈચ્છતા નથી
તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણ શેઠની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લેકે આવે છે, અને તે આ શેઠને ધમ જાણી પિતાનું દ્રવ્ય થાપણ મુકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે. માટે એ ધમી છે તે જાયે.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલે કોઈ કાર્પટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યો, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભેજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિ, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવા ડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મરતક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા મોટા સપના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાપેટિકને મરણ પામેલ જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થઈકહેવા લાગી કે, “દ્રગ્સના લોભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે ?” આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે, અને વિચાર કરે છે કે હું તેને વળગું ? “દાતાને આત્મા નિર્મળ છે, સર્પ અજાણ અને પરવશ છે, સમડી પણ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે હારે કોને વળગવું? ” એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org